Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (14/૦5/2026)
- આજ નું પંચાંગ (14/05/2026)
- સાથી પક્ષોના દબાણ હેઠળ મુખ્યમંત્રી વિજયે રિકી રાધન પંડિત વેટ્રીવેલને તેમના OSD તરીકે દૂર કર્યા
- મહારાષ્ટ્રના બારામતીમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું
- ટ્રમ્પની નવી ધમકી વચ્ચે ઈરાનની કડક ચેતવણી
- રિક્ષામાં નજર ચૂકવી મુસાફરોના દાગીના-રોકડ ચોટી કરતી ગેંગ ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી
- અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ
- પ્રતીક યાદવ મૃત્યુ કેસ: મુલાયમ સિંહના પુત્રનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો
- કેન્દ્રીય મંત્રીમંડળે કોલસાના ગેસિફિકેશનને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૩૭,૫૦૦ કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, ડાંગરના MSPમાં રૂ. ૭૨નો વધારો કર્યો
- આસામ સરકારે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી, બિલ 26 મેના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
- એર ઇન્ડિયાએ જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડી, કેટલાક વિદેશી રૂટ સ્થગિત કર્યા
- લંડનની 70% ઓફિસો ગ્રીન ચેકમાં નિષ્ફળ ગઈ, વેસ્ટમિન્સ્ટર અને શહેરની રિયલ એસ્ટેટ કટોકટીમાં
Author: gujdesk
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ (જી.એન.એસ) તા. 19 નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે સોમવારે આદેશ આપ્યો હતો કે એડિશનલ ન્યાયાધીશો સહિત તમામ હાઇકોર્ટના ન્યાયાધીશો સંપૂર્ણ પેન્શન અને નિવૃત્તિ લાભો મેળવવાના હકદાર રહેશે. સુપ્રીમ કોર્ટે તેના મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે હાઇકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશોને વાર્ષિક 15 લાખ રૂપિયા પેન્શન તરીકે મળશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશોને મોટી રાહત મળી છે અને તેમને ન્યાયતંત્રની સ્વતંત્રતા અને ગરિમા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. દેશના મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈને બેંચે કહ્યું કે, હાઈકોર્ટના તમામ નિવૃત્ત ન્યાયાધીશો સંપૂર્ણ અને સમાન પેન્શન મેળવવાના હકદાર છે. તેમની પ્રારંભિક નિમણૂકનો સ્રોત કોઈપણ…
સુપ્રીમ કોર્ટે એક શ્રીલંકન તમિલની અરજીને ફગાવતા મહત્વનું નિવેદન આપ્યું (જી.એન.એસ) તા. 19 નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે શ્રીલંકાના એક નાગરિકની આશ્રય માટેની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરના શરણાર્થી ઘૂસી આવે અને વસવાટ કરી શકે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે, ભારતની પોતાની વસતી 140 કરોડથી પણ વધુ છે. તો આવી સ્થિતિમાં શું ભારત દુનિયાભરના શરણાર્થીઓનું સ્વાગત કરી શકે? આ કોઈ ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરથી આવતા શરણાર્થીઓનું અમે સ્વાગત કરીએ. સુપ્રીમ કોર્ટે આ નિવેદન સાથેજ શ્રીલંકન તમિલ યુવકને કસ્ટડીમાં લેવા મામલે દખલથી ઈનકાર કરી દીધો. શ્રીલંકન તમિલ યુવકે સુપ્રીમ…
ભારતીય દૂતાવાસે અમેરિકામાં રહેતા ભારતીય નાગરિકો માટે એક મહત્ત્વપૂર્ણ ચેતવણી જારી કરી (જી.એન.એસ) તા. 19 વોશિંગ્ટન, અમેરિકામાં આવેલ ભારતીય દૂતાવાસે અમેરિકામાં રહેતા ભારતીય નાગરિકો માટે એક ખુબજ મોટી અને મહત્ત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. દૂતાવાસે અમેરિકામાં ભારતીયો દ્વારા વધતા ઇમિગ્રેશન ઉલ્લંઘનોને ધ્યાનમાં રાખીને સ્પષ્ટતા કરી છે કે, ‘અમેરિકામાં વિઝાની મુદતથી વધુ સમય રોકાવું એ એક ગંભીર ગુનો છે જે ફક્ત દેશનિકાલનું જોખમ જ નહીં પરંતુ ભવિષ્યમાં અમેરિકાની મુલાકાતો પર કાયમી પ્રતિબંધ લાગી શકે છે.’ આ બાબતે ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરી ચેતવણી આપી કે, ‘જો તમે તમારા અધિકૃત સમયગાળા કરતાં વધુ સમય માટે અમેરિકામાં રહેશો,…
