Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ૬૬માં ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીનો પ્રજાજોગ સંદેશ
- કેન્દ્ર સરકાર ઇથેનોલ મિશ્રણો, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઉત્સર્જન નિયમમાં ફેરફારની વિચારણા
- મની લોન્ડરિંગ કેસમાં I-PAC ડિરેક્ટર વિનેશ ચંદેલને જામીન મળ્યા
- આજનું રાશિફળ (૦૧/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૧/૦૫/૨૦૨૬)
- પોષણ ક્ષેત્રે અમદાવાદ ઝોન બનશે વધુ મજબૂત: પોષણ સંગમ વર્કશોપમાં માઇક્રો પ્લાનિંગ અને પરિણામલક્ષી કામગીરી પર ભાર મુકાયો
- સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે
- પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ‘ધૂમ્રપાન’ કરવા બદલ રિયાન પરાગને મોટો દંડ ફટકારવામાં આવ્યો
- દિલ્હી હાઈકોર્ટે કરિશ્મા કપૂરના બાળકોને વચગાળાની રાહત આપી, પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિમાંથી રોકી
- એક યાત્રી બેભાન થઈ જતાં ઇન્ડિગો ફ્લાઇટનું રાયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
- સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેરાની આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો
- ‘નાગરિકોને માન આપો’: સગીરાના ગર્ભપાત અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર
Author: devarshi
સુપ્રીમ કોર્ટે જસ્ટિસ ઉપાધ્યાયનો તપાસ અહેવાલ વેબસાઇટ પર મૂક્યો છે, જ્યાં બળી ગયેલી નોટોની તસવીરો જોઈ શકાય છે (જી.એન.એસ) તા. 23 નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ વર્માના ઘરની અંદરની પહેલી તસવીર સામે આવી છે. તસવીરોમાં બળી ગયેલી નોટો સ્પષ્ટ દેખાય છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરે આટલી બધી રોકડ કેવી રીતે આવી તેની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. ન્યાયાધીશ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાંથી મોટાપાયે રોકડ રકમ પકડાયાની વાતોને જુઠ્ઠી હોવાનો ફાયરબ્રિગેડના અધિકારી દ્વારા દાવો કરાયા બાદ હવે ખુદ સુપ્રીમ કોર્ટે એ જુઠ્ઠાણાની પોલ ખોલી નાખતી તસવીરો જાહેર કરી છે. આ મામલે ભારતના મુખ્ય ન્યાયાધીશ…
અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયે અમેરિકન સરકારની જાહેરાતની પુષ્ટી કરી (જી.એન.એસ) તા. 23 વોશિંગ્ટન, ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા અફઘાનિસ્તાન સ્થિત તાલિબાનીઓને ભેટ આપવામાં આવી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં, અફઘાનિસ્તાન સ્થિત તાલિબાનીઓએ બે વર્ષથી કેદ અમેરિકન નાગરિકને ગત સપ્તાહે મુક્ત કર્યો છે, જેના બદલે ટ્રમ્પ સરકારે તાલિબાનને ભેટ આપી છે. અમેરિકન સરકારે જાહેરાત કરી છે કે, તાલિબાને અમેરિકન નાગરિકને મુક્ત કર્યા છે, તેથી અમે તેમના ત્રણ પ્રમુખ નેતાઓ સિરાજુદ્દીન હક્કાની, અબ્દુલ અજીજ હક્કાની, યાહ્યા હક્કાની પર જાહેર કરેલું મોટી રકમનું ઈનામ હટાવી દીધું છે. આ મામલે અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયે અમેરિકન સરકારની જાહેરાતની પુષ્ટી કરી છે અને કહ્યું…
