Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૦૪/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ ૦૪/૦૫/૨૦૨૬)
- ‘બોલ અમેરિકાના કોર્ટમાં છે, વાટાઘાટો દ્વારા સમાધાન અથવા યુદ્ધ’ માટે તૈયાર: ઈરાન
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મણીનગર નગર દ્વારા “સામાજિક સદભાવ બેઠક” યોજાઈ
- ઈરાન યુદ્ધ ઇચ્છતું ન હતું, પરંતુ હુમલાઓ નો જવાબ આપવા માટે મજબૂર હતો: ભારતમાં સુપ્રીમ લીડરના રાજદૂત
- પાડા-વાછરડામાંથી પશુપાલકોનો છુટકારો: માત્ર વાછરડી આપતી સેક્સ્ડ સિમન ટેકનોલોજી પશુપાકોએ અપનાવી
- તારા સુતારિયા આ સિઝનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે
- ‘સત્ય કહેનારાઓ સુરક્ષિત હોવા જોઈએ’: યુએનના વડાએ ‘અસ્વીકાર્ય મુક્તિ’ ની ચેતવણી આપી કારણ કે વૈશ્વિક પ્રેસ સ્વતંત્રતા 25 વર્ષના નીચલા સ્તરે પહોંચી
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સજ્જ
- ફાલ્ટાથી 1 લાખથી વધુ મતોથી જીત મેળવીશ: ભાજપના દેવાંગશુ પાંડા
- 5 રાજ્યોની 823 બેઠકો માટે આજે વિધાનસભા ચૂંટણીની મતગણતરી યોજાશે
- દિલ્હીમાં આગની ઘટનામાં જાનહાનિ પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો, મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાયની જાહેરાત કરી
Author: devarshi
(જી.એન.એસ) તા. 23 મુંબઈ, બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન બાદ હવે અભિનેતા આમિર ખાન પણ તેના બાંદરાના ઘરને ખાલી કરી પાલી હિલમાં રહેવા જશે. આમિર હાલ જે બિલ્ડિંગમાં રહે છે તેનું રિનોવેશન થવાનું છે, જેથી હવે આમિરે આ ઘર ખાલી કરવું પડશે. જોકે, શાહરુખની જેમ ભાડે રહેવાને બદલે આમિર પોતાની જ માલિકીના અન્ય ફલેટમાં શિફ્ટ થવાનો છે. આમિર હાલ જ્યાં રહે છે તે બિલ્ડિંગ તોડી પાડી ત્યાં ચાર કે પાંચ બીએચકેના સી ફેસિંગ ફલેટ્સ બનશે.
(જી.એન.એસ) તા. 23 તા. 22 એપ્રિલ 2025ને મંગળવારના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક અને નિર્દય આતંકી હુમલાએ સમગ્ર દેશને ધ્રુજવી નાખ્યો છે. આ ખતરનાક હુમલામાં 26 નિર્દોષ લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે, તેમજ12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એવામાં આ દુ:ખદ ઘટના પર અક્ષય કુમાર સાથે બીજા ઘણા બોલિવૂડ સિલેબ્સએ દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હુમલાની નિંદા કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. અભિનેતા અક્ષય કુમારે પહલગામ હુમલા પર દુઃખ વ્યક્ત કરતા X પર પોસ્ટ કર્યું હતું કે, ‘પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના સમાચાર સાંભળીને હું ચોંકી ગયો. આ રીતે નિર્દોષ લોકોની હત્યા…
(જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલામાં 26 લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આતંકવાદી હુમલાને પગલે રાજ્યના મહત્ત્વના ગણતા ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં ખાસકરીને સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળોએ પોલીસની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી છે. સોમનાથ અને દ્વારકા દરિયા કિનારે આવેલા હોવાથી હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતની ત્રણેય સેનાઓને એલર્ટ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની બોર્ડર નજીક હોવાથી ગુજરાત બોર્ડર પર પણ સુરક્ષા…
જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત પરત લવાશે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના સતત દિશા-નિર્દેશનમાં જરૂરી તમામ વ્યવસ્થા કરવા ગુજરાત વહીવટી તંત્ર કાશ્મીર વહીવટી તંત્ર સાથે સંપર્કમાં (જી.એન.એસ) તા. 23 અમદાવાદ/ભાવનગર, જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે મંગળવારે તા. 22/04/2025 ના રોજ થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને આજે શ્રીનગરથી વિમાન માર્ગે ગુજરાત પરત લાવવામાં માટેની તમામ વ્યવસ્થા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના સતત દિશા નિર્દેશનમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર,ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે. ભાવનગરના બે મૃતક પ્રવાસી અને તેમના ચાર સંબંધીઓને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને…
