Author: dhrumit

(જી.એન.એસ) તા. 25 નવી દિલ્હી, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI), MyGovના સહયોગથી, “Innovate with GoIStats” નામનું એક રોમાંચક ડેટા-વિઝ્યુલાઇઝેશન હેકાથોન શરૂ કરવા જઈ રહ્યાં છે. જે “વિકસિત ભારત માટે ડેટા-આધારિત આંતરદૃષ્ટિ”થીમ પર કેન્દ્રિત છે. આ હેકાથોનનો ઉદ્દેશ્ય ભારતના યુવા અને તેજસ્વી બ્રેઇન વિદ્યાર્થીઓ અને સંશોધકોને રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા જનરેટ કરાયેલ વિશાળ સત્તાવાર ડેટાનો ઉપયોગ કરીને નવીન ડેટા-આધારિત આંતરદૃષ્ટિ વિકસાવવા માટે પ્રેરણા આપવાનો છે. આ હેકાથોનમાં સહભાગીઓને મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ અહેવાલો, માઇક્રોડેટા અને અન્ય ડેટાસેટ્સ જેમ કે સામયિક શ્રમ બળ સર્વે (PLFS), ઘરગથ્થુ ગ્રાહક ખર્ચ સર્વે (HCES), ઉદ્યોગોનો વાર્ષિક સર્વે (ASI), ગ્રાહક ભાવ સૂચકાંક (CPI), કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)માંથી સત્તાવાર ડેટાનું અન્વેષણ અને વિશ્લેષણ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે. જેથી વિકસિત ભારત તરફની…

Read More

(જી.એન.એસ) તા. 25 મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે પરંતુ કેટલાક ભક્તો ઈચ્છવા છતાં દર્શન કરી શકતા નથી તેમના માટે પોસ્ટ વિભાગે નવીન પહેલ શરૂ કરી છે એટલે હવે ભક્તોએ નિરાશ થવાની જરૂર નથી. પોસ્ટ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, નાગરિકો દેશના કોઈપણ ખૂણામાં, ગુજરાતના શ્રી સોમનાથ મંદિર, વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિર, અને ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિર નો પ્રસાદ ઘરે બેઠા મેળવી શકે છે. ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી. આ…

Read More

(જી.એન.એસ) તા. 25 ગાંધીનગર, પાટનગરની આગવી ઓળખ સમા વસંતોત્સવ’નો પ્રારંભ થઈ ચુક્યો છે. ૧૦ દિવસ ચાલનારા આ ઉત્સવને દેશના વિવિધ રાજયોના લોક નૃત્યોના મહાપર્વ તરીકે ઓળખવામાં આવે છે. સાબરમતી નદીના પટની કોતરોમાં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે કુદરતના ખોળે સંસ્કૃતિક કુંજ અસ્તિત્વમાં આવ્યું છે, જ્યાં વસંત ઉત્સવ દર વર્ષે ઉજવાય છે. ગુજરાતમાં મુખ્ય ત્રણ મોટા સાંસ્કૃતિક કાર્યક્રમ દર વર્ષે યોજાય છે, જેમાં ભારતીય નૃત્યકલા (કલાસીકલ ડાન્સ) માટે ઉતરાર્ધ મહોત્સવ ‘ જે મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉજવાય છે, બીજો શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલો ‘તાના-રીરી’ મહોત્સવ વડનગર ખાતે તથા મુખ્ય લોક નૃત્ય(ફોક ડાંન્સ )ના મહાપર્વ તરીકે ગાંધીનગર ખાતે ઉજવાતા ‘વસંતોત્સવ’નો સમાવેશ થાય છે. ગાંધીનગરની…

