Author: gujdesk

માઈ ભક્તો માટે આવ્યા સારા સમાચાર (જી.એન.એસ) તા. 14 કટરા, ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ કાશ્મીરમાં બિરાજમાન અતિ પવિત્ર માતા વૈષ્ણો દેવી મંદિર માટે હેલિકોપ્ટર સેવા બુધવારે ફરીથી શરૂ કરી દેવાઈ છે. આ નિર્ણયથી શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને પગલે હેલિકોપ્ટર સેવા અંદાજિત એક અઠવાડિયા સુધી બંધ રહી હતી. અધિકારીઓેએ આ માહિતી આપી. હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે એક દિવસ પહેલા જ જમ્મુ અને શ્રીનગર સહિત 32 એરપોર્ટ પર ફ્લાઈટ્સ શરૂ કરી દેવાઈ હતી. બંને પાડોશી દેશો વચ્ચે સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમતિ બન્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. મંદિર વ્યવસ્થાપન બોર્ડના…

Read More

(જી.એન.એસ) તા. 14 નવી દિલ્હી, બુધવારે જસ્ટિસ ભુષણ રામક્રિષ્ના ગવઈએ ભારતના 52માં ચીફ જસ્ટિસ (CJI) પદે શપથ ગ્રહણ કર્યા હતા. હવેથી તેઓ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પદે ફરજ નિભાવશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પદે બીઆર ગવઈએ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સમક્ષ શપથ ગ્રહણ કર્યા છે. દેશના 51માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્ના ગઈકાલે મંગળવારે નિવૃત્ત થયા હતાં. નવા CJI આગામી છ મહિના સુધી કાર્યભાર સંભાળશે. CJI બીઆર ગવઈ 23 નવેમ્બર, 2025ના રોજ નિવૃત્ત થવાના છે. 2007માં જસ્ટિસ કેજી બાલક્રિશ્નન બાદ જસ્ટિસ ગવઈ બીજા દલિત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બન્યા છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈ 14 નવેમ્બર, 2003ના બોમ્બે…

Read More

(જી.એન.એસ) તા. 14 ઇસ્લામાબાદ, ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં એક પાકિસ્તાની રાજદ્વારીને ‘પર્સોના નોન ગ્રેટા’ જાહેર કરવાનો નિર્ણય લીધાના થોડા કલાકો પછી, પાકિસ્તાને પણ ઈસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમિશનના એક સ્ટાફ સભ્યને ‘પર્સોના નોન ગ્રેટા’ જાહેર કર્યો, જેમાં તેમણે તેમના સત્તાવાર દરજ્જા સાથે અસંગત પ્રવૃત્તિઓમાં સંડોવણીનો ઉલ્લેખ કર્યો. ભારતીય ચાર્જ ડી’અફેર્સને વિદેશ મંત્રાલય (MFA)માં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં પાકિસ્તાને પોતાનો નિર્ણય જણાવ્યો હતો, સંબંધિત અધિકારીને 24 કલાકની અંદર દેશ છોડી જવાનો નિર્દેશ આપ્યો હતો. X પર એક પોસ્ટ શેર કરતા, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે લખ્યું હતું કે, “ભારતીય હાઈ કમિશન, ઈસ્લામાબાદના એક સ્ટાફ સભ્યને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં…

Read More

કેનેડીયન સરકારમાં નવી કેબિનેટમાં ભારતનું ગૌરવ વધાર્યું (જી.એન.એસ) તા. 14 ટોરોન્ટો/ઑન્ટારિયો, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે (13 મે) પોતાના કેબિનેટમાં મોટા બદલાવની જાહેરાત કરી છે, નવા 38 સભ્યોનું મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી બાદ નવનિયુક્ત લિબરલ સરકારની રચના હેઠળ આ પગલું લેવાયું છે. કેનેડીયન સરકારની નવી કેબિનેટમાં ભારતીય મૂળના અનીતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અનીતા આનંદનો જન્મ કેંટવિલે, નોવા સ્કોટિયામાં થયો હતો. તેમના માતા-પિતા ફિઝિશિયન હતાં. તેમના પિતા તમિલનાડુ અને માતા પંજાબથી છે. અનીતાની બે બહેનો પણ છે. અનીતા આનંદે મંગળવારે ગીતા પર હાથ મૂકીને નવા વિદેશ મંત્રીના રૂપે શપથ લીધાં હતાં. તે કેનેડાની વિદેશ મંત્રી બનનારા…

