Author: devarshi

(જી.એન.એસ) તા. 26 ધનબાદ, ઝારખંડ આતંકવાદ વિરોધી ટુકડીને એક મોટી સફળતા મળી છે જેમાં ધનબાદ માં દરોડા પાડવામાં આવ્યા હતા. આતંકવાદી સંગઠનો હિઝબુત-તાહિર (HUT) અને અલ કાયદા ભારતીય ઉપખંડ (AQIS) ના લોકો ધનબાદમાં હાજર હોવાની માહિતીના આધારે વાસેપુરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ATS ટીમે વાસેપુરના નૂર મસ્જિદ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને બે અતિ-આધુનિક પિસ્તોલ, કારતૂસ અને મોટી માત્રામાં પ્રતિબંધિત સાહિત્ય, ડાયરી, લેપટોપ અને સ્માર્ટફોન જપ્ત કર્યા હતા. ઝારખંડ એટીએસને ગુપ્ત માહિતી મળી હતી કે, હિઝબુત તાહિર અને અલ કાયદા અને અન્ય પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા કેટલાક લોકો સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા રાજ્યના અન્ય યુવાનોને તેમના…

Read More

(જી.એન.એસ) તા. 26 પાકિસ્તાનના લાહોરમાં સેનાના વિમાનના લેન્ડિંગ સમયે એરપોર્ટ પર ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે હડકંપ મચી જવા પામ્યો છે. તાજેતરમાં પાકિસ્તાની સેના દ્વારા એરપોર્ટનો કબ્જો લઇ લેવામાં આવ્યો છે. એકાએક લાગેલી આગને પગલે તરહ તરહના સવાલોએ સ્થાન લીધું છે. પાકિસ્તાન આર્મીના વિમાનના લેન્ડિંગ દરમિયાન ટાયરમાં આગ લાગી જતાં લાહોર એરપોર્ટ પર અંધાધૂંધી મચી ગઈ હતી. બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર એન્જિન બોલાવવામાં આવ્યા હતા અને રનવે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાકિસ્તાન આર્મીનું…

Read More

(જી.એન.એસ) તા. 26 ઇસ્લામાબાદ, ભારતના જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર કડક પગલાં ભર્યા છે. આ દરમિયાન પાકિસ્તાન સ્થિત રશિયાના દૂતાવાસે પોતાના નાગરિકોને પાકિસ્તાન નહીં જવા ચેતવણી આપી છે. દૂતાવાસે નાગરિકોને કહ્યું છે કે હાલમાં પાકિસ્તાનની યાત્રા ના કરો. રશિયાના દૂતાવાસે એક નિવેદનમાં તેના નાગરિકોને કહ્યું છે કે, હાલમાં ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવભરી સ્થિતિ છે. પાકિસ્તાન સ્થિત રશિયન દૂતાવાસે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ લખીને પોતાના નાગરિકોને ચેતવણી આપી છે. જેમાં કહ્યું છે કે, ભારતમાં પહેલગામ હૂમલા બાદ બંને દેશોના અધિકારીઓ વચ્ચે આક્રમક નિવેદનો શરૂ થયાં છે.આવા માહોલમાં પાકિસ્તાનની યાત્રા ના કરે. જ્યાં સુધી…

Read More

(જી.એન.એસ) તા. 26 વોશિંગ્ટન/રૉમ, ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં થયેલા પ્રવાસીઓ પર આતંકવાદી હુમલાને લઈને ભારતે પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે કડક પગલા લીધા છે. જેના કારણે પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે ત્યારે હવે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, ‘હું ભારત અને પાકિસ્તાન બંનેની નજીક છું. કાશ્મીરનો મામલો ખૂબ જૂનો છે. 1000 વર્ષ અથવા તેનાથી પણ જૂની આ લડાઈ છે. પહલગામમાં જે થયું તે ખૂબ ખરાબ હતું. ભારત-પાકિસ્તાન વચ્ચે 1500 વર્ષોથી સીમા વિવાદ છે. પરંતુ, મને વિશ્વાસ છે કે, પાકિસ્તાન કોઈ પ્રકારે તેનું સમાધાન લાવી દેશે. હું બંને નેતાઓને ઓળખું છું. તે…

Read More

પાક વિદેશ મંત્રી ઈશાક ડારે ઈસ્લામાબાદમાં ચીનના રાજદૂત જિયાંગ ઝેડાંગ સાથે મુલાકાત કરી (જી.એન.એસ) તા. 26 ઇસ્લામાબાદ, ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા ભયંકર આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે લીધેલા કડક પગલાથી કંગાળ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. છેલ્લા બે દિવસથી ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી રહેલા પાકિસ્તાને આજે નવા દાવપેચ શરૂ કર્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે નિષ્પક્ષ તપાસની ઓફર કરી છે, તો પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન તેમજ વિદેશ મંત્રી ખ્વાજા આસિફે આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી છે. આ બધાની વચ્ચે ભારતનું વલણ જોઈને પાકિસ્તાન સૌથી પહેલા ચીન પાસે મદદ માંગવા દોડ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે ઈસ્લામાબાદમાં…

