Author: devarshi

(જી.એન.એસ) તા. 24 સુરત, ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને ભાવફેર અને બોનસ આપવાને લઈને સુમુલ ડેરીએ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં સુમુલ ડેરીના ચેરમેન દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, પશુપાલકોને કિલોગ્રામ ફેટ દીઠ 120 રૂપિયા બોનસ આપવામાં આવશે. આ જાહેરાતથી ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થશે. આ બાબતે સુમુલ ડેરીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ‘ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. આમ ખેડૂતોને અને પશુપાલકોને ધ્યાનમાં રાખીને દૂધના ભાવફેર અને બોનસની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને કિલોગ્રામ ફેટ લેખે રૂ. 120 બોનસ અપાશે. જ્યારે સુરત અને તાપી જિલ્લાના 2.50…

Read More

(જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલ પહલગામમાં થયેલા પ્રવાસીઓ પર આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકારે કેટલાક મહત્ત્વના પગલાં ભર્યા છે. બુધવારે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા બાદ હવે ગુરૂવારે વિદેશ મંત્રી એસ. જયશંકર અને ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ ઉચ્ચસ્તરીય બેઠક સુરક્ષા સ્થિતિની ગંભીરતા અને આગામી રણનીતિઓ પર ચર્ચાને ધ્યાને રાખતા મહત્ત્વની મનાઈ રહી છે. ત્યારબાદ આજે સાંજે સર્વદળીય બેઠક બોલાવાઈ હતી. નવી દિલ્હીમાં સર્વદળીય બેઠક શરૂ થઈ ચૂકી છે. જેની અમિત શાહ, રાજનાથ સિંહ અને જયશંકર બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. સર્વદળીય બેઠકમાં કિરેન રિજિજૂ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ…

Read More

(જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી બાદ, ગંભીરે બુધવારે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનના SHO અને સેન્ટ્રલ દિલ્હીના DCPના જણાવ્યા અનુસાર, ગંભીરે ઔપચારિક રીતે FIR નોંધવાની વિનંતી કરી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગંગૌતમ ભીરને 22 એપ્રિલના રોજ બે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. એક ઈમેલ બપોરે અને બીજો સાંજે આવ્યો હતો. બંને પર ‘આઇ કીલ યુ’ મેસેજ લખેલો હતો. આ પહેલીવાર નથી જ્યારે ગંભીરને આવી ધમકીઓનો સામનો કરવો પડ્યો હોય. નવેમ્બર 2021માં…

Read More

(જી.એન.એસ) તા. 24 પહલગામ, જમ્મુ-કાશ્મીરના પહેલગામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહારાષ્ટ્રનો એક પરિવાર પહેલગામમાં એક કેબ ડ્રાઈવરની પ્રશંસા કરવામાં આવી રહી છે જેમાં એક ડ્રાઈવરે પોતાના ઘરમાં આતંકી હુમલા બાદ ફસાયેલા પરિવારને આશરો આપી સંચવ્યા હતા. સોશિયલ મીડિયા પર માણસાઈ નો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહારાષ્ટ્રનો એક પરિવાર જમ્મુ-કાશ્મીરના પહલગામમાં એક કેબ ડ્રાઈવરની પ્રશંસા કરી રહ્યો છે. પરિવારનું કહેવું છે કે આ વિસ્તારમાં આતંકી હુમલા બાદ જ્યારે તેઓ ફસાયેલા હતા ત્યારે ડ્રાઈવરે તેમને મદદ કરી હતી. હુમલા દરમિયાન મુસ્લિમ કેબ ડ્રાઈવર તેમને તેમના ઘરે લઈ ગયો હતો. એ પરિવાર…

Read More

(જી.એન.એસ) તા. 24 ઇસ્લામાબાદ, ભારતના જામ્મ-કાશ્મીરમાં આવેલ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલા કડક ડિપ્લોમેટીક પગલાંથી પાકિસ્તાન સંપૂર્ણપણે શ્રી ગયું છે. ભારતે પાકિસ્તાન પર આતંકવાદીઓને ટેકો આપવાનો આરોપ લગાવ્યો અને આ સાથે જ સિંધુ જળ સંધિને સ્થગિત કરવા જેવા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. ત્યારે હવે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે પણ ઈમરજન્સી બેઠક યોજીને આક્રમક વલણ અપનાવ્યું છે. ઈસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC)ની બેઠક બાદ પાકિસ્તાને ભારતના દરેક નિર્ણયનો જવાબ આપવાની ચેતવણી આપી છે. ભારતના નિર્ણયની અસર આખા પાકિસ્તાન પર પડી છે. આ જ ક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે (24 એપ્રિલ, 2025) એક ઉચ્ચ…