Read More

(જી.એન.એસ) તા. 14 ગ્રીસના ક્રીટ દ્વીપ પાસે બુધવારે વહેલી સવારે ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 6.3 રિક્ટલ સ્કેલ નોંધાઈ છે. સ્થાનિક સમય મુજબ વહેલી સવારે આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ એટલો જોરદાર હતો કે, લોકો ડરી ગયા હતા અને ઘરની બહાર ભાગવા લાગ્યા હતા. આ ભૂકંપ બાબતે જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીયોસાઇન્સ (GFZ) અનુસાર, ગ્રીસના ક્રીટ દ્વીપ પર બુધાવારે (14 મે) વહેલી સવારે 6.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ 83 કિલોમીટર ઊંડાણ પર આવ્યો હતો. અત્યાર સુધી ભૂકંપથી કોઈ મોટું નુકસાન અથવા જાનહાનિ નોંધાઈ નથી. સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ સાથે…

Read More

(જી.એન.એસ) તા. 14 બિજીંગ/નવી દિલ્હી, ભારતે ચીનના સરકારી મીડિયા આઉટલેટ્સ ગ્લોબલ ટાઇમ્સ અને શિન્હુઆ ન્યૂઝ એજન્સીના X એકાઉન્ટ્સ બ્લોક કરી દીધા છે. જ્યારે ભારતમાં વપરાશકર્તાઓ એકાઉન્ટને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમને એક સંદેશ સાથે આવકારવામાં આવે છે જેમાં કહેવામાં આવે છે: “કાનૂની માંગના જવાબમાં @globaltimesnews નું એકાઉન્ટ ભારતમાં બંધ કરી દેવામાં આવ્યું છે.” ભારતમાં તુર્કીના જાહેર પ્રસારણકર્તા TRT વર્લ્ડનું X એકાઉન્ટ પણ રોકી દેવામાં આવ્યું છે. ગ્લોબલ ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં આતંકવાદી છાવણીઓ પર ભારતના તાજેતરના બદલો લેવાના હવાઈ હુમલા, ઓપરેશન સિંદૂરના કવરેજ પર પાકિસ્તાન વાયુસેના (પીએએફ) એ “ભારતીય…

Read More

ગરમીથી રાહત!!! હવામાન વિભાગે  સત્તાવાર રીતે જાહેર કર્યું (જી.એન.એસ) તા. 14 હવે ગરમીથી રાહત મળવા માટે વધુ રાહ નહિ જોવી પડે, હવામાન વિભાગે  સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે આજે  2025ની 13,મે એ  નૈઋત્યની વર્ષા ઋતુનું આગમન આંદામાન –નિકોબાર, બંગાળના ઉપસાગરમાં  થયું  છે. સામાન્ય રીતે કુદરતી ચક્ર મુજબ નૈઋત્યનું ચોમાસુ દર વર્ષે 18-22-મે દરમિયાન આંદામાન-નિકોબારમાં પ્રવેશ કરે છે. જોકે  હાલ  એક કરતાં વધુ  કુદરતી પરિબળો  સાનુકુળ   બની રહ્યાં હોવાથી 2025નું નૈઋત્યનું  ચોમાસુ  તેની કુદરતી પરંપરા કરતાં પાંચેક  દિવસ વહેલાં આંદામાન-નિકોબારમાં આવી પહોંચ્યું છે.  હવામાન વિભાગની હેડ ઓફિસ (નવી દિલ્હી)ના હવામાનની રાષ્ટ્રીય સ્તરની આગાહી વિભાગના વડા ડો. આર.કે. જેનામણીએ  ગુજરાત સમાચારને…

