Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૨૩/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૩/૦૪/૨૦૨૬)
- કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પેટ્રોલિયમ ઉત્પાદનનો પૂરતો જથ્થો, ડ્રાઈ આઉટનો કોઈ બનાવ નથી: શ્રી સંજીબ કુમાર બેહરા
- રાજ્યમાં પ્રચંડ ગરમી – હીટવેવ સામે સાવચેતી રાખવા નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ
- નીતિશ કુમારે JDU રાષ્ટ્રીય ટીમ બનાવી; સંજય ઝા કાર્યકારી પ્રમુખ રહ્યા, 12 રાષ્ટ્રીય મહાસચિવો અને 8 સચિવોની નિમણૂક
- શેરી નાટકોના માધ્યમથી અમદાવાદ ગ્રામ્યના ગામોમાં ગુંજ્યો લોકશાહીનો સંદેશ: શાળાઓ દ્વારા મતદાન જાગૃતિનો અનેરો પ્રયાસ
- વિધાનસભા ચૂંટણી પહેલા તમિલનાડુ અને બંગાળમાં ચૂંટણી પંચે જપ્ત કરેલા રૂપિયા 1,000 કરોડને વટાવી ગયા
- અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારતીય ધ્વજવંદન ટેન્કર ‘દેશ ગરીમા’ મુંબઈ પહોંચ્યું
- ડ્રુઝબા પાઇપલાઇનથી યુરોપમાં રશિયન તેલનો પ્રવાહ ફરી શરૂ થયો, જેનાથી કિવ માટે EU લોન બંધ થઈ ગઈ
- પ્રસ્તાવ પસાર થયા પછી કેનેડા પ્રાંતમાં ફરિયાદ સેવાને સમર્પિત નફરત ગુના એકમ ફળવાશે
- નાણાકીય તપાસ વચ્ચે નેપાળના ગૃહમંત્રી સુધન ગુરુંગે રાજીનામું આપ્યું
- ‘હું ટ્રોફી જીતવા માટે રમું છું’: આ વર્ષે પંજાબ કિંગ્સ માટે IPLનો મહિમા દર્શાવવા અંગે શ્રેયસ ઐય્યર
Author: dhrumit
(જી.એન.એસ) તા. 24 દાવોસ, દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2025 માં ભારતીય પેવેલિયનમાં “ભારતની વોશ ઇનોવેશન: ડ્રાઇવિંગ ગ્લોબલ ઇમ્પેક્ટ ઇન ક્લાઇમેટ એન્ડ વોટર સસ્ટેઇનેબિલિટી” શીર્ષક હેઠળ વૈશ્વિક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિશન દ્વારા અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓને પ્રદર્શિત કરવાની પૃષ્ઠભૂમિમાં આયોજિત આ હાઈ-પ્રોફાઇલ સત્રમાં જળ, સ્વચ્છતા અને સ્વચ્છતા (WASH)માં ભારતની પરિવર્તનકારી સિદ્ધિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં વૈશ્વિક આબોહવા સ્થિતિસ્થાપકતા અને સાતત્યપૂર્ણ વિકાસમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જલ શક્તિ મંત્રી કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટિલે સ્વચ્છ ભારત મિશન (એસબીએમ) અને જલ જીવન મિશન (જેજેએમ)ના અમલીકરણમાં ભારતની સફરને પ્રસ્તુત કરીને મુખ્ય સંબોધન કર્યું હતું. આ પહેલ સ્વચ્છતા કવરેજને સુધારવા અને લાખો ગ્રામીણ ઘરોને પીવાનું શુધ્ધ પાણી પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ…
(જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી/ગાંધીનગર, સમગ્ર ભારત દેશ આ વર્ષે 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી માટે થનગની રહ્યો છે. આ ઉજવણીને ભવ્ય બનાવવા માટે સરકારે પણ કમર કસી છે. આ ઉજવણીને સામાન્ય લોકો સુધી પંહોચાડવા માટે સરકાર દ્વારા આ વર્ષે દેશભરમાંથી વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓને રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનને માન આપવા માટે નવી દિલ્હીનાં કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મહેમાનો પોતપોતાના ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનારા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા છે અને સ્વર્ણિમ ભારતનાં શિલ્પી છે. આ મહેમાનો પોતાની સાથે પરિવારનાં એક સભ્યને પણ લઈ જઈ શકશે. જેમાં ગુજરાતમાંથી 150થી વધુ લોકોને આ આમંત્રણ મળ્યું છે. પરેડ…
(જી.એન.એસ) તા. 24 અમદાવાદ, ભારત સરકારના ગૃહ મંત્રાલય તેમજ યુવા બાબતો અને ખેલ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નહેરુ યુવા કેન્દ્ર – માય ભારત અમદાવાદ દ્વારા 16મ આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાયો. તારીખ 18 જાન્યુઆરી, 2025થી 24 જાન્યુઆરી, 2025 સુધી આયોજિત આ કાર્યક્રમ ગુજરાત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે યોજાયો. કેમ્પ આયોજકો દ્વારા ઓડિશા અને છત્તીસગઢથી આવેલા 200 આદિવાસી ભાઈ-બહેનો અને તેમને અહીંયા લઇને આવેલા 20 એસ્કોર્ટ માટે તારીખ 18 જાન્યુઆરી, 2025થી 23 જાન્યુઆરી, 2025 સુધી વિવિધ શૈક્ષણિક અને અનુભવ શિક્ષણ આધારિત ફિલ્ડ – એક્સપોઝર મુલાકાતો અંગેના સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રતિભાગી યુવાનો માટે ભાષણ સ્પર્ધા, યુવા મોક સંસદ અને સાંસ્કૃતિક સમૂહ લોક નૃત્ય જેવી સ્પર્ધાઓનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે…
(જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ શ્રી માઈકલ માર્ટિનને આયર્લેન્ડના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા. X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:- “આયર્લેન્ડના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળવા બદલ @MichealMartinTD ને અભિનંદન. સહિયારા મૂલ્યોના મજબૂત પાયા અને લોકોથી લોકો સુધીના ઊંડા જોડાણ પર આધારિત આપણી દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.”
