Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૦૪/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ ૦૪/૦૫/૨૦૨૬)
- ‘બોલ અમેરિકાના કોર્ટમાં છે, વાટાઘાટો દ્વારા સમાધાન અથવા યુદ્ધ’ માટે તૈયાર: ઈરાન
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મણીનગર નગર દ્વારા “સામાજિક સદભાવ બેઠક” યોજાઈ
- ઈરાન યુદ્ધ ઇચ્છતું ન હતું, પરંતુ હુમલાઓ નો જવાબ આપવા માટે મજબૂર હતો: ભારતમાં સુપ્રીમ લીડરના રાજદૂત
- પાડા-વાછરડામાંથી પશુપાલકોનો છુટકારો: માત્ર વાછરડી આપતી સેક્સ્ડ સિમન ટેકનોલોજી પશુપાકોએ અપનાવી
- તારા સુતારિયા આ સિઝનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે
- ‘સત્ય કહેનારાઓ સુરક્ષિત હોવા જોઈએ’: યુએનના વડાએ ‘અસ્વીકાર્ય મુક્તિ’ ની ચેતવણી આપી કારણ કે વૈશ્વિક પ્રેસ સ્વતંત્રતા 25 વર્ષના નીચલા સ્તરે પહોંચી
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સજ્જ
- ફાલ્ટાથી 1 લાખથી વધુ મતોથી જીત મેળવીશ: ભાજપના દેવાંગશુ પાંડા
- 5 રાજ્યોની 823 બેઠકો માટે આજે વિધાનસભા ચૂંટણીની મતગણતરી યોજાશે
- દિલ્હીમાં આગની ઘટનામાં જાનહાનિ પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો, મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાયની જાહેરાત કરી
Author: devarshi
(જી.એન.એસ) તા. 25 નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફરી એકવાર વિવવાદસ્પદ ટિપ્પણી કરવા બદલ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ફટકાર લગવામાં આવી છે. વિનાયક દામોદર સાવરકર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અલ્હાબાદ હાઇકોર્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની ટિપ્પણીને ‘બેજવાબદાર’ ગણાવી હતી. તેમજ સાવરકર વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઇન્કાર કરતાં અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘તેમણે આપણને આઝાદી અપાવી અને તમે તેમની સાથે આવો વ્યવહાર કરી રહ્યા છો.’ ન્યાયાધીશ દીપાંકર દત્તા અને મનમોહનની બેન્ચે…
(જી.એન.એસ) તા. 25 હૈદેરાબાદ, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા બાદ કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના જીવનમાં ખુશીઓ આવી ગઈ છે. ધનશ્રીને તેની પહેલી ફિલ્મ મળી ગઈ છે અને આ સાથે જ તે એક્ટિંગમાં પોતાના કરિયરની શરૂઆત કરશે. ધનશ્રી વર્મા હવે ફિલ્મમાં એક્ટિંગ કરતી જોવા મળશે. મીડિયા રિપોર્ટ અનુસાર, ધનશ્રી વર્મા તેલુગુ ફિલ્મ ‘અકાશમ દાતી વાસ્તવ’થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે. આ એક ડાન્સ આધારિત ફિલ્મ હશે. જેનું નિર્માણ દિલ રાજુ અને ફિલ્મનું દિગ્દર્શન શ્રી શશી કુમાર કરી રહ્યા છે. તેમજ આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે, આ અંગેની માહિતી ધનશ્રીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. …
(જી.એન.એસ) તા. 25 વોશિંગ્ટન, અમેરિકાએ ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે આ દુઃખદ ઘડીમાં અમેરિકા ભારતની સાથે ઉભું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, ‘પ્રમુખ ટ્રમ્પ અને વિદેશમંત્રી રુબિયોએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે અમેરિકા ભારતની સાથે ઉભું છે અને આતંકવાદના દરેક કૃત્યની કડક નિંદા કરે છે.’ સાથેજ આ મુદ્દે તેમણે કહ્યું, ‘આ હુમલામાં જીવ ગુમાવનારાઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ, ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે આ જઘન્ય હુમલાના ગુનેગારોને ન્યાયના કઠઘરામાં લાવવામાં આવે.’ પહલગામ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા…
(જી.એન.એસ) તા. 25 વોશિંગ્ટન, ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા નિર્ણયો અને ફેરફારો કરવામાં આવ્યા હતા હવે તેની આલોચના થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે, ટ્રમ્પની ટેરિફ નીતિને ન્યૂયોર્કની યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડમાં પડકારી છે. 12 રાજ્યોએ કોર્ટને જણાવ્યું છે કે ટ્રમ્પની ટેરિફ નીતિ ગેરકાયદેસર છે અને તેના કારણે અમેરિકન અર્થતંત્રને મોટા પાયે નુકસાન થઇ રહ્યું છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ટેરિફ નીતિને કોર્ટમાં પડકારનાર રાજ્યોમાં ઓરેગન, એરિઝોના, કોલોરાડો, કનેક્ટિકટ, ડેલાવેયર, ઇલિનોઇસ, મેન, મિનેસોટા, નેવાદા, ન્યૂ મેક્સિકો, ન્યૂયોર્ક અને વર્મોન્ટ સામેલ છે. આ બાબતે રાજ્યોએ કોર્ટને જણાવ્યું છે કેે રાષ્ટ્રીય વેપાર નીતિને ટ્રમ્પની મરજી…
