Author: dhrumit

(જી.એન.એસ) તા. 6 કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાજસ્થાનનાં કોટપુતલીમાં આયોજિત 108 કુંડિય રુદ્ર મહા મૃત્યુંજય મહા યજ્ઞનાં મહા પૂર્ણાહૂતિ અને સનાતન સંમેલનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, બાબા બસ્તીનાથજીએ એક આખું વર્ષ સમાજના દરેક વર્ગને સતત એક કરીને એકજૂટ થઈને એક મોટો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે અહીં જ 108 કુંડિય મહા મૃત્યુંજય મહા યજ્ઞની શરૂઆત એક વર્ષ પહેલા થઈ હતી અને આજે તેનું સમાપન થવા જઈ રહ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું…

Read More

મર્યાદા પુરષોત્તમ પ્રભુ શ્રી રામના લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક (જી.એન.એસ) તા. 6 અયોધ્યા, રામનવમીના પાવન અવસર પર ઉત્તર પ્રદેશમાં અયોધ્યા ધામમાં ભવ્ય ઉત્સવનો નજારો જોવા મળ્યો હતો. રામલલાની જન્મભૂમિ પર રામનવમીની વિશેષ તૈયારીઓ કરાઈ રહી છે. રવિવારે બપોરે 12 વાગ્યે રામલલાનો જન્મ સમયે રામલલાના મસ્તક પર સૂર્ય કિરણોથી અભિષેક કરવામાં આવ્યું છે. આ આહ્લાદક નજારાથી રામભક્તો ભક્તિમય બન્યા છે. રામ મંદિરમાં આ બીજી જન્મજયંતિ છે. ભક્તોમાં પંજીરીનો ખાસ પ્રસાદ વહેંચવામાં આવ્યો છે. રામલલા ભક્તોની હાજરીમાં મોડી રાત સુધી દર્શનીય રહેશે. રામ નવમી પર સવારે 4:30 વાગ્યે નિર્ધારિત સમયે મંગળા આરતી કરવામાં આવી હતી. દર્શન સાંજે 6:30 વાગ્યા સુધી શરૂ…

Read More

(જી.એન.એસ) તા. 5 ગાંધીનગર, હીટવેવથી ડરવાની નહિ પણ, નાગરીકોમાં જાગૃતિ જરૂરી :- શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા રાજ્યમાં હીટવેવ સંદર્ભે માહિતી આપતા શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું કે, રાજ્યના બાળકોનો હિત રાજ્ય સરકાર માટે સર્વોપરી છે, પ્રાથમિક શાળાના બાળકો સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”નો શિકાર ન થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં “હીટવેવ” સંદર્ભે પ્રાથમિક વિભાગની શાળાઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી ગરમીનું પ્રમાણ જોઇને શાળાના સમયમાં ફેરફાર કરી શકશે, તેમને રાજ્ય સરકાર પાસે કોઈ પણ પ્રકાર મંજૂરી મેળવવાની રહેશે નહિ. શાળામાં વિધાર્થીઓ પ્રાર્થના બાદ ઉનાળાના સમયગાળા દરમિયાન…

Read More

(જી.એન.એસ) તા. 5 ગાંધીનગર, લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. ગાંધીનગર જિલ્લાનો એપ્રિલ માસનો સ્વાગત કાર્યક્રમ તા.૨૪/૦૪/૨૦૨૫ના રોજ સવારે ૧૧ વાગ્યે ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી, સમિતિ ખંડ ખાતે યોજાશે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોય અને તે અનિર્ણિત હોય તો અરજી કરી શકાશે. અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલ હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. અરજીમાં મોબાઈલ નંબર અચુક દર્શાવવાના રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ…

Read More

પ્રકૃતિના મૂળભૂત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી (જી.એન.એસ) તા. 5 ગાંધીનગર, સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતી મિશન મોડમાં ચાલી રહી છે ત્યારે હજુ પણ એવા અનેક ખેડૂતો છે કે જેઓમાં પ્રાકૃતિક ખેતી વિશે જાગૃતિ આવવી જરૂરી છે. જેથી બાકી ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી શકે. જે માટે સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતીને સમજવી જરૂરી છે. ખેડૂત મિત્રોના મગજમાં સૌથી પહેલા સવાલ ઉઠે છે કે, પ્રાકૃતિક ખેતી એટલે શું?. તો પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી. પાકની વૃધ્ધિ માટે જરૂરી ખેત…