Read More

ભારતીય સેન દ્વારા કરવામાં આવેલ શક્તિ પ્રદર્શનની પાકિસ્તાન પર અસર (જી.એન.એસ) તા. 14 વાઘા, કંગાળ પાકિસ્તાને ભારતના બીએસએફ જવાન પૂર્ણમ કુમાર શૉને પરત ભારતીય સેનાને સોંપ્યા છે. પાકિસ્તાની સેનાએ અટારી વાઘા બોર્ડરના માર્ગે ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન અટકાયત કરાયેલા બીએસએફ જવાનને પરત ભારતને સોંપ્યા છે. તે છેલ્લા 20 દિવસથી પાકિસ્તાનના કબજામાં હતાં. બુધવારે બીએસએફ કોન્સ્ટેબલ પૂર્ણમ કુમારને સવારે 10.30 વાગ્યે ભારતને સોંપવામાં આવ્યા હતાં. જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી હતી. તે સમયે 23 એપ્રિલના રોજ બીએસએફ કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ ક્રોસ કરી પાકિસ્તાન પહોંચી ગયા હતા. જ્યાં પાકિસ્તાની સેનાએ અટકાયત કરી હતી. પંજાબના…

Read More

(જી.એન.એસ) તા. 14 વોશિંગ્ટન, ટ્રમ્પ વહીવટીતંત્ર નાટોના યુરોપિયન સભ્યો અને કેનેડાને આ અઠવાડિયે તુર્કીના અંતાલ્યામાં નાટોના વિદેશ પ્રધાનોની બેઠક પહેલા સંરક્ષણ ખર્ચમાં નાટ્યાત્મક વધારો – તેમના કુલ સ્થાનિક ઉત્પાદનના 5 ટકા સુધી – કરવા માટે પ્રતિબદ્ધ થવા વિનંતી કરી રહ્યું છે. નાટોમાં યુએસ એમ્બેસેડર મેથ્યુ વ્હીટેકરે મંગળવારે પુષ્ટિ આપી હતી કે વોશિંગ્ટન અપેક્ષા રાખે છે કે સાથી દેશો આ મહત્વાકાંક્ષી લક્ષ્યને પૂર્ણ કરવા માટે નક્કર યોજનાઓ જાહેર કરશે. “પાંચ ટકા અમારી સંખ્યા છે,” વ્હાઇટકરે કહ્યું, વધતા જતા વૈશ્વિક જોખમોને ધ્યાનમાં રાખીને તેને “આપણી સુરક્ષા માટે જરૂરિયાત” ગણાવી. તેમણે ભાર મૂક્યો કે આગામી મંત્રી સ્તરની બેઠક “અલગ હશે.” હાલમાં, નાટો દેશો…

Read More

ઈઝરાયલના ગાઝા પરના હુમલામાં 65 પેલેસ્ટિનિયનના મોત, 15થી વધુ ઘાયલ (જી.એન.એસ) તા. 14 ઈઝરાયલની સેન દ્વારા ફરી એકવાર મોડી રાત્રે અને વહેલી સવારે ગાઝામાં ભયાનક હવાઈ હુમલો કર્યો છે. જેમાં 65 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 22 બાળકો માર્યા ગયા છે. અમેરિકાની મધ્યસ્થીમાં હમાસ તરફથી એક ઈઝરાયલી-અમેરિકી બંધકને મુક્ત કરાવ્યાના એક દિવસ બાદ ઈઝરાયલે આ હુમલા કર્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, એવી કોઈ રીત નથી, જેનાથી ઈઝરાયલ ગાઝામાં પોતાનું યુદ્ધ રોકી શકે. આ નિવેદન સાથે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ઈઝરાયલની સેનાએ હુમલા અંગે ટીપ્પણી કરવાનો ઈનકાર…

Read More