જમ્મુ-કાશ્મીરના પહલગામ ની ઘટના બાદ એર ઈન્ડિયાનો મોટો નિર્ણય (જી.એન.એસ) તા. 23 નવી દિલ્હી, મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર ભયાનક આતંકી હુમલો થયો હતો જે બાદ એર ઇન્ડિયા દ્વારા હવાઇ યાત્રીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં એર ઇન્ડિયા દ્વારા શ્રીનગર અવર-જવર કરનારા યાત્રીઓ માટે કેન્સલેશન અને રીશેડ્યૂલ ચાર્જ હટાવી દીધા છે. આ સુવિધા 30, એપ્રિલ સુધી બુક કરેલી એર ટિકિટ પર લાગુ થશે. સાથે જ એર ઇન્ડિયા દ્વારા 23, એપ્રિલથી શ્રીનગરથી દિલ્હી અને મુંબઇ માટે બે વધારાની ફ્લાઇટનું એલાન પણ કરવામાં આવ્યું હતું. પહલગામમાં લશ્કર એ તૌયબા સાથે જોડાયેલા આતંકીઓએ દક્ષિણ કાશ્મિરના પગલગામમાં બૈસરણ ઘાટીમાં પ્રવાસીઓ પર હુમલો કરી દીધો…
(જી.એન.એસ) તા. 23 મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસાએ આજે જેદ્દાહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને આ ઘટનામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ જુલાઈ 2023માં નવી દિલ્હીમાં મહાસચિવ સાથેની તેમની મુલાકાતને યાદ કરી. તેમણે સહિષ્ણુ મૂલ્યોને પ્રોત્સાહન આપવા, મધ્યસ્થતાને ટેકો આપવા અને સામાજિક એકતા અને સુમેળને પ્રોત્સાહન આપવામાં મુસ્લિમ વર્લ્ડ લીગની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ભારતના પ્રાચીન દર્વશન સુધૈવ કુટુમ્બકમ [વિશ્વ એક પરિવાર છે] ને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત બહુ-સાંસ્કૃતિક, બહુભાષી, બહુ-વંશીય અને બહુ-ધાર્મિક સમાજ…
(જી.એન.એસ) તા. 23 વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી છે. મૃતકોને મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમજ મોરારીબાપુએ જણાવ્યું છે કે આતંકી હુમલો ખુબ જ ગંભીર ઘટના છે. આવા તત્વોને જવાબ આપવો જ પડે છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં અત્યાર સુધીમાં ત્રણ ગુજરાતીઓના મોતના સમાચાર છે. કથાકાર મોરારીબાપુ એ દુ:ખી હૃદયે મૃતકના પરિવજનો સાંત્વના પાઠવી હતી. કથાકાર મોરારીબાપુએ આતંકની સમગ્ર ઘટનાને વખોડી હતી. કથામાં આવેલા કોઈ વ્યક્તિને ઈજા ન થઈ હોવાની સ્પષ્ટતા પણ કરી હતી. મોરારી બાપૂએ કથા દરમિયાન કહ્યું કે, “હું મારી વ્યાસપીઠ સાથે જોડાયેલા…
(જી.એન.એસ) તા. 23 ચેન્નાઈ, ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર અને ડૉ. સુદેશ ધનખર તમિલનાડુની ત્રણ દિવસની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ 25 એપ્રિલ, 2025ના રોજ ઊટીમાં કુલપતિઓના વાર્ષિક સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે. 26 એપ્રિલ, 2025ના રોજ, શ્રી ધનખર ઊટીમાં મુથાનાદ મુંડ ટોડા મંદિરની મુલાકાત લેશે. ત્યારબાદ, તેઓ રવિવાર, 27 એપ્રિલ, 2025ના રોજ કોઈમ્બતુરમાં તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધિત કરશે.
(જી.એન.એસ) તા. 23 મુંબઈ, રાજભાષાઓ અંગેની સંસદીય સમિતિના સભ્યોએ મુંબઈમાં રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ (NFDC) અને રાષ્ટ્રીય ભારતીય સિનેમા સંગ્રહાલય (NMIC)ની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિમંડળમાં સાંસદ શ્રી શંકર લાલવાણી (ઈન્દોર લોકસભા મતવિસ્તાર), શ્રી હરિભાઈ પટેલ (મહેસાણા લોકસભા મતવિસ્તાર), શ્રી કુલદીપ ઈન્દોરા (ગંગાનગર લોકસભા મતવિસ્તાર), ડૉ. સુમેરસિંહ સોલંકી (રાજ્યસભા), શ્રી ઝિયા ઉર રહેમાન (સંભલ લોકસભા મતવિસ્તાર)ની સાથે સચિવ (સમિતિ) શ્રી પ્રેમ નારાયણ પણ સામેલ હતા. સંસદીય સમિતિના સભ્યોનું સ્વાગત NFDCના જનરલ મેનેજર શ્રી ડી. રામકૃષ્ણન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ આર્થિક સલાહકાર શ્રી રવિન્દ્ર કુમાર જૈન પણ હાજર હતા. રાજભાષા સમિતિના…
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલ પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ઉત્તરાખંડ સરકાર એલર્ટ પર (જી.એન.એસ) તા. 23 દહેરાદૂન, 30 એપ્રિલથી પવિત્ર ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે ત્યારે ઉત્તરાખંડ સરકાર દ્વારા સમગ્ર રાજ્યને હાઇ એલર્ટ પર રાખ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો છે. સુરક્ષા તપાસ વધુ કડક બનાવવામાં આવી છે. ખરેખર, રાજ્યમાં 30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે. ભારત અને વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો તેમાં ભાગ લેવાના છે. જેને લઈને સરકારે સુરક્ષા વધારી દીધી છે. ચાર ધામ યાત્રાને કારણે, આ દિવસોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે. આ ઉપરાંત મેદાની વિસ્તારોમાં તાપમાનમાં…