(જી.એન.એસ) તા. 24 સુરત, ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને ભાવફેર અને બોનસ આપવાને લઈને સુમુલ ડેરીએ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં સુમુલ ડેરીના ચેરમેન દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, પશુપાલકોને કિલોગ્રામ ફેટ દીઠ 120 રૂપિયા બોનસ આપવામાં આવશે. આ જાહેરાતથી ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થશે. આ બાબતે સુમુલ ડેરીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ‘ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. આમ ખેડૂતોને અને પશુપાલકોને ધ્યાનમાં રાખીને દૂધના ભાવફેર અને બોનસની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને કિલોગ્રામ ફેટ લેખે રૂ. 120 બોનસ અપાશે. જ્યારે સુરત અને તાપી જિલ્લાના 2.50…
(જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલ પહલગામમાં થયેલા પ્રવાસીઓ પર આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકારે કેટલાક મહત્ત્વના પગલાં ભર્યા છે. બુધવારે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા બાદ હવે ગુરૂવારે વિદેશ મંત્રી એસ. જયશંકર અને ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ ઉચ્ચસ્તરીય બેઠક સુરક્ષા સ્થિતિની ગંભીરતા અને આગામી રણનીતિઓ પર ચર્ચાને ધ્યાને રાખતા મહત્ત્વની મનાઈ રહી છે. ત્યારબાદ આજે સાંજે સર્વદળીય બેઠક બોલાવાઈ હતી. નવી દિલ્હીમાં સર્વદળીય બેઠક શરૂ થઈ ચૂકી છે. જેની અમિત શાહ, રાજનાથ સિંહ અને જયશંકર બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. સર્વદળીય બેઠકમાં કિરેન રિજિજૂ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ…
(જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી બાદ, ગંભીરે બુધવારે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનના SHO અને સેન્ટ્રલ દિલ્હીના DCPના જણાવ્યા અનુસાર, ગંભીરે ઔપચારિક રીતે FIR નોંધવાની વિનંતી કરી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગંગૌતમ ભીરને 22 એપ્રિલના રોજ બે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. એક ઈમેલ બપોરે અને બીજો સાંજે આવ્યો હતો. બંને પર ‘આઇ કીલ યુ’ મેસેજ લખેલો હતો. આ પહેલીવાર નથી જ્યારે ગંભીરને આવી ધમકીઓનો સામનો કરવો પડ્યો હોય. નવેમ્બર 2021માં…
(જી.એન.એસ) તા. 24 પહલગામ, જમ્મુ-કાશ્મીરના પહેલગામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહારાષ્ટ્રનો એક પરિવાર પહેલગામમાં એક કેબ ડ્રાઈવરની પ્રશંસા કરવામાં આવી રહી છે જેમાં એક ડ્રાઈવરે પોતાના ઘરમાં આતંકી હુમલા બાદ ફસાયેલા પરિવારને આશરો આપી સંચવ્યા હતા. સોશિયલ મીડિયા પર માણસાઈ નો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહારાષ્ટ્રનો એક પરિવાર જમ્મુ-કાશ્મીરના પહલગામમાં એક કેબ ડ્રાઈવરની પ્રશંસા કરી રહ્યો છે. પરિવારનું કહેવું છે કે આ વિસ્તારમાં આતંકી હુમલા બાદ જ્યારે તેઓ ફસાયેલા હતા ત્યારે ડ્રાઈવરે તેમને મદદ કરી હતી. હુમલા દરમિયાન મુસ્લિમ કેબ ડ્રાઈવર તેમને તેમના ઘરે લઈ ગયો હતો. એ પરિવાર…
(જી.એન.એસ) તા. 24 ઇસ્લામાબાદ, ભારતના જામ્મ-કાશ્મીરમાં આવેલ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલા કડક ડિપ્લોમેટીક પગલાંથી પાકિસ્તાન સંપૂર્ણપણે શ્રી ગયું છે. ભારતે પાકિસ્તાન પર આતંકવાદીઓને ટેકો આપવાનો આરોપ લગાવ્યો અને આ સાથે જ સિંધુ જળ સંધિને સ્થગિત કરવા જેવા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. ત્યારે હવે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે પણ ઈમરજન્સી બેઠક યોજીને આક્રમક વલણ અપનાવ્યું છે. ઈસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC)ની બેઠક બાદ પાકિસ્તાને ભારતના દરેક નિર્ણયનો જવાબ આપવાની ચેતવણી આપી છે. ભારતના નિર્ણયની અસર આખા પાકિસ્તાન પર પડી છે. આ જ ક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે (24 એપ્રિલ, 2025) એક ઉચ્ચ…
(જી.એન.એસ) તા. 24 ભરૂચ, ભરૂચના જંબુસરના કુઢળ ગામની નદીમાં 9 વર્ષીય નિલેશ રાઠોડ નામનો બાળક નહાવા માટે પડ્યો હતો. આ દરમિયાન નદીમાં મગરે નિલેશ પર હુમલો કર્યો હતો. મગરના હુમલાની ઘટનામાં નિલેશના પગના ભાગે ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત બાળકે સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ મોકલવામાં આવ્યો હતો. ભરૂચમાં ઢાઢર નદીમાં મગરોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે જંબુસરમાં મગરના હુમલાની એક મહિનામાં બીજી ઘટના સામે આવી છે. નદીમાં મગરની અવર-જવરને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.
