Author: devarshi

(જી.એન.એસ) તા. 5 સર્બિયન સંસદમાં ભારે હોબાળો થયો છે જેમાં વિપક્ષી સાંસદો દ્વારા સંસદની અંદર ગ્રેનેડ અને ટીયર ગેસના શેલ ફેંક્યા, જેના કારણે સંસદમાં અરાજકતા ફેલાઈ ગઈ. સરકારી નીતિઓના વિરોધમાં ગ્રેનેડ અને ટીયર ગેસના શેલ ફેંકવામાં આવ્યા હતા. વિપક્ષી સાંસદો વિદ્યાર્થીઓના સમર્થનમાં હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંસદ પરિસરમાં હાજર કેટલાક સભ્યોએ સ્મોક ગ્રેનેડ અને ટીયર ગેસના શેલ ફેંક્યા. સંસદની કાર્યવાહી લાઈવ ચાલી રહી હતી, તે દરમિયાન સંસદની અંદરથી કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો. એવું લાગતું હતું કે સર્બિયન સંસદમાં ભીષણ આગ લાગી ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, લગભગ ચાર મહિના પહેલા,…

Read More

ઇફ્તાર પછી તરત જ આતંકવાદીઓ દ્વારા બન્નુ કેન્ટના સુરક્ષા બેરિયર પર હુમલો કરવામાં આવ્યો (જી.એન.એસ) તા. 5 ખૈબર પખ્તુનખ્વા, પાકિસ્તાનમાં ફરી એકવાર શાંતિ ભંગ થઈ હોય તેવી ઘટના બની હતી જેમાં, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બન્નુ કેન્ટોનમેન્ટની બહાર બે મોટા બોમ્બ વિસ્ફોટ થયા છે. વિસ્ફોટો પછી, વિસ્તારમાં ભારે ગોળીબાર અને સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર છે. તેને પૂર્વ આયોજિત આતંકવાદી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. આ ઘટના અંગે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને 35 ઘાયલ થયા છે. આ હુમલા પાછળ જૈશ ઉલ ફુરસાનનો હાથ હોવાનું…

Read More

ટેરિફ મુદ્દે ચીન નો અમેરિકાને વળતો જવાબ ચીન દ્વારા અમેરીકા વિરુદ્ધ ડબલ્યુટીઓમાં જવાની પણ તૈયારી  (જી.એન.એસ) તા. 5 બીજીંગ, બીજીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા જેમાં થી એક હતું ટેરિફ નો વધારો. કેનેડા અને મેક્સિકો પર ૨૫ ટકા તેમજ ચીન પર વધારાના ૧૦ ટકા સહિત કુલ ૨૦ ટકા ટેરિફ લાદવાના ટ્રમ્પના આદેશનો અમલ મંગળવારને ૪ માર્ચથી શરૂ થઈ ગયો છે ત્યારે હવે ચીને પણ વળતો જવાબ આપવાની જાહેરાત કરી છે. ચીને મંગળવારે અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર વધારાનો ૧૫ ટકા તેમજ અન્ય કેટલાક સામાન પર ૧૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી…

Read More

ગત્ વર્ષથી શરૂ થયેલ “નમો શ્રી” યોજના અંતર્ગત અત્યારસુધીમાં કુલ ૬.૨૫ લાખ લાભાર્થીઓને (ટોટલ ૩ હપ્તાની) રૂ.૧૫૧.૫૪ કરોડની નાણાકીય સહાય DBT  દ્વારા ચૂકવાઇ (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, રાજ્યમાં ગત્ વર્ષથી શરૂ થયેલ “નમો શ્રી” યોજના અંતર્ગત અત્યારસુધીમાં કુલ ૬.૨૫ લાખ લાભાર્થીઓને (ટોટલ ૩ હપ્તાની) રૂ.૧૫૧.૫૪ કરોડની નાણાકીય સહાય DBT દ્વારા ચૂકવાઇ MMR માટે એનિમિયા, ચેપ, પોસ્ટ પાર્ટમ હેમરેજ (PPH-પ્રસુતિ બાદ રક્તસ્ત્રાવ) , (APH-પ્રસુતિ પહેલા રક્તસ્ત્રાવ), પ્રિ-એક્લેમ્પ્સિયા (ગર્ભાવસ્થા દરમિયાન લોહીના ઉંચા દબાણના કારણે આવતી ખેંચ), સિકલ સેલ એનિમિયા જેવા કારણો જવાબદાર છે • IMR માટે નવજાત શીશુને જન્મ સમયે શ્વાસોશ્વાસની તકલીફ, જન્મ જાત ખોડખાંપણ, ચેપ લાગવો, કમળો, જન્મ સમયે ગર્ભનું…

