Author: devarshi

(જી.એન.એસ) તા. 27 મુંબઈ, ફિલ્મ નિર્માતા નિતશે તિવારી પોતાની બિગ બજેટ, રણબીર કપૂર અભિનીત ફિલ્મ રામાયણનું પોસ્ટર અથવા તો વિડીયો લોન્ચ કરવા માટે વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન શિખર સંમેલન જે વેવ્સ સમિટ તરીકે પણ જાણીતું છે તેમ વિચારી રહ્યા છે, વેવ્સ સમિટ તરીકે પણ જાણીતું છે તે ૧થી ૪ મે સુધી આયોજિત કરવામાં આવી છે. આ બાબતે નિતેશ જલદી જ નિર્ણય લે તેવી શક્યતા છે. મીડિયા સૂત્રની માનીએ તો આવતા અઠવાડિયાની શરૂઆતમાં ફિલ્મ વિશે કોઇ નવી ઘોષણા કરવામાં આવશે. બિગ બજેટ ફિલ્મ રામાયણને ૨૦૨૬ની દિવાળી પર રિલીઝ કરવાની યોજના છે. ગયા નવેમ્બર મહિનામાં નિર્માતાએ એક ટીઝર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે રામાયણનો…

Read More

43 વિદ્યાર્થીને પ્રાઇઝ અપાશે : વર્ષ- 2024 ના 44 વિદ્યાર્થીને ગોલ્ડ, 12 ને સિલ્વર, 34 ને ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અપાશે (જી.એન.એસ) તા. 27 ભાવનગર, આ મહિને તા.૨૯ના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 9 મો પદવીદાન સમારોહ યોજાશે જેમાં ૧૩૯૬૫ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે તેમજ વિવિધ ફેકલ્ટીમાં ઝળહળતા તેજસ્વી છાત્રોને મેડલ તથા પ્રાઇઝ આપી સન્માનિત કરવામાં આવશે. જે સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યપાલ રહેશે. આગામી તા.૨૯ એપ્રિલના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૯મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને અટલ ઓડીટોરીયમ ખાતે યોજાનાર છે જેના અનુસંધાને આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવાઇ હતી જેમાં નવનિયુક્ત કુલપતિ ડો.ભરત રામાનુજે વિગતો આપતા જણાવ્યું…

Read More

(જી.એન.એસ) તા. 27 વોશિંગ્ટન/વિસ્કોન્સિન, અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર છેલ્લા ઘણા દિવસોથી ગેરકાયદે વસાહતીઓને મુદ્દે ચર્ચામાં છે ત્યારે હવે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ) દ્વારા ગેરકાયદે વસાહતીને ઇમિગ્રેશન સત્તાવાળાઓની ધરપકડ ટાળવામાં મદદ કરવા બદલ મિલ્વોકીના જજની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે જજની ધરપકડ ભાગ્યે જ થતી હોવાથી આ ઘટના મોટાપાયા પર ચર્ચાનો વિષય બની છે ડેમોક્રેટ્સે તેની આકરી ટીકા કરતાં તેને લોકશાહી મૂલ્યો પર પ્રહાર ગણાવ્યો છે. આ સમગ્ર મામલે એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલે આ કાર્યવાહીની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરી હતી. આ ઘટનાએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર વચ્ચેના તણાવને વધાર્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ…

Read More

(જી.એન.એસ) તા. 27 તેહરાન, ઇરાનના શાહીદ રાઝાઇ પોર્ટ પર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો તિવ્ર હતો કે દૂર સુધી તેની અસર જોવા મળી હતી. આ વિસ્ફોટમાં પાંચ જેટલા લોકો માર્યા ગયા છે જ્યારે ૭૦૦થી વધુ ઘવાયા છે. એક તરફ ઇરાન અને અમેરિકાની વચ્ચે ઓમનમાં વાટાઘાટો માટે બેઠક ચાલી રહી હતી ત્યારે બીજી તરફ ઇરાનમાં આ વિસ્ફોટ થયો હતો. જેને પગલે હાલ ઇરાનમાં તંગદીલી જેવી સ્થિતિ છે. આ વિસ્ફોટમાં પાંચ જેટલા લોકો માર્યા ગયા છે જ્યારે ૭૦૦થી વધુ ઘવાયા છે. એક તરફ ઇરાન અને અમેરિકાની વચ્ચે ઓમનમાં વાટાઘાટો માટે બેઠક ચાલી રહી હતી ત્યારે બીજી તરફ ઇરાનમાં આ વિસ્ફોટ થયો…

