Author: devarshi

(જી.એન.એસ) તા.15 સુરત સુરત શહેર ના કુંભારિયા વિસ્તારમાં સુડા સહકાર આવાસના ગેટ નજીક બાળકો રમી રહ્યાં હતાં ત્યારે અચાનક કારની ટક્કરથી ગેટ 4 વર્ષ ની બાળકી પર પડતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. બાળકી ના પિતા સોસાયટીમાં જ વોચમેન તરીકે ફરજ બજાવે છે. આ અકસ્માતની ઘટના બાદ બાળકીના પરિવારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે, અને આખા વિસ્તારમાં આક્રોશ ફેલાઈ ગયો હતો.સ્થાનિક લોકોએ રોષે ભરાઈને આરોપી યુવક પર હુમલો કર્યો અને તેને માર માર્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો…

Read More

(જી.એન.એસ) તા.15 અમરેલી, એક તરફ લોકો જ્યારે ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે રાજ્યમાં અકસ્માત, મારામારી સહિતની ઘટનાઓ સામે આવી નોંધાય હતી. જેમાં અમરેલીના લાઠીમાં 26 વર્ષીય પત્નીને તેના પતિએ મોતની ઘાટ ઉતારી દીધી હતી. પત્નીના અન્ય પુરુષ સાથે સબંધ હોવાની શંકાને લઈને પતિએ પત્નીને ગળા અને પેટના ભાગે છરીના ઘા ઝીંકીને મોત નીપજાવ્યું હતું. સમગ્ર ઘટના મામલે લાઠી પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પોલીસે આરોપીને ઝડપી પાડીને ઘટનાસ્થળે લઈ જવાયો હતો. આ સમગ્ર મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અમરેલીના લાઠી શહેરમાં કેરિયા રોડ પરના ખોડિયાર નગર ખાતે રેહાના નામની યુવતીને તેના પતિએ…

Read More

(જી.એન.એસ) તા. 15 ઉન્નાવ, ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં હોળીના શોભાયાત્રા દરમિયાન બબાલ થઈ હતી. પોલીસ પર પથ્થરમારો કર્યા બાદ લાઠીચાર્જ થયો હતો. જેમા અનેક લોકોને ઈજા પહોંચી છે. પોલીસ પર એકશન લેવાને લઈને ધરણા પણ શરુ થઈ છે. હાલમાં પોલીસ અધિકારીઓ ગુસ્સે થયેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવુ કહેવામાં આવે છે કે, ગંજમુરાદાબાદ તાલુકામાં પરંપરાગત હોળી શોભાયાત્રા દરમિયાન પોલીસ દ્વારા લાઠી ચલાવવાના કારણે ભાગદોડ મચી હતી. પરિસ્થિતિ બેકાબુ થતાં ASP, CO અને SDM ઘટના સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તણાવપૂર્ણ માહોલને જોતા વહીવટીતંત્રએ મોટી માત્રામાં લશ્કરને તહેનાત કરી હતી. બીજી બાજુ હોળી જૂથ દોષિતો પર કાર્યવાહી કરવાની માંગને…

Read More

(જી.એન.એસ) તા. 15 અમૃતસર, અમૃતસર ખાતે આવેલ શીખોના પવિત્ર સ્થળ સુવર્ણ મંદિર ખાતે એક અજાણ્યા યુવકે પાંચ શ્રદ્ધાળુઓ પર લાકડી વડે હુમલો કર્યો હતો. શુક્રવારે બનેલી આ ઘટનામાં ભટિંડાના એક શીખ યુવકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ યુવાનની અમૃતસર ખાતે શ્રી ગુરુ રામદાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચના ઇમરજન્સી વિંગમાં સારવાર ચાલી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સુવર્ણ મંદિરમાં લોકો પર હુમલો કરવાના આરોપી અને તેના સાથીદારની પોલીસે ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, બીજા આરોપીએ ભક્તો પર હુમલો કરનાર વ્યક્તિ સાથે મળીને રેકી કરી હતી. આ બાબતે પોલીસના…

Read More

(જી.એન.એસ) તા. 15 નવી દિલ્હી, હોળીની સાંજથી અચાનક દિલ્હી-એનસીઆરના હવામાનમાં પલટો આવ્યો, જેના કારણે તોફાની પવનો સાથે વરસાદનું આગમન થયું. આ બદલાવ શનિવાર, 15 માર્ચ 2025ની સવાર સુધી ચાલુ રહ્યો, જ્યાં જોરદાર ઠંડા પવનો ફૂંકાયા. જોકે, આ બધું હોવા છતાં સવારે મહત્તમ તાપમાન 31.73 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આજે લઘુત્તમ તાપમાન 20.05 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 35.88 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ 18% છે, જ્યારે પવનની ગતિ 23 કિલોમીટર પ્રતિ કલાક રહી. સૂર્ય આજે સવારે 6:31 વાગ્યે ઉગ્યો અને સાંજે 6:29 વાગ્યે આથમશે. ગઈકાલની વાત કરીએ તો, મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી અને…

