Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૨૫/૦૪/૨૦૨૬)
- આજનું રાશિફળ (૨૪/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૪/૦૪/૨૦૨૬)
- ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી – ૨૦૨૬; સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩ % મતદાન
- તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સ્ટેજ તૈયાર: શું એમકે સ્ટાલિન અને મમતા બેનર્જી પોતાનો પક્ષ રાખશે?
- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ નો નવો આદેશ??
- EU એ યુક્રેન લોન અને રશિયા સામે 20મા પ્રતિબંધ પેકેજને ઔપચારિક રીતે મંજૂરી આપી
- દિલ્હી મેયર ચૂંટણી: ભાજપે પ્રવેશ વાહીને મેયર પદના ઉમેદવાર તરીકે અને મોનિકા પંતને ડેપ્યુટી પદના ઉમેદવાર બનાવ્યા
- ટોમ ક્રૂઝની ‘ટોપ ગન’ ની 40મી વર્ષગાંઠ નિમિત્તે ભારતમાં ફરીથી રિલીઝ થશે
- ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, વિશ્વબંધુ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ
- ભારત અને જર્મની સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા
- ડેનમાર્કમાં બે ટ્રેનો અથડાતા 18 લોકો ઘાયલ થયા
Author: dhrumit
(જી.એન.એસ) તા. 26 છતરપુર, ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ મધ્યપ્રદેશનાં છતરપુરનાં ગઢામાં શ્રી બાગેશ્વર જન સેવા સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારંભમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આપણી પરંપરામાં સદીઓથી સંતોએ લોકોને માર્ગ દેખાડ્યો છે. તેઓએ સમકાલીન સમાજમાં પ્રચલિત સામાજિક અનિષ્ટો સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેઓએ જાતિ, લિંગ વગેરેના આધારે ભેદભાવ સામે પણ અવાજ ઉઠાવ્યો છે. પછી તે ગુરુ નાનક હોય, સંત રવિદાસ હોય, સંત કબીરદાસ હોય, મીરાંબાઈ હોય, સંત તુકારામ હોય તમામે લોકોને તેમના ઉપદેશો દ્વારા સાચા રસ્તે ચાલવા માટે પ્રેરિત કર્યા છે. ભારતીય સમાજમાં તેમના યોગદાનથી તેમને સન્માનજનક સ્થાન મળ્યું છે. તેમણે કહ્યું હતું કે, સમકાલીન આધ્યાત્મિક નેતાઓ આત્મનિર્ભર, સંવાદી અને પર્યાવરણને અનુકૂળ ભારતનાં નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે…
(જી.એન.એસ) તા. 26 અમદાવાદ, સીબીઆઇ કોર્ટે યુઆઇઆઇસીએલ, અમદાવાદ સ્થિત તત્કાલીન ડિવિઝનલ મેનેજર સહિત પાંચ આરોપીઓને સજા ફટકારી છે. એક મેનેજિંગ ડિરેક્ટર અને બે ખાનગી કંપનીઓના ડિરેક્ટરને વીમા દલાલીની કપટપૂર્ણ ચૂકવણી સાથે સંબંધિત કેસમાં કુલ રૂ. 5.91 કરોડ (બે આરોપી કંપનીઓ પર લાદવામાં આવેલા 5.52 કરોડ સહિત)ના કુલ દંડ સાથે 05 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સીબીઆઈ કેસ માટે અમદાવાદ સ્થિત વિશેષ ન્યાયાધીશ, કોર્ટ નંબર 2 દ્વારા પાંચ આરોપીઓને સજા ફટકારી છે. જેમાં કેન્દ્રીય જાહેર ક્ષેત્રની વીમા કંપની યુનાઇટેડ ઇન્શ્યોરન્સ કોમોની લિડ (UIICL)ના તત્કાલીન ડિવિઝનલ મેનેજર મધુસુદન બી પટેલ, મેસર્સ આઇવરી ઇન્શ્યોરન્સ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પંકજ ગુપ્તા અને મેસર્સ સેફવે ઇન્શ્યોરન્સ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ઇન્દ્રજોત સિંહને 5 વર્ષની સખત કેદની સજા સંભળાવી…