Read More

(જી.એન.એસ) તા. 25 પટના, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(25 ફેબ્રુઆરી, 2025) બિહારના પટનામાં પટના મેડિકલ કોલેજના શતાબ્દી સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે પટના મેડિકલ કોલેજ બિહારના અમૂલ્ય વારસામાંનો એક છે. આ સંસ્થાનો પ્રાચીનકાળને સાચવવાનો અને સતત આધુનિકતા તરફ આગળ વધવાનો ભવ્ય ઇતિહાસ છે. PMCH એશિયાની શ્રેષ્ઠ હોસ્પિટલોમાંની એક હતી. આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા, સેવા અને સમર્પણના બળ પર દેશ અને વિદેશમાં પોતાનું અને PMCHનું ગૌરવ વધાર્યું છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે સારવાર માટે બીજા શહેર કે રાજ્યમાં જવાથી સારવારમાં વિલંબ, ખોરાક, રહેઠાણ અને રોજગારની સમસ્યાઓ જેવી ઘણી રીતે અસર પડે છે. આનાથી મોટા શહેરોની તબીબી સંસ્થાઓ પર પણ બોજ પડે છે.…

Read More

રિન્યુએબલ એનર્જીમાં વિશ્વસ્તરે ભારત ત્રીજું સ્થાન ધરાવે છેઃ પ્રહલાદ જોશી (જી.એન.એસ) તા. 25 સુરત, સુરતના કોસંબા ખાતે આવેલા ગોલ્ડી સોલાર પ્લાન્ટમાં કેન્દ્રીય નવી અને નવીકરણીય ઊર્જા મંત્રીશ્રી પ્રહલાદ જોશીએ AI-આધારિત નવી પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ લાઈનનું ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સોલાર એનર્જી દ્વારા 200 ગીગાવોટના ઉત્પાદનના વિઝનને સાકાર કરવા માટે મંત્રાલય કાર્યરત છે. એ માટે સરકાર મેક ઈન ઈન્ડિયા નીતિ દ્વારા વિવિધ ઉત્પાદકોને પ્રોત્સાહન આપી રહી છે. તેમજ પીએમ સૂર્યઘર યોજના, પીએમ કુસુમ જેવી વિવિધ યોજનાઓ દ્વારા લોકોને માત્ર વપરાશકર્તા જ નહીં પરંતુ ઉત્પાદક બનવા માટે તમામ પ્રકારનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.…

Read More

ICG એક મજબૂત, વિશ્વસનીય અને વિશ્વના સૌથી કાર્યક્ષમ દરિયાઈ દળોમાંનું એક બની ગયું છે: શ્રી રાજનાથ સિંહ (જી.એન.એસ) તા. 25 નવી દિલ્હી, સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 25 ફેબ્રુઆરી, 2025ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત 18માં ICG પદવીદાન સમારોહ દરમિયાન ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ના કર્મચારીઓને શૌર્ય, વિશિષ્ટ સેવા અને મેરીટોરિયસ સર્વિસ મેડલ એનાયત કર્યા. વર્ષ 2022, 2023 અને 2024 માટે કુલ 32 મેડલ આપવામાં આવ્યા છે. જેમાં છ રાષ્ટ્રપતિ તટરક્ષક મેડલ (વિશિષ્ટ સેવા), 11 તટરક્ષક મેડલ (વીરતા) અને 15 તટરક્ષક મેડલ (પ્રશંસનીય સેવા)નો સમાવેશ થાય છે. આ મેડલ ICG કર્મચારીઓને તેમની અનુકરણીય સેવા, બહાદુરીના કાર્યો અને પડકારજનક અને આત્યંતિક પરિસ્થિતિઓમાં ફરજ પ્રત્યે નિઃસ્વાર્થ સમર્પણ માટે એનાયત કરવામાં આવ્યા હતા. પેટીએમ અને ટીએમ એવોર્ડ વિજેતાઓની…

Read More

(જી.એન.એસ) તા. 25 ગાંધીનગર/અમરેલી, અમરેલી જિલ્લામાં સામુહિક કમ્પોસ્ટ પીટના બાંધકામ અંગે વિધાનસભા ખાતે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં કુલ ૨૪૯ સામુહિક કમ્પોસ્ટ પીટના લક્ષ્યાંક સામે ૨૩૧ સામુહિક કમ્પોસ્ટ પીટના બાંધકામ પુર્ણ કરવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં રૂ. ૮૪.૨૯ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ સામુહિક કમ્પોસ્ટ પીટના બાંધકામ થકી ઘન કચરાના સલામત નિકાલની કામગીરી કરવામાં આવે છે. તેમજ પ્રવાહી કચરાના સલામત નિકાલનું વ્યવસ્થાપન પણ કરવામાં આવે છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ધાર્મિક સ્થળો…

