Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૪/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૪/૦૪/૨૦૨૬)
- ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી – ૨૦૨૬; સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩ % મતદાન
- તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સ્ટેજ તૈયાર: શું એમકે સ્ટાલિન અને મમતા બેનર્જી પોતાનો પક્ષ રાખશે?
- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ નો નવો આદેશ??
- EU એ યુક્રેન લોન અને રશિયા સામે 20મા પ્રતિબંધ પેકેજને ઔપચારિક રીતે મંજૂરી આપી
- દિલ્હી મેયર ચૂંટણી: ભાજપે પ્રવેશ વાહીને મેયર પદના ઉમેદવાર તરીકે અને મોનિકા પંતને ડેપ્યુટી પદના ઉમેદવાર બનાવ્યા
- ટોમ ક્રૂઝની ‘ટોપ ગન’ ની 40મી વર્ષગાંઠ નિમિત્તે ભારતમાં ફરીથી રિલીઝ થશે
- ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, વિશ્વબંધુ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ
- ભારત અને જર્મની સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા
- ડેનમાર્કમાં બે ટ્રેનો અથડાતા 18 લોકો ઘાયલ થયા
- વહીવટી તંત્રમાં સચિવાલયના અધિકારીઓની ભૂમિકા અત્યંત મહત્વની: આ સ્તરે લેવાયેલા નિર્ણયોની અસર લાંબા ગાળા સુધી રહેતી હોય છે : મુખ્ય સચિવશ્રી મનોજકુમાર દાસ
Author: dhrumit
દરેકને 50 હજાર રૂપિયાના રોકડ પુરસ્કાર સાથે ચાર ફિલ્મોને ‘વિશેષ ઉલ્લેખ પ્રમાણપત્ર’ માટે પસંદ કરવામાં આવી (જી.એન.એસ) તા. 27 ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર પંચે વર્ષ 2024માં માનવાધિકાર પર ટૂંકી ફિલ્મો માટે પોતાની દસમી પ્રતિષ્ઠિત વાર્ષિક સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત કરી હતી. તેણે 2 લાખ રૂપિયાના પ્રથમ ઇનામ માટે ‘Doodh Ganga- Valley’s dying lifeline’ પસંદ કરી છે. જમ્મુ-કાશ્મીરના એ.આર.અબ્દુલ રશીદ ભટની આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં દૂધ ગંગા નદીના સ્વચ્છ પાણીમાં વિવિધ કચરાના મુક્ત પ્રવાહે તેને કેવી રીતે પ્રદૂષિત કરી છે અને ખીણમાં લોકોના એકંદર ભલા માટે તેના જીર્ણોદ્ધારની જરૂરિયાત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ફિલ્મ અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂમાં છે, જેમાં અંગ્રેજીમાં સબટાઇટલ્સ છે. આંધ્રપ્રદેશના કાદરપ્પા રાજુ દ્વારા ‘ફાઇટ ફોર રાઈટ્સ’ 1.5 લાખ રૂપિયાના બીજા ઇનામ માટે પસંદ કરવામાં…
રાષ્ટ્રપતિશ્રી સાથે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યના પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ (જી.એન.એસ) તા. 27 નર્મદા, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા – સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને પુષ્પો વડે સરદાર સાહેબની વિરાટકાય પ્રતિમાની પાદપૂજા કરી ભાવાંજલિ અર્પી હતી. રાષ્ટ્રપતિશ્રી સાથે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા રાજ્યના પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા. સરદાર સાહેબની એકતા, અખંડિતતા અને અતૂટ ધૈર્યની ભાવનાની પ્રત્યક્ષ અનુભૂતિ સૌએ કરી હતી. સાગબારા અને તિલકવાડાના આદિવાસી ભાઈ-બહેનોએ મેવાસી અને હોળી નૃત્ય જેવા પરંપરાગત આદિવાસી નૃત્ય…
