Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૦૬/૦૬/૨૦૨૬)
- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ખાતેથી દક્ષિણ ગુજરાતમાં રૂ.૧૮,૭૭૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
- ૧૨ વર્ષ – વિકાસના, જનવિશ્વાસના અને જનકલ્યાણના
- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી વાપી સુધી કરી મુસાફરી
- નડિયાદ માહિતી કચેરી ખાતે કલમની શક્તિએ લીધો હરિયાળો સંકલ્પ
- આજનું રાશિફળ (૦૬/૦૬/૨૦૨૬)
- આજનું રાશિફળ (૦૩/૦૬/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૩/૦૬/૨૦૨૬)
- ICC એ ક્રિકેટ કેનેડાની સભ્યપદ સસ્પેન્ડ કર્યું
- ઇઝરાયલના નેતન્યાહૂએ બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હુમલાઓનો આદેશ આપ્યો
- આજનું રાશિફળ (૦૧/૦૬/૨૦૨૬)
- આજનું પંચાંગ (૦૧/૦૬/૨૦૨૬)
Author: dhrumit
‘સુરત શહેર નહીં, પણ સ્પિરીટ છે’: એક સમયે પ્લેગ જેવી મહામારીનો સામનો કરનાર સુરત આજે સમગ્ર દેશમાં સ્વચ્છતા અને ગ્રીન એનર્જીના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (જી.એન.એસ) તા. ૫ સુરત, સુરત મનપા વેસ્ટ વોટરની ટ્રિટમેન્ટ કરી સ્થાનિક ઉદ્યોગોને સ્વચ્છ પાણી વેચી દર વર્ષે રૂ.૧૪૦ કરોડની કમાણી કરે છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વડાપ્રધાનશ્રીની જનભાગીદારીથી જળસંચયની હાંકલને પરિણામે ભવિષ્યની અનિશ્ચિતતાઓ સામે ભારત પાણીની જરૂરિયાત પૂર્ણ કરવામાં આત્મનિર્ભર બનશે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ દક્ષિણ ગુજરાતના સર્વાંગી વિકાસને મળશે નવી ગતિ: વિશ્વ પર્યાવરણ દિવસે કેન્દ્ર અને રાજ્ય સરકારના ૨૪ પ્રોજેક્ટ્સની ભેટ આપતા વડાપ્રધાનશ્રી રૂ.૪,૮૫૨ કરોડના ખર્ચે ૫ પ્રોજેક્ટ્સનું…
ગુજરાતના રિજનલ સાયન્સ સૅન્ટર બન્યાં વૈજ્ઞાનિક ચેતનાના કેન્દ્ર પાટણ, ભૂજ, ભાવનગર અને રાજકોટ રિજનલ સાયન્સ સૅન્ટરની નાગરિકોમાં વૈજ્ઞાનિક અભિરૂચિ કેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા (જી.એન.એસ) તા. ૫ ભુજ/ભાવનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એન.ડી.એ. સરકારે ૧૨ વર્ષ પૂર્ણ કર્યા. આ ૧૨ વર્ષમાં ગુજરાતે વિજ્ઞાન અને ટૅકનોલોજીક્ષેત્ર નવી ઉંચાઈઓ આંબી છે. રાજ્યમાં છેલ્લા ૧૨ વર્ષમાં વિજ્ઞાના પ્રસાર અને જનમાનસમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસિત કરવા માટે ૪ જેટલા રિજનલ સાયન્સ સૅન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેની ૨૫.૬૪ લાખથી વધુ વિજ્ઞાનપ્રેમીઓએ મુલાકાત લીધી છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી – GUJCOST દ્વારા રાજ્યમાં શરૂ કરવામાં આવેલા રિજનલ સાયન્સ સૅન્ટર જાણે મુલાકાતીઓ માટે જીવંત-પ્રયોગશાળા બની રહ્યા…
