Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (14/૦5/2026)
- આજ નું પંચાંગ (14/05/2026)
- સાથી પક્ષોના દબાણ હેઠળ મુખ્યમંત્રી વિજયે રિકી રાધન પંડિત વેટ્રીવેલને તેમના OSD તરીકે દૂર કર્યા
- મહારાષ્ટ્રના બારામતીમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું
- ટ્રમ્પની નવી ધમકી વચ્ચે ઈરાનની કડક ચેતવણી
- રિક્ષામાં નજર ચૂકવી મુસાફરોના દાગીના-રોકડ ચોટી કરતી ગેંગ ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી
- અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ
- પ્રતીક યાદવ મૃત્યુ કેસ: મુલાયમ સિંહના પુત્રનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો
- કેન્દ્રીય મંત્રીમંડળે કોલસાના ગેસિફિકેશનને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૩૭,૫૦૦ કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, ડાંગરના MSPમાં રૂ. ૭૨નો વધારો કર્યો
- આસામ સરકારે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી, બિલ 26 મેના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
- એર ઇન્ડિયાએ જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડી, કેટલાક વિદેશી રૂટ સ્થગિત કર્યા
- લંડનની 70% ઓફિસો ગ્રીન ચેકમાં નિષ્ફળ ગઈ, વેસ્ટમિન્સ્ટર અને શહેરની રિયલ એસ્ટેટ કટોકટીમાં
Author: gujdesk
પાકિસ્તાનની ગોળીનો જવાબ ગોળીથી જ આપીશુ, સીઝફાયર વાર્તામાં ટ્રેડનો ઉલ્લેખ નથી (જી.એન.એસ) તા. 13 નવી દિલ્હી, ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પષ્ટ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર સંબંધિત કોઈપણ મુદ્દો ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે ઉકેલાશે, તેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા રહેશે નહીં ત્યારબાદ હવે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે, ‘પાકિસ્તાને ગેરકાયદે રીતે કબજે કરેલ કાશ્મીર (PoK)ને ખાલી કરવું પડશે. ભારત લાંબા સમયથી આ નીતિ પર ચાલી રહ્યું છે અને તેમાં કોઈપણ ફેરફાર થશે નહીં. વધુમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે 10 મેએ વાતચીત થઈ હતી, ત્યારબાદ બંને યુદ્ધવિરામ પર…
(જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પડી રહેલ કમોસમી વરસાદના કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. એવામાં કૃષિ વિભાગે નુકસાનીનો સરવે કરવા માટેનો આદેશ આપ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થવાની આશંકા છે. એવામાં પ્રાથમિક સરવે પૂરો કરીને બે દિવસમાં કૃષિ વિભાગને રીપોર્ટ સબમિટ કરવાનું જણાવવામાં આવ્યું છે. સત્રના અંત સુધીમાં રીપોર્ટ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. મળતી માહિતી મુજબ, કમોસમી…
(જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના માધવગઢ ખાતે સીઆરપીએફ ગાંધીનગરને ફાળવવામાં આવેલ જમીનમાં ફાયરિંગ રેન્જ આવેલી છે. આ ફાયરિંગ રેન્જમાં આગામી તા.૧૩ મેથી ૧૫ મે, ૨૦૨૫ સુધી કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળની ફાયરિંગ પ્રેક્ટીસ હોઈ સલામતી અને સુરક્ષાના કારણોસર ગાંધીનગર જિલ્લાના નિવાસી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ઈ/ચા અર્જુનસિંહ વણઝારા તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા આ ફાયરિંગ વિસ્તારમાં ફાયરિંગ પ્રેક્ટકલ દરમિયાનનાં દિવસોમાં સવારના ૦૬ વાગ્યાથી રાત્રીના ૧૨ વાગ્યા સુધી પ્રવેશબંધી ફરમાવી છે. ઉપરાંત ફાયરિંગ રેન્જની જવાબદારી સંભાળતી ઓથોરિટીએ સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવા પણ આ જાહેરનામાંમાં જણાવવામાં આવ્યુ છે.
