Author: dhrumit

(જી.એન.એસ) તા. ૫ અમદાવાદ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ• વડાપ્રધાનશ્રીના પ્રેરણાથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે એક રિવોલ્યુશન બનીને યુવાશક્તિ માટે આભને આંબવાના અવસરો પૂરા પાડે છે• સેમિકંડક્ટર સેક્ટરમાં મહિલાશક્તિ માટે અનેક અવસરો • ટેકનોલૉજી કેરિયર ઓપ્શન નહિ, રાષ્ટ્ર નિર્માણનું મિશન પણ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસ ત્રિવેણીનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિમેન-લેડ ડેવલપમેન્ટના અભિગમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રી ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નિલકંઠ સભાપુરમ નામકરણ, નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ તથા herSTARTના પાંચમાં સંસ્કરણના શુભારંભ અવસરે સંબોધન કરી રહ્યાં હતા. ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ-GUSEC દ્વારા વિમેન સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેશન, મેન્ટરશીપ…

Read More

(જી.એન.એસ) તા. ૫ અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી શ્રી નરેન્દ્રભાઈએ લોહપુરુષ સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ આપી. આ યાત્રા સરદાર સાહેબનું સમર્પણ, દેશપ્રેમ અને તેમની અટલ એકતાની ભાવનાને જનજનમાં જીવંત કરશે. સરદાર સાહેબની જેમ સૌના મનમાં નેશન ફર્સ્ટની ભાવના ઉજાગર કરવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા આયોજિત સરદાર એકતા યાત્રાને અમદાવાદથી પ્રસ્થાન કરાવવા પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં સરદારસાહેબનું સન્માન કર્યું છે. 2014થી સરદાર સાહેબની જયંતીને દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઊજવવાની પરંપરા તેમણે શરૂ કરાવેલી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ…

Read More

(G.N.S) Dt. 3 ગાંધીનગર, મેયરે અમદાવાદ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની મુલાકાત લઇને અધિકારીઓ સાથે સંવાદ કર્યો યુરોપના રોમાનિયા દેશના મિલૌટી ટાઉનના મેયર શ્રી વેસાઇલ કેરારે અને તેમના પત્ની બે દિવસની ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે અમદાવાદ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઇ-ગવર્નન્સ, શહેરી વિકાસ પરિયોજનાઓ, નાગરિક કેન્દ્રિત સેવાઓ અને ઔદ્યોગિક વિકાસ અંગે ચર્ચા વિચારણા કરી હતી. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ દ્વારા આયોજિત આ મુલાકાતમાં તેઓ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લઇ રહ્યા છે. ગુજરાતમાં તેમણે અમદાવાદ મહાનગરપાલિકામાં મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈન તેમજ મ્યુનિસિપલ…

Read More

(જી.એન.એસ) તા. 3 જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓની સુવિધા માટે નવા પાર્કિંગ, બે અત્યાધુનિક લિફ્ટ મૂકવા સહિતના કામોને મંજૂરી અપાઈ: સુપ્રસિધ્ધ હર્ષદ માતાના મંદિરના વિકાસ માટે રૂ. ૨૦.૦૯ કરોડના કામોને મંજૂરી શંખલપુર સ્થિત ટોડા બહુચરાજી મંદિર અને સુડાવડના આઇશ્રી ખોડિયાર મંદિર ખાતે સોલાર રૂફટોપ સિસ્ટમ, સત્સંગ હોલ, પેવર બ્લોક અને પાર્કિંગ શેડ જેવા જનસુવિધાના કામો માટે રૂ. ૧.૧૦ કરોડની ફાળવણી ગોધરામાં મહાત્મા ગાંધી દ્વારા ૧૯૧૭માં સ્થાપિત ઐતિહાસિક આશ્રમના નવીનીકરણ માટે રૂ. ૩.૩૬ કરોડની ગ્રાન્ટ ફાળવી વારસાના જતનનો નિર્ણય પરંપરાગત ‘ડાંગ દરબાર’ના ભવ્ય આયોજન માટે રૂ. ૧.૨૫ કરોડની નાણાકીય જોગવાઈ કરાઈ વલસાડના ઘડોઈ સ્થિત શ્રી ઘાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરને પ્રવાસન હોટસ્પોટ…

Read More

(G.N.S) Dt. 03 કુત્રિમ બિજદાન ક્ષેત્રે 80 ટકાનાં ગર્ભાધાનનાં સફળતાનાં દર સાથે દિપક પટેલ છેલ્લા બે દાયકાથી સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન સુરત, સુરત જિલ્લાનાં વહેવલ ગામનાં દિપક પટેલ પશુઓમાં કુત્રિમ બિજદાનનું કાર્ય કરે છે. કુત્રિમ બિજદાન ક્ષેત્રે 80 ટકાનાં (કન્શેપપ્શન રેટ) સફળતાનાં દરને કારણે સમગ્ર દેશમાં ડેરી ઉદ્યોગ તેમને ‘મિરેકલ બોય’ તરીકે ઓળખે છે. દેશમાં એક શંકર ગાય (ક્રોસ બ્રિડ) સરેરાશ પ્રતિ દિવસ 7.4 લિટર દૂધ આપે છે. ગુજરાતમાં એક શંકર ગાય સરેરાશ પ્રતિ દિવસ 8.05 લિટર દૂધ આપે છે પણ સુરત જિલ્લાનાં મહુવા તાલુકામાં એક શંકર ગાય પ્રતિ દિવસ 11.3 લિટર દૂધ આપે છે. મહુવા તાલુકાનાં ગામડાઓમાં હજ્જારો પશુપાલકોની…