Read More

(જી.એન.એસ) તા. 24 ભરૂચ, ભરૂચના જંબુસરના કુઢળ ગામની નદીમાં 9 વર્ષીય નિલેશ રાઠોડ નામનો બાળક નહાવા માટે પડ્યો હતો. આ દરમિયાન નદીમાં મગરે નિલેશ પર હુમલો કર્યો હતો. મગરના હુમલાની ઘટનામાં નિલેશના પગના ભાગે ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત બાળકે સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ મોકલવામાં આવ્યો હતો. ભરૂચમાં ઢાઢર નદીમાં મગરોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે જંબુસરમાં મગરના હુમલાની એક મહિનામાં બીજી ઘટના સામે આવી છે. નદીમાં મગરની અવર-જવરને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.

Read More

(જી.એન.એસ) તા. 24 ડીસા, બનાસકાંઠાના ડીસામાં એક ભયંકર દુર્ઘટના ઘટી હતી જેમાં, ગાયત્રી મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરના બાંધકામની કામગીરી દરમિયાન ગેરકાયદે દીવાલ ધરાશાયી થતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે દીકરીનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર દૂરઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાને પગલે સુપરવાઈઝર, મજૂરો અને જેસીબી ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં રસ્તા પરથી પસાર થઈ રહેલા તેજલબહેન વિરાજી ઠાકોર નામની મહિલાનું મોત નીપજ્યું હતું. તેજબહેનના ભાઈના લગ્ન હોવાથી તે ડીસા બજારમાં ખરીદી કરવા માટે આવ્યા હતા. જ્યારે ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે, બાંધકામ સ્થળે જેસીબીની ટક્કરથી બાજુની દીવાલ ધરાશાયી થઈ હતી.…

Read More

(જી.એન.એસ) તા. 24 ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલ પહેલગામ આતંકી હુમલાની અસર પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સ્ટારર ફિલ્મ અબીર ગુલાલ પર પડી છે. પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન 8 વર્ષ પછી બોલિવૂડમાં વાપસી કરવા જઈ રહ્યો છે. ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ હોવા છતાં, ફવાદ ખાન અને વાણી કપૂરની ફિલ્મ ‘અબીર ગુલાલ’ની જાહેરાત થઈ ત્યારથી આ ફિલ્મ ચર્ચાનો વિષય બની ગઈ છે. એક તરફ ભારતીય ચાહકો ફવાદ ખાનના પાછા ફરવાથી ખુશ હતા, તો બીજી તરફ, રાજ ઠાકરેની પાર્ટી મનસેએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ ફિલ્મને કોઈપણ સંજોગોમાં મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેશે નહીં. ફવાદ ખાન અને વાણી કપૂરની ફિલ્મ ‘અબીર ગુલાલ’ હજુ…

Read More

(જી.એન.એસ) તા. 24 બૉલીવુડની ધક-ધક ગર્લ એટલે કે પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી ફરી એક વખત સાથે અભિનય કરતાં જોવા મળશે, આ પહેલા ‘ભૂલ ભૂલૈયા ૩’માં બન્નેએ સાથે કામ કર્યું હતું, અને હવે તેઓ ઓટીટી પરથી રિલીઝ થનારી એક કોમેડી-એકશન ડ્રામા ‘મા-બહેન’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ મા-દીકરીની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ એક હલકી-ફુલકી કોમેડી હશે. જેમાં મા-દીકરી વચ્ચેની નોક-ઝોંક, પ્રેમ, તકરાર અને સમજદારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે આ ફિલ્મ માં ઉત્તર પરદેશથી લોકસભા સાંસદ અને અભિનેતા રવિ કિશન પણ એક મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન…

Read More

(જી.એન.એસ) તા. 24 કીવ, રશિયા દ્વારા ફરી એકવાર યુક્રેન પર હુમલો કર્યો છે જેમાં રાજધાની કીવમાં ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરતા 6 બાળકો સહિત 9 લોકોના મોત અને 70 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલામાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. યુક્રેનાના અધિકારીઓે રશિયા દ્વારા કરાયેલા હુમલાની માહિતી આપી છે. કીવમાં સૈન્ય અધિકારી પ્રમુખ તૈમૂર તકાચેંકોએ કહ્યું કે, ‘રશિયાના હુમલાના કારણે કીવમાં અનેક ઈમારતોમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. તેણે મોડી રાત્રે લગભગ એક વાગ્યે હુમલા શરૂ કર્યા હતા અને અમારા ચારથી વધુ વિસ્તારોને નિશાન બનાવ્યા છે. સૌથી વધુ સ્વિયાતોશિન્સ્કી જિલ્લામાં ભારે વિનાશ વેર્યો છે. તેમજ…

Read More