Read More

(જી.એન.એસ) તા. 15 સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ કરાયેલી કન્નડ અભિનેત્રી રાન્યા રાવે દ્વારા DRI અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. રાન્યાએ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે કે પૂછપરછ દરમિયાન તેને ઘણી વખત થપ્પડ મારવામાં આવી હતી, તેને ખાવાનું આપવામાં આવ્યું ન હતું અને DRI અધિકારીઓએ તેને ખાલી દસ્તાવેજો પર સહી કરવા દબાણ કર્યું હતું. ડીઆરઆઈના એડિશનલ ડાયરેક્ટર જનરલને લખેલા પત્રમાં રાન્યાએ પોતાને નિર્દોષ ગણાવ્યા અને કહ્યું કે તેને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. કન્નડ અભિનેત્રી રાન્યા રાવ, એક વરિષ્ઠ પોલીસ અધિકારીની પુત્રી, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા 4 માર્ચ, 2025 ના રોજ, બેંગલુરુના કેમ્પેગૌડા…

Read More

(જી.એન.એસ) તા. 15 બેંગલુરુ, કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની આગેવાણીવાળી કોંગ્રેસ સરકાર દ્વારા કર્ણાટક પબ્લિક પ્રોક્યોરમેન્ટ એક્ટ, 1999 માં સંશોધનને મંજૂરી આપી દીધી છે. ટેન્ડરની મહત્તમ સીમા 2 કરોડ રૂપિયા આપવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બદલાવનું બિલ વિધાનસભામાં આ બજેટ સત્રમાં જ લાવવામાં આવશે. વિધાનસભામાંથી પસાર થયા બાદ કર્ણાટકના સરકારી ટેન્ડરમાં મુસ્લિમોને 4 ટકા અનામત આપવાનો રસ્તો સાફ થઈ જશે. જો કે, આ પહેલાં 7 માર્ચે કર્ણાટક સરકારનું બજેટ રજૂકરતાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પુષ્ટિ કરી હતી કે, સાર્વજનિક નિર્માણ કાર્યોના કોન્ટ્રાક્ટમાં ચાર ટકા હવે મુસ્લિમો માટે શ્રેણી-II બી હેઠળ અનામત રાખવામાં આવશે. કર્ણાટકની કોંગ્રેસ સરકારના આ નિર્ણય બાદ ભાજપ…

Read More

(જી.એન.એસ) તા. 15 અમેરિકાના ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક દુર્ઘટના ઘટી હતી જેમાં, અમેરિકન એરલાઇન્સના વિમાનમાં આગ લાગવાથી અહીં અરાજકતા ફેલાઈ ગઈ હતી. વિમાનમાં સવાર 172 મુસાફરોને ઝડપથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના મામલે ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ગેટ C38 પર પાર્ક કરેલા વિમાનમાં આગ લાગી હતી અને તેના કારણે કાળો ધુમાડો નીકળ્યો હતો. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ બુઝાઈ ગઈ છે અને કોઈ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ નથી. દરમિયાન, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 1006 ને ગુરુવારે સાંજે ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં…

Read More

(જી.એન.એસ) તા. 15 સોનીપત, હરિયાણાના સોનીપતમાંથી એક ખુબજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં જમીન વિવાદના કારણે પાડોશી દ્વારા હત્યા કરવામાં આવી છે, આ મામલે વિગતમાં વાત કરીએ તો, જમીન વિવાદના કારણે સોનીપતમાં ભાજપ નેતાની પાડોશીએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ભાજપ નેતા અને મુંડલાના મંડળ અધ્યક્ષ સુરેન્દ્ર જવાહરની હત્યા મોડી રાત્રે 9:30 વાગ્યે કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ભાજપ નેતાએ પાડોશીના ફોઈની જમીન ખરીદી હતી, જેને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આરોપીએ થોડા દિવસો પહેલાં જ ભાજપ નેતાને તે જમીન પર પગ ન મૂકવાની ધમકી આપી હતી. જેને લઈને બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. તા.…

Read More

ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં એક નવો આદેશ પસાર કરવા જઈ રહ્યા છે (જી.એન.એસ) તા. 15 વોશિંગ્ટન, ફરીવાર અમેરિકાના રાષ્ટ્રપતિની કમાન સંભાળ્યા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, ત્યારે હવે ટ્રમ્પ ટૂંક સમયમાં એક-બે નહીં પરંતુ 41 દેશોને આંચકો આપવાના છે. ટ્રમ્પ ટૂંક સમયમાં ઘણા દેશોમાં નવા ટ્રાવેલ પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહ્યા છે. આ યાદીમાં 41 દેશોના નામ સામેલ છે. આ મામલે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં એક નવો આદેશ પસાર કરવા જઈ રહ્યા છે, જે અંતર્ગત પાકિસ્તાન સહિત 41 દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવવામાં આવશે. આ સંદર્ભમાં, 10 દેશોની પ્રથમ યાદી બહાર…

Read More