Read More

પોરબંદર જિલ્લામાં ગાંધી કોરિડોરના વિકાસ માટે વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં વિશેષ જોગવાઈ કરાઈ: પ્રવાસન મંત્રીશ્રી (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યમાં પ્રવાસનના વિકાસ અંગેની વિગતો આપતાં પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું કે દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ખુશ્બૂ ગુજરાત કી…’ જેવા કેમ્પેઇન દ્વારા દેશવિદેશથી પ્રવાસીઓ ગુજરાત આવતાં થયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. જે મુજબ ગત વર્ષે દેશ-વિદેશના કુલ આશરે ૧૮ કરોડથી વધારે પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી. બરડા ડુંગર સર્કિટના વિકાસ અંગેની વિગતો આપતાં મંત્રીશ્રી બેરાએ જણાવ્યું કે બરડા સર્કિટમાં આવેલાં નવલખા સૂર્ય મંદિર,…

Read More

એક મહિનાથી ઘર વિહોણા થયેલા અસ્થિર મગજના બહેનને મળ્યો સખી વન સ્ટોપ સેન્ટરનો સહયોગ (જી.એન.એસ) તા. 4 અમદાવાદ, ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ હેઠળ પુરસ્કૃત અને અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળના સખી વન સ્ટોપ સેન્ટરમાં 181 હેલ્પલાઈન દ્વારા ચાલતા સખી વન સ્ટોપ સેન્ટરમાં અસ્થિર મગજના મહિલા કમળાબહેનને(નામ બદલેલું છે.) આશ્રય માટે મુકવામાં આવ્યા હતા. કમળાબહેન સોલા સખી વન સ્ટોપ સેન્ટરમાં આવ્યા ત્યારે તેમણે પોતાના વિશે કોઈપણ પ્રકારની માહિતી આપી ન હતી. ધીમે ધીમે સોલા સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા કમળાબહેન માટે ઘર જેવો માહોલ બનાવવામાં આવ્યો હતો. બહેને ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફને તેમના…

Read More

અમદાવાદ સિવિલ મેડિસીટી માસ્ટરપ્લાન અંતર્ગત અત્યારસુધીમાં કુલ રૂ. ૩૪૬૦ કરોડના ખર્ચે અત્યાધુનિક સેવા-સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ :- આરોગ્યમંત્રીશ્રી (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર/અમદાવાદ, આ જગ્યાએ O.P.D. બિલ્ડીંગ, ૯૦૦ પથારીની નવી જનરલ હોસ્પિટલ, ૫૦૦ પથારીની ઈન્ફેશ્યસ ડીસીઝ (ચેપીરોગના દર્દીઓ) માટે નવીન હોસ્પિટલ બાંધવામાં આવશે છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂ. ૨૩૬.૫૦ કરોડની રકમ તબક્કાવાર કામગીરી માટે ફાળવવામાં આવી શું સુવિધાઓ ઉપલબ્ઘ થશે નવીન હોસ્પિટલમાં:- • ૫૫૫ ફોર વ્હીલર્સ અને ૧૦૦૦ ટુ વ્હીલર્સની ક્ષમતા ધરાવતું પાર્કીંગ • ચેપી રોગની અલાયદી O.P.D. • ઓપરેશન થીયેટર તથા ૧૧૫ બેડ જેમાં ૧૫ બેડ ટી.બી I.C.U બેડ • ૩૦૦ I.C.U બેડ પૈકી ચેપી રોગના ૩૨ I.C.U • ૬૦ આઇસોલેશન…

