Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૦૪/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ ૦૪/૦૫/૨૦૨૬)
- ‘બોલ અમેરિકાના કોર્ટમાં છે, વાટાઘાટો દ્વારા સમાધાન અથવા યુદ્ધ’ માટે તૈયાર: ઈરાન
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મણીનગર નગર દ્વારા “સામાજિક સદભાવ બેઠક” યોજાઈ
- ઈરાન યુદ્ધ ઇચ્છતું ન હતું, પરંતુ હુમલાઓ નો જવાબ આપવા માટે મજબૂર હતો: ભારતમાં સુપ્રીમ લીડરના રાજદૂત
- પાડા-વાછરડામાંથી પશુપાલકોનો છુટકારો: માત્ર વાછરડી આપતી સેક્સ્ડ સિમન ટેકનોલોજી પશુપાકોએ અપનાવી
- તારા સુતારિયા આ સિઝનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે
- ‘સત્ય કહેનારાઓ સુરક્ષિત હોવા જોઈએ’: યુએનના વડાએ ‘અસ્વીકાર્ય મુક્તિ’ ની ચેતવણી આપી કારણ કે વૈશ્વિક પ્રેસ સ્વતંત્રતા 25 વર્ષના નીચલા સ્તરે પહોંચી
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સજ્જ
- ફાલ્ટાથી 1 લાખથી વધુ મતોથી જીત મેળવીશ: ભાજપના દેવાંગશુ પાંડા
- 5 રાજ્યોની 823 બેઠકો માટે આજે વિધાનસભા ચૂંટણીની મતગણતરી યોજાશે
- દિલ્હીમાં આગની ઘટનામાં જાનહાનિ પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો, મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાયની જાહેરાત કરી
Author: devarshi
(જી.એન.એસ) તા. 27 ગાંધીધામ, કચ્છ પોલીસ બાતમીના આધારે પંજાબના 2 આરોપીઓને આશરે 29 લાખના કોકેઈન સાથે ઝડપી પાડયા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસ એનડીપીએસ એકટ હેઠળ કામગીરી કરી છે, આરોપીઓ કયાં અને કોને આ કોકેઈન આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગાંધીધામ બસ સ્ટેન્ડ પાસે ગેસ્ટ હાઉસમાં આ રેડ કરવામાં આવી હતી, પોલીસને બાતમી મળી હતી કે બે આરોપીઓ કોકેઈન લઈને ગેસ્ટહાઉસમાં ઉતર્યા છે ત્યારે પોલીસે તેના આધારે દરોડા પાડયા તો આરોપીઓ પાસેથી 29 લાખનું કોકેઈન મળી આવ્યુ હતુ, આરોપીઓ લોકલ ડ્રગ્સ પેડલરને આ કોકેઈન આપવાના હતા તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે, ગાંધીધામ બી…
પહલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદથી પાકિસ્તાનમાં ફફડાટ; મંત્રીઓ કરી રહ્યા છે બેઠકો (જી.એન.એસ) તા. 27 ઇસ્લામાબાદ/કરાચી, ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે અને સેનાએ મોરચો સંભાળી લીધો છે. સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન કરી આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે અને તેમની શોધખોળ પણ વધુ તેજ કરવામાં આવી છે. ભારત સરકારની આતંકીઓ ને નષ્ટ કરવાની કામગીરીની સીધી અસર કંગાળ પાકિસ્તાનમાં જોવા મળી રહી છે અને તેને મોટા લશ્કરી કાર્યવાહીનો ડર લાગી ગયો છે. 25 એપ્રિલના રોજ ઝેલમ વેલી હેલ્થ ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલા આદેશમાં ‘કટોકટી પરિસ્થિતિ’નો ઉલ્લેખ કરવામાં…