(જી.એન.એસ) તા. 24 સમસ્તીપુર, બિહારના સમસ્તીપુરમાં શ્રી કર્પૂરી ઠાકુરની 101મી જન્મ જયંતિ પર આયોજિત સ્મારક કાર્યક્રમને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, “ભારતના મહાન સપૂત શ્રી કર્પૂરી ઠાકુર સામાજિક ન્યાયના મસીહા છે. શ્રી કર્પૂરી ઠાકુરે ઘણાં જ ઓછા સમયમાં સામાજિક અને રાજકીય પરિવર્તનનો નવો ઇતિહાસ લખ્યો હતો. તેમણે સદીઓ જૂની જડતાને તોડી નાખી અને એક વિશાળ જનસંખ્યા માટે અપાર સંભાવનાઓના દ્વાર ખોલ્યા હતા. તેઓ એવા મહાન માણસ હતા જેમણે સમાનતાના નવા યુગની શરૂઆત કરી હતી. તેમણે પોતાનું જીવન સમાજના હાંસિયા પર રહેલા લોકોને સમર્પિત કરી દીધું, જેમની અવગણના બધાંએ કરી હતી.” ઉપરાષ્ટ્રપતિએ શ્રી કર્પૂરી ઠાકુરના અનુકરણીય ચરિત્ર પર પ્રકાશ પાડતા વધુમાં જણાવ્યું હતું કે, “આદર્શ વ્યક્તિત્વ શું છે તે સમજવા માટે આપણે શ્રી કર્પૂરી ઠાકુરના જીવન તરફ જોવું જોઈએ. તેમનું બલિદાન, તેમનું સમર્પણ અને કેવી રીતે તેમણે ક્યારેય રાજવંશીય રાજકારણને પ્રોત્સાહન આપ્યું નથી. તેઓ એક રાષ્ટ્રીય નેતા હતા, જેઓ જાતિ, ધર્મ અને વર્ગથી ઉપર ઉઠીને સમાનતા પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા અને વિકાસને પ્રોત્સાહન આપતા હતા. ભારત રત્ન કર્પૂરી ઠાકુરે સામાજિક ન્યાયને આગળ વધારીને દેશ પર એક અલગ છાપ છોડી હતી. મુશ્કેલ અને પડકારજનક વાતાવરણમાં તેમણે કોલેજનું શિક્ષણ પૂરું કર્યું. એક એવી વ્યક્તિ જેમણે ક્યારેય કોઈ સંપત્તિ એકઠી કરી નથી અને પોતાનું આખું જીવન લોકોને સમર્પિત કરી દીધું છે.” શ્રી કર્પૂરી ઠાકુરની દૂરંદેશીપણા પર પ્રકાશ પાડતા શ્રી ધનખરે કહ્યું હતું કે, “કર્પૂરી ઠાકુર ‘સ્ટેટ્સમેન’ હતા. તેમણે વર્તમાન અને ભવિષ્ય બંને વિશે વિચાર્યું. તેમણે વિરોધની પરવા કર્યા વિના અનામતનો અમલ કર્યો. આ એક નવું પ્રકરણ હતું. માનનીય કૃષિપ્રધાને ઉલ્લેખ કર્યો તે મુજબ, તેમણે અંગ્રેજીની અનિવાર્યતાને સમાપ્ત કરી અને સરકારી કચેરીઓમાં હિન્દીના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું. તેના માટે તેમને ઉપહાસનો સામનો કરવો પડ્યો હતો. હવે આપણને સમજાય છે કે તેઓ કેટલા દૂરદર્શી હતા. તેઓ દેશના પ્રથમ એવા મુખ્યમંત્રી હતા જેમણે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને રાજ્યમાં મેટ્રિક સુધીના શાળાકીય શિક્ષણને મફત બનાવનારા તેઓ પ્રથમ મુખ્યમંત્રી હતા.” આ પ્રસંગે બિહારના રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાન, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ ડો.હરિવંશ, ભારત સરકારના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શ્રી રામનાથ ઠાકુર, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી ભગીરથ ચૌધરી, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાય અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, ૭૬માં પ્રજાસત્તાક દિવસ, ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે ૧૮ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે પેથોલોજીકલ લેબોરેટોરીના પ્રાથમિક જરૂરી CBR ટેસ્ટ નિ:શુલ્ક કરાવાનું તેમજ આરોગ્યલક્ષી જાગૃતિ કેળવવા પ્રશિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્યક્રમનો લાભ જિલ્લાની મહત્તમ બહેનોને મળે તે હેતુથી વધુમાં વધુ લોકોને આ બાબતે જાણ કરી, કાર્યક્રમ સફળ બનાવવાના ભાગરૂપે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગર શાખા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગર શાખાના સહયોગથી આ આયોજન તા. 26 જાન્યુઆરીના દિવસે સવારે 9:45 કલાકે પથિકાશ્રમ નિલાયા, એસ.ટી બસ સ્ટેન્ડ પાસે,ઘ-૩ સર્કલ સેક્ટર -11 ખાતે રાખવામાં આવ્યો છે. મહિલાઓ…
