Author: devarshi

આધાર સીડિંગ વિના નોકરીદાતાઓ દ્વારા યુએએનના જથ્થાબંધ ઉત્પાદન માટે સુવિધા શરૂ કરી (જી.એન.એસ) તા. 25 સંશોધિત ફોર્મ 13 કાર્યક્ષમતા મારફતે ટ્રાન્સફર ક્લેઈમ પ્રક્રિયાનું સરળીકરણ પોતાના સભ્યોની જીવન જીવવાની સરળતા સુનિશ્ચિત કરવા માટે, ઇપીએફઓએ આ વર્ષે જાન્યુઆરી દરમિયાન, મોટાભાગના કિસ્સાઓમાં એમ્પ્લોયર પાસેથી મંજૂરીની આવશ્યકતાને દૂર કરીને નોકરીઓમાં ફેરફાર પર પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી છે. અત્યાર સુધી, બે ઇપીએફ કચેરીઓ વડે પીએફ સંચયનું સ્થાનાંતરણ થતું હતું. જેમાંથી એક પીએફ સંચય સ્થાનાંતરિત થાય છે (સ્ત્રોત ઓફિસ) અને બે, ઇપીએફ ઓફિસ જેમાં ટ્રાન્સફર ખરેખર જમા થાય છે (ડેસ્ટિનેશન ઓફિસ). હવે, પ્રક્રિયાને વધુ સરળ બનાવવાના હેતુથી, ઇપીએફઓએ રિવેમ્પ્ડ ફોર્મ 13 સોફ્ટવેર કાર્યક્ષમતા શરૂ કરીને ડેસ્ટિનેશન ઓફિસમાં તમામ ટ્રાન્સફર દાવાઓની મંજૂરીની આવશ્યકતાને દૂર કરી દીધી…

Read More

(જી.એન.એસ) તા. 25 શ્રીનગર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે શ્રીનગરની મુલાકાતે ગયા હતા તે દરમિયાન તેમણે પહલગામ હુમલાના પીડિતો સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે, ‘આતંકવાદીઓનો ઈરાદો સમાજમાં ભાગલા પડાવવાનો છે અને આપણે આતંકવાદીઓને સફળ થવા દેવાના નથી. હું તમામને કહેવા માંગું છું કે, આખો દેશ એક થઈને ઉભો છે. જે કાંઈ પણ થયું, તેની પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર છે. ઘટના પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર : રાહુલ રાહુલ ગાંધી એ વધુમાં કહ્યું હતું કે, ‘જમ્મુ-કાશમીરમાં અમારા ભાઈ-બહેનો પર કેટલાક લોકો હુમલો કરી રહ્યા છે, તે જોઈને મને દુઃખ થયું છે. જે કંઈપણ થયું તેની પાછળ સમાજના…

Read More

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે સંયુક્ત રાષ્ટ્ર ચિંતિત  (જી.એન.એસ) તા. 25 યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે તણાવપૂર્ણ પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા માટે “મહત્તમ સંયમ” રાખવાની હાકલ કરી છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર(UN)એ બંને દેશોને ‘મહત્તમ સંયમ’ રાખવાની અપીલ કરી છે જેથી પરિસ્થિતિ વધુ બગડે નહીં. યુએનના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે, ‘અમે ભારત અને પાકિસ્તાનની સરકારોને મહત્તમ સંયમ રાખવા અને પરિસ્થિતિ વધુ ન બગડે તેની ખાતરી…