Read More

(જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલય હેઠળની અગ્રણી સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT), ગાંધીનગર દ્વારા તેમના ગાંધીનગર કેમ્પસમાં 6 થી 8 માર્ચ, 2025 દરમિયાન ઇમર્સિવ હેન્ડ્સ-ઓન લર્નિંગ ક્રાફ્ટ વર્કશોપનું આયોજન કરશે. આ અનોખી પહેલનો ઉદ્દેશ કુશળ કારીગરો સાથે રૂબરૂ શીખવાનો અનુભવ પ્રદાન કરીને ભારતની વિવિધ હસ્તકલા પરંપરાઓની ઉજવણી અને જાળવણી કરવાનો છે. આ વર્કશોપમાં ભુજથી લાકડાની કોતરણી, વારાણસીથી લાકડાના રમકડાં, મોલેલામાંથી માટીના ભીંતચિત્ર, ઉત્તર પ્રદેશના ટેરાકોટાના વાસણો, કચ્છથી ચામડાની ચીજવસ્તુઓ અને ભરતકામ, બનાસકાંઠાથી સુફ એમ્બ્રોડરી, મધ્યપ્રદેશમાંથી વાઘની પ્રિન્ટિંગ, છોટા ઉદેપુરથી કુદરતી રંગકામ, રાજસ્થાનના લઘુચિત્ર, અમદાવાદની માતાની પછેડી અને જયપુરથી લાખની બંગડીઓમાં વિશેષતા ધરાવતા પ્રસિદ્ધ કારીગરો સામેલ થશે. આ પારસ્પરિક કાર્યક્રમ સહભાગીઓને કુશળ કારીગરો પાસેથી સીધી પરંપરાગત તકનીકો શીખવાની દુર્લભ તક પ્રદાન કરશે. જે ટેક્સટાઇલ અને ફેશન ઉદ્યોગમાં પ્રશંસા અને નવીનતાને પ્રોત્સાહન આપશે. રસ ધરાવતા સહભાગીઓ માટે મર્યાદિત બેઠકો ₹500ની નજીવી ફી (તમામ સામગ્રી સહિત) પર ઉપલબ્ધ છે. કાર્યક્રમની વિગતો: તારીખ: 6 થી 8 માર્ચ 2025 સમય: બપોરે 2:00 થી 5:00 સ્થળ: NIFT કેમ્પસ, જીએચ-0 રોડ, ગાંધીનગર, ગુજરાત આ વર્કશોપ ભારતના કારીગર વારસાને પુનર્જીવિત કરવા અને ટકાવી રાખવા માટે NIFTના ચાલુ પ્રયાસોને અનુરૂપ છે. જેથી સુનિશ્ચિત થાય કે આ વર્ષો જૂની હસ્તકલાઓ સમકાલીન બજારોમાં સુસંગતતા મેળવે. આ પરંપરાગત કલા સ્વરૂપો સાથે જોડાવાથી, સહભાગીઓ ટકાઉ અને સ્વદેશી કારીગરીમાં મૂલ્યવાન આંતરદૃષ્ટિ મેળવશે, જે વારસા અને આધુનિક ડિઝાઇન એપ્લિકેશનો વચ્ચેના અંતરને દૂર કરશે.

Read More

સુરક્ષા એજન્સીઓ અને તકનીકી વિકાસકર્તાઓ માટે આગેવાની લેવી તે પૂરતું નથી. દરેક નાગરિકે કટોકટીના સમયે કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે જાણવું જોઈએ (જી.એન.એસ) તા. 4 નવી દિલ્હી, સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે ડીઆરડીઓ ભવન, નવી દિલ્હી ખાતે ‘આંતરિક સુરક્ષા અને આપત્તિ રાહત કામગીરીઓ માટે એડવાન્સ ટેકનોલોજીસ’ પર ગૃહ મંત્રાલય (એમએચએ) – સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) સહયોગ પરિષદ-સહ-પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. ડીઆરડીઓ હેઠળ ડિરેક્ટોરેટ ઓફ લો ઇન્ટેન્સિટી કોન્ફ્લિક્ટ (ડીએલઆઇસી) દ્વારા આયોજિત આ બે દિવસીય સંમેલનનો ઉદ્દેશ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)ના અધિકારીઓને તેમની કામગીરીમાં રહેલા પડકારોનો સામનો કરવા માટે ટેકનોલોજીમાં નવીનતમ પ્રગતિથી સજ્જ કરવાનો છે. આ કાર્યક્રમે ભારતની આંતરિક સુરક્ષા…

Read More

રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આપી મંજૂરી: આણંદ જિલ્લામાં જેલ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર/આણંદ, આણંદ જિલ્લાના બાકરોલ ખાતે ૩૭૦ કેદી ક્ષમતા સાથે રૂ.૬૪.૨૯ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલી નવી જેલને આણંદ જિલ્લા જેલ તરીકે ઘોષિત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા મંજૂર કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધી માત્ર બાકરોલ તાલુકા જેલ કાર્યરત હતી. હવે બાકરોલ ખાતે ફાળવવામાં આવેલી જમીનમાં ૩૭૦ કેદી ક્ષમતા ધરાવતી નવી જેલ બનાવવામાં આવી રહી છે. જેમાં ૩૩૦ પુરુષ કેદીઓ અને ૪૦ સ્ત્રી કેદીઓ માટે ક્ષમતા સુવિધા ઉપલબ્ધ રહેશે. જિલ્લા જેલ…

Read More