આજે ભારત તેના વારસા પર ગર્વ અનુભવતા નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે; આ પરિવર્તનના યુગનો ઉદય છે જે દેશના નવા ભવિષ્યને લખવા માટે તૈયાર છે: પ્રધાનમંત્રી (જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી/પ્રયાગરાજ, મહાકુંભને ‘એકતાનો મહાયજ્ઞ’ ગણાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, ભારતને તેના વારસા પર ગર્વ છે અને તે નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે આ પરિવર્તનના યુગનો ઉદય છે. જે દેશના નવા ભવિષ્યને લખવા માટે તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું કે મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તોનો ભાગ લેવો એ ફક્ત એક રેકોર્ડ નથી પરંતુ ઘણી સદીઓથી આપણી સંસ્કૃતિ અને વારસાને મજબૂત અને સમૃદ્ધ રાખવા માટે એક…
(જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની આજથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ પાનસેરિયા , ધારાસભ્યશ્રી રીટાબેન પટેલક,લેકટર શ્રી ગાંધીનગર, મેહુલ કે. દવે તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે પટેલે રેડિયન સ્કૂલ ઓફ એક્સિલન્સી, સરગાસણ, ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓને સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. આ શુભેચ્છા સમારંભ અંતર્ગત રાજ્યભરના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપતા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, પરીક્ષાને ઉત્સવ સમજી નિશ્ચિત રહી ,ભય મુક્ત બની પરીક્ષા આપો. સરકાર શિક્ષણ વિભાગ તથા વહીવટી તંત્ર તરફથી…
(જી.એન.એસ) તા. 26 જ્યોતિર્લિંગ શ્રી કેદારનાથ ધામના કપાટ 2 મે 2025 ને શુક્રવારના રોજ સવારે 7 વાગે વૈશાખ માસ, મિથુન રાશિ, વૃષભ લગ્નમાં વિધિસર ખુલશે, તે પહેલા 27 એપ્રિલે ભગવાન ભૈરવનાથજીની પૂજા થશે. જ્યારે બાબા કેદારની પંચમુખી ડોલી 28 એપ્રિલે શ્રી ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી કેદારનાથ ધામ પ્રસ્થાન કરશે. બુધવારે મહા શિવરાત્રિના પાવન અવસરે શ્રી ઓમકારેશ્વર મંદિર ઉખીમઠમાં શ્રી કેદારનાથ ધામ રાવલ ભીમાશંકર લિંગ, કેદારનાથ ધારાસભ્ય આશા નૌટિયાલ, દાયિત્વ ધારી ચંડીપ્રસાદ ભટ્ટ અને શ્રી બદરીનાથ- કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી) મુખ્ય કાર્યાધિકારી વિજય પ્રસાદ થપલિયાલ સહિત પંચગાઈ સમિતિ પદાધિકારીઓ તથા સેંકડો શ્રદ્ધાળુઓની હાજરીમાં ધર્માચાર્યો વેદપાઠીઓ દ્વારા પંચાંગ ગણના બાદ વિધિસર શ્રી કેદારનાથ…
પરીક્ષાને ટેન્શન નહીં, પણ એક મહોત્સવ તરીકે સ્વીકારવો જોઈએ: શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા (જી.એન.એસ) તા. 26 ગાંધીનગર, ગુજરાતમાં આજે તા. 27/02/2025, ગુરૂવારથી શરૂ થતી એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષાઓ માટે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ તમામ વિધાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં એસ.એસ.સી.ના 9 લાખથી વધુ, એચ.એસ.સી.ના 4 લાખથી વધુ અને એચ.એસ.સી. સાયન્સ પ્રવાહના 1 લાખથી વધુ વિધાર્થીઓ સામેલ છે. મંત્રીશ્રીએ વિધાર્થીઓને સંદેશ આપતાં જણાવ્યું કે પરીક્ષાને ટેન્શન તરીકે નહીં, પણ એક ઉત્સવ તરીકે ઉજવવો જોઈએ. જો કોઈ વિદ્યાર્થી કોઈ એક પેપરમાં સારું પ્રદર્શન ન કરી શકે, તો તેને હતાશ થવાની…
