Author: dhrumit

(જી.એન.એસ) તા. ૨૪ ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને જિલ્લા મુખ્ય મથક અને તાલુકા મથક સાથેની અવર-જવરની સરળ કનેક્ટિવીટી માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર નર્મદા જિલ્લામાં ૨ નવા પૂલોના નિર્માણ માટે ૩૦૨.૪૦ કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી છે. તદનુસાર, નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પૂલ માટે ૧૨૩.૧૩ કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પૂલ માટે ૧૭૯.૨૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આદિજાતિ ક્ષેત્ર નર્મદા જિલ્લામાં આ બે પૂલના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારના તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામ…

Read More

(જી.એન.એસ) તા. ૨૪ ગાંધીનગર/ભાવનગર, છેવાડાના માનવી તેમજ ગામ સુધી પીવાનું શુદ્ધ પાણી આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા સંકલ્પબદ્ધ છે.‌ આ સંકલ્પને સાકાર કરવા ભાવનગર જિલ્લામાં વિવિધ ૧૨ ‘સુધારણા જૂથ પાણી યોજના’ હેઠળ અંદાજે રૂ.૪૩૮ કરોડના ખર્ચે ૬૬૧ ગામને આવરી લેવાયામાં આવ્યા છે.આ ૧૨ યોજનાઓમાં મુખ્યત્વે બુધેલ, તળાજા, ગારિયાધાર, પાલીતાણા, વલ્લભીપુર, ઉમરાળા‌ અને શિહોરનો સમાવેશ થાય છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો‌ જવાબ અંગે પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું. મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતાં કહ્યું કે, ભાવનગરમાં ચોરવડલા ફેઝ -૨ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ કુલ ૧૪…

Read More

(જી.એન.એસ) તા. ૨૩ ગાંધીનગર, રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવનો કચ્છ જિલ્લાનો બે દિવસીય વ્યૂહાત્મક પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. તા.૨૧-૨૨ ફેબ્રુઆરીમાં આ મુલાકાત દરમિયાન રાજ્યના પોલીસ વડાશ્રીએ સરહદી અને દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે શ્રેણીબદ્ધ બેઠકો અને મુલાકાતો કરી હતી. ભુજ ખાતે યોજાયેલી હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડાશ્રીએ સરહદી ક્ષેત્રમાં ગુનાખોરીની સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ, BSF, ભારતીય વાયુસેના, કોસ્ટ ગાર્ડ, IB અને NTRO જેવી એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજી હતી. જેમાં ઈન્ટેલિજન્સ શેરિંગ, ડ્રગ્સની હેરાફેરી અટકાવવા, માછીમારોના પ્રશ્નો અને સંભવિત ઘૂસણખોરી રોકવા સહિતના અગત્યના મુદ્દાઓને ધ્યાને રાખીને તમામ એજન્સીઓ વચ્ચે મજબૂત સંકલન સ્થાપિત…

Read More

(જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, ભારતીય આધ્યાત્મિકતા અને વૈદિક જ્ઞાનને વૈશ્વિક ફલક પર ગુંજતું કરનાર ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદજીના પ્રેરણાદાયી જીવન પર આધારિત ગુજરાતી જીવનચરિત્ર “વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદ” પુસ્તકનું ભવ્ય વિમોચન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ પુસ્તક દેશના ‘આધ્યાત્મિક રાજદૂત’ શ્રીલ પ્રભુપાદજીના અસાધારણ સંઘર્ષ, તેમની વૈશ્વિક આધ્યાત્મિક યાત્રા અને વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિના પ્રસારમાં તેમના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરે છે. શ્રીલ પ્રભુપાદજીના પુસ્તક વિમોચન પ્રસંગે અભિનંદન આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શ્રીલ પ્રભુપાદજીની યાત્રા સંઘર્ષોથી ભરેલી હતી, પરંતુ શ્રી કૃષ્ણ પરના તેમના અતૂટ વિશ્વાસે તેમને અપાર સફળતા અપાવી હતી. સામાન્ય માણસ…

Read More

(જી.એન.એસ) તા. ૨૩ ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીના ગૌરવ અવસરને વધાવવાનો સંકલ્પ ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં જે ગીતની રચનાના 150 વર્ષની ઉજવણી થઈ રહી છે તે વંદે માતરમની દરેક પંક્તિમાં ભારત માતાનું અર્થપૂર્ણ ભક્તિ ગાન છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વંદે માતરમ ગીતની તાકાત જ એટલી છે કે, ભલે તે ગુલામીના કાલખંડમાં રચાયું હોય પરંતુ તેનો અર્થ અને શબ્દો ગુલામીની છાયાં સુધી મર્યાદિત નથી રહ્યા આજે પણ એટલાં જ સુસંગત અને પ્રસ્તુત છે કે, આ વંદે માતરમ ગીત ક્યારેય અપ્રાસંગિક નહિ થાય. આઝાદીની…

