Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૦૬/૦૬/૨૦૨૬)
- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ખાતેથી દક્ષિણ ગુજરાતમાં રૂ.૧૮,૭૭૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
- ૧૨ વર્ષ – વિકાસના, જનવિશ્વાસના અને જનકલ્યાણના
- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી વાપી સુધી કરી મુસાફરી
- નડિયાદ માહિતી કચેરી ખાતે કલમની શક્તિએ લીધો હરિયાળો સંકલ્પ
- આજનું રાશિફળ (૦૬/૦૬/૨૦૨૬)
- આજનું રાશિફળ (૦૩/૦૬/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૩/૦૬/૨૦૨૬)
- ICC એ ક્રિકેટ કેનેડાની સભ્યપદ સસ્પેન્ડ કર્યું
- ઇઝરાયલના નેતન્યાહૂએ બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હુમલાઓનો આદેશ આપ્યો
- આજનું રાશિફળ (૦૧/૦૬/૨૦૨૬)
- આજનું પંચાંગ (૦૧/૦૬/૨૦૨૬)
Author: gujdesk
(જી.એન.એસ) તા. 23 મુંબઈ/નવી દિલ્હી, દેશની કેન્દ્રીય રિઝર્વ બેંક એટલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ કેન્દ્ર સરકારને રેકોર્ડ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આરબીઆઈએ કહ્યું હતું કે, તેઓ નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારને 2.69 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપશે. જે નાણાકીય વર્ષ 2023-24માં આપવામાં આવેલા 2.1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ પહેલા નાણાકીય વર્ષ 2022-23 માટે આપેલું ડિવિડન્ડ 87,416 રૂપિયા હતું. આરબીઆઈ ના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં શુક્રવારે બેઠક યોજાઈ. જેમાં સ્થાનિક અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન, ડિરેક્ટર બોર્ડે એપ્રિલ 2024 – માર્ચ 2025 દરમિયાન રિઝર્વ બેંકની કામગીરીની પણ ચર્ચા કરી અને વર્ષ 2024-25…
પોષણ, કાળજી અને યોગ્ય સારવાર થકી સુપોષિત બનશે ગુજરાત: મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા આંગણવાડીમાં નોંધાયેલ તમામ બાળકોને તંદુરસ્ત બનાવવાના અભિયાનમાં ‘પોષણ સંગમ’ કાર્યક્રમ માઈલસ્ટોન સાબિત થશે: મંત્રીશ્રી (જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેથી ‘પોષણ સંગમ કાર્યક્રમ’નો રાજ્યવાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આંગણવાડીમાં નોંધાયેલ તમામ બાળકોને તંદુરસ્ત બનાવવાના અભિયાનમાં ‘પોષણ સંગમ’ કાર્યક્રમ માઈલસ્ટોન સાબિત થશે. પોષણને માત્ર ખોરાક જ નહીં, પરંતુ જીવનશૈલી બનાવવાની જરૂર છે. બાળકોને સુપોષિત બનાવવામાં સામુહિક રીતે સમુદાયમાં સંકલિત પ્રયાસો કરવા પણ એટલા જ જરૂરી છે. યોગ્ય પોષણ, જરૂરી કાળજી અને સમયે સારવાર…
(જી.એન.એસ) તા. 23 વડોદરા, વડોદરા મહાનગર પાલિકાના કમિશ્નરશ્રી દ્વારા રૂબરૂ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સ્થળ પર હાજર અધિકારીઓ સાથે કામકાજ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ચોમાસામાં નદીના પાણીના કારણે શહેરીજનો ખૂબ તકલીફમાં મૂક્યા હતા ત્યારબાદ વિશ્વામિત્રી નદીને પહોળી તથા ઊંડી કરવા બાબતે રાજ્ય સરકાર દ્વારા સુચના આપવામાં આવી હતી પરિણામે પાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરાયો હતો અને 100 દિવસમાં સમાપ્ત કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. યુદ્ધના ધોરણે ચાલતી વિશ્વામિત્રી રિવાઇવલ કામગીરી અંગે પાલિકા તંત્ર દ્વારા પણ અવારનવાર નિરીક્ષણ કરવામાં આવે છે. પાલિકા મ્યુનિસિપલ કમિશનર…
(જી.એન.એસ) તા. 23 નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે POCSO એક્ટ હેઠળ દોષિત વ્યક્તિને સજા આપવાનો ઈનકાર કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ નિર્ણયે POCSO એક્ટમાં એક નવો વળાંક લાવ્યો છે. સજા ન આપવા પાછળનું કારણ પીડિતાની સહમતિ દર્શાવ્યું છે. આ કેમ બાબતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પીડિતાએ ક્યારેય આ ઘટનાને ગુનાના રૂપે જોઈ નથી. 2012માં એક 14 વર્ષીય સગીરાએ પોતાની મરજીથી 25 વર્ષના યુવક સાથે લગ્ન કર્યા હતાં. બાદમાં સગીરાની માતાએ યુવક વિરૂદ્ધ અપહરણ અને બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. યુવકને આ કેસ હેઠળ 2022માં 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ ગુનેગાર યુવકે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી…
(જી.એન.એસ) તા. 23 નવી દિલ્હી, નેશનલ મેડિલ કમિશન દ્વારા મેડિકલ, ડેન્ટલ સહિતના કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પહેલા વિદ્યાર્થીઓ-વાલીઓ ગેરમાર્ગે દોરાઈને કોઈ અમાન્ય સંસ્થામાં પ્રવેશ ન મેળવે તે માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ-વાલીઓ માટે જાહેર કરવામાં આવેલ એડવાઇઝરીમાં રાજસ્થાનની યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતી એક મેડિકલ કૉલેજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરી મુજબ, સિંઘાનિયા યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવતાં MBBSના કોર્સને કમિશનની મંજૂરી ન મળી હોવાના કારણે વિવાદ થયો હતો. હાલ આ મુદ્દે કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી પણ ચાલી રહી છે. આ સ્થિતિમાં તાકીદ કરવામાં આવી છે કે, કોઈ વિદ્યાર્થીઓએ આ પ્રકારની યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતાં…
