Author: gujdesk

અમેરિકાના કેલિફોર્નિયામાં બોમ્બ વિસ્ફોટની ઘટના (જી.એન.એસ) તા. 18 કેલિફોર્નિયા, કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સ શહેરના ડાઉનટાઉનમાં એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેનાથી ફર્ટિલિટી ક્લિનિકને ભારે નુકસાન થયું છે અને આસપાસની ઇમારતોની બારીઓ અને દરવાજા ઉડી ગયા હતા. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે પરંતુ પોલીસે મૃતકની ઓળખની પુષ્ટિ કરી નથી. અમેરિકાના કેલિફોર્નિયામાં એક ફર્ટિલિટી ક્લિનિકની બહાર બોમ્બ બ્લાસ્ટ થયો છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. પામ સ્પ્રિંગ્સના ડાઉનટાઉનમાં વિસ્ફોટ થયો હતો, જેનાથી ક્લિનિકને ભારે નુકસાન થયું હતું અને આસપાસની ઇમારતોની બારીઓ અને દરવાજા ઉડી ગયા હતા. શહેરના પોલીસ વડાએ…

Read More

(જી.એન.એસ) તા. 18 મીડિયા સૂત્રના એક રિપોર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ તેના બેલઆઉટ કાર્યક્રમના આગામી હપ્તાના પ્રકાશન માટે પાકિસ્તાન પર 11 નવી શરતો લાદી છે. IMF એ ચેતવણી પણ આપી હતી કે ભારત સાથે વધતા તણાવથી યોજનાના નાણાકીય, બાહ્ય અને સુધારા ઉદ્દેશ્યો માટે નોંધપાત્ર જોખમો ઉભા થઈ શકે છે. નવી જરૂરિયાતોમાં ૧૭.૬ ટ્રિલિયન રૂપિયાના બજેટની સંસદીય મંજૂરી, વીજળી બિલ પરના દેવાની ચુકવણી સરચાર્જમાં વધારો અને ત્રણ વર્ષથી જૂની વપરાયેલી કારની આયાત પરના નિયંત્રણો દૂર કરવાનો સમાવેશ થાય છે. મીડિયા સૂત્રો મુજબ, શનિવારે બહાર પાડવામાં આવેલા IMFના સ્ટાફ લેવલ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે “ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતો…

Read More

(જી.એન.એસ) તા. 18 નવી દિલ્હી, ચાલુ રાજદ્વારી ચર્ચાઓને વધુ ગાઢ બનાવવાના પગલામાં, ભારતે શનિવારે બાંગ્લાદેશી ગ્રાહક માલ પર નવા નિયંત્રણો લાદ્યા, ફક્ત બે નિયુક્ત દરિયાઈ બંદરો – કોલકાતા અને ન્હાવા શેવા દ્વારા તેમના પ્રવેશને મર્યાદિત કર્યો. આ નિર્ણય અસરકારક રીતે બાંગ્લાદેશી રેડીમેડ ગાર્મેન્ટ્સ (RMG) અને અન્ય ઘણી વસ્તુઓના ઉત્તરપૂર્વીય ભૂમિ પરિવહન બિંદુઓ દ્વારા પ્રવેશને અવરોધે છે, જેના કારણે બંને પડોશીઓ વચ્ચેના વેપાર પ્રવાહ પર નોંધપાત્ર અસર પડે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જાહેર કરાયેલા નવા પ્રતિબંધોમાં, આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં લેન્ડ કસ્ટમ્સ સ્ટેશનો (LCS) અને ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ્સ (ICPs), તેમજ પશ્ચિમ બંગાળમાં ફુલબારી અને ચાંગરાબંધા દ્વારા…

Read More

(જી.એન.એસ) તા. 18 વલપરાઈ, તમિલનાડુના વલપરાઈ નજીક ફાડી વિસ્તારમાં તમિલનાડુ રાજ્ય પરિવહન નિગમ (TNSTC)ની એક બસ પલટી ગયા બાદ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માત અંગે મળતી માહિત મુજબ, બસમાં 72 મુસાફરો સવાર હતા અને આ બસ તિરૂપ્પુરથી પલપરાઈ જઈ રહી હતી. પહાડી વિસ્તારમાં ડ્રાઈવરે અચાનક કંટ્રોલ ગુમાવી દીધા, જ્યારબાદ આ ઘટના બની. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, બસ રોડ પરથી બેકાબૂ થઈને ખીણમાં ખાબકી ગઈ. જો કે, સદનસીબે આ ઘટનામાં તમામ મુસાફરોના જીવ બચી ગયા. બસ ડ્રાઈવર ગણેશને ગંભીર ઈજા પહોંચી છે અને તેની પોલાચી સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માતની ખબર મળતાજ વલપરાઈ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ…

