Author: dhrumit

(જી.એન.એસ) તા.4 બેંગકોક, મહામહિમ નમસ્તે! આજે, હું આ સમિટના સફળતાપૂર્વક આયોજન માટે થાઇલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શિનાવાત્રાજીનો આભાર વ્યક્ત કરું છું. મહામહિમ સૌ પ્રથમ, હું મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપને કારણે થયેલા જાનમાલના નુકસાન પર તમામ ભારતીયો વતી મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને હું આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોના સારા સ્વાસ્થ્યની કામના કરું છું. મહામહિમ, છેલ્લા ત્રણ વર્ષમાં BIMSTEC ના અધ્યક્ષપદ અને સંચાલનને કાર્યક્ષમ અને અસરકારક રીતે સંચાલિત કરવા બદલ હું પ્રધાનમંત્રી અને તેમની ટીમને અભિનંદન આપું છું. BIMSTEC એ દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાને જોડતો સેતુ છે અને પ્રાદેશિક જોડાણ, સહયોગ અને સમૃદ્ધિના નવા માર્ગો ખોલવા માટે એક અસરકારક પ્લેટફોર્મ તરીકે ઉભરી રહ્યો છે.…

Read More

ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વિશેષ પ્રયત્નો કરાશે વધુ કૃષિ ઉત્પાદન મેળવવાની ક્ષણિક લાલચમાં આપણે આવનારી પેઢીઓને ગંભીર પરિસ્થિતિમાં મૂકવા જઈ રહ્યા છીએ : શ્રી આચાર્ય દેવવ્રતજી (જી.એન.એસ) તા. 3 ગાંધીનગર, ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વિશેષ પ્રયત્નો કરાશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે આજે રાજભવનમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં કૃષિ વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાતમાં 53 તાલુકાઓમાં આદિજાતિના ખેડૂતો પરંપરાગત ખેતી કરી રહ્યા છે. મોટાભાગના ખેડૂતો ગાય પણ રાખે છે. આ વિસ્તારોમાં ખેડૂતો સો એ સો…

Read More

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં  રાજ્યમાં આરોગ્ય, પોષણ અને કિશોર સંભાળ સંબંધિત મુખ્ય પડકારોની ચર્ચા કરવા માટે ગાંધીનગર ખાતે  ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ (જી.એન.એસ) તા. 3 ગાંધીનગર, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે સૂચન કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સગર્ભા માતાઓ અને બાળમૃત્યુ દરને ઘટાડવા પોષણયુક્ત આહાર અને ઉત્તમ આરોગ્ય સેવાઓ આપવી ખૂબ જ જરૂરી છે. ગરીબ સગર્ભા માતાઓની ચિંતા કરતાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર ગરીબ સગર્ભા બહેનોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જે કોઈપણ આવશ્યક આરોગ્ય સેવાની જરૂર હોય તે પૂરી પાડવા માટે હંમેશા તત્પર છે. આજે બાળલગ્ન અને કિશોરાવસ્થામાં ગર્ભધારણ જેવા ગંભીર મુદ્દાઓ માટે રાજ્ય સરકારની સાથે વિવિધ સમાજોએ પણ આ…

Read More

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાં શિપિંગ અને બંદર ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહિત કરવા બદલ મેરીટાઇમ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામને અભિનંદન પાઠવ્યા હતા (જી.એન.એસ) તા. 3 ગાંધીનગર, ભારતમાં દર વર્ષે તા. 5 એપ્રિલના રોજ નેશનલ મેરીટાઇમ ડે ઉજવવામાં આવે છે. નેશનલ મેરિટાઈમ ડેની ઉજવણી અન્વયે તા.30 માર્ચ થી તા.5 એપ્રિલ દરમિયાન મર્ચન્ટ નેવી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. મર્ચન્ટ નેવી સપ્તાહ નિમિત્તે આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને પ્રથમ મીનીએચર મર્ચન્ટ નેવી ધ્વજ પિન કરવામાં આવ્યો હતો. જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ કમ સિનિયર ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ટેક્નિકલ) અને પ્રિન્સિપલ ઓફિસર, મર્કેન્ટાઇલ મરીન વિભાગ, કંડલાના કેપ્ટન સંતોષકુમાર એસ. દારોકરના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળ…