Read More

(જી.એન.એસ) તા. ૨૩ ગાંધીનગર, વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશ મોદી અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી મનિષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિ ગુજરાતની હસ્તકલા વૈશ્વિક બ્રાન્ડ બની છે: અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી તા. ૨૩ થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન મહિલા કારીગરો દ્વારા ઉત્પાદિત સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ વિધાનસભા સંકુલમાં થશે ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં આજે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશ મોદી અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી મનિષાબેન વકીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન…

Read More

(જી.એન.એસ) તા. ૨૩ ફ્લોરિડા, ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો એસ્ટેટમાં સુરક્ષિત પરિમિતિમાં પ્રવેશ્યા પછી એક સશસ્ત્ર વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, અધિકારીઓએ જણાવ્યું હતું. ઘટના સમયે ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં હતા અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ સાથે હતા. નિવેદનમાં જણાવાયું છે કે સુરક્ષિત પરિમિતિમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા પછી ગુપ્ત સેવાના એજન્ટો અને પામ બીચ કાઉન્ટી શેરિફ ઓફિસના ડેપ્યુટી દ્વારા આ વ્યક્તિને ગોળી મારી દેવામાં આવી હતી. વ્યક્તિ 20 વર્ષની ઉંમરનો હતો મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ગુપ્ત સેવાના નિવેદન અનુસાર, આ ઘટના લગભગ 1:30 વાગ્યે (સ્થાનિક સમય) બની હતી જ્યારે…

Read More

(જી.એન.એસ) તા. ૨૩ નવી દિલ્હી, 2021થી જાન્યુઆરી 2026 સુધીમાં સ્વચ્છ ભારત અભિયાને ભંગારના વેચાણમાંથી કુલ ₹4,405.28 કરોડની આવક મેળવીડિસેમ્બર 2025-જાન્યુઆરી 2026 દરમિયાન ભંગારના નિકાલથી ₹200.21 કરોડની આવક થઈ કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગ (DARPG)એ જાન્યુઆરી 2026 માટે તેના માસિક ‘સચિવાલય સુધારા’ અહેવાલની 27મી આવૃત્તિ બહાર પાડી છે. આ અહેવાલ શાસન અને વહીવટમાં પરિવર્તન લાવવાના હેતુથી ચાલી રહેલા પ્રયાસોનું વિગતવાર વિશ્લેષણ પ્રદાન કરે છે, જેમાં (i) સ્વચ્છતા અને પેન્ડન્સીને ન્યૂનતમ સ્તર સુધી ઘટાડવા, (ii) નિર્ણય લેવામાં કાર્યક્ષમતા વધારવી અને (iii) ઈ-ઓફિસ અમલીકરણ અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. આ આવૃત્તિમાં સામેલ છે: “વેસ્ટ ટુ વેલ્થ” હેઠળ શ્રેષ્ઠ પ્રથાઓ ફોકસમાં: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (DH&FW) ઈ-ઓફિસ…

Read More

(જી.એન.એસ) તા. ૧૮ નવી દિલ્હી, ચૂંટણી પંચે બુધવારે જાહેરાત કરી હતી કે રાજ્યસભાની 37 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી 16 માર્ચે યોજાશે. એપ્રિલમાં અલગ અલગ તારીખે આ બેઠકો ખાલી પડી રહી છે. આ ચૂંટણી 10 રાજ્યોમાં યોજાશે: મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને બિહાર. આ વર્ષે વર્તમાન સભ્યો નિવૃત્ત થઈ રહ્યા હોવાથી આ ચૂંટણીઓ જરૂરી બની છે. રાજ્યસભાની મહત્તમ બેઠકો મહારાષ્ટ્રમાં 7 છે, જ્યારે તમિલનાડુમાં 6 અને પશ્ચિમ બંગાળ અને બિહારમાં છ-છ બેઠકો ખાલી થઈ રહી છે. ઓડિશામાં 4 બેઠકો ખાલી થશે. આસામમાં 3 બેઠકો માટે મતદાન થશે. છત્તીસગઢ અને હરિયાણામાં દરેકમાં 2 બેઠકો માટે…

Read More

(જી.એન.એસ) તા. ૧૮ મુંબઈ, સલમાન ખાનના પિતા અને પીઢ પટકથા લેખક સલીમ ખાનને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડૉ. જલીલ પારકરે તેમના સ્વાસ્થ્ય અંગેની માહિતી શેર કરી. તેમણે જણાવ્યું કે સલીમ ખાનને ખૂબ જ ઓછો મગજનો રક્તસ્ત્રાવ થયો હતો, જેના માટે ‘DSA’ નામની મૂળભૂત પ્રક્રિયા કરવામાં આવી હતી. આ પ્રક્રિયા સફળ રહી હતી, અને તેમના પર કોઈ સર્જરી કરવામાં આવી ન હતી. “સલીમ ખાન હાલમાં વેન્ટિલેટર પર છે. આજે કે કાલે તેમને વેન્ટિલેટર પરથી ઉતારી લેવામાં આવે તેવી અપેક્ષા છે. તમારા (પત્રકારોના) ધોરણો મુજબ પણ તેઓ ખૂબ જ સ્વસ્થ છે. તેમને ગઈકાલે સવારે 8:30 વાગ્યે અહીં લાવવામાં…

Read More