Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (14/૦5/2026)
- આજ નું પંચાંગ (14/05/2026)
- સાથી પક્ષોના દબાણ હેઠળ મુખ્યમંત્રી વિજયે રિકી રાધન પંડિત વેટ્રીવેલને તેમના OSD તરીકે દૂર કર્યા
- મહારાષ્ટ્રના બારામતીમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું
- ટ્રમ્પની નવી ધમકી વચ્ચે ઈરાનની કડક ચેતવણી
- રિક્ષામાં નજર ચૂકવી મુસાફરોના દાગીના-રોકડ ચોટી કરતી ગેંગ ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી
- અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ
- પ્રતીક યાદવ મૃત્યુ કેસ: મુલાયમ સિંહના પુત્રનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો
- કેન્દ્રીય મંત્રીમંડળે કોલસાના ગેસિફિકેશનને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૩૭,૫૦૦ કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, ડાંગરના MSPમાં રૂ. ૭૨નો વધારો કર્યો
- આસામ સરકારે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી, બિલ 26 મેના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
- એર ઇન્ડિયાએ જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડી, કેટલાક વિદેશી રૂટ સ્થગિત કર્યા
- લંડનની 70% ઓફિસો ગ્રીન ચેકમાં નિષ્ફળ ગઈ, વેસ્ટમિન્સ્ટર અને શહેરની રિયલ એસ્ટેટ કટોકટીમાં
Author: gujdesk
(જી.એન.એસ) તા. ૧૮ નવસારી, ગુજરાતના નવસારીનો એક યુવક બે યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. નવસારીના વાંસદા તાલુકામાં યુવકની લગ્નીની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં ખાનપુર ગામના યુવકના આવતીકાલે સોમવારે (19 મે, 2025) બે યુવતી સાથે અને પોતાના 3 ત્રણ સંતાનોની સાક્ષી લગ્ન થવા જઈ રહ્યાં છે, ત્યારે લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે. આદિવાસી સમાજની અનોખી પરંપરાથી યુવકના બે યુવતી સાથે લગ્ન થવાના છે, ત્યારે ચાલો જાણીએ આદિવાસી પરંપરા વિશે. ખાનપુર ગામના રહેવાસી મેઘરાજભાઈ (ઉં.વ.36)ના લગ્નની કંકોત્રીની ચર્ચા ચારેયકોર થઈ રહી છે. કંકોત્રીમાં તેમના લગ્ન બે યુવતી અને તેમના ત્રણ સંતાનોની સાક્ષીએ થવા જઈ રહ્યા…
(જી.એન.એસ) તા. 18 ન્યુયોર્ક, અમેરિકામાં એક મોટી ઘટના સર્જાઈ હતી જેમાં, ન્યૂયોર્ક શહેરમાં રાતના સમયે મેક્સિકન નૌકાદળનું જહાજ ‘Cuauhtémoc’ બ્રુકલિન સ્થાનિક સમયાનુસાર 8:26 વાગ્યે જહાજ જ્યારે બ્રિજ નીચેથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે બ્રિજ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જહાજ પર સવાર ઓછામાં ઓછા 19 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં, જેમાંથી 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ એક વીડિયોમાં અકસ્માતની ઠીક પહેલાની ક્ષણ કેદ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, જહાજ બ્રિજની ખૂબ નજીક પહોંચી જાય છે અને બાદમાં તેનો ઉપરનો ભાગ બ્રિજ સાથે અથડાઈ જાય છે. જહાજ અથડાયું ત્યારે જહાજના ઉપરના ભાગ…
(જી.એન.એસ) તા. ૧૮ અમદાવાદ, અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં મૂળ મંદિરની જગ્યાનો બારોબાર વહીવટ કરી દેવામાં મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્રિકમજી મંદિરની જમીન પચાવી લેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 7 આરોપીઓ સામે ગાયકવાડ હવેલીમાં ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે. જમાલપુરમાં આવેલા 700 વર્ષ જુના પૌરાણિક ત્રિકમજી મંદિરનો વિવાદ સામે આવ્યો છે. જામીનગીરીના બોગસ દસ્તાવેજ બનાવી આરોપીએ કાવતરું રચ્યું હોવાની માહિતી સામે આવી છે. જેમાં બિલ્ડર બિલાલ શેખ સહિત 2ની પોલીસે ધરપકડ કરી છે. પૌરાણિક મંદિર પર ભૂમાફીયાઓએ ગેરકાયદે કબ્જો કર્યો હતો જેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રિકમજી મંદિરમાં વર્ષ…
દેશના ૬૦ કરોડ નાગરિકોને ૦૫ લાખના આયુષ્માન કાર્ડ થકી આરોગ્યની સુલભ સેવાઓ મળી રહી (જી.એન.એસ) તા. ૧૮મહેસાણા, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રના નાગરિકોની આરોગ્ય સેવાઓ સુદ્રઢ બને તે દિશામાં વર્ષ ૨૦૧૪થી આમૂલચૂલ પરિવર્તન કર્યું છે મહેસાણા જિલ્લાના ગોઝારીયા ખાતે શ્રીમતી સમરથબેન ચુનિલાલ અને શેઠશ્રી ડોસાભાઇ માધવજી સાર્વજનિક હોસ્પિટલ ગોઝારીયા દ્વારા સંચાલિત શ્રી કે.કે.પટેલ અને શ્રીમતી મધુબેન પટેલ નર્સિંગ કોલેજ ઉદ્ઘાટન સમારોહ કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતશાહના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રના નાગરિકોની આરોગ્ય સેવાઓ સુદ્રઢ બને તે દિશામાં વર્ષ ૨૦૧૪થી આમૂલચૂલ પરિવર્તન કર્યું છે, તેમણે ઉમેર્યુ હતું કે,દેશના ૬૦ કરોડ…