Read More

(જી.એન.એસ) તા. 25 કોલકાતા, ચોથા (ભૂતપૂર્વ GRSE) નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ (NGOPV) યાર્ડ 3040 માટે નિર્માણ કાર્યનો શુભારંભ (કીલ લેઇંગ સમારોહ) 24 એપ્રિલ 25 ના રોજ કોલકાતામાં ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) ખાતે યોજાયો હતો. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે યુદ્ધ જહાજ ઉત્પાદન અને સંપાદનના નિયંત્રક વાઇસ એડમિરલ રાજારામ સ્વામીનાથન હાજર રહ્યા હતા. GRSEના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમાન્ડર પીઆર હરી (નિવૃત્ત) તેમજ ભારતીય નૌકાદળ અને શિપયાર્ડના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ સીમાચિહ્નરૂપ NGOPVના નિર્માણમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે ભારતની સ્વદેશી જહાજ નિર્માણ ક્ષમતાઓને વધુ પ્રદર્શિત કરે છે. 30 માર્ચ 23ના રોજ ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL),…

Read More

(જી.એન.એસ) તા. 25 કઠુઆ, આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક મહિલાએ આ વિસ્તારમાં ચાર શંકાસ્પદ લોકોને જોતા તુરંત પોલીસને માહિતી આપી છે. ત્યારબાદ સુરક્ષા દળના જવાનોએ તુરંત કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરક્ષા દળના જવાનો, જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓરેશન ગ્રૂપ (SOG) અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આખા વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કરી દીધું છે. આખા વિસ્તારની ઘેરાબંધી કર્યા બાદ અહીં આવતા-જતા તમામ લોકો પર કડક દેખરેખ રાખવાની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. મીડિયા સૂત્રો દ્વારા મળતા અહેવાલો મુજબ હીરાનગર સેક્ટર આંતરરાષ્ટ્રીય…

Read More

(જી.એન.એસ) તા. 25 કોલ્હાપુર, મહારાષ્ટ્ર ના કોલ્હાપુરમાં કાગલ તહસીલના યમગે ગામના ધનગઢીના પુત્રએ તો ખુબજ વખાનલાયક અને આદર્શ કામ કરી બતાવ્યું છે. બિરુદેવ સિદ્ધપ્પા ધોણે ના યુવાને પહેલા જ પ્રયાસમાં UPSC ક્રેક કરી દીધી છે. ખભા પર કાંબળો, માથા પર ગાંધી ટોપી, હાથમાં લાકડી અને પગમાં મોટા મોટા ધનગઢી ચંપલ પહેરીને ધોમધખતા તાપમાં બકરી ચરાવતાં ધનગઢના આ દીકરાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને 551મો રેંક મેળવ્યો છે. એક મિત્ર જોર જોરથી બૂમો પાડતો તેના મામાના ગામમાં આવ્યો અને બિરુદેવને કહ્યું કે, ‘બિરુદેવ, તમે UPSC પરીક્ષામાં પાસ થઈ ગયા છો. તેના અભણ માતા પિતા ત્યાં હતા. તેઓ એટલું જ સમજ્યા કે અમારો…

Read More

(જી.એન.એસ) તા. 25 જામનગર, દેશમાં સૌથી વધુ એટલે કે, ગુજરાતને 1600 કિમી લાંબો દરિયાઈ કિનારો છે. જેમાંથી સૌરાષ્ટ્ર દરીયાઈ સરહદ પાકિસ્તાની દરીયાઈ સરહદ સાથે સંકળાયેલ છે. તેથી પહલગામ આતંકી હુમલા બાદ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં દરીયા કિનારાની સુરક્ષા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. જામનગર મરિન પોલીસ દ્વારા દરીયાઈ સરહદની સુરક્ષા અનેકગણી વધારી દેવાઈ છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલા બાદ કેન્દ્ર, રાજ્ય સરકાર અને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે. જમીની સરહદ સાથે દરીયાઈ સરહદે પણ સુરક્ષા સઘન કરી દેવાઈ છે. ગુજરાતનો સૌરાષ્ટ્ર દરીયાઈ કિનારો પાકિસ્તાની દરીયાઈ સરહદ સાથે સંકળાયેલ છે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને…