Read More

(જી.એન.એસ) તા.3 નવી દિલ્હી, પ્રધાનમંત્રી પેતોંગ્તારન શિનાવાત્રાના આમંત્રણ પર આજે હું થાઇલેન્ડની સત્તાવાર મુલાકાતે જવા અને છઠ્ઠી BIMSTEC શિખર બેઠકમાં હાજરી આપવા માટે રવાના થઈ રહ્યો છું. છેલ્લાં એક દાયકામાં બિમસ્ટેક બંગાળની ખાડીનાં વિસ્તારમાં પ્રાદેશિક વિકાસ, જોડાણ અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ મંચ સ્વરૂપે બહાર આવ્યું છે. તેની ભૌગોલિક સ્થિતિ સાથે ભારતનો પૂર્વોત્તર વિસ્તાર બિમસ્ટેકના હાર્દમાં આવેલો છે. હું બિમસ્ટેકનાં નેતાઓને મળવા આતુર છું અને આપણાં લોકોનાં હિતને ધ્યાનમાં રાખીને આપણાં સંબંધોને વધારે મજબૂત કરવા, ઉત્પાદકતા સાથે જોડાણ કરવા આતુર છું. મારી સત્તાવાર મુલાકાત દરમિયાન, મને પ્રધાનમંત્રી શિનાવાત્રા અને થાઇલેન્ડના નેતૃત્વ સાથે જોડાવાની તક મળશે, જેમાં આપણા સદીઓ જૂના ઐતિહાસિક સંબંધોને આગળ વધારવાની સામાન્ય ઇચ્છા છે, જે વહેંચાયેલી…

Read More

(જી.એન.એસ) તા. 3 નવી દિલ્હી, શું છે વક્ફ વક્ફ’ ની વિભાવના ઇસ્લામિક કાયદા અને પરંપરાઓમાં મૂળ છે. તે મુસ્લિમ દ્વારા સખાવતી અથવા ધાર્મિક હેતુઓ માટે કરવામાં આવેલા એન્ડોવમેન્ટનો ઉલ્લેખ કરે છે, જેમ કે મસ્જિદો, શાળાઓ, હોસ્પિટલો અથવા અન્ય જાહેર સંસ્થાઓનું નિર્માણ. વક્ફનું બીજું વ્યાખ્યાયિત લક્ષણ એ છે કે તે અવિભાજ્ય છે – જેનો અર્થ એ છે કે તેને વેચી શકાતું નથી, ભેટ આપી શકાતું નથી, વારસાગત અથવા બોજારૂપ બનાવી શકાતું નથી. તેથી, એકવાર કોઈ મિલકત વકીફમાંથી છીનવી લેવામાં આવે છે, એટલે કે, વક્ફના સર્જક, તે ભગવાનમાં અને ઇસ્લામિક માન્યતા મુજબ સ્થાપિત થાય છે કારણ કે ભગવાન હંમેશાં ટકી રહે છે, તેથી ‘વક્ફ સંપત્તિ’ પણ છે. લાંબા સમયથી ચાલતા મુદ્દાઓને સંબોધિત કરવા વક્ફ (સુધારા) વિધેયકનો હેતુ નીચે મુજબના મુદ્દાઓનું સમાધાન કરવાનો છે–…