(જી.એન.એસ) તા. 23 નવી દિલ્હી, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના 22મા શપથ સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે સૂચક સંબોધન કર્યુ છે. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનની સેનાને 100 કિમી અંદર ઘુસીને ભારતીય સેનાએ પાઠ ભણાવ્યો હતો. તેમણે ‘ઓપરેશન સિંદૂર’ માટે ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, આખી દુનિયા હવે આપણા સશસ્ત્ર દળો અને તેમની પ્રહાર ક્ષમતાઓની પ્રશંસા કરી રહી છે. 22મા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના શપથ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે પોતાના સંબોધનમાં ઓપરેશન સિંદૂર અને આ ઓપરેશનમાં ભારતીય જવાનોએ કરેલ કાર્યવાહીની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે, પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા આપણા નિર્દોષ પર્યટકોને નિર્દયતાથી…
(જી.એન.એસ) તા. 23 વોશિંગ્ટન, બીજીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ અમેરિકામાં ઘણા બધા મોટા ફેરફારો કર્યા હતા ત્યારબાદ હવે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એપલના ફાઉન્ડર ટીમ કૂકને ચેતવણી આપી છે. તેમણે અમેરિકા સિવાય અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન કરવા પર 25 ટકા ટેરિફ ચૂકવવાની ફરજ પાડતો આદેશ જાહેર કર્યો છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એપલના ટીમ કૂકને ચેતવણી આપી છે કે, તમે અમેરિકા સિવાય ભારત જ નહીં, અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન કર્યું તો તમારે અમેરિકાને 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે. આ નિર્દેશ પર ધ્યાન આપવા બદલ આભાર. ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે પોસ્ટ કરી છે કે, મેં બહું પહેલાં જ એપલના…
(જી.એન.એસ) તા. 23 લંડન, ભારતમાંથી ફરાર, ભાગેડુ હીરા વેપારી છૂટી જાય તો ફરાર થઈ જશે તે વિચારણા પછી નીરવ મોદીની 10મી જામીન અરજી ફગાવી દેતા, લંડન હાઈકોર્ટના ન્યાયાધીશે કહ્યું છે કે યુકેની અદાલતોએ “બે વાર નિષ્કર્ષ કાઢ્યો છે કે અરજદાર સામે પ્રથમ દૃષ્ટિએ પુરાવાનો કેસ છે.” રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસના ન્યાયાધીશ માઈકલ ફોર્ડહામે જામીન અરજી ફગાવી દીધી હતી. “અને હું પુનરાવર્તન કરું છું, કાળજીપૂર્વક મૂલ્યાંકન કર્યા પછી, યુકેની અદાલતોએ બે વાર નિષ્કર્ષ કાઢ્યો છે કે અરજદાર સામે પ્રથમ દૃષ્ટિએ પુરાવાનો કેસ છે,” ન્યાયાધીશ ફોર્ડહામે 15 મે (ગુરુવાર) ના રોજ નીરવ મોદીની જામીન અરજી ફગાવી દેતા કહ્યું. યુકેની કોર્ટ દ્વારા અગાઉ…
(જી.એન.એસ) તા. 23 ગુઇઝોઉ, ચીનના દક્ષિણપશ્ચિમ ગુઇઝોઉ પ્રાંતના ગ્રામીણ વિસ્તારમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા છે, જ્યારે 17 અન્ય લોકો હજુ પણ કાટમાળમાં ગુમ છે, એમ રાજ્ય મીડિયાએ જણાવ્યું છે. ગુરુવારે (22 મે) ચાંગશી ટાઉનશીપમાં બે મૃતદેહ મળી આવ્યા હતા, અને નજીકના કિંગયાંગ ગામમાં બે અન્ય મૃતદેહ મળી આવ્યા હતા, જ્યાં ભૂસ્ખલનમાં આઠ ઘરોના 19 લોકો દટાયા હતા, તેમ મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું. ચીનની સ્થાનિક મીડિયા અનુસાર, ગુઓવા ટાઉનશીપ, જ્યાં કિંગયાંગ સ્થિત છે, ભૂસ્ખલન પછી મોટાભાગની વીજળી ગુલ થઈ ગઈ હતી. એક રહેવાસીએ રાજ્ય મીડિયાને જણાવ્યું કે આખી રાત વરસાદ પડ્યો હતો. આ વિસ્તારના ડ્રોન વીડિયોમાં ભૂરા રંગની…
(જી.એન.એસ) તા. 23 ઢાકા, બાંગ્લાદેશમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી શકે છે. બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસ રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે કારણ કે રાજકીય પક્ષો દેશમાં પરિવર્તન લાવવા માટે એક સામાન્ય જમીન પર પહોંચવામાં નિષ્ફળ રહ્યા હોવાથી તેમને કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે. મોહમ્મદ યુનુસે ગુરૂવારે (22 મે) રાજધાની ઢાકામાં એડવાઇઝરી કાઉન્સિલની બેઠકમાં દેશની સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થી નેતા અને નેશનલ સિટિઝન પાર્ટીના પ્રમુખ નાહિદ ઇસ્લામે કહ્યું કે, ‘અમે સવારથી સર યુનુસના રાજીનામાંની ખબર સાંભળી રહ્યા છીએ. તેથી હું આ મામલે ચર્ચા કરવા ગયો હતો. તેમણે મને કહ્યું કે, હું આ વિશે વિચારી…