(જી.એન.એસ) તા. 25 કામલે, ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર આજે 26 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના રોજ અરુણાચલ પ્રદેશના કામલે જિલ્લાના એક દિવસીય પ્રવાસ પર રહેશે. આ મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ અરુણાચલ પ્રદેશના કામલે જિલ્લાના કમ્પોરિજો સર્કલ પર પ્રથમ સંયુક્ત મેગા ન્યોકુમ યુલ્લો ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
(જી.એન.એસ) તા. 25 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતો પ્રજાજનોની સમસ્યાઓ રજૂઆતોનું નિવારણ માટેનો “રાજ્ય સ્વાગત ઓન લાઈન” જન ફરીયાદ નિવારણ કાર્યક્રમ આ ગૂરૂવાર તા.૨૭- ફેબ્રુઆરી એ યોજાશે નહિ. જિલ્લા અને તાલુકા સ્વાગત રાબેતા મુજબ ચાલુ રહેશે. ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા અંદાજપત્ર સત્રની કામગીરીને અનુલક્ષીને રાજ્ય સ્વાગત મુલત્વી રાખવામાં આવ્યો છે. સૌ સંબંધકર્તા નાગરિકોને આ અંગેની નોંધ લેવા મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સલાહકાર શ્રી ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં મુખ્ય સચિવશ્રી સહિત પાંચ વરિષ્ઠ સચિવોની પંચના સભ્ય તરીકે નિયુક્તિ (જી.એન.એસ) તા. 25 ગાંધીનગર, વહીવટી સુધારણા પંચ આ બાબતો ઉપર વિચારણા કરીને ભલામણો કરશે:- * એડમિનિસ્ટ્રેટિવ એન્ડ ગવર્નન્સ સ્ટ્રક્ચર * રેશનલાઈઝેશન ઓફ મેનપાવર એન્ડ હ્યુમન રિસોર્સિસ * ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સ ઓપ્ટિમાઇઝેશન * ડીસેન્ટ્રલાઈઝેશન એન્ડ લોકલ ગવર્નન્સ * ટેકનોલોજી એન્ડ ઇનોવેશન્સ * મોનિટરિંગ એન્ડ ઈવેલ્યુએશન સ્ટ્રક્ચર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસાવેલી “જે કહેવું તે કરવું”ની કાર્ય સંસ્કૃતિનું વધુ એક દ્રષ્ટાંત ચરિતાર્થ કર્યું છે. આ વર્ષે ૨૦૨૫-૨૬ના બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યમાં વહીવટી સુધારણા પંચની રચના…
(જી.એન.એસ) તા. 25 નવી દિલ્હી, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ (GeM) એ 19 ફેબ્રુઆરી 2025ના રોજ તેના નવી દિલ્હી મુખ્યાલય (HQ) ખાતે સ્ટાર્ટઅપ્સ, મહિલા અને યુથ એડવાન્ટેજ થ્રુ ઈ-ટ્રાન્ઝેક્શન્સ (SWAYATT) પહેલના છ વર્ષની ઉજવણી કરી. 19 ફેબ્રુઆરી, 2019ના રોજ શરૂ કરાયેલ, SWAYATTની કલ્પના જાહેર ખરીદીમાં મહિલા-આગેવાની હેઠળના સાહસો અને યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. સામાજિક સમાવેશના GeMના પાયાના સ્તંભમાં મૂળ ધરાવતું, SWAYATT એ પોર્ટલની વ્યવસાય કરવાની સરળતા વધારવા અને સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગસાહસિકો, સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો (MSE), સ્વ-સહાય જૂથો (SHG) અને યુવાનો, ખાસ કરીને સમાજના પછાત વર્ગના લોકો માટે વાર્ષિક જાહેર ખરીદી સાથે સીધા બજાર જોડાણો સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા છે. શરૂઆતથી, આ પહેલ છેવાડાના વેચાણકર્તાઓને તાલીમ અને ઓનબોર્ડિંગની સુવિધા આપવા, મહિલા ઉદ્યોગસાહસિકતા વિકસાવવા અને સરકારી ખરીદીમાં ભાગીદારી અને નાના પાયાના વ્યવસાયોને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે. આ પ્રસંગે GeMએ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) લેડિઝ ઓર્ગેનાઇઝેશન (FICCI-FLO) સાથે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. જે 9,500થી વધારે મહિલા ઉદ્યોગસાહસિકોનું પ્રતિનિધિત્વ કરતી