(જી.એન.એસ) તા. 13 લંડન, યુકેમાં સેટલ થવા માગતા હોવ એટલે કે નાગરિકતા મેળવવા માગતા લોકો માટે એક ખૂબ મહત્વના સમાચાર આવ્યા છે જેમાં હવે યુકે તંત્ર દ્વારા નાગરિકત્વના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ ચાલી કરી દેવામાં આવી છે. યુકે પીએમ કીર સ્ટાર્મરે ટૂંક સમયમાં નવી નાગરિકતા નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હવે લોકો માટે બ્રિટિશ નાગરિકતા મેળવવી સરળ રહેશે નહીં. બ્રિટિશ સરકાર નાગરિકતા નિયમોમાં ફેરફાર કરી રહી છે. નવી નાગરિકતા નીતિ અમલમાં આવ્યા પછી લોકોને બ્રિટિશ નાગરિકતા મેળવવા માટે 10 વર્ષ રાહ જોવી પડશે. મહત્વનું છે કે, પીએમ સ્ટાર્મરે મીડિયા બ્રીફિંગમાં સ્પષ્ટ કર્યું કે લોકોએ નવા નિયમોનું…
પાકિસ્તાની લશ્કરની કબૂલાત: જેહાદ અમારી નીતિ છે (જી.એન.એસ) તા. 13 ઇસ્લામાબાદ, પાકિસ્તાની સેનાએ ફરી એકવાર પોતાના સૂત્રનો પુનરોચ્ચાર કર્યો છે, જેમાં ભારપૂર્વક જણાવ્યું છે કે “જેહાદ અમારી નીતિ છે.” એક પ્રેસ બ્રીફિંગને સંબોધતા, પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે તેનું ટોચનું નેતૃત્વ પણ આ વિચારધારા સાથે સુસંગત છે, તેમણે જનરલ અસીમ મુનીરને “જેહાદી જનરલ” તરીકે ઉલ્લેખ કર્યો હતો. પાકિસ્તાની સેનના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે જનરલ ઝિયા-ઉલ-હકના રાષ્ટ્રપતિકાળ દરમિયાન પાકિસ્તાન સેનાના સત્તાવાર સૂત્રમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. મૂળ માર્ગદર્શક સિદ્ધાંત – ઇત્તેહાદ, યાકીન, તન્ઝીમ (એકતા, વિશ્વાસ, શિસ્ત) – ને વધુ ધાર્મિક સૂત્ર: ઇમાન, તકવા, જેહાદ ફી-સબીલિલ્લાહ સાથે બદલવામાં આવ્યો…
(જી.એન.એસ) તા. 13 ઇસ્લામાબાદ, ભારત સાથેના તાજેતરના લશ્કરી મુકાબલાને પગલે પાકિસ્તાન ખોટી માહિતી આપી જૂઠું બોલવાનું કામ કરી રહ્યું હતું જ્યારે વડા પ્રધાન શેહબાઝ શરીફ વિનાશ વચ્ચે ભ્રમ ફેલાવતા જોવા મળ્યા હતા, ત્યારે દેશની સેના વિરોધાભાસી અને અપ્રમાણિત દાવાઓ કરી રહી છે. જોકે, પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝની લશ્કરી હોસ્પિટલની અચાનક મુલાકાતે ફરી એકવાર એ સત્યનો પર્દાફાશ કર્યો છે જે પાકિસ્તાન છુપાવવા માટે સખત પ્રયાસ કરી રહ્યું છે. સોમવારે, મરિયમ નવાઝે લાહોરમાં કમ્બાઈન્ડ મિલિટરી હોસ્પિટલ (CMH) ની મુલાકાત લીધી, જ્યાં તેમણે ભારતીય દળો સાથેની તાજેતરની અથડામણમાં ઘાયલ થયેલા પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓને મળ્યા. પાકિસ્તાન સરકારના જાનહાનિના આંકડા પર મૌન…
