Author: devarshi

(જી.એન.એસ) તા. 4 અમદાવાદ, શહેરના વાડજ વિસ્તારમાંથી એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં, એક વ્યક્તિ દ્વારા પોતાની કંપનીમાં રોકાણ કરાવી વધુ નફો અને ફાયદો આપાવવાની લાલચે પોતાનાં જ સગા-સંબંધી, મિત્રો અને પરિચિતો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનારા સામે ફરિયાદ થતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. વાડજ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર, આરોપી ડેનિસ મકવાણા છેલ્લા દોઢ વર્ષથી રાણીપ વિસ્તારમાં આર્વેદ પ્લાઝા ખાતે ફીનકેપ-24 નામની કંપનીની ઓફિસ ધરાવતો હતો. તેના દ્વારા પોતાનાં સગા-સંબંધીઓ અને મિત્રોને વધુ નફો અને વળતરની લાલચ આપીને પોતાની કંપનીમાં રોકાણ કરાવતો હતો. જો કે, રોકાણ કર્યાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ ડેનિસે નફો કે મૂડી પરત…

Read More

(જી.એન.એસ) તા. 4 નવી દિલ્હી, ભારતીય મહેસૂલ સેવા (78મી બેચ)ના અધિકારી તાલીમાર્થીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય મહેસૂલ સેવાના અધિકારીઓનું કામ શાસન અને કલ્યાણ માટે સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાંનું એક છે. તેમણે ગતિશીલ અર્થતંત્ર માટે કરના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય મહેસૂલ સેવાના અધિકારીઓ તરીકે, તેઓ તે સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કે આ આવશ્યક સંસાધનને ન્યાયી, અસરકારક અને પારદર્શક રીતે એકત્રિત કરવામાં આવે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણો માળખાગત વિકાસ થઈ રહ્યો છે, ડિજિટલ કનેક્ટિવિટી અંતરને દૂર કરી રહી છે અને આર્થિક તકો પહેલા કરતાં…

Read More

કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલ અને શ્રીમતી અનુપ્રિયા પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે (જી.એન.એસ) તા. 4 નવી દિલ્હી, પાયાના સ્તરે લિંગ-સંવેદનશીલ શાસનને આગળ વધારવા માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, પંચાયતી રાજ મંત્રાલય નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આજે રાષ્ટ્રીય અધિવેશનમાં મોડેલ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયતો (એમડબ્લ્યુએફપી) વિકસાવવા માટે તેની પરિવર્તનશીલ પહેલનો પ્રારંભ કરશે. આ કાર્યક્રમ મંત્રાલયના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 ની ઉજવણીનો એક ભાગ છે અને તે ગ્રામીણ શાસન પર કાયમી અસર કરશે. દેશભરની ગ્રામ પંચાયતોમાં મહિલાઓ અને છોકરીઓ માટે સલામતી, સર્વસમાવેશકતા અને લિંગ સમાનતાને સુનિશ્ચિત કરશે. આ સંમેલનમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલ, પંચાયતી રાજ અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય તથા રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ, સ્વાસ્થ્ય…

Read More

(જી.એન.એસ) તા. 4 મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે માહિતી આપી હતી કે, રાજ્ય સરકારમાં મંત્રી અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા ધનંજય મુંડેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ધનંજય મુંડેના પીએ પ્રશાંત જોશી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા અને મુંડેનું રાજીનામું તેમને સોંપ્યું છે. ફડણવીસે કહ્યું કે મુંડેએ મને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. મેં તેને સ્વીકારી લીધું છે અને રાજ્યપાલને મોકલી દીધું છે. આ મામલે એક દિવસ અગાઉ મોડી રાત્રે ડેપ્યુટી સીએમ અજિત પવારના નિવાસસ્થાન દેવગીરી ખાતે એનસીપીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધનંજય મુંડે પણ હાજર હતા. આ સમય દરમિયાન…

Read More

(જી.એન.એસ) તા. 4 નવી દિલ્હી, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશના ચંબા અને કુલ્લુમાં છેલ્લા 48 કલાકમાં હળવી હિમવર્ષા થયા બાદ હવામાન વિભાગે 24 કલાક માટે હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. લાહૌલ-સ્પીતિ અને કિન્નૌરમાં ભારે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે. તેથી પોલીસે સંવેદનશીલ વિસ્તારોથી દૂર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. છેલ્લા કેટલાક દિવસોમાં હિમવર્ષા અને વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરને કારણે રાજ્યના રસ્તાઓ હજુ પણ બંધ છે. હિમાચલ બોર્ડની પરીક્ષાઓ પણ શનિવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ હવામાનની અસર ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં જોવા મળશે, પરંતુ રાજસ્થાનમાં આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3…