અખિલ ભારતીય ફોરમ છે. આ ભાગીદારીના માધ્યમથી, GeM મહિલા ઉદ્યોગસાહસિકોને વચેટિયાઓ વગર સીધા સરકારી ખરીદદારો અને સીધી સુલભતા પૂરી પાડવાનો ઇરાદો ધરાવે છે. જેથી ઉત્પાદનની વધુ સારી કિંમતો સુનિશ્ચિત થાય, અતિ-સ્થાનિક રોજગારીના સર્જનને વેગ મળે અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન મળે. તાલીમ, ઓનબોર્ડિંગ અને જોડાણોના પર્યાપ્ત માધ્યમોનો વિસ્તાર કરીને, આ જોડાણ સ્થાનિક વ્યવસાયોને સશક્ત બનાવવા, સર્વસમાવેશક આર્થિક વિકાસનું સર્જન કરવા, સ્પર્ધા વધારવા અને જાહેર ખર્ચમાં મૂલ્ય સંવર્ધનને વેગ આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે. GeMના સીઇઓ શ્રી એલ સત્ય શ્રીનિવાસે માહિતી આપી હતી કે, ‘SWAYATT’ના લોન્ચિંગ સમયે, માત્ર 6300 મહિલાઓની આગેવાની હેઠળના સાહસો અને લગભગ 3400 સ્ટાર્ટઅપ્સ GeM પર ઓનબોર્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી, પ્લેટફોર્મ અનેકગણું વધ્યું છે.” “જાહેર ખરીદીમાં યોગ્ય ઇ-માર્કેટ લિન્કેજ મારફતે “બજારની સુલભતા”, “ફાઇનાન્સની સુલભતા” અને “મૂલ્ય-સંવર્ધનની સુલભતા”ના પડકારોને પહોંચી વળતા, GeMએ સ્ટાર્ટઅપ્સને રૂ. 35,950 કરોડના ઓર્ડર્સ પૂરા કરવા સક્ષમ બનાવ્યા છે. મહિલા ઉદ્યોગસાહસિકો GeM પર કુલ વિક્રેતા આધારના 8 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં કુલ 1,77,786 ઉદ્યમ-વેરિફાઇડ મહિલા લઘુ અને નાના સાહસો (એમએસઇ) GeM પોર્ટલ પર નોંધાયેલા છે, જેમણે રૂ. 46,615 કરોડના સંચિત ઓર્ડર મૂલ્યને પૂરા કર્યા છે, એમ શ્રીનિવાસે ઉમેર્યું હતું. આ પ્રસંગે ફિક્કી – એફએલઓના પ્રેસિડન્ટ શ્રીમતી જોયશ્રી દાસ વર્માએ જણાવ્યું હતું કે, GeM જેવા ડિજિટલ પ્લેટફોર્મે કેવી રીતે મહિલા ઉદ્યોગસાહસિકો માટે તકોની સુલભતાનું લોકશાહીકરણ કર્યું છે. મૂલ્ય શૃંખલાના વિકાસ અને હિમાયત, પહોંચ અને ગતિશીલતા મારફતે મહિલાઓની આગેવાની હેઠળના એમએસઈને તકોમાં વધારો કરવા માટે આ જોડાણના મહત્વને પુનરાવર્તિત કરીને, તેમણે એસોસિએશનના સંલગ્ન સભ્યો વચ્ચે GeM પોર્ટલની પહોંચને વિસ્તારવા માટે અનિવાર્ય રીતે તાલીમ પર ભાર મૂક્યો હતો. એક પાયાની પહેલ તરીકે પરિકલ્પિત ‘SWAYATT’માં આજે સમર્પિત લિસ્ટિંગ માટે “સ્ટાર્ટઅપ રનવે” અને “વુમનિયા” સ્ટોરફ્રન્ટ્સનો સમાવેશ થાય છે. જે સમગ્ર ભારત સરકારના લાખો ખરીદદારોમાં સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગસાહસિકો અને યુવાનોની વ્યાપક દૃશ્યતાને સુનિશ્ચિત કરે છે. પ્રવેશ અવરોધોને દૂર કરીને, GeM 29,000થી વધુ સ્ટાર્ટઅપ્સને GeM પ્લેટફોર્મ પર વ્યવસાયની તકો સાથે સશક્ત બનાવી રહ્યું છે. પોર્ટલ પર ઉદ્યોગ અને આંતરિક વેપારના રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે 1 લાખ વિભાગને ઓનબોર્ડ કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્ય સાથે, GeM જાહેર ખરીદીમાં એક વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનવા માટે કટિબદ્ધ છે. છેવાડાનાં ગાળાની મહિલા સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો (એમએસઈ), એફપીઓ, એસએચજી, સ્ટાર્ટ અપ અને કોઓપરેટિવ્સ સાથે અર્થપૂર્ણ સહયોગ અને ક્ષમતા નિર્માણનાં પ્રયાસો મારફતે GeM પોર્ટલ પર મહિલા ઉદ્યોગસાહસિકોની સંખ્યા બમણી કરવાની અને દેશની સંપૂર્ણ ખરીદીમાં તેમના હિસ્સાની ટકાવારી વર્તમાન 3.78 ટકાથી વધારવાની કલ્પના કરે છે.