Read More

(જી.એન.એસ) તા. 18 જેરૂસલેમ, ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) ગાઝા પટ્ટીમાં આગળ વધી રહ્યા છે ત્યારે ઇઝરાયલે ઓપરેશન ગિડીઓન્સ રથ શરૂ કર્યું છે. લશ્કરી હાજરી સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી આ ઓપરેશનના પ્રારંભિક તબક્કા છેલ્લા 24 કલાકમાં હાથ ધરવામાં આવ્યા હતા. ગાઝાના ઉત્તરમાં તેમજ ગાઝા શહેરના તુફાહ પડોશના પૂર્વ ભાગમાં વિસ્ફોટોના સતત અહેવાલો મળી રહ્યા છે. પટ્ટીના દક્ષિણમાં ખાન યુનિસ, જબાલિયા અને દેઇર અલ-બલાહમાં વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. IDF એ જણાવ્યું છે કે ઓપરેશન ‘ગિડિઓન્સ રથ’ ના પ્રારંભિક તબક્કા અને ગાઝામાં અભિયાનના વિસ્તરણના ભાગ રૂપે કામગીરી હાથ ધરવામાં આવી છે. “ગયા દિવસોમાં, IDF એ ગાઝા પટ્ટીમાં વ્યૂહાત્મક વિસ્તારો કબજે કરવા…

Read More

(જી.એન.એસ, જિતેન્દ્ર ઉપાધ્યાય) તા. ૧૮ હિંમતનગર, હિંમતનગર-ઇડર હાઇવે પર રાજપુર પાટીયા પાસે બપોરના સમયે એક એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બસે રિક્ષાને ટક્કર મારતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષામાં સવાર મહિલા અને રિક્ષા ડ્રાઇવરનું ઘટનાસ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ઘાયલ થયા છે. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવની કામગીરી કરી હતી.

Read More

વર્ષ-૨૦૨૯ સુધીમાં દેશભરમાં PACS રજિસ્ટર કરી બે લાખ જેટલી નવીન પ્રાથમિક સહકારી મંડળીઓ અને ડેરીઓ શરૂ કરાશે: કેન્દ્રીય ગૃહ, સહકારિતા મંત્રીશ્રી અમિત શાહ (જી.એન.એસ) તા. ૧૮ અમદાવાદ, અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા સહકારી મહાસંમેલન-૨૦૨૫ યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ- ૨૦૨૫ની આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે પણ સહકાર ક્ષેત્ર વર્ષ ૧૯૦૦માં હતું, એટલું જ પ્રાસંગિક છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન…

Read More

SMC પોલીસ સ્ટેશન બન્યું ત્યારથી અત્યાર સુધી ચાર મહિનામાં 12 મોટા NDPSના કેસો શોધી 25 ડ્રગ કાર્ટેલ અને પેડલર્સને ઝડપી લેવામાં આવ્યા (જી.એન.એસ) તા. ૧૮ ગાંધીનગર, અત્યાર સુધીમાં કોકેઈન, MD, મેફેડ્રોન, ગાંજો અને ઓપિયમ આલ્કલોઈડ્સ જેવા રૂ. 4.14 કરોડની કિંમતના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ચાર મહિના પહેલાં દારૂ, જુગાર ઉપરાંત SMCને ડ્રગ્સ પેડલર પકડવા સોંપાયેલી કામગીરીને મળી સફળતા SMCની ટીમે સ્થાનિક પોલીસની નજરમાંથી ચૂકી ગયેલી ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખીને માફિયાઓ સુધી પહોંચવાનું શાનદાર કામ કર્યું છે, આ લડાઈ આગળ પણ ચાલુ રહેશે: મંત્રીશ્રી હર્ષ સંઘવી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશ હેઠળ રાજ્યના યુવાઓને ડ્રગ્સની બદીથી બચાવવા…

Read More

ISRO નું EOS – 09 મિશન અધુરૂ રહ્યું, પરંતુ દેશવાસીઓને વિશ્વાસ છે કે બહુ જલદી દેશના વૈજ્ઞાનિકો તેને સફળ બનાવશે (જી.એન.એસ) તા. ૧૮ શ્રીહરિકોટા, દેશની પ્રતિષ્ઠિત ઇન્ડિન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા રવિવારે શ્રીહરિકોટાથી તેનું 101 મું મિશન EOS – 09 લોન્ચ કરવામાં આવ્યું હતું. લૉન્ચ બાદ ત્રીજા તબક્કા દરમિયાન ટેક્નિકલ ખામી જોવા મળી, જેના કારણે મિશન અધુરૂ રહી ગયું. આ વાતની જાણકારી ખુદ ISRO પ્રમુખ વી. નારાયણને આપી છે. આ બાબતે વી. નારાયણને જણાવ્યું કે, સેટેલાઇટના લૉન્ચનો પહેલો અને બીજો તબક્કો સામાન્ય રહ્યો પરંતુ, ત્રીજો તબક્કો પૂરો ન થઈ શક્યો અને ખામીના કારણે આ મિશન સફળ ન થઈ શક્યું.…

Read More

ભારતીય સેનાના સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવતી તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી થયા સહભાગી (જી.એન.એસ) તા. ૧૮ સાણંદ, ભારતીય સેનાના અપ્રતિમ સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવવા દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અમદાવાદના સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે નળ સરોવર ચોકડીથી એકલિંગજી રોડ પર આવેલા મહારાણા પ્રતાપ સ્ટેચ્યૂ સુધી પદયાત્રા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ યુવાનો અને ગ્રામજનોના ઉત્સાહને આવકાર્યો હતો. તિરંગા યાત્રામાં અમદાવાદ જિલ્લાના પ્રાથમિક…

Read More