Author: devarshi

(જી.એન.એસ) તા. 26 ઈરાનના બંદર અબ્બાસ શહેરના પોર્ટ પર એક ભયાનક વિસ્ફોટ બાદ આગ લાગવાની ઘટના બની છે. આ ધડાકામાં 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ વિસ્ફોટ ભયાનક હોવાનું કહ્યું છે. ઈરાની મીડિયા રિપોર્ટ મુજબ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા 406 પર પહોંચી ગઈ છે. ઘાયલોમાંથી અનેક લોકોને હોર્મોજગાન પ્રાંતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન અધિકારી મહેરદાદ હસનઝાદેહે કહ્યું કે, ‘રાજઈ પોર્ટ સ્થિત કન્ટેનરોમાં વિસ્ફોટ થયો છે. ઘટનાસ્થળે ચોતરફ અફરાતફરી મચી છે. અહીં એમ્બ્યુલન્સોની ટીમો દોડાવાઈ છે. આ ઉપરાંત રાહત અને બચાવ દળે પણ ઘટના સ્થળે પહોંચી બચાવની તામકાગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી…

Read More

(જી.એન.એસ) તા. 26 ફિલ્મમેકર એટલીની અલ્લૂ અર્જુન સાથેની એક્શન ફિલ્મમાં હવે અભિનેત્રી મૃણાલ ઠાકુરને ફાઇનલ કરવામાં આવી હોવાનું મીડિયા સૂત્રો દ્વારા કહેવાય રહ્યું છે. આ ફિલ્મ માટે દીપિકા પદુકોણ અને જાહ્નવી કપૂર સાથે વાતચીત ચાલી રહી છે. અભિનેત્રી મૃણાલે હાલમાં જ મુંબઇના એક સ્ટુડિયોમાં આ ફિલ્મ માટે પોતાનો લુક ટેસ્ટ આપ્યો હતો. હજુ ગયાં સપ્તાહે અલ્લુ અર્જૂન પણ આ ફિલ્મનો લૂક ટેસ્ટ આપવા માટે ખાસ મુંબઈ આવ્યો હતો અને તેણે બાંદરા વિસ્તારમાં એક સ્ટુડિયોમાં લૂક ટેસ્ટ આપ્યો હોવાના ફોટા વાયરલ થયા હતા. આ એક્શન ફિલ્મમાં અલ્લુ અર્જુન પહેલીવાર ડબલ રોલ કરવાનો છે. આ ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ શરૂ થઇ ગયું છે.…

Read More

(જી.એન.એસ) તા. 26 નવી દિલ્હી, શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્યરત એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ શનિવારે દેશભરમાં 47 સ્થળોએ યોજાયેલા રોજગાર મેળાની 15મી આવૃત્તિમાં ગર્વભેર ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધિત આ કાર્યક્રમમાં ઇપીએફઓ સહિત વિવિધ સરકારી વિભાગોમાં નવા સામેલ થયેલા યુવાનોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ નોંધપાત્ર ભરતી ઝુંબેશના ભાગરૂપે, ઇપીએફઓ તેના કાર્યબળને મજબૂત કરવા માટે નવી ભરતીઓને આવકારે છે, જે ભારતભરના લાખો ગ્રાહકોને સામાજિક સુરક્ષા સેવાઓની કાર્યક્ષમ ડિલિવરી સુનિશ્ચિત કરે છે. આજે 345 એકાઉન્ટ ઓફિસર્સ/એન્ફોર્સમેન્ટ ઓફિસર્સ અને 631 સોશિયલ સિક્યોરિટી આસિસ્ટન્ટને નિમણૂંક પત્રો જારી કરવામાં આવ્યા હતા. નવનિયુક્ત કર્મચારીઓ ઇપીએફઓના ભવિષ્ય નિધિ, પેન્શન અને વીમા લાભો પ્રદાન કરવાના મિશનમાં યોગદાન આપશે, જે મજબૂત અને…

Read More

શરીર સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા અમલી બનાવેલા SHASTRA પ્રોજેક્ટ હેઠળ પોલીસે કરી અસરકારક કામગીરી ડેટા ડ્રિવન પોલીસિંગના અભિગમ સાથે “Evening Policing” પર વિશેષ ભાર મુકી પોલીસે દારૂ, જુગાર, નશામાં વાહન ચલાવવું તેમજ જીપી એક્ટ ૧૩૫ હેઠળ સૌથી વધુ ગુના દાખલ કર્યા (જી.એન.એસ) તા. 26 ગાંધીનગર/અમદાવાદ, ગુજરાત પોલીસે ડેટા ડ્રિવન પોલિસિંગના અભિગમ સાથે રાજ્યમાં શરીર સંબંધી ગુનાઓને નિયંત્રિત કરવા માટે ‘SHASTRA’ (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટની શરૂઆત તા. 16મી ફેબ્રુઆરી, 2025થી કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલા આ પ્રોજેક્ટ હેઠળ ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, વડોદરા…

