Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- બંગાળ ચૂંટણી પ્રચાર પછી સિક્કિમમાં પીએમ મોદી ‘યુવા મિત્રો’ સાથે ફૂટબોલ રમ્યા
- રાજનાથ સિંહ બિશ્કેકમાં ચીનના સંરક્ષણ પ્રધાનને મળ્યા, ‘પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા’ પર ચર્ચા કરી
- આજનું રાશિફળ (૨૯/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૯/૦૪/૨૦૨૬)
- ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઐતિહાસિક પરિણામો બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો વિશેષ આભાર માન્યો
- મનપા અને નપાના પરિણામ: અમદાવાદ, સુરત સહિત તમામ 15 મનપામાં ભાજપની જીત, નપામાં પણ દબદબો
- ભારતને આવતા મહિનાની શરૂઆતમાં S-400 મિસાઇલ સિસ્ટમનું ચોથું યુનિટ મળવાની તૈયારી શરુ
- ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે UAE એ તેલ ઉત્પાદન જૂથો OPEC, OPEC+ છોડવાની જાહેરાત
- વ્હાઇટ હાઉસના પ્રેસ ડિનર શૂટર પર ડોનાલ્ડ ટ્રમ્પની ‘હત્યાના પ્રયાસ’નો આરોપ સાથે કાર્યવાહી
- સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ: માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેરની હાર, લોધીકાથી ધીરુભાઈ સરવૈયાના પુત્રની જીત
- રાજકોટ શહેર-જિલ્લા-તાલુકામાં ભાજપનું ભવ્ય પ્રદર્શન, કોંગ્રેસ અને આપનો સફાયો
- આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વિશાખાપટ્ટનમ નજીક ૧૫ અબજ ડોલરના ગુગલ એઆઈ ડેટા સેન્ટરનો શિલાન્યાસ કર્યો
Author: dhrumit
(જી.એન.એસ) તા. ૧ પોરબંદર, આજે તા. ૧ અને ૨ ફેબ્રુઆરીએ યોજાનાર સેમિનારનું વન – પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે ઉદ્ઘાટન : રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળી વિશેષ ઉપસ્થિત રહેશે દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા.૦૨ ફેબ્રુઆરીએ ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ- જળપ્લાવિત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ બે દિવસીય સેમિનાર વિશ્વ વેટલેન્ડ્સ દિવસ-૨૦૨૬ની વૈશ્વિક થીમ “જળપ્લાવિત વિસ્તાર અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક વારસાનો ઉત્સવ” સાથે સંકળાયેલો છે. જેનો મુખ્ય ઉદ્દેશ જળપ્લાવિત વિસ્તાર,તેને આનુષંગિક પરંપરાગત જ્ઞાન અને સાંસ્કૃતિક વારસા વચ્ચેના આંતરસબંધોને સમજવાનો અને વધુ મજબૂત બનાવવાનો છે. સાથોસાથ પરંપરાગત તેમજ સ્થાનિક જ્ઞાનને જળપ્લાવિત વિસ્તારના સાતત્યપૂર્ણ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં પણ સહભાગી બનાવવાનો છે. આ…
(જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, ભારતીય તટરક્ષક: દેશમાં સેવા, સતર્કતા અને દરિયાઈ સુરક્ષાના પાંચ દાયકા ‘વયમ રક્ષામહ’મંત્ર સાથે ભારતીય તટરક્ષક છેલ્લા પાંચ દાયકાથી ભારતના દરિયાઈ કિનારાઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે. ભારતીય તટરક્ષક મેરિટાઇમ ટ્રાન્સપોર્ટેશન તથા બ્લુ ઇકોનોમીના સાતત્યપૂર્ણ વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પિત સેવાનો ગૌરવસભર ઇતિહાસ ધરાવે છે. ૧૯૬૦ના દાયકાથી ભારતીય નૌસેનાએ ભારતીય જળસીમાઓમાં મેરિટાઇમ કાયદાના અમલ અને સલામતી-સુરક્ષા સંબંધિત કામગીરી માટે એક સહાયક દળની જરૂરિયાત અંગે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જેના પરિણામે વર્ષ ૧૯૭૦ના પ્રારંભ સુધીમાં ત્રણ મુખ્ય પરિબળોએ અલગ કોસ્ટ ગાર્ડ દળની આવશ્યકતા વધુ સ્પષ્ટ કરી.સમુદ્ર માર્ગે થતી તસ્કરી કોઇ…
(જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, 30 જાન્યુઆરીના રોજ વાંધા-દાવાઓ રજૂ કરવાની સમયમર્યાદા પૂર્ણ, મળેલા ફોર્મનો તા. 10.02.2026 સુધીમાં નિકાલ કરાશે………………………ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. મુસદ્દા યાદીમાં નાગરિકો પોતાના દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકે તે માટે અગાઉ તા. 18.01.2026ની સમયસીમા રખાઈ હતી જે બાદમાં ભારતના ચૂંટણીપંચે 30.01.2026 નિર્ધારીત કરી હતી.આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાંથી નાગરિકો તરફથી કુલ 14,70,125 ફોર્મ્સ મળ્યા…
(જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, ગુજરાતમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં થયેલા વિકાસથી અંદાજિત 2.37 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન પ્રાપ્ત કરવાનો રાષ્ટ્રીય લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે અને પરંપરાગત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા માટે મહત્વપૂર્ણ પહેલો શરૂ કરી છે. આ વ્યાપક આયોજનનો હેતુ વર્ષ 2030 સુધીમાં ભારતની 50% વીજળી નવીનીકરણીય ઊર્જામાંથી મેળવવાનો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે નવીનીકરણીય ઊર્જામાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે, જે આ રાષ્ટ્રીય લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ડિસેમ્બર 2025 સુધીના આંકડા દર્શાવે છે કે, દેશમાં નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ છે. રાજ્યની કુલ…