(જી.એન.એસ) તા. 25 ગાંધીનગર/ કચ્છ, વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્રારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને કૃષિ સાધનોની ખરીદી માટે રાજ્ય સરકાર દ્રારા સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં કચ્છ જિલ્લાના ૧૭,૯૩૨ ખેડૂતોને સાધન સહાય આપવાની યોજના હેઠળ રૂ.૩૭ કરોડની સહાય આપવામાં આવી છે. કૃષિ મંત્રીશ્રીએ વિગતવાર માહિતી આપતા ઉમેર્યુ હતું કે, છેલ્લાં બે વર્ષમાં અંજાર તાલુકામાં ૧,૬૬૯ અરજીઓ, અબડાસામાં ૧,૮૯૩, ગાંધીધામમાં ૫૯, નખત્રાણામાં ૧,૬૬૮, ભચાઉમાં ૨,૮૬૬, ભુજમાં ૨,૨૦૩, ભુજ શહેરમાં ૫૭, મુન્દ્રામાં ૧,૦૧૯, માંડવીમાં ૧,૬૮૮, રાપરમાં ૪,૧૨૯ અને લખપત તાલુકામાં ૬૮૦ અરજીઓ મંજુર કરવામાં આવી છે. આમ કચ્છ જિલ્લામાં…
(જી.એન.એસ) તા. 25 ગાંધીનગર, વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્યશ્રી દ્વારા મનરેગા યોજના અંગે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૪,૪૮,૫૮૦ જેટલી તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં ૨,૯૭,૬૧૪ માનવદિન રોજગારી ઊભી થઈ છે. જેના માટે એક માનવદિન રોજગારીનો દર ગત તા. ૧/૪/૨૦૨૪થી રૂ. ૨૮૦/- નક્કી કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ઉભી થયેલી કુલ માનવદિન રોજગારી પૈકી ૧,૬૯,૦૦૦થી વધુ રોજગારી મહિલાઓ માટે તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં ૧,૨૨,૦૦૦થી વધુ રોજગારી મહિલાઓ માટે ઉભી થઈ છે, તેમ તેમણે ઉમેર્યું હતું. સભ્યશ્રીના પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં અનુસૂચિત જાતિ માટે ૭૦,૦૦૦થી…
– ‘સેવ કલ્ચર – સેવ ભારત’ ફાઉન્ડેશન અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સહ આયોજિત વક્તૃત્વ સ્પર્ધા (જી.એન.એસ) તા. 25 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાશક્તિમાં સંસ્કાર સિંચનના મહાકુંભ સમાન ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા ૨૦૨૫નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. યુવાશક્તિને આપણા સાંસ્કૃતિક મૂલ્યોના જતન સંવર્ધન જાળવવા અને વિકૃતિઓથી બચાવવાના આહવાન સાથે આ વક્તૃત્વ સ્પર્ધાનું ‘સેવ કલ્ચર, સેવ ભારત’ ફાઉન્ડેશન અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બધી જ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ રહેલી આ સાંસ્કૃતિ વક્તૃત્વ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણા બાળકો…
(જી.એન.એસ) તા. 25 અમદાવાદ, ‘સાધના’ સાપ્તાહિકના નવનિર્મિત કાર્યાલય પ્રવેશ પ્રસંગે શ્રી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહ-પ્રચાર પ્રમુખ મા. શ્રી પ્રદીપજી જોશી, ગુજરાત પ્રાંતના મા. સંઘચાલક શ્રી ડૉ. ભરતભાઈ પટેલ તથા કર્ણાવતી મહાનગરનાં મા. સંઘચાલક શ્રી મહેશભાઈ પરીખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ‘સાધના’ સાપ્તાહિકના તંત્રી-ટ્રસ્ટીશ્રી ભાનુભાઈ ચૌહાણે મંચસ્થ મહાનુભાવો, ‘સાધના’ ટ્રસ્ટીગણ તથા અન્ય મહાનુભાવોનો પરિચય આપ્યો હતો. મુદ્રક-પ્રકાશક-ટ્રસ્ટી શ્રી કલ્પેશભાઈ પટેલે મહાનુભાવોને શ્રીરામગ્રંથ અર્પણ કરી તેમનું અભિવાદન કર્યું હતું તથા ટ્રસ્ટી-વ્યવસ્થાપક શ્રી નારાયણભાઈ મેઘાણીએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધનમાં મા. શ્રી પ્રદીપજી જોશીએ કહ્યું હતું કે, ‘પૂ. હેડગેવારજીએ…