Read More

(જી.એન.એસ) તા. 5 કરવાર, રક્ષા મંત્રીશ્રી રાજનાથ સિંહ દ્વારા ભારતીય નૌકાદળનું ઓફશોર પેટ્રોલ વેસલ (NOPV) INS સુનયના કારવારથી ઇન્ડિયન ઓશન શિપ (IOS) સાગર ને લીલી ઝંડી દર્શાવવામાં આવી. આ જહાજ નવ મિત્ર વિદેશી રાષ્ટ્રો (FFN) ના 44 નૌકાદળના કર્મચારીઓને લઈ જશે. IOS SAGAR એ દક્ષિણ પશ્ચિમ હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR) ના નૌકાદળો અને દરિયાઈ એજન્સીઓને ભારતીય નૌકાદળના પ્લેટફોર્મ પર એકસાથે લાવવાનો એક અગ્રણી પ્રયાસ છે. આ મિશન FFNના દરિયાઈ સવારોને વ્યાપક તાલીમ આપવાની તક તરીકે સેવા આપશે અને દરિયાઈ સુરક્ષામાં અભૂતપૂર્વ સહયોગ દર્શાવે છે. INS સુનયનાની તૈનાતી દરમિયાન દાર-એ-સલામ, નકાલા, પોર્ટ લુઇસ અને પોર્ટ વિક્ટોરિયાની મુલાકાત લેશે. બોર્ડ પર બેઠેલા આંતરરાષ્ટ્રીય ક્રૂ તાલીમ કસરતો કરશે અને કોચી ખાતે વિવિધ વ્યાવસાયિક તાલીમ શાળાઓમાંથી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરશે. આયોજિત કસરતો/તાલીમમાં અગ્નિશામક, નુકસાન…

Read More

અમદાવાદ શહેર પોલીસ સામે પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિક દ્વારા કડક આદેશ અપાયો (જી.એન.એસ) તા. 4 અમદાવાદ, અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિક દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર, ખાસ પોલીસ કમિશ્નર/સંયુક્ત પોલીસ કમિશ્નર/અધિક પોલીસ કમિશ્નર/નાયબ પોલીસ કમિશ્નર/મદદનીશ પોલીસ કમિશ્નરે દરરોજ બપોરે 12થી 4 વાગ્યાની વચ્ચે પોતાની કચેરીમાં આવતા મુલાકાતીઓને કચેરી ખાતે હાજર રહીને તેમની રજુઆત સાંભળવાની રહેશે. મુલાકાતી પોતાની રજુઆત અંગે લેખિતમાં અરજી આપે તો તે અરજી સ્વીકારી તેના ઉપર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં કચેરીમાં તેઓ હાજર ના હોય તો તેઓની કચેરીના રીડર પો.સ.ઇ./અંગત મદદનીશએ અરજદારોને મળી અરજદારની રજૂઆત સાંભળવાની રહેશે. આ ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટરે દરરોજ સાંજે 6થી રાત્રે 9 વાગ્યા…

Read More

માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ ‌ હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જે મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે જેથી શરીરમાં સનસ્ટ્રોક (લુ) લાગવાની શક્યતા ઘણી વધારે છે. જાહેર જનતાનાં હિતાર્થ સન સ્ટ્રોક (લુ) થી બચવા જી.એન.એસ- નેશનલ વાયર ન્યૂઝ એજન્સી અને આરોગ્ય વિભાગ દ્વારા કેટલાક સુચનો અનુસરવા અનુરોધ. અસહ્ય ગરમીમાં ભારે પરીશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. શરીરમાંથી પાણી તથા ક્ષારનું પ્રમાણ ઘટી જાય છે, જેનાં કારણે સન સ્ટ્રોક (લુ)ની અસર જણાય છે. સન સ્ટ્રોક (લુ) લાગવાના લક્ષણો:  માથાનો દુખાવો, બેચેની,…

Read More

તા.૪ એપ્રિલ થી ૩૧ મે ૨૦૨૫ સુધી રાજ્યભરમાં જળસંચયનું મહાઅભિયાનનું આયોજન (જી.એન.એસ) તા.૪ ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ આહવાનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ એવા ‘કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O’નો મહેસાણા જિલ્લાના દવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. વરસાદી પાણી જ્યાં પડે, જેટલું પડે તેનો સંગ્રહ અને સંચય કરવાનું વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને જે આહવાન કર્યું છે તેને ગુજરાતમાં આ વર્ષે કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O દ્વારા વ્યાપક પ્રતિસાદ આપવાના નિર્ધાર સાથે આ અભિયાન તા. ૪ એપ્રિલથી તા. ૩૧ મે ૨૦૨૫ સુધી રાજ્યભરમાં યોજાવાનું છે. આ કેચ ધ રેઈન સુજલામ સુફલામ…

Read More

૫ એપ્રિલ – નેશનલ મેરિટાઇમ ડે (રાષ્ટ્રીય દરિયાઈ દિવસ) ૨૦૨૫ના અંત સુધીમાં ફેઝ ૧-Aમાં ૧૪માંથી સંભવિત ૬ મ્યુઝિયમ ગેલેરીઓ સંપૂર્ણપણે કાર્યરત થશે (જી.એન.એસ) તા.૪ ગાંધીનગર/અમદાવાદ, ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે સાથે ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું. આ ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના ઇતિહાસના સાક્ષી સમા લોથલમાં ભારતના ભવ્ય દરિયાઈ વારસાને દર્શાવતું ‘નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ (NMHC) નિર્માણ પામી રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પાંચ પ્રણો આપ્યાં છે, તેમાંનું એક પ્રણ પ્રાચીન વિરાસતોનું સંવર્ધન કરવાનું છે, જે ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ના નિર્માણ થકી સાકાર થવા જઈ રહ્યું છે. પાંચ હજાર વર્ષ પહેલાં ભારત…

Read More