(જી.એન.એસ) તા. ૩૧ કચ્છ, છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે – વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા પાંચ રામસર સાઇટ, ૮ રાષ્ટ્રીય વેટલેન્ડ્સ સહિત દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળનો ૨૧ ટકા હિસ્સો ગુજરાતનો છે જે અન્ય રાજ્યો કરતા સૌથી વધુ છે, જે પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે મહત્વપૂર્ણ આશ્રયસ્થાન તરીકે ગુજરાતની ઓળખને વધુ મજબુત બનાવે છે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા અને વેટલેન્ડ સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ છે -શ્રી…
(જી.એન.એસ) તા. ૩૦ વોશિંગ્ટન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ ફેડના આગામી અધ્યક્ષ તરીકે ભૂતપૂર્વ ફેડરલ રિઝર્વ અધિકારી કેવિન વોર્શને નોમિનેટ કરશે, આ પસંદગી શક્તિશાળી એજન્સીમાં તીવ્ર ફેરફારો તરફ દોરી શકે છે જે તેને વ્હાઇટ હાઉસની નજીક લાવી શકે છે અને રોજિંદા રાજકારણથી તેની લાંબા સમયથી સ્વતંત્રતા ઘટાડી શકે છે. મે મહિનામાં જ્યારે તેમનો કાર્યકાળ સમાપ્ત થશે ત્યારે વોર્શ વર્તમાન અધ્યક્ષ જેરોમ પોવેલનું સ્થાન લેશે. ટ્રમ્પે 2017 માં ફેડનું નેતૃત્વ કરવા માટે પોવેલને પસંદ કર્યા હતા પરંતુ આ વર્ષે વ્યાજ દરોમાં ઝડપથી ઘટાડો ન કરવા બદલ તેમની સતત ટીકા થઈ છે. “હું કેવિનને લાંબા સમયથી જાણું છું, અને…
(જી.એન.એસ) તા. ૩૦ નવી દિલ્હી/ગાંધીનગર, સતત ચાર વર્ષ પોપ્યુલર ચોઈસ એવોર્ડની સાથે વર્ષ 2024માં જ્યુરીઝ્ ચોઈસ એવોર્ડ સાથે ગુજરાતને ચાર વર્ષમાં કુલ 5 એવોર્ડ એનાયત 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ આજરોજ વિધિવત્ રીતે ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આજરોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પારિતોષિક વિતરણ સમારોહમાં કેન્દ્રિય રાજ્ય રક્ષામંત્રી શ્રી સંજય સેઠના હસ્તે આપવામાં આવેલી આ ટ્રોફી અને પ્રમાણપત્રનો ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર શ્રી કિશોર બચાણીએ સ્વીકાર કર્યો…
ઝેલેન્સકીએ રશિયામાં પુતિન સાથેની મુલાકાતના ક્રેમલિનના પ્રસ્તાવને નકારી કાઢ્યો, તેમને કિવ આવવા કહ્યું
(જી.એન.એસ) તા. ૩૦ કિવ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કિવ આવવા માટે જાહેરમાં પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે જો રશિયા પણ આવું જ કરશે તો જ યુક્રેન તેના હુમલા બંધ કરશે. કિવમાં પત્રકારો સાથે વાત કરતા, ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન તણાવ ઓછો કરવા માટે નક્કર પગલાં લેવા તૈયાર છે. “જો રશિયા આપણા ઉર્જા માળખા, ઉત્પાદન સુવિધાઓ અથવા અન્ય કોઈપણ ઉર્જા સંપત્તિ પર હુમલો નહીં કરે, તો અમે તેમના પર હુમલો કરીશું નહીં,” તેમણે કહ્યું. “અમે યુદ્ધનો અંત લાવવા માંગીએ છીએ અને અમે તણાવ ઘટાડવા માટે તૈયાર છીએ.” ઝેલેન્સકીની ટિપ્પણી ત્યારે આવી જ્યારે તેમણે પુનરોચ્ચાર…
(જી.એન.એસ) તા. ૩૦ આ વર્ષનો ભવનાથ મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ગાંધીનગર/જૂનાગઢ, જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં હતા. આગામી તા. ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૧ ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ સંતોના…
(જી.એન.એસ) તા. ૩૦ ગાંધીનગર, • શારીરિક કસોટીમાં દરેક સેકન્ડની ચોકસાઈ રાખવા ઉમેદવારોના પગમાં RFID ચિપનો ઉપયોગ• ઉમેદવારની ઊંચાઈ માપણી કે પ્રક્રિયામાં અસંતોષ હોય તેવા ઉમેદવાર માટે સ્થળ પર જ ‘અપીલ બોર્ડ’ની વ્યવસ્થા• ગુજરાત પોલીસમાં ૧૩,૫૯૧ જગ્યાઓ માટે ૧૦ લાખથી વધુ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા• તા.૨૨ થી ૨૯ જાન્યુઆરી સુધીમાં ૧,૮૭,૮૭૪ ઉમેદવારો બોલાવવામાં આવ્યા, ૧,૧૬,૦૭૫ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી તે પૈકી ૫૦,૩૮૩ ઉમેદવારો ઉતીર્ણ થયા ગુજરાતના લાખો યુવાનોના ‘ખાખી’ પહેરવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ માટે સંપૂર્ણ પારદર્શકતા સાથે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના ૧૫ નિર્ધારીત શહેરો અને SRP…