Read More

7 સિસ્ટર્સ રાજ્યો અને ગુજરાતના કલાકારોએ 28 જેટલાં વિવિધ નૃત્યોનું ઉત્સાહભેર રિહર્સલ કર્યું (જી.એન.એસ) તા. 2 અમદાવાદ, માધવપુર ઘેડ મેળા પહેલાં રાજ્યના વિવિધ શહેરોમાં નૃત્યના કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત અમદાવાદ ખાતે આજે તા. 3 જી એપ્રિલના રોજ નૃત્ય કાર્યક્રમ યોજાશે. માધવપુર ઘેડ મેળામાં ભાગ લેવા આવેલા ઉત્તર-પૂર્વનાં 600 અને ગુજરાતના 800 કલાકારોએ આજે સાંજે અમદાવાદ ટ્રાન્સ્ટેડિયા ખાતે કાર્યક્રમનું રિહર્સલ કર્યું હતું. અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાના તથા ગુજરાત રાજ્યના કલાકારોએ 28 થી વધુ નૃત્ય પર ઉત્સાહભેર રિહર્સલ કરી પોતાની કલાના કામણ પાથર્યા હતા. માધવપુર ઘેડ મહોત્સવમાં પોતાની કલાનું પ્રદર્શન કરવા માટે કલાકારોમાં ખૂબ…

Read More

(જી.એન.એસ) તા. 2 ગાંધીનગર, ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના ઉપક્રમે ગાંધીનગર ખાતે ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે તેમજ રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણના વિવિધ પ્રયાસો કરતા પ્રકૃતિ પ્રેમીઓને ક્લાઈમેટ ચેન્જ પુરસ્કાર ૨૦૨૪- ૨૫થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ક્લાઈમેટને સુધારવા ગુજરાત અનેક પ્રયાસો તેમજ વિવિધ પહેલ દ્વારા સક્રિય રીતે યોગદાન આપી રહ્યું છે, જેમાંથી એક ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ નાગરીકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટેનું ઉત્તમ ઉદાહરણ છે. સરકાર ક્લાઇમેટ ચેન્જની દિશામાં કાર્ય કરી રહી છે પણ નાગરીકોએ પણ આ દિશામાં સહભાગી થઇને પર્યાવરણને બચાવવા…

Read More

6 ગેમ્સ અને 600થી વધુ ખેલાડીઓ: માધવપુરના રળિયામણા દરિયાકિનારે બીચ ફૂટબૉલ, બીચ કબડ્ડી, અખાડા કુસ્તી, રસ્સાખેંચ જેવી રમતોનો જામશે રંગ (જી.એન.એસ) તા. 2 માધવપુર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરતો માધવપુર ઘેડ મેળો આ વર્ષે 6થી 10 એપ્રિલ 2025 દરમ્યાન યોજાશે. દર વર્ષે રામનવમીના પવિત્ર દિવસે શરૂ થતો માધવપુર મેળો અરૂણાચલ પ્રદેશના રૂકમિણીજી અને ગુજરાતના શ્રીકૃષ્ણ વચ્ચે થયેલા લગ્નની ઉજવણી કરે છે. આ વખતે પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકા ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. માધવપુર મેળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ…

Read More

માનુબાર જંક્શનથી દહેજ સુધીના એક્સેસ કંટ્રોલ્ડ એક્સ્પ્રેસ વેમાં ૭ ફ્લાયઓવર – ૧૫ અંડરપાસ – ૧૨ માયનોર બ્રિજ – ૧૦૬ બોક્સ તથા પાઈપ કલવર્ટ (જી.એન.એસ) તા. 2 દહેજ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને વિઝનથી ગુજરાતમાં નિર્માણ થયેલા દહેજ PCPIRને આગામી દિવસોમાં વધુ સંગીન અને સુદ્રઢ રોડ કનેક્ટિવિટી મળતાં વાહન યાતાયાત સાથે રોકાણકારો માટે ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન સરળ બનશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ભરૂચ ની મુલાકાત દરમ્યાન આ હેતુસર ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભરૂચ-દહેજ રોડ પર હાથ ધરાઈ રહેલા અદ્યતન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ભરુચ-દહેજ રોડ પર ભોલાવ જંકશનથી શ્રાવણ જંકશન સુધીનો ૩.૪૦ કિ.મી.…

Read More