(જી.એન.એસ) તા. 19 મોસ્કો, રશિયાન સરકારી તંત્ર દ્વારા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલને “અનિચ્છનીય સંગઠન” તરીકે નિયુક્ત કર્યું, 2015 ના કાયદા હેઠળ માનવ અધિકાર જૂથને દેશમાં કાર્યરત થવાથી અસરકારક રીતે પ્રતિબંધિત કર્યો જે આવી સંસ્થાઓ સાથે સંડોવણીને ગુનાહિત બનાવે છે. રશિયન પ્રોસીક્યુટર જનરલની ઓફિસ દ્વારા એક ઓનલાઈન નિવેદનમાં જાહેર કરાયેલ આ પગલું, અસંમતિ પર વ્યાપક કાર્યવાહીમાં નવીનતમ પગલું દર્શાવે છે, જે ફેબ્રુઆરી 2022 માં મોસ્કોના યુક્રેન પર આક્રમણ પછી નોંધપાત્ર રીતે તીવ્ર બન્યું છે. આ નિયુક્તિને કારણે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ રશિયામાં તમામ કામગીરી બંધ કરી દે છે અને જૂથ સાથે સહયોગ કરનારા અથવા તેમને ટેકો આપનારાઓને સંભવિત કાર્યવાહીનો સામનો કરવો પડે છે. ૧૯૬૧માં સ્થપાયેલ…
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના એલાન થી ખળભળાટ (જી.એન.એસ) તા. 19 જેરૂસલેમ, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે જાહેરાત કરી હતી કે ઇઝરાયલની સેના ગાઝા પટ્ટી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાનો હેતુ ધરાવે છે, ચોક્કસ પરિસ્થિતિઓમાં હમાસ સાથે સંભવિત યુદ્ધવિરામ સૂચવ્યાના એક દિવસ પછી. તેમની ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરાયેલા એક વિડિઓમાં, નેતન્યાહૂએ કહ્યું, “લડાઈ તીવ્ર છે, અને અમે પ્રગતિ કરી રહ્યા છીએ. અમે પટ્ટીના તમામ પ્રદેશ પર નિયંત્રણ મેળવીશું.” તેમણે ઉમેર્યું, “અમે હાર માનીશું નહીં. પરંતુ સફળ થવા માટે, આપણે એવી રીતે કાર્ય કરવું જોઈએ જેને રોકી ન શકાય.” નેતન્યાહૂએ એવી પણ જાહેરાત કરી હતી કે દુષ્કાળ અટકાવવા માટે ગાઝામાં “મૂળભૂત…
(જી.એન.એસ) તા. 19 રોમ, વેટિકન સિટીના સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે પોપ લીઓ XIV ના ઉદ્ઘાટન સમારોહની બાજુમાં, યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે રવિવારે (સ્થાનિક સમય) રોમમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી. આ બેઠકમાં યુનાઇટેડ સ્ટેટ્સના વિદેશ સચિવ માર્કો રુબિયો પણ હાજર હતા. ઉપરાષ્ટ્રપતિના કાર્યાલયના એક નિવેદન મુજબ, બેઠકનું ધ્યાન રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર હતું, જેમાં ચર્ચા યુક્રેનમાં રક્તપાત રોકવાના તેમના સહિયારા ઉદ્દેશ્ય પર કેન્દ્રિત હતી. બંને પક્ષોએ તુર્કીના ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચે વાટાઘાટોની વર્તમાન સ્થિતિ પર પણ ચર્ચા કરી, જેનો ઉદ્દેશ્ય યુદ્ધવિરામ પ્રાપ્ત કરવા અને પ્રદેશમાં કાયમી શાંતિ સ્થાપિત કરવાનો છે. “આજે બપોરે ઇટાલીના…
વિદ્યાર્થીઓ 9909922648 નંબર પર કારકિર્દી વિષયક માહિતી મેળવી શકશે (જી.એન.એસ) તા. 19 અમદાવાદ, વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતો સૌથી મોટો પ્રશ્ન એટલે ધો.10 અને ધો.12 પછીના અભ્યાસક્રમ. તેવામાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા એક અનોખી પહેલ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (શહેર) ની કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ 9909922648 નંબર પર પોતાને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ અને કારકિર્દી વિષયક માહિતી સરળતાથી મેળવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની (શહેર) કચેરી દ્વારા કારકિર્દી ડિજિટલ વિશેષાંક પણ બહાર પાડવામાં આવ્યો હતો.