Read More

(G.N.S) Dt. 3 ગાંધીનગર, • આઇ.ટી ઔદ્યોગિક એકમોને અત્યાર સુધીમાં કુલ રૂ. ૨૦૦ કરોડથી વધુ રકમની સહાય• ગ્રામપંચાયતોમાં ૧૦૦ ટકા કનેક્ટિવિટી અને ૯૫ ટકા કરતાં વધુ નેટવર્ક અપટાઇમ સાથે ગુજરાત અગ્રેસર•ભારતનેટ ફેઝ-૨ અંતર્ગત ગામડાઓ સુધી પહોંચી ૩૨૧ જેટલી ડિજિટલ સેવાઓ• રાજ્યમાં ભૂકંપ સામે અર્લી વોર્નિંગ અને સંશોધન માટે કુલ ૧૧૦ સિસ્મિક નેટવર્ક સ્ટેશનોની સ્થાપના આજના ડિજિટલ યુગમાં વિજ્ઞાન આધારિત વિચારસરણી, નવીનતા અને ટેક્નોલોજી સંચાલિત શાસન પ્રગતિના મુખ્ય સ્તંભ બન્યા છે. આ પરિપ્રેક્ષ્યમાં એ રાજ્યની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બને છે, જ્યાં સંશોધન, IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇ-ગવર્નન્સના સંકલન દ્વારા નાગરિકોને ઝડપી, પારદર્શક અને કાર્યક્ષમ સેવાઓ પ્રદાન કરવામાં આવે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના…

Read More

(જી.એન.એસ) તા. 3 નવી દિલ્હી/પટના, ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે 16 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે 9 ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન બિહારથી ચૂંટણી લડશે. બિહારથી, પાર્ટીએ નીતિન નવીન અને શિવેશ કુમારને મેદાનમાં ઉતાર્યા છે. આસામમાં, ભાજપે તેરાશ ગોવાલા અને જોગેન મોહનને, જ્યારે છત્તીસગઢમાં તેણે લક્ષ્મી વર્માને પોતાના ઉમેદવાર તરીકે નામ આપ્યું છે. હરિયાણાથી, પાર્ટીએ સંજય ભાટિયાને પસંદ કર્યા છે. ઓડિશામાં, ભાજપે સુજીત કુમાર સાથે રાજ્ય એકમના વડા મનમોહન સમાલને નામાંકિત કર્યા છે. પશ્ચિમ બંગાળથી, પાર્ટીએ રાહુલ સિંહાને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યસભાની ચૂંટણી 16 માર્ચે યોજાવાની છે. ભાજપના રાજ્યસભાના ઉમેદવારો વિશે સંજય ભાટિયાએ 2019 થી 2024…

Read More

ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા હસ્તે રૂ.૨૫૦ લાખના ખર્ચે કુતાણા ગામે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ (G.N.S Dt. 03 સાવરકુંડલા, આ નવો બ્રિજ બનવાથી ખારી નદી ઉપર બનાવથી કુતાણા,ભોરીગડા,ખારા ગામો તેમજ ગારીયાધાર તાલુકા ને જોડતો બ્રીજ લોકોની સુવિધામાં થશે વધારો વિકાસની મજબૂત કડી: ખારી નદી ઉપર આધુનિક બ્રિજનું ખાતમુહૂર્ત ચોમાસાની મુશ્કેલીઓનો અંત – કુતાણા ગામે નવા બ્રિજથી મળશે રાહત સાવરકુંડલા લીલીયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા હસ્તે કુતાણા ગામ ખાતે ખારી નદી ઉપર અંદાજિત ₹૨૫૦ લાખના ખર્ચે બનનારા નવા બ્રિજના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત વિધિવત રીતે યોજાયું. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના શુભારંભથી ગામ તથા આસપાસના વિસ્તારોના વિકાસને નવી દિશા મળશે. ખારી નદી પર…

Read More

(જી.એન.એસ) તા. 3 ઇસ્લામાબાદ, પહેલગામ આતંકવાદી હુમલા પછી ઓપરેશન સિંદૂરની સફળતાના મહિનાઓ પછી, પાકિસ્તાનના ડરી ગયેલા રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ દાવો કર્યો હતો કે નવી દિલ્હી “તેમના દેશ સામે બીજા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.” જોકે, ઝરદારીએ નવી દિલ્હીને પાછળ હટવા અને વાટાઘાટોના મુદ્દાઓ પર પાછા ફરવા વિનંતી કરી. ભારતના નેતાઓ કહે છે કે તેઓ બીજા યુદ્ધની તૈયારી કરી રહ્યા છે: ઝરદારી”ભારતના નેતાઓ કહે છે કે તેઓ બીજા યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. પ્રાદેશિક શાંતિના આજીવન હિમાયતી તરીકે, હું તેની ભલામણ કરીશ નહીં,” સોમવારે વિપક્ષના વિરોધ વચ્ચે સંસદની સંયુક્ત બેઠકને સંબોધતા ઝરદારીએ કહ્યું. “તેમને (ભારતને) મારો સંદેશ એ છે કે…

Read More

(G.N.S) Dt. 3 ગાંધીનગર, રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા અર્થે લોકભવન ખાતે બેઠક યોજાઈ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યકક્ષાની બેઠક યોજાઈ હતી. પ્રાકૃતિક ખેતીને સમયની સૌથી મોટી જરૂરિયાત ગણાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, રાસાયણિક ખેતીના કારણે આજે માનવ સ્વાસ્થ્ય, જમીન, પાણી અને પર્યાવરણ પર ગંભીર અસર પડી છે. મોટી સંખ્યામાં લોકો વિવિધ રોગોથી પીડાઈ રહ્યા છે, જમીનની ઉત્પાદકતા ઘટી રહી છે તેમજ પાણી અને હવા પણ પ્રદૂષિત થઈ રહ્યા છે. આવા સમયમાં પ્રાકૃતિક ખેતી…

Read More