Read More

(જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, વર્ષ 2002 માં બે વ્યક્તિઓની છરીના ઘા મારીને હત્યા કર્યાના કેસમાં ફરાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ઝડપી લેવામાં આવ્યો. ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં 2002ના વર્ષમાં બે વ્યક્તિઓની છરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. બાદમાં લાશને તેમની જ ઈન્ડીકા કારમાં નાંખીને વાવોલથી ઉવારસદની વચ્ચે ઝાડીઓમાં ગાડીમાં પેટ્રોલ છાટીને સળગાવી દેવામાં આવી હતી. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપી નિરુપમ કણસાગરા ઉર્ફે ભૂરિયોની ધરપકડ કરી છે. જે પોલીસને હાથ તાળી આપવામાં માહેર છે. વર્ષ 2002માં આરોપી નિરુપમે તેના મિત્રો સાથે મળી ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસની કામગીરીથી વાકેફ…

Read More

(જી.એન.એસ) તા. 27 વાનકુવર, કેનેડાના વાનકુવર શહેરમાં એક ભયાનક ઘટના બની હતી જેમાં વાર્ષિક લાપુ લાપુ સ્ટ્રીટ ફેસ્ટીવલમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ પર પૂરપાટ દોડતી એસયુવી કાર ફરી વળી હતી. આ દુર્ઘટના છે કે કોઈ હુમલો તે વિશે હજુ કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ આ ઘટનામાં અનેક લોકોના મોત જ્યારે ડઝનેકથી વધુ ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે. પોલીસે વાહનચાલકને પકડી પાડ્યો છે. ઘટના બાદ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી છે. અને રસ્તા પર પડેલા મૃતકો અને ઘાયલોની મદદ કરી રહી છે. આ ઘટના અંગે મીડિયા સૂત્રો દ્વારા માહિતી અનુસાર આ દુર્ઘટના શનિવારે વાનકુવરના ઈસ્ટ…

Read More

(જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી/જમ્મુ, જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી રહી છે ત્યારે ગૃહ મંત્રાલય (MHA)એ આ સંદર્ભમાં એક સત્તાવાર સૂચના જાહેર કરી છે. હવે NIA આ મામલે ઔપચારિક રીતે કેસ નોંધશે અને વિગતવાર તપાસ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ NIA ટીમ પહેલાથી જ પહેલગામમાં હાજર હતી અને હુમલા પછી સ્થળનું નિરીક્ષણ કર્યું છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્રિત કરી રહી છે. તપાસ એજન્સી હવે સ્થાનિક પોલીસ પાસેથી કેસ ડાયરી, FIR સહિતના દસ્તાવજે પોતાના કબજામાં લેશે. આ મામલે…

Read More

(જી.એન.એસ) તા. 27 રોમ, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વોશિંગ્ટન ખાતે વ્હાઇટ હાઉસમાં બે રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ચર્ચા દરમિયાન થયેલા વિવાદ બાદ બન્ને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. ઈટાલીના પાટનગર રોમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે 15 મિનિટની બેઠક યોજાઇ હતી. માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા અંગે ચર્ચા થઈ હશે. મહત્વનું છે કે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી અમેરિકાના પ્રવાસે હતા ત્યારે વ્હાઇટ હાઉસમાં મીડિયાની હાજરીમાં જ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે તુ તુ મેં મેં થઈ હતી. અમેરિકાએ યુક્રેનની ઝાટકણી કાઢતા યુરોપના અનેક દેશો પણ નારાજ થયા હતા અને…

Read More

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું અત્યાચાર કરનારાઓને પાઠ ભણાવવા આહ્વાન  (જી.એન.એસ) તા. 26 નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા ભયંકર આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં અત્યાચારીઓ (આતંકીઓ) વિરુદ્ધ ખૂબ રોશ ભરાયેલો છે ત્યારે હવે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પણ અત્યાચાર કરનારાઓને પાઠ ભણાવવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું છે કે, ‘અત્યાચારીઓને પાઠ ભણાવવો એ જ અમારો ધર્મ છે.’ આ મામલે મોહન ભાગવતે કહ્યું હતું કે, ‘અત્યાચારીઓને પાઠ ભણાવવો હિંસા નથી પણ અહિંસા છે. અહિંસા આપણો ધર્મ છે, પરંતુ અત્યાચાર કરનારાઓને ધર્મ શીખવવો પણ જરૂરી છે. આપણે ક્યારેય આપણા પડોશીઓને નુકસાન પહોંચાડતા નથી. તેમ છતાં જો તે સતત ખોટા રસ્તા પર…

Read More

(જી.એન.એસ) તા. 26 નૂંહ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર શનિવારે સવારે એક ભયાનક અકસ્માત થયો હતો, આ અકસ્માત ગુરૂગ્રામની પાસે આવેલા હરિયાણાના નૂંહ જિલ્લામાં થયો હતો જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતાં અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. હાલ, મૃતકોના મૃતદહેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ આરોપી ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ માર્ગ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, આજે સવારે 10 વાગ્યાની આસપાસ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર નૂહ પોલીસ સ્ટેશનની ફિરોઝપુર ઝીરકા બોર્ડર પર ઇબ્રાહિમવાસ ગામ નજીક એક બેકાબૂ પીક-અપ વાહને 6 મહિલાઓ સહિત 11 સફાઈ કર્મચારીઓને…

Read More