ગીર સોમનાથ એલસીબી ટીમને મોટી સફળતા મળી (જી.એન.એસ) તા. 23 ગીર સોમનાથ, ગીર સોમનાથ એલસીબી ટીમને એક મોટી સફળતા મળી હતી જેમાં ગીર સોમનાથના સાસણ ગીરમાં સંગોદ્રા ચિત્રાવડ વચ્ચે આવેલા ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં મોટાપાયે જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. એલસીબી ટીમ દ્વારા 50થી વધુ જુગારીઓ ઝડપી લેવામાં આવ્યા છે અને 25 લાખ રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યા છે. આ મામલે ગીર સોમનાથ એલસીબી ટીમનેને એક બાતમી મળી હતી કે રિસોર્ટના એક રૂમમાં મોટા પ્રમાણમાં જુગારધામ ચાલી રહ્યું છે અને જુગાર સાથે દારૂની પણ રેલમછેલ સામે આવી છે. 10થી વધુ ફોરવીલ સાથે કરોડો રૂપિયાનો મુદ્દામાલ પણ એલસીબી ટીમે જપ્ત કર્યો…
(જી.એન.એસ) તા. 23 સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ ઉપર આવેલ એક પેપર મિલમાં બપોરના સમયે લાગેલ આગ એટલી બધી વિકરાળ હતી કે, મિલમાં મોટા પ્રમાણમાં પેપરના રોલ, પુઠા સહિતનું મટીરીયલ્સ હોવાથી ગણતરીની મિનિટોમાં જ આગે ભયંકર રૌદ્ર સ્વરૂપ લઈ લીધું હતું, ત્યારે ફાયર વિભાગે પણ આ ઘટના ને મેજર કોલ જાહેર કર્યો હતો. જો કે આગની ઘટનામાં પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યુ છે. બપોરના સમયથી પેપર મિલમાં આગ પર કાબૂ મેળવવા માટે રાજકોટ, સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પાણીનો જોરદાર મારો ચલાવવામાં આવ્યો હતો, આ ઉપરાંત સેનાના જવાનો પણ આગ પર…
(જી.એન.એસ) તા. 23 અમદાવાદ, આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતનાં નેતા ગોપાલ ઇટાલિયાને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમમેદવાર બનાવવામાં આવ્યા છે. વર્ષ 2024માં હાઇકોર્ટમાં થયેલી એક જાહેર હિતની અરજીમાં ઇલેક્શન કમિશન વતી ઉપસ્થિત થયેલા વકીલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદા મુજબ ઇલેક્શન પિટિશન પેન્ડિંગ હોય તો તેનો નિકાલ ના થયા ત્યાં સુધી પેટા ચૂંટણી યોજી શકાય નહિ. જૂનાગઢની વિસાવદર બેઠક રાજકીય સ્તરે વધુ મહ્તવની છે. કારણ કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની આ પરંપરાગત બેઠક ગણાય છે. અને તેમના બાદ જો કોઈએ સૌથી વધુ આ બેઠક પર જીત મેળવી હોય તો તે હર્ષદ રીબડીયા છે. કોંગ્રેસની ટિકિટ પરથી હર્ષદ રિબડીયા…
સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિવાદિત પુસ્તક અને તેના લખાણનો મામલો (જી.એન.એસ) તા. 23 અમદાવાદ, અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરનાં ગોપાળસ્વામીનાં વાર્તા પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે હોબાળો થયો છે, જેમાં દ્વારકા પીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી એ કઠોર શબ્દોમાં નિંદા કરી છે. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ પુસ્તકમાં કરવામાં આવેલ વિવાદિત નિવેદનને લઈ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયનાં ધાર્મિક પુસ્તકમાં ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકા અંગે જે ટિપ્પણી લખવામાં આવી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમજ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી વિષ્ણુનાં અવતાર છે. ભગવાન શ્રી કૃષ્ણએ ધરતી…