Read More

આસામનું ગતિશીલ કાર્યબળ અને ઝડપી વૃદ્ધિ તેને એક મુખ્ય રોકાણ ગંતવ્યસ્થાનમાં પરિવર્તિત કરી રહી છેઃ પ્રધાનમંત્રી (જી.એન.એસ) તા. 25 ગુવાહાટી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભવોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “પૂર્વ ભારત અને પૂર્વોત્તર ભારત આજે ભવિષ્યની નવી યાત્રાએ નીકળી રહ્યું છે અને એડવાન્ટેજ આસામ અતુલ્ય સંભવિતતા અને દુનિયા સાથેની પ્રગતિને એકબીજા સાથે જોડવા માટેની એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. ભારતની સમૃદ્ધિમાં પૂર્વ ભારત દ્વારા ભજવવામાં આવેલી મુખ્ય ભૂમિકાનો ઇતિહાસ સાક્ષી છે.” પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “આજે જ્યારે આપણે વિકસિત ભારતની દિશામાં પ્રગતિ કરી રહ્યાં છીએ, ત્યારે પૂર્વ…

Read More

(જી.એન.એસ) તા. 25 અમદાવાદ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ (ICMR-NIOH), અમદાવાદ, ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઇન એન્વાયર્નમેન્ટલ હેલ્થ (ICMR-NIREH) અને CSIR-નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-NEERI)ના સહયોગથી, 26-28 ફેબ્રુઆરી, 2025 દરમિયાન અમદાવાદના નારાયણી હાઇટ્સ ખાતે ક્લાયમેટ ચેન્જ ઇમ્પેક્ટ્સ ઓન ઓક્યુપેશનલ એન્ડ એન્વાયર્નમેન્ટલ હેલ્થ (CliCON OEH2025)નું આયોજન કરવા માટે તૈયાર છે. CliCON OEH2025માં 300થી વધુ વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, નીતિ નિર્માતાઓ, પર્યાવરણીય આરોગ્ય નિષ્ણાતો અને ઉદ્યોગજગતના નેતાઓ સામેલ થશે. જેઓ વ્યવસાયિક અને પર્યાવરણીય સ્વાસ્થ્ય પર જળવાયુ પરિવર્તન દ્વારા ઉભા થયેલા ગંભીર પડકારોનું સમાધાન કરશે. આ પરિષદમાં 20 પ્રતિષ્ઠિત વક્તાઓ અનુકૂલન વ્યૂહરચનાઓ, જોખમ મૂલ્યાંકન માળખા અને નીતિ હસ્તક્ષેપો પર પોતાનાં વિચારો રજૂ કરશે. સાથે સાથે યુવા સંશોધકો દ્વારા આ ક્ષેત્રમાં ઉભરતા સંશોધનનું પ્રદર્શન કરતા 110 વૈજ્ઞાનિક પ્રસ્તુતિઓ પણ રજૂ કરશે. વૈજ્ઞાનિક પુરાવા, શમન…

Read More

(જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ સેવા, ભારતીય રેલવે સુરક્ષા દળ સેવા, ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા (એકાઉન્ટ્સ) અને ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા (ટ્રાફિક)ના અધિકારી તાલીમાર્થીઓના એક જૂથે રાષ્ટ્રીય રાજધાનીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને મળ્યા. ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ સેવાના અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મહાન રાષ્ટ્રીય પ્રયાસમાં તેમની ભૂમિકા છે. તેમણે તેમને ભારતીય બંધારણની જોગવાઈઓને ધ્યાનમાં રાખવાની સલાહ આપી, જે ભારતના નિયંત્રક અને મહાલેખકની સમગ્ર સંસ્થાનો આધાર છે. તેમણે કહ્યું કે જ્યારે બંધારણના ભાગ-V ના પ્રકરણ-V તેમને સંસ્થાની ભૂમિકા, ફરજો અને સત્તાઓથી વાકેફ કરે છે, ત્યારે બંધારણની પ્રસ્તાવના અને CAG ના શપથ દરેક વ્યક્તિની સંસ્થાની મહત્વપૂર્ણ ભૂમિકાઓ અને ફરજોના…

Read More