(જી.એન.એસ) તા. 13 નેયપાયતાવ, વિનાશક ભૂકંપમાંથી બહાર નીકળવામાં મદદ કરવા માટે માનવતાવાદી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, મ્યાનમાર જુન્ટાના હવાઈ હુમલામાં એક શાળા પર હુમલો થયો હતો, જેમાં 20 બાળકો સહિત 22 લોકો માર્યા ગયા હતા. મ્યાનમારની સેનાએ આ હુમલાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલેથી 115 કિમી દૂર સગાઈંગ વિસ્તારના એક ગામમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્થાનિકોનો દાવો છે કે ફાઇટર જેટ દ્વારા શાળા પર બોમ્બવર્ષા કરાઇ. આસપાસના ત્રણ ઘરોમાં પણ ભારે નુકસાન થયું. નેશનલ યુનિટી ગવર્નમેન્ટના પ્રવક્તા નાએ ફોન લેટે…
(જી.એન.એસ) તા. 13 બામાકો, ઉત્તરી બુર્કિના ફાસોમાં એક જેહાદી જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 100 થી વધુ લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગે સૈનિકો અને સહાયક કર્મચારીઓ માર્યા ગયા હતા. બુર્કિના ફાસોના સૌથી વધુ અસરગ્રસ્ત સમુદાયોમાં સંવાદોમાં સક્રિય રીતે સામેલ એક સહાયક કાર્યકરએ જણાવ્યું હતું કે લશ્કરી થાણા અને લાંબા સમયથી ઘેરાયેલા વ્યૂહાત્મક શહેર જીબો સહિત અનેક સ્થળોએ હુમલો થયો હતો. આ વિસ્તારની એક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાં તેના પિતા પણ સામેલ હતા. બદલાના ડરને કારણે બંને વ્યક્તિઓએ સોમવારે નામ ન આપવાની શરતે એસોસિએટેડ પ્રેસ સાથે વાત કરી. સાહેલ ક્ષેત્રમાં સક્રિય અલ-કાયદા સાથે જોડાયેલા એક જેહાદી જૂથે…
રાજ્યના 8 મુખ્ય પ્રવાસન સ્થળોએ કાર્યરત છે મૉડલ આયુષ્માન આરોગ્ય મંદિર (જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે નવી ગાથા લખી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં અત્યારસુધીમાં 10,280થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિર કાર્યરત થઈ ચૂક્યા છે, જે આરોગ્ય ક્ષેત્રે એક નોંધપાત્ર સીમાચિહ્ન છે. આ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં મૂળભૂત આરોગ્યસંભાળ સાથે આવશ્યક રેફરલ સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેથી દરેક નાગરિકને સરળ અને સુલભ આરોગ્ય સેવાઓ મળી શકે. આ આયુષ્માન આરોગ્ય મંદિર પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તરીકે કાર્ય કરે છે, જે…
આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર અને ઐશ્વર્યા રાય પણ રેડ કાર્પેટ પર દેખાશે (જી.એન.એસ) તા. 13 કાન, આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલ બૉલીવુડ માટે ખાસ રહેવાનું છે, મેટ ગાલા અને લોરિયલ પેરિસ જેવા ફેશન ઇવેન્ટ્સમાં ભાગ લઈ ચૂકેલી આલિયા ભટ્ટ હવે કાન ફેસ્ટીવલમાં પણ ભાગ લેશે. તાજેતરમાં, અભિનેત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે તે આ વખતે કાન ફેસ્ટીવલમાં ડેબ્યૂ કરશે. ઐશ્વર્યા રાય બચ્ચન એક કે બે વર્ષથી નહીં પરંતુ છેલ્લા 20 વર્ષથી કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ રહી છે. આ વખતે પણ તે પોતાની સ્ટાઇલથી રેડ કાર્પેટનું આકર્ષણ વધારશે. જાહ્નવી કપૂર પણ તેની ફિલ્મ હોમબાઉન્ડના ગ્લોબલ પ્રીમિયર સાથે કાન્સમાં ડેબ્યૂ કરશે.…