મૃતક યુવતીની લાશને પીએમ માટે ગાંધી હોસ્પિટલે ખસેડાતા હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળાઓ ઉમટ્યા હતા (જી.એન.એસ) તા. ૧૮ સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં રહેતી એક યુવતીની જાહેરમાં છરીના ઘા મારીને હત્યાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો હતો. યુવતીની હત્યા નીપજાવી આરોપી યુવક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે હત્યાના બનાવને લઈને પોલીસ સ્થળ પર પહોંચીને મૃતક યુવતીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટના મામલે મૃતકના પરિવારજનોએ યુવતીનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં સવારે કારખાનામાં…
ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની વિવિધ સહકારી સંસ્થાઓના ૪૫૦૦ જેટલા સહકારી પ્રતિનિધિઓ રહેશે ઉપસ્થિત (જી.એન.એસ) તા. 17 અમદાવાદ, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સહકારી મહાસંમેલન-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાનારા આ સહકારી મહાસંમેલનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેનાર છે. આ અંગે ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ અમીનના જણાવ્યા અનુસાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં રાજ્યભરની વિવિધ સહકારી સંસ્થાઓને સહભાગી બનાવવાનો આ…
ગુજરાતમાં છેલ્લા અઢી દાયકામાં નિર્મિત કરવામાં આવ્યા રાજ્યના ઇતિહાસ, વારસો અને સંસ્કૃતિની જાળવણી કરતા અભૂતપૂર્વ મ્યૂઝિયમ (જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, મ્યુઝિયમ એટલે એવું સ્થળ કે જ્યાં સંબંધિત દેશ કે રાજ્યની ઐતિહાસિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને કલાત્મક મહત્વ ધરાવતી વિવિધ ચીજવસ્તુઓને એકત્રિત કરીને લોકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવે છે, જે લોકો માટે શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક સ્થળ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મ્યુઝિયમની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું છે કે, “મ્યુઝિયમ હકીકતો અને પુરાવાઓ આધારિત વાસ્તવિકતા રજૂ કરે છે. તે આપણને ભૂતકાળમાંથી પ્રેરણા પૂરી પાડે છે, અને ભવિષ્ય પ્રત્યેની આપણી ફરજો પ્રત્યે આપણને સભાન કરે છે.” તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન શ્રી…
(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) 2025 માટે યુવા-કેન્દ્રિત પહેલ “યોગા અનપ્લગ્ડ” નોંધપાત્ર ગતિ પકડી રહી છે કારણ કે અગ્રણી યોગ સંસ્થાઓ આગામી પેઢીને પ્રેરણા આપવા માટે એકસાથે આવી રહી છે. વિશ્વની સૌથી જૂની અને સૌથી આદરણીય યોગ સંસ્થાઓમાંની એક, કૈવલ્યધામે “યોગ અનપ્લગ્ડ” માટે તેના સમર્થનનો સંકેત આપતા પ્રભાવશાળી યુવા-કેન્દ્રિત પહેલોની શ્રેણી શરૂ કરી છે. આ પહેલોમાંની એક “યુવા મન માટે યોગ” ઝુંબેશ છે, જે હેઠળ સંસ્થા તેના ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કોમન યોગ પ્રોટોકોલ તાલીમની મફત ઍક્સેસ પ્રદાન કરે છે. તેનો ઉદ્દેશ્ય દેશભરના વિદ્યાર્થીઓ અને યુવા પરિવર્તનકારો માટે યોગને સુલભ બનાવવાનો છે. વધુમાં, કૈવલ્યધામનો ઉદ્દેશ્ય ઓનલાઈન ઓફર – “યોગિનાર” દ્વારા યોગ…
મેષ આજના દિવસે અપાર ઊર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે અને તમારી સામે આવનારી કોઈપણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે, જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે. આજે તમે કોઈ વૃદ્ધ…
તિથિ પંચમી (પાંચમ) – 06:00:53 સુધી નક્ષત્ર ઉત્તરાષાઢા – 18:53:26 સુધી કરણ તૈતુલ – 06:00:53 સુધી, ગરજ – 18:11:52 સુધી પક્ષ કૃષ્ણ યોગ શુભ – 06:41:33 સુધી, શુક્લ – 29:51:34 સુધી વાર રવિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:57:30 સૂર્યાસ્ત 19:14:35 ચંદ્ર રાશિ મકર ચંદ્રોદય 24:14:00 ચંદ્રાસ્ત 10:20:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 4 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત વૈશાખ દિન કાળ 13:17:04 અશુભ સમય દુર મુહુર્ત 17:28:18 થી 18:21:26 ના કુલિક 17:28:18 થી 18:21:26 ના દુરી / મરણ 10:23:12 થી 11:16:20 ના રાહુ કાળ 17:34:57 થી 19:14:35 ના કાલવેલા/અર્ધ્યામ 12:09:28 થી 13:02:37 ના યમ…