Read More

(જી.એન.એસ) તા. 26 ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે પોતાની એક કોલમમાં IPLની પ્રશંસા કરી, પરંતુ T20 ટુર્નામેન્ટ અને ભારતમાં સ્થાનિક ક્રિકેટ રમનારા ખેલાડીઓ માટેનું અંતર પણ જણાવ્યું હતું. ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું કે, ‘આ IPL એ ફરી એકવાર દેખાડી દીધુ છે કે એક પ્રદર્શન એક અજાણ્યા ખેલાડીને ઉચ્ચ સન્માનની દોડમાં લાવી શકે છે. આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ, રણજી ટ્રોફીના પ્રદર્શનથી તદ્દન વિપરીત છે, જ્યાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓ ચર્ચામાં નથી આવતા. IPLની એક સારી સીઝન કોઈ ખેલાડીને એટલું આપે છે જેટલું તેને તેની આખી રણજી ટ્રોફી કારકિર્દી નથી આપી શક્તિ, એવા ઘણા ઉદાહરણો છે જ્યારે એક મેચમાં સારું પ્રદર્શન…

Read More

(જી.એન.એસ) તા. 26 લંડન, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા ક્રૂર આતંકવાદી હુમલા બાદ, વિશ્વભરમાં ભારતીય સમુદાય ગુસ્સે છે અને પાકિસ્તાન સામે વિરોધ કરી રહ્યો છે ત્યારે લંડનમાં પાકિસ્તાની દૂતાવાસના અધિકારીએ લાજશરમ નેવે મૂકી દેખાવો કરી રહેલા ભારતીયોને ગળું કાપી દેવાનો ઈશારો કર્યો છે. લંડનમાં પહલગામમાં 26 લોકોની બર્બરતાપૂર્વક હત્યા બદલ પાકિસ્તાન દૂતાવાસની બહાર ભારત વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતાં. એક પાકિસ્તાની અધિકારીએ આ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને ગળું કાપી દેવાનો ઈશારો કરી પાછા હટી જવા કહ્યુ હતું. આટલું જ નહીં તેણે અભિનંદન વર્ધમાનની ચા સાથે એક તસવીર પણ હાથમાં લઈ તેને વારંવાર બતાવી રહ્યો હતો. જેને તે વારંવાર જોઈ…

Read More

(જી.એન.એસ) તા. 26 સુપરસ્ટાર જુનિયર એનટીઆરની આગામી ફિલ્મમાં અભિનેત્રી શ્રુતિ હાસન એક આઈટમ સોંગ કરવાની છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. દિગ્દર્શક પ્રશાંત નીલને ફિલ્મની સ્ટોરીમાં જ્યાં મુખ્ય ટ્વિસ્ટ આવતો હોય ત્યાં એક આઈટીમ સોંગ માટે જાણીતા ચહેરાની ઘણા સમયથી તલાશ હતી. આખરે તેણે શ્રુતિ હાસન પર પસંદગી ઉતારી છે. એનટીઆર ૩૧ એવું હંગામી ટાઈટલ ધરાવતી ફિલ્મનું શૂટિંગ મેંગ્લોરમાં ઓલરેડી શરુ થઈ ચૂક્યું છે. સુપરસ્ટાર જુનિયર એનટીઆરની કારકિર્દી માટે આ ફિલ્મ બહુ મહત્વની છે. તેની છેલ્લી ફિલ્મ ‘દેવરા’ ફલોપ ગઈ હતી. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર તેની કો સ્ટાર હતી. ‘દેવરા’ ફલોપ ગયા બાદ તેની કારકિર્દી…

Read More

(જી.એન.એસ) તા. 26 અનંતનાગ, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ અનંતનાગ જિલ્લામાં એક્શન લીધા હતા જેમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં આશરે 175 સંદિગ્ધની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે, છેલ્લા ચાર દિવસમાં અનંતનાગ પોલીસ, સેના, સીઆરપીએફ અને અન્ય એજન્સીઓની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરી આખા જિલ્લામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. આ દરમિયાન રાજૌરી વિસ્તારમાં સુરક્ષા દળોને પણ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જમ્મુ-રાજૌરી-પુંછ હાઇવે પર વાહનોની તપાસ કરવામાં આવી રહી છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ આ સર્ચ ઓપરેશનના…

Read More

ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સરેન્ડર થવા મંત્રી શ્રી હર્ષ સંઘવીની ચેતવણી (જી.એન.એસ) તા. 26 ગાંધીનગર/અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. સુરત પોલીસ કમિશનરની કચેરી ખાતેથી આજે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાઓ, રેન્જ વડા અને લૉ એન્ડ ઓર્ડર તેમજ આઈ.બીના ઉચ્ચ અધિકારીશ્રીઓ…

Read More

(જી.એન.એસ) તા. 26 સહારનપુર, ઉત્તર પ્રદેશમાં એક હ્ર્દયકમપાવી ડે તેવી ઘટના બની હતી જેમાં, સહારનપુરના દેવબંદમાં એક ફટાકડાંની ફેક્ટરીમાં ભયાવહ વિસ્ફોટ થયો છે. જેમાં આખી બિલ્ડિંગ ધ્વસ્ત થઈ હતી. વિસ્ફોટ સમયે ફેક્ટરની અંદર નવ શ્રમિકો કામ કરી રહ્યા હતાં. તે તમામના મોત થયા હોવાની આશંકા છે. જો કે, હજી સત્તાવાર ધોરણે મૃતકોની કોઈ ખાતરી થઈ નથી. નિહાલ ખેડી ગામમાં ફટકડાંની ફેક્ટરીમાં શનિવારે સવારે અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેનો અવાજ બે કિમી દૂર સુધી સંભળાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં ભોગ બનનારાના પરિજનોએ રોષ વ્યક્ત કરતાં રસ્તા પર દેખાવો કર્યા હતા. તેમણે આરોપ…

Read More