(જી.એન.એસ) તા. 26 બનાસકાંઠા, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, બનાસકાંઠા દ્વારા તારીખ: ૦૮/૦૫/ ૨૦૨૪ના રોજ મે. શ્રી નવકાર ડેરી પ્રોડક્ટસ, પ્લોટ નંબર-૫૧, જી.આઇ.ડી.સી., ડીસા, બનાસકાંઠા ખાતે તપાસ કરવામાં આવેલ જેમાં સ્થળ પર ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ (લાયસન્સીંગ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ ફુડ બિઝનેશ) રેગ્યુલેશન, ૨૦૧૧ની જોગવાઇઓનું ભંગ થતા જોવા મળેલ જે બદલ તંત્ર દ્વારા પેઢીને કલમ -૩૨ હેઠળ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવેલ હતી પરંતુ પેઢી દ્વારા બે વખત તક આપવા છતાં તેની પુર્તતા ન કરવામાં આવતા પેઢીનું લાઈસન્સ (લાઈસન્સ નંબર-૧૦૭૧૮૦૦૫૦૦૦૮૬૬) તારીખ: ૦૪/૧૦/૨૦૨૪ના રોજ રદ્દ કરવામાં આવેલ હતું. તારીખ: ૨૫/૦૨/૨૦૨૫ના રોજ તંત્ર દ્વારા પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીનું લાઈસન્સ રદ્દ કરી દીધુ…
(જી.એન.એસ) તા. 26 ગુજરાતના ‘પક્ષી જીવન’ની ઝલક:- ● સૌથી વધુ ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ સાથે નળ સરોવર બન્યું ‘હોટસ્પોટ’ ● દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ૪૫૬ પ્રજાતિઓ જયારે કચ્છમાં સૌથી વધુ ૪.૫૬ લાખથી વધુ પક્ષીઓ દેખાયા ● સર્વેક્ષણ દરમિયાન ૩૦૦થી વધુ પક્ષી પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરાયું ● ‘કરૂણા અભિયાન’ અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં ૧.૦૦ લાખથી વધુ પક્ષીઓ જીવનદાન ● દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે દરિયાકાંઠા- કિચડીયા પક્ષી ગણતરી- સેન્સસ યોજાયો સમગ્ર વિશ્વમાં ગુજરાત અનેકવિધ જૈવ-પક્ષી વિવિધતા માટે જાણીતું છે. ઇકોસિસ્ટમ, પ્રાણી સૃષ્ટીને બચાવવા અને પર્યાવરણના જતન-સંરક્ષણ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અનેક કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલી…
(જી.એન.એસ) તા. 26 રાંચી, મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેન અને ધારાસભ્ય શ્રીમતી કલ્પના સોરેન એચબી રોડ પર ઓર્કિડ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં તેમણે માર્ગ અકસ્માતમાં ઘાયલ રાજ્યસભા સાંસદ ડૉ. મહુઆ માજીને મળ્યા અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઓર્કિડ હોસ્પિટલના ડોક્ટરો પાસેથી રાજ્યસભા સાંસદ ડૉ. મહુઆ માજીની સારવાર અને સ્વાસ્થ્ય સુધારણા અંગે માહિતી લીધી હતી. રાજ્યસભા સાંસદ ડૉ. મહુઆ માજી અને તેમનો પરિવાર મહાકુંભમાં સ્નાન કરીને રાંચી પરત ફરી રહ્યા હતા. બુધવારે વહેલી સવારે લાતેહાર જિલ્લાના હોટવાગ ગામ નજીક પહોંચ્યા ત્યારે તેમનું વાહન અકસ્માતનો ભોગ બન્યું. આ અકસ્માતમાં ડૉ. મહુઆ માજી અને તેમના પરિવારના સભ્યો ઘાયલ થયા હતા.
(જી.એન.એસ) તા. 26 ભારતીય સેનાએ 25 ફેબ્રુઆરી 2025ના રોજ મેસર્સ L&T લિમિટેડ સાથે 80.43 કરોડ રૂપિયાના ખર્ચે 223 ઓટોમેટિક કેમિકલ એજન્ટ ડિટેક્શન એન્ડ એલાર્મ (ACADA) સિસ્ટમ્સ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ભારતીય ખરીદ (IDDM) શ્રેણી અંતર્ગત છે. જેનાથી ભારત સરકારના આત્મનિર્ભરતા અભિયાનને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે, કારણ કે ઉપકરણોના 80%થી વધુ ઘટકો અને સબ-સિસ્ટમ્સ સ્થાનિક રીતે ખરીદવામાં આવશે. ACADAને DRDOના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, ગ્વાલિયર દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે અને તે વિશિષ્ટ CBRN ડોમેનમાં રાષ્ટ્રની સ્વદેશીકરણ પહેલમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ACADA સિસ્ટમનો ઉપયોગ પર્યાવરણમાંથી હવાના નમૂના લઈને રાસાયણિક યુદ્ધ એજન્ટો (CWA) અને પ્રોગ્રામ કરેલા ઝેરી ઔદ્યોગિક રસાયણો (TICs) શોધવા માટે થાય છે. તે આયન મોબિલિટી સ્પેક્ટ્રોમેટ્રી (IMS)ના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને હાનિકારક/ઝેરી પદાર્થોની…