(જી.એન.એસ) તા. 19 ધંધુકા, લીંમડી ત્રણ રસ્તા નજીક ધંધુકા પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી, તે સમયે એક ટ્રક પસાર થઈ હતી જેની તપાસ કરતાં મિનરલ વોટરની આડમાં દમણથી દ્વારકા લઈ જવાતા વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. આ સમગ્ર મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર ધંધુકાના લીંમડી ત્રણ રસ્તા પાસે ગત મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ધંધુકા પોલીસને ફેદરાથી ધંધુકા તરફ આવી રહેલા ટ્રકમાં પાણીની બોટલોની આડમાં વિદેશી દારુનો જથ્થો છુપાવી દારુની હેરફેર કરવામાં આવતી હોવાની બાતમી મળતા ધંધુકા પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસને બાતમીદારે આપેલી વિગતો પ્રમાણે ટ્રક નંબર GJ25T9459ને થોભાવી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન…
(જી.એન.એસ) તા. 19 વડોદરા, વડોદરા પોલિસેને એક મોટી સફળતા મળી છે જેમાં, એક વેપારી સાથે આયુર્વેદિક પ્રોડક્ટ સપ્લાય કરવાના નામે ઠગ ટોળકીએ નેટવર્ક ગોઠવી રૂ.1.24 કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં નાઈજીરીયન ગેંગના એક વ્યક્તિને ઝડપી લેવાયો. વડોદરાના એક વેપારીને સોશિયલ મીડિયા પર આયુર્વેદિક લિક્વિડ સપ્લાય કરવા માટે ઓફર કરવામાં આવી હતી. ઠગ ટોળકીએ ગોઠવેલા નેટવર્ક મુજબ બીજા એક એક ઠગને લિક્વિડ ક્યાંથી મળશે તેની જાણકારી આપવામાં આવી હતી. તેમણે આ લિક્વિડની કોસ્ટ અમે કહીએ તે પ્રમાણે રાખીને સપ્લાય કરવા અને નફો સરખે ભાગે વેચી લેશું તેમ કહ્યું હતું. ઠગોની જાણવા ફસાયેલી વ્યક્તિએ ત્યારબાદ ક્રિષ્ના હર્બલમાંથી રૂ.47 લાખની કિંમતનું 20 લીટર લિક્વિડ…
બિહાર ચૂંટણી પહેલાં 2 દિગ્ગજ નેતાઓની મુલાકાતથી રાજ્યના રાજકારણમાં ગરમાયું (જી.એન.એસ) તા. 19 પટણા, બિહારમાં હાલની રાજકીય પરિસ્થિતિ ખૂબ લોક ચર્ચામાં છે ત્યારે, કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી(રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી. કયા કારણસર આ બન્ને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી તે જાણવા લોકો ખૂબ આતુર બન્યા છે. પટનામાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાયેલી આ બેઠકમાં જેડીયુના વરિષ્ઠ નેતા તથા જળ સંસાધન મંત્રી વિજય કુમાર ચૌધરી પણ ઉપસ્થિત હતા. મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે પાસવાનની આ મુલાકાત ઔપચારિક હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ મુખ્યમંત્રીએ બિહારમાં NDA નેતાઓ સાથે ચૂંટણીના મુદ્દા પર અલગથી મુલાકાત કરીને ચર્ચા…