Read More

કંગાળ પાકિસ્તન ના નાયબ વડાપ્રધાને તો નિર્લજ્જતાની હદ વટાવી (જી.એન.એસ) તા. 25 ઇસ્લામાબાદ, ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં થયેલા ક્રૂર અને નિર્દય આતંકી હુમલાની વિશ્વભરના દેશો નિંદા કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાન ના ડેપ્યુટી PM અને વિદેશ મંત્રી ઈશાક ડારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામ જિલ્લામાં હુમલો કરનારા હુમલાખોરો સ્વાતંત્ર્ય સેનાની પણ હોઈ શકે છે. અમને ખબર નથી તે કોણ છે. અમે ભારતના આરોપોનો સતત ઇન્કાર કરતાં આવીએ છીએ.’ કંગાળ પાકિસ્તાન ના વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું હતું કે, ભારત સરકાર પોતાની નિષ્ફળતાને છુપાવવા તેમજ રાજકારણ કરતાં પાકિસ્તાન પર દોષનો ટોપલો ઢોળી રહી છે. અમે તેમની પ્રત્યેક કાર્યવાહીનો આકરો…

Read More

નીચ પાકિસ્તાનનો વધુ એક નાપાક ઈરાદો નિષ્ફળ  (જી.એન.એસ) તા. 25 અમૃતસર, શુક્રવારે બીએસએફ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ દરમિયાન અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશન હેઠળના ગામ ચક્ક બાલાના એક ખેતરમાંથી સાડા ચાર કિલો RDX, પાંચ હેન્ડ ગ્રેનેડ, ચાર પિસ્તોલ, આઠ મેગેઝીન, 220 કારતૂસ, બે બેટરી અને બે રિમોટ જપ્ત કર્યા છે. વાસ્તવમાં બીએસએફની પોસ્ટ શાહપુર પાસે ચક્ક બાલા ગામ આવેલું છે, જ્યાં એક ખેડૂત તેના ખેતરમાં પાક લણણીની કામગીરી કરી રહ્યો હતો. આ દરમિયાન ખેડૂતે ખેતરમાં બે પેકેટ જોયા અને તુરંત બીએસએફને જાણ કરી દીધી હતી. ત્યારબાદ બીએસએફની ટીમ તુરંત ખેતરમાં પહોંચી ગઈ હતી અને બંને પેકેટોની તપાસ કરતા તેમાં ઉપરોક્ત…

Read More

ઉત્તરી સિક્કિમમાં લાચેન-ચુંગથાંગ રોડ પર મુન્શીથાંગ અને લાચુંગ-ચુંગથાંગ રોડ પર લેમા-બોબ પાસે મોટાપાયે ભૂસ્ખલન  (જી.એન.એસ) તા. 25 મુન્શીથાંગ, ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઉત્તરીય સિક્કિમમાં પરિસ્થિતિ વિકટ બની છે, આ કુદરતી આફતમાં આશરે એક હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા છે. ઉત્તરી સિક્કિમમાં લાચેન-ચુંગથાંગ રોડ પર મુન્શીથાંગ અને લાચુંગ-ચુંગથાંગ રોડ પર લેમા-બોબ પાસે મોટાપાયે ભૂસ્ખલન થયું છે. જેનાથી રસ્તાઓ બંધ છે. ચુંગથાંગ ગુરુદ્વારા અને ITBP કેમ્પમાં આશરે 200 પર્યટક વાહનો ફસાયા છે. જ્યારે લાંચુંગમાં આશરે 1000 પર્યટકો ફસાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ખરાબ હવામાન અને રસ્તાઓ બંધ થતાં પોલીસે ઉત્તરીય સિક્કિમ માટે પહેલાંથી નિર્ધારિત તમામ ટ્રાવેલ પરમિટ રદ કરી છે. તેમજ નવી…

Read More

(જી.એન.એસ) તા. 25 વડોદરા, વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ ના ગોપાલપુરા ગામ પાસે બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં સુરેશ નેરસિંગ રાઠવા અનેહરેશ રામસિંગ રાઠવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતુ. જ્યારે ગંભીર રીતે ઘાયલ મુકેશ રાઠવાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવકને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા નજીક આવેલા ડભોઇના ગોપાલપુરા પાસે બોલેરો અને બાઇક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્વાંટ ગામે લગ્નમાં હાજરી આપવા ગયેલા ત્રણ મિત્રોને પરત ફરતી વખતે…

Read More

(જી.એન.એસ) તા. 25 પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત બે લોકોના મોત થયા હતા. આ માર્ગ અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રક નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ટ્રકની નીચે ફસાયેલા મૃતદેહોને બહાર લાવવા માટે ખંભાળિયાની ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. આ અકસ્માત અંગે મળતી માહીત અનુસાર, ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટ્રક નીચે બાઈક આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ફાયરની ટીમ દ્વારા ક્રેનની મદદથી મૃતદેહને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. અકસ્માત બાદનો આ…

Read More