ભારત હવે પાકિસ્તાનની અવળચંડાઈ સ્હેજપણ નહિ ચલાવી લે તે નક્કી .. (જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી/શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહેલગામ પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારતીય દળોએ પાકિસ્તાનને એક મોટો સંદેશ આપ્યો છે. ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું છે કે, અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર છીએ. વીડિયોમાં પાકિસ્તાનને કડક સંદેશ આપતા તેમણે લખ્યું કે ભારતીય સેના માટે કોઈ પણ મિશન ખૂબ દૂર નથી. તેમણે કહ્યું કે એકતામાં તાકાત છે અને ભારતીય સેનાની હાજરી હેતુપૂર્ણ છે. સમુદ્રમાં તૈનાત ભારતીય નૌકાદળના જહાજોની તસવીરો સાથે, તેમણે લખ્યું કે મિશન તૈયાર છે. અમે તૈયાર છીએ, સેના ગમે ત્યારે, ગમે ત્યાં,…
(જી.એન.એસ) તા. 27 ગોંડલ, ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર નેતાઓ ગોંડલ પહોંચ્યા હતાં. અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા, જીગીશા પટેલ સહિત અનેક પાટીદાર આગેવાનો ગોંડલમાં આવ્યા હતા. જ્યાં અલ્પેશ કથીરિયાની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અલ્પેશ કથીરિયાની સાથે જિગીશા પટેલ અને ધાર્મિક માલવિયા પણ પહોંચ્યા છે. આ દરમિયાન ગણેશ જાડેજાના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે કહ્યું હતું કે, આંદોલનમાં નાપાસ થયેલા હવે ગોંડલમાં મેદાને ચઢ્યાં છે. ગોંડલમાં તમામ સમાજના લોકો અમારી સાથે છે.હાલમાં ગોંડલમાં રાજકિય વાતાવરણ તંગ બન્યું છે. ત્યારે જાણીએ આ સમગ્ર વિવાદ પાછળ કયું કારણ જવાબદાર છે. ગોંડલમાં ગણેશ જાડેજા અને પાટીદાર નેતાઓ વચ્ચે સર્જાયેલા વિવાદ પાછળ…
મધ્યપ્રદેશના મંદસૌરમાં ભયાનક અકસ્માત (જી.એન.એસ) તા. 27 મંદસૌર, મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં, એક કાર કુવામાં પડી ગઈ હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર કાર મુસાફરો, એક બાઈક સવાર અને એક બચાવનારા યુવકનો સમાવેશ થાય છે. આ અકસ્માતના સમાચાર મળતાજ તાત્કાલિક ધોરણે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી. મનોહર સિંહ (ઉંમર 40 વર્ષ) નામના સ્થાનિક યુવકનું કૂવામાં પડી ગયેલા લોકોને બચાવવાના પ્રયાસ દરમિયાન મોત થયું. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. SDOP,પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને SDM સહિત ઘણા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. તાત્કાલિક બચાવ કાર્ય…
(જી.એન.એસ) તા. 27 ભારતીય નૌસેના દ્વારા અરબી સમુદ્રમાં પોતાની તાકાત બતાવી છે. નેવીએ સમુદ્રની વચ્ચે દુશ્મનને તેની એન્ટી-શિપ મિસાઇલની શક્તિનું પ્રદર્શન કર્યું. અરબી સમુદ્રમાં તૈનાત ભારતીય નેવીના યુદ્ધ જહાજોએ તાજેતરમાં અનેક એન્ટી-શિપ મિસાઇલ ફાયરિંગ કર્યા છે. નૌકાદળે આજે દુનિયાને આની ઝલક બતાવી. ભારતીય નેવીએ જણાવ્યું હતું કે નૌકાદળ યુદ્ધ માટે તૈયાર, વિશ્વસનીય અને ભવિષ્યમાં રાષ્ટ્રના દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે, ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે રીતે તૈયાર છે. ભારતીય નૌકાદળે પણ દૂર સુધી નિશાન સાધી શકે તેવી મિસાઈલો, પ્લેટફોર્મ અને વેપન સિસ્ટમનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આ જ ક્રમમાં નૌકાદળે ગઈકાલે એન્ટી-શિપ ફાયરિંગનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. ભારતીય…
સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થવાથીકંગાળ પાકિસ્તાનના રેલવે મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન (જી.એન.એસ) તા. 27 ઇસ્લામાબાદ, ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં આતંકવાદી હુમલામાં ભારતના 26 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી, જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે અને ત્યાંના પીએમ સહિત તેના ઘણા નેતાઓ દરરોજ અકળાઈને બેફામ નિવેદનબાજી કરવા લાગ્યા છે. બીજી તરફ ઝેલમ નદીનું જળસ્તર વધતા પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આરથી કટોકટી નો સામનો કરી રહેલા કંગાળ પાકિસ્તાનના રેલ્વે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. રાવલપિંડીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેણે કહ્યું…
રશિયાના ફેડરલ સિક્યોરિટી સર્વિસ પ્રમાણે આ હુમલો યુક્રેનથી છોડવામાં આવેલો રિમોટ-કંટ્રોલ કાર બોમ્બ હતો (જી.એન.એસ) તા. 27 મોસ્કો, રશિયાના ફેડરલ સિક્યોરિટી સર્વિસ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે, મૉસ્કો પાસે અમારા એક વરિષ્ઠ સૈન્ય અધિકારીની હત્યામાં આ વ્યક્તિ સામેલ હતો. આ સમગ્ર ઘટના અંગે મીડિયા સૂત્રો થકી મળતી માહિતી મુજબ, કારમાં વિસ્ફોટક ઉપકરણ ભરીને પાર્ક કરવામાં આવી હતી. જેવા મેજર જનરલ યારોસ્લાવ મોસ્કાલિક ઘરથી બહાર નીકળ્યા, વિસ્ફોટકને યુક્રેનથી રિમોટ દ્વારા એક્ટિવ કરી દેવામાં આવ્યું. જ્યારે તે કારમાં સવાર હતાં, બોમ્બ ફાટ્યો અને કારના ચીથરા ઉડી ગયાં. મોસ્કાલિક રશિયન જનરલ સ્ટાફના મુખ્ય કામગીરી નિર્દેશાલયના…
ઇડીની ઓફિસમાં ઘણા હાઈપ્રોફાઈલ કેસોની તપાસ ચાલી રહી છે (જી.એન.એસ) તા. 27 મુંબઈ, દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ઓફિસમાં ભીષણ આગ લાગવાણી ઘટના બની હતી, ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં 1 થી 2 કલાકની ભારે મહેનત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. આ મામલે અધિકારીઓનું કહેવું છે કે હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી મળી નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડને રાત્રે લગભગ 2:31 વાગ્યે બહુમાળી કૈસર-એ-હિન્દ ઇમારતમાં આગ લાગવાની માહિતી મળી હતી. જેમાં ઇડીની ઓફિસ કરીમભોય…
(જી.એન.એસ) તા. 27 વડોદરા, શનિવારે મોડી રાત્રે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરાના રેલવે પ્લેટફોર્મ નંબર – 1 માં આવી પહોંચી હતી. જેમાં વડોદરા પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવતા પાંચ બાંગ્લાદેશી ઝડપાયા હતા. જેમાં બે બાળકો, બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. પોલીસ વિભાગ દ્વારા શહેર-જિલ્લાની જેમ રેલવે દ્વારા પણ બિનઅધિકૃત વ્યક્તિઓની શોધખોળ કરવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. જે અંતર્ગત ટ્રેનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે 26, એપ્રિલને શનિવારે મોડી રાત્રે 2 કલાકના આરસામાં ટીમોએ રેલવે પ્લેટફોર્મ નં – 1 પર આવેલી અમદાવાદ-હાવડા એક્સપ્રેસમાં ચેકીંગ હાથ ધર્યું હતું. દરમિયાન થ્રી ટાયર એસી કોસમાંથી ત્રણ પુખ્ય…