(જી.એન.એસ) તા. ૨૯ ગાંધીનગર, સમગ્ર રાજ્યમાં ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે, ત્યારે અસહ્ય તાપ અને લૂ-ગરમ પવનોથી અબોલ વન્ય-જીવોના રક્ષણ માટે ગાંધીનગર સ્થિત પ્રખ્યાત ‘ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન’ (ઝૂ) ખાતે વન વિભાગ દ્વારા વિશેષ આયોજન’ હાથ ધરવામાં આવ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ માળીના માર્ગદર્શન હેઠળ ‘ગીર’ (GEER) ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં એપ્રિલ માસથી જ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જે આગામી ચોમાસાની શરૂઆત સુધી કાર્યરત રહેશે. આધુનિક અને કુદરતી સંસાધનોની મદદથી ‘માઇક્રો ક્લાઇમેટ’ ઊભું કરાયું ઇન્દ્રોડા પાર્કમાં હાલમાં ૩ સિંહ, ૨ વાઘ, ૩ દીપડા, મીઠા પાણીના…
(જી.એન.એસ) તા. ૨૯ પાલનપુર, ગુજરાતના પાલનપુરની માત્ર ૮ વર્ષની દીકરી નિક્ષા બારોટે વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક અસાધારણ અને પ્રેરણાદાયક સાહસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. અનુભવી એવરેસ્ટર નિશાના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વિશિષ્ટ અભિયાનમાં માત્ર નિક્ષાએ ભાગ લીધો હતો. ૧૬ મેથી શરૂ થયેલી આ કપરી યાત્રા દરમિયાન નિક્ષાએ હિમાલયના કઠિન માર્ગો, અતિશય ઊંચાઈ, હાડ થીજવતી ઠંડી અને બદલાતા હવામાનના પડકારો વચ્ચે પણ હિંમત હાર્યા વગર આ ટ્રેક પૂર્ણ કર્યો હતો. ૧૬ મે ૨૦૨૬ના રોજ કાઠમંડુથી લુકલા પહોંચ્યા બાદ આ રોમાંચક ટ્રેકિંગની શરૂઆત થઈ હતી. ટ્રેકના પ્રથમ દિવસે પાખડિંગ અને ત્યારબાદ નામચે બજાર સુધીની…
મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સીધું મોનિટરિંગ; પ્રિવેન્ટિવ પગલાં તરીકે અસરગ્રસ્ત ૧૦ કિમી વિસ્તારમાં ‘ડીટીકિંગ’ કામગીરી તેજ (જી.એન.એસ) તા. ૨૯ ગાંધીનગર/ગીર સોમનાથ, ગીર સેન્ચ્યુરીની બહાર આવેલા રેવેન્યુ વિસ્તાર, ખાસ કરીને ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્તારમાં બાળસિંહોના શંકાસ્પદ મૃત્યુને પગલે રાજ્યના વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. વન વિભાગ અને અનુભવી વેટરનરી ડોક્ટરોની ટીમો દ્વારા સ્થળ પર સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. છેલ્લા બે દિવસમાં આ પ્રકારની એક પણ નવી ઘટના ધ્યાને આવી નથી, તેમ વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતા જણાવ્યું…
(જી.એન.એસ) તા. ૨૯ ભુજ, કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો. કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે ત્યારબાદ ઓપી ટાવર-1170 કંટ્રોલ રૂમ અને હરામીનાળા વિસ્તારની સમીક્ષા કરી જેટી પોઈન્ટ પર વૃક્ષારોપણ પણ કર્યું હતું. શ્રી શાહે જવાનો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે બીએસએફના જવાનો વચ્ચે આવીને તમામ થાક ઉતરી જાય છે. ચોકી પર અહીં સુધી પહોંચતા પહોંચતા જ ખબર પડી જાય છે કે અહીં રહેવું કેટલું કઠિન છે. તેમ છતાં આવી વિષમ પરિસ્થિતિમાં…
(જી.એન.એસ) તા. ૨૯ સુરત, સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વહેવલ ગામના દિવ્યાંગ યુવક શ્રી દિવ્યેશ પટેલે શારીરિક મર્યાદાઓને પાર કરી સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ હાર માનવાને બદલે, માતા ગીતાબેનના સહયોગથી તેમણે પરંપરાગત ઈકો-ફ્રેન્ડલી ‘પતરાળી’ (બાજ) બનાવવાનો વ્યવસાય અપનાવી આત્મનિર્ભરતા મેળવવાની સાથે પરિવારને આર્થિક પીઠબળ પૂરું પાડ્યું… રાજ્ય સરકાર છેવાડાના માનવીના વિકાસ અને પર્યાવરણના જતન માટે સતત કાર્યરત છે, ત્યારે દિવ્યેશભાઈનું આ કાર્ય સરકારના વિવિધ અભિયાનોને સીધું સમર્થન પૂરું પાડે છે. દિવ્યેશ ભાઈ કહે છે કે મારી ઈચ્છા છે કે લોકો ફરીથી પતરાળીનો ઉપયોગ કરે જેથી પર્યાવરણ પણ બચે અને અમારા જેવા પરિવારોને રોજગાર પણ…