પવિત્ર અમરનાથ ગુફાના દર્શનાર્થે આવતા ભક્તો માટે સારા સમાચાર (જી.એન.એસ) તા. 23 શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં બિરાજમાન પવિત્ર તીર્થ સ્થાન અમરનાથ આવતા ભક્તો માટે એક સારા સમાચાર આવ્યા છે જેમાં જમ્મુ-કાશ્મીરની સરકાર દ્વારા બાલતાલથી અમરનાથ ગુફા સુધીના 11.60 કિલોમીટર લાંબા રોપવેના વિકાસ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે ટેન્ડરો (બિડ) મંગાવવામાં આવ્યા છે. રોપ-વેની મદદથી, તે વાર્ષિક યાત્રા દરમિયાન ભક્તોની અવરજવરને સરળ બનાવવામાં મદદ કરશે. આ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટ સુધી ચાલશે. 9મી ઓગસ્ટે બાબા બર્ફાનીની પૂજા બાદ યાત્રાનું સમાપન થશે. આ દરમિયાન દેશ અને દુનિયામાંથી લાખો શિવભક્તો બાબાના દરબારમાં પહોંચશે અને બાબાના ચમત્કારોના…
(જી.એન.એસ) તા. 23 નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પતિ પાસેથી ભરણપોષણની માગણી કરતી એક મહિલાની અરજીને ફગાવતા સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે જો કોઇ મહિલા નોકરી કરી ચુકી હોય કે કરતી હોય અને તે જ હોદ્દા પર હોય જે હોદ્દા પર પતિ છે તો સ્વતંત્ર રીતે પોતાની સંભાળ રાખી શકે છે. સુપ્રીમે નોંધ્યું હતું કે જો પતિ અને પત્ની બન્નેની સ્થિતિ સમાન હોય તો પછી આવા મામલામાં ભરણપોષણની જવાબદારી પતિ પર નથી રહેતી. પતિ અને પત્ની બન્ને પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. જેમાં પતિને મહિને એક લાખનો જ્યારે પત્નીને ૬૦ હજાર રૂપિયાનો પગાર મળે છે. બન્નેએ છૂટાછેડાનો…
(જી.એન.એસ) તા. 23 જેરુસલેમ, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝેના આદેશ પર ઈઝરાયલી સેનાએ લેબનોનમાં ડઝનબંધ આતંકવાદી ઠેકાણાઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે શનિવારે વહેલી સવારે લેબનોનમાં જોરદાર હવાઈ હુમલો કર્યો હતો આ જવાબી હુમલામાં લેબનોનમાં અનેક સ્થળોએ ભીષણ આગની ઘટના પણ બની હતી. આ બાબતે ઈઝરાયલી સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “શનિવારે સવારે ઈઝરાયલ પર રોકેટ ફાયરિંગના જવાબમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે લેબનોનમાં ડઝનબંધ આતંકવાદી ઠેકાણાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ઈઝરાયલ તેના નાગરિકો અને તેના સાર્વભૌમત્વને કોઈ નુકસાન પહોંચાડવા દેશે નહીં. અમે જાણીએ છીએ કે અમારી સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત…
(જી.એન.એસ) તા. 23 નાઈજરના ગૃહ મંત્રાલયે માહિતી આપતા કહ્યું હતું કે, શુક્રવારે બપોરે માલી અને બુર્કિના ફાસોની સરહદે આવેલા કોકોરુ ગ્રામીણ વિસ્તારના ફામ્બિતા ગામમાં એક જેહાદી સંગઠન દ્વારા હુમલ કર્યો હતો અને આ ઘટના માટે ‘ઈસ્લામિક સ્ટેટ ઈન ગ્રેટ સહારા અથવા EIGS’ને જવાબદાર ઠેરવ્યું હતું. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “બપોરે 2 વાગ્યે, જ્યારે મુસ્લિમ શ્રદ્ધાળુઓ શુક્રવારની નમાજ અદા કરી રહ્યા હતા, ત્યારે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ મસ્જિદને ઘેરી લીધી અને નરસંહાર કર્યો.” તેમાં કહેવામાં આવ્યું છે કે હુમલાખોરોએ બહાર નીકળતા પહેલા એક બજાર અને ઘરોમાં આગ લગાવી દીધી હતી. આ હુમલાની ઘટનામાં નાઈજરના 44 નાગરિકોની હત્યા બાદ…