Read More

(જી.એન.એસ) તા. 4 ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ મંગળવાર 4 માર્ચના ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA) ફાઉન્ડેશન કોર્સ જાન્યુઆરી 2025 ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષા આપનારા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ icai.nic.in પર ICAI CA ફાઉન્ડેશનનું પરિણામ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા ​​CA ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓના પરિણામો જાહેર કર્યા છે. જાન્યુઆરી 2025 માં ICAI CA ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ પરીક્ષા આપનારા ICAI CA ઉમેદવારો icai.org અને icai.nic.in પર તેમના પરિણામો ચકાસી શકે છે. આઇસીએઆઇ ઉમેદવારોએ સ્કોરકાર્ડ જોવા માટે તેમના નોંધણી નંબર, જન્મ તારીખ અને કેપ્ચા કોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ…

Read More

અમેરિકા પર ચીન દ્વારા લગાવવામાં આવેલ ટેરિફ 10 માર્ચથી લાગુ થશે (જી.એન.એસ) તા. 4 બીજીંગ, અમેરિકા દ્વારા ચીન પર 20 ટકા ટેરિફ લગાવ્યા બાદ ચીને પણ અમેરિકા પર જવાબી કાર્યવાહીમાં અમેરિકન પ્રોડક્ટ્સ પર 10થી 15 ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ ટેરિફ 10 માર્ચ, 2025થી લાગુ થશે. ચીને વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન સમક્ષ ટ્રમ્પની ટેરિફ નીતિ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. ચીનના નાણા મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી. આ મામલે ચીનના નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘આ ટેરિફ અમેરિકામાંથી આયાત થતાં ઘઉં, મકાઈ, કપાસ સહિત ટોચની અમેરિકન પ્રોડક્ટ્સ પર લાગુ થશે. આ નિર્ણયથી વિશ્વની બે ટોચની અર્થવ્યવસ્થા વચ્ચે…

Read More

(જી.એન.એસ) તા. 4 અમેરિકાની એક હોસ્પિટલમાં 67 વર્ષીય ભારતીય મૂળ ની નર્સ લીલામ્મા લાલ પર નફરતના ગુનામાં હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આરોપી સ્ટીફન સ્કેન્ટલબરીએ નર્સ લીલામ્મા લાલ પર હુમલો કરી તેના ભારતીય હોવા અંગે ટિપ્પણીઓ પણ કરી હતી. આ જીવલેણ હુમલામાં નર્સને ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલો થયાના થોડા કલાકો બાદ, પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તે શર્ટલેસ અને જૂતા વગરનો મળી આવ્યો હતો. સ્કેન્ટલબરી પર બીજા ડિગ્રી હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો છે, તેમજ નફરતના ગુનામાં વધારો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હુમલાની આ ઘટના બાદ…

Read More

(જી.એન.એસ) તા. 4 મેનહેમ, જર્મનીના મેનહેમ શહેરમાં કાર્નિવલ માં એક ગાડી પૂર ઝડપે ભીડની વચ્ચે ઘૂસી જતાં એક વ્યક્તિનું મોત થયું અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને તેને આતંકવાદી હુમલાની શક્યતા તરીકે પણ તપાસી રહી છે, જોકે હજુ સુધી આ બાબતે કોઈ સ્પષ્ટતા થઈ નથી. સ્થળ પર હાજર બચાવ કાર્યકરો ઘાયલોને CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) આપતા જોવા મળ્યા, જે આ ઘટનાની ગંભીરતા દર્શાવે છે. સ્થાનિક મીડિયા સૂત્રો અનુસાર, આ દુર્ઘટના એક કાળા રંગની કાર દ્વારા ભીડને નિશાન બનાવવાથી ઘટી હતી. ઘટના બાદ તાત્કાલિક મોટી સંખ્યામાં પોલીસ અને બચાવ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.…

Read More

(જી.એન.એસ) તા. 4 વોશિંગ્ટન, ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા હતા જેમાં, મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર 25% ટેરિફ મંગળવાર (ચોથી માર્ચ)થી લાગુ કરાશે. આ ઉપરાંત તેમણે ચેતવણી આપી હતી કે આ દેશ પાસે હવે અમેરિકન વેપાર કાર્યવાહીથી બચવા માટે કોઈ રસ્તો બચ્યો નથી. આ જાહેરાત બાદ એક મહિના માટે ટેરિફ અગાઉ બંધ કરવામાં આવ્યા હતા, જેનાથી કેનેડા અને મેક્સિકો સાથે રાજદ્વારી વાટાઘાટો માટે જગ્યા મળી. ડોનાલ્ડ ટ્રમ્પે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,’ચોથી માર્ચથી કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ લાદવામાં આવશે. તે પહેલાથી જ શરૂ થઈ ગયું છે.’ આ ઉપરાંત…

Read More