(જી.એન.એસ) તા. ૨૯ અમદાવાદ, અમદાવાદની સિવિલ હોસ્પિટલે તબીબી જગતમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને ગરીબ દર્દીઓ માટે સંજીવની સમાન હોવાનો પુરાવો આપ્યો છે. કચ્છના એક શ્રમિક પરિવારની નવજાત બાળકી, જે ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ નામની અત્યંત દુર્લભ અને જીવલેણ જન્મજાત ખામી સાથે જન્મી હતી, તેનું સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગ દ્વારા સફળ ઓપરેશન કરીને નવજીવન આપવામાં આવ્યું છે. આમ, ગુજરાત સરકારની વિવિધ સિવિલ હોસ્પિટલો ગરીબો અને અંત્યોદય પરિવારો માટે આશાનું સાચું કિરણ બની છે, તેમ આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું. આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પાનશેરીયાએ આ ભગીરથ કાર્યને બિરદાવતા કહ્યું હતું કે, ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના ખર્ચે…
રાજ્યપાલશ્રીએ સાબરમતી રેલવે સ્ટેશનથી ટ્રેન દ્વારા પ્રસ્થાન કર્યું (જી.એન.એસ) તા. ૨૮ અમદાવાદ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટેના ‘આર્થિક આત્મરક્ષા’ ના મંત્રને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. રાજ્યપાલશ્રીએ રાજ્યના પ્રવાસો માટે હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીને બદલે ટ્રેન, એસ.ટી. બસ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યપાલશ્રીએ દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય કૃષિ સંમેલનમાં પહોંચવા માટે ગુરુવારે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી દિલ્હી સુધી ટ્રેન દ્વારા મુસાફરી માટે પ્રસ્થાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલશ્રી આજે (શુક્રવારે) કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત ખરીફ અભિયાન 2026 -…
બાઢડા ગામતળ અને સીમતળમાં પાણીની કાયમી શાંતિ માટે લગભગ ૨૫ વીઘામાં બનશે તળાવ (જી.એન.એસ) તા. ૨૮ સાવરકુંડલા, આ તાલુકાના બાઢડા ગામે લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા ના હસ્તે કુલ રૂ. ૪૨ લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાઢડા ગામે વોરાધાર પાસે રૂ. ૩૯ લાખના ખર્ચે બનનાર તળાવના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત રસુલભાઈની વાડી પાસે રૂ. ૩ લાખના ખર્ચે નિર્માણ પામેલ નવા કોઝવેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાંના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને પાણી સંગ્રહ, માર્ગ સુવિધા તથા ગ્રામ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સતત આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં…