(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું રિહર્સલ કલેકટરશ્રી મેહુલ કે.દવેની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં કલેકટરશ્રીએ જિલ્લામાં મંત્રીશ્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, ઉદબોધન, સહિતનાં આયોજનોનું રિહર્સલ નિહાળી નિરીક્ષણ કર્યું હતું. ૭૬મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સેક્ટર- ૧૧, રામકથા મેદાન ,ગાંધીનગર ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાનાર છે. કલેકટરશ્રીએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોજાનાર પરેડ સાથે સાથે જિલ્લાની વિવિધ શાળાના 300 થી વધુ બાળકો દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો, જિલ્લાના વિવિધ ખાતાઓ દ્વારા તૈયાર કરેલા ટેબ્લો તથા હોર્સ અને ડોગ…
(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર/અમદાવાદ, બે વર્ષમાં પર્યટકોની સંખ્યા; સૌથી વધુ વાઈબ્રેન્ટ નવરાત્રી મહોત્સવમાં ૨૩.૧૨ લાખ જેટલા પર્યટકો; રણોત્સવમાં અત્યાર સુધીમાં કુલ ૧૭.૮૩ લાખથી વધુ પર્યટકોએ મુલાકાત લીધી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ૯.૨૯ લાખ, સાપુતારા મેઘ મલ્હાર ફેસ્ટીવલમાં ૦૫ લાખ તેમજ તરણેત્તર મેળામાં ૦૪ લાખથી વધુ પ્રવાસીઓ પર્યટન એ પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણવાની સાથે સાથે દેશની સંસ્કૃતિ, ઈતિહાસ અને પરંપરાઓને સમજવાનો અને જાણવાનો શ્રેષ્ઠ માર્ગ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને પ્રવાસન ક્ષેત્રને વેગવાન બનાવવા અથાગ પ્રત્યન કર્યા હતા. ગુજરાતમાં વાયબ્રન્ટ નવરાત્રી, ધોરડો રણોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, સાપુતારા મેઘ મલ્હાર, તરણેત્તર મેળો, માધવપુર મેળો, કાંકરિયા કાર્નિવલ જેવા…
(જી.એન.એસ) તા. 24 અમદાવાદ, ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0ની ગ્રાન્ડ ફિનાલેની કલોઝિંગ સેરેમની યોજાઈ હતી. કાર્યક્રમમાં સ્પર્ધાના વિજેતાઓને કેશ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધામાં દેશભરના STEM ક્ષેત્રના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અગ્ર સચિવ સુશ્રી મોના ખંધારે જણાવ્યું હતું કે, આ વર્ષે સ્પર્ધાની ચોથી આવૃત્તિ યોજાઈ છે. આવનારા સમયમાં આ સ્પર્ધાને વધુ ચેલેંજીંગ અને વધુ પડકારોથી સજ્જ બનાવવામાં આવશે. વધુમાં વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, આ સ્પર્ધાના નિયમો ગ્લોબલ લેવલની સ્પર્ધાઓ માટે તૈયાર બને એવા બનાવવામાં આવશે. MSME…
(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, નળ સરોવર પક્ષી અભ્યારણમાં તા ૨૫ અને ૨૬ જાન્યુઆરી’ ૨૦૨૫ના રોજ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાનાર છે. અંદાજે ૧૦૦ જેટલા પક્ષીવિદો, તજજ્ઞો અને સ્વયં સેવકો ૪૬ ઝોન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરીમાં જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈકોલોજિકલ ઝોન સહિત કુલ ૧૨૦.૮૨ સ્ક્વેર કિ.મી વિસ્તારમાં પક્ષી ગણતરી કરાશે. વન્ય પ્રાણી સંરક્ષણ ધારા- ૧૯૭૨ની કલમ-૨૮ તથા ૩૩ થી મળેલ સત્તાથી આ બે દિવસ દરમિયાન નળ સરોવર પક્ષી અભ્યારણમાં પ્રવાસીઓ માટે ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત રાજ્ય દ્વારા જહેરનામાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ બે દિવસ દરમિયાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનિક…