Read More

રાણી મુખર્જીની ‘મર્દાની થ્રી’માં ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને કાસ્ટ કરવામાં આવી (જી.એન.એસ) તા. 25 મુંબઈ, બૉલીવુડની પ્રખ્યાત અભિનેત્રી રાણી મુખર્જીની ‘મર્દાની થ્રી’માં હવે ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને કાસ્ટ કરવામાં આવી છે એટલે હવે જાનકી રાણી સાથે પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. ગુજરાતની અભિનેત્રી જાનકી બોડીવાલાએ અગાઉ અજય દેવગણની ‘શૈતાન’ ફિલ્મમાં કામ કર્યું હતું. તેમાં તેની ભૂમિકાની પ્રશંસા થઈ હતી. આ ફિલ્મ મૂળ ગુજરાતી ‘વશ’ પરથી બની હતી અને તેની હિન્દી રીમેક વખતે જાનકીને પણ રીપિટ કરાઈ હતી. રાણી મુખર્જીની ‘મર્દાની ‘ ૨૦૧૪માં રીલિઝ થઈ હતી. તે પછી પાંચ વર્ષ બાદ ‘મર્દાની ટૂ’ રીલિઝ થઈ હતી. બંને ભાગને સારો રિસ્પોન્સ મળ્યા…

Read More

(જી.એન.એસ) તા. 25 બેંગલુરુ, ઈસરોના ભૂતપૂર્વ વડા ડૉ. કે. કસ્તુરીરંગનનું શુક્રવારે સવારે 10:43 વાગ્યે કર્ણાટકના બેંગલુરુમાં નિધન થયું હતું. ડૉ. કે. કસ્તુરીરંગન એક પ્રખ્યાત ભારતીય ખગોળશાસ્ત્રી હતા. તેમનો જન્મ 24 ઓક્ટોબર 1940ના રોજ થયો હતો. તેમના નશ્વર દેહને રવિવાર, 27 એપ્રિલના રોજ સવારે 10.00થી બપોરે12.00વાગ્યા સુધી આરઆરઆઈ ખાતે રાખવામાં આવ્યા હતા, જ્યાં લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. ડૉ. કસ્તુરીરંગન આયોજન પંચના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ ભારતીય વિજ્ઞાન એકેડેમીના પ્રમુખ અને ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના મહાસચિવ રહી ચૂક્યા છે. તેઓ વિવિધ આંતરરાષ્ટ્રીય સમિતિઓ અને સંગઠનોના સભ્ય રહ્યા છે, જેમાં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન અને ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ એસ્ટ્રોનોટિક્સનો સમાવેશ થાય છે. ડૉ.…

Read More

(જી.એન.એસ) તા. 25 વિકસિત વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ એક સંયુક્ત પહેલ છે, જેનો ઉદ્દેશ ભારતની અંતરિયાળ સરહદી વિસ્તારોને પુનર્જીવિત કરવાનો છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની આગેવાની હેઠળ, ગૃહ મંત્રાલય સાથે સંકલન કરીને, આ કાર્યક્રમ સ્થાનિક શાસન સંસ્થાઓ અને ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી)ના સમર્થનથી અમલમાં મૂકવામાં આવશે. તેમાં લેહ-લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે 15 થી 30 મે 2025 સુધી ચાલશે. આ પહેલ દેશભરના 500 માય ભારત સ્વયંસેવકોને સામેલ કરીને યુવાનોને સશક્ત બનાવશે, જેઓ પસંદ કરાયેલા 100 ગામોમાં સમુદાયો સાથે સીધી રીતે કામ કરશે. આ સ્વયંસેવકો વિવિધ પહેલો મારફતે પાયાના સ્તરે જોડાણ અને સામુદાયિક વિકાસને વેગ આપશે, જેમાં શૈક્ષણિક સમર્થન અને માળખાગત સુવિધામાં વૃદ્ધિથી માંડીને હેલ્થકેર અને સાંસ્કૃતિક જાળવણીનો સમાવેશ થાય છે. સ્થાનિક રહેવાસીઓને સાંકળીને અને યુવા નેતૃત્વની…

Read More