Author: devarshi

(જી.એન.એસ) તા.૨ અમદાવાદ, જોકે, હજુ ઘણી મોટી રકમ આરોપીઓ પાસેથી કઢાવવાની છે. વડતાલ સ્વામિનારાયણ જેવું મંદિર બનાવવાનું કહી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પાસેથી રૂપિયા 1.55 કરોડની ઠગાઈ કરતા સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે 3 સ્વામીઓની ધરપકડ કરી હતી, જેમાં અમદાવાદ ગ્રામ્ય અદાલતે પોલીસને 1 દિવસના રિમાન્ડ આપ્યા છે. થોડા મહિનાઓ અગાઉ આણંદ જીલ્લામાં 8 લોકો વિરૂદ્ધ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમે સ્પેશિયલ જીપીઆઈડી કાયદા હેઠળ જયકૃષ્ણ ગુરૂ શ્રીનિવાસદાસ ઉર્ફે જે.કે.સ્વામી, સુરેશ તુલસીભાઈ ઘોરી, વિજયપ્રકાશદાસ ગુરૂ સ્વામી મોહનપ્રકાશદાસજી ઉર્ફે વી.પી.સ્વામીની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે રિમાન્ડ માગતા 1 દિવસના મંજૂર થયા છે. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, પકડાયેલા આરોપીઓએ ઠગાઈ માટે…

Read More

(જી.એન.એસ) તા.૨ અમદાવાદ, ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાવાથી મોટાભાગના જિલ્લાઓનું તાપમાનમાં 1 ડિગ્રી આસપાસ વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં કડકડતી ઠંડી બાદ નવા વર્ષથી ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાવાથી મોટાભાગના જિલ્લાઓનું તાપમાનમાં 1 ડિગ્રી આસપાસ વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં સૌથી ઠંડુ ગણાતું નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન સાથે ફરીથી સૌથી ઠંડુગાર બન્યું છે. અમદાવાદ 15.4 ડિગ્રી , ગાંધીનગર 14.5ડિગ્રી, ડીસા 12.1 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 15.4 ડિગ્રી, વડોદરા 16.0 ડિગ્રી, સુરત 17.8 ડિગ્રી, ભુજ 11.4ડિગ્રી, કંડલા 14.0 ડિગ્રી, અમરેલી 13.7 ડિગ્રી, ભાવનગર 15.6 ડિગ્રી, દ્વારકા 14.8 ડિગ્રી, ઓખા 18.8 ડિગ્રી, પોરબંદર 13.0 ડિગ્રી , વેરાવળ 18.1 ડિગ્રી, રાજકોટ 11.5 ડિગ્રી,…

Read More

(જી.એન.એસ) તા.૨ અમદાવાદ, ડિજીટલ એરેસ્ટ કરીને ઠગાઈ કરનારા 3 શખ્સોની સાયબર ક્રાઈમે ધરપકડ કરી અજાણ્યા શખ્સોએ કાવતરૂ ઘડીને એક વ્યક્તિને પાર્સલમાં ડ્રગ્સ તથા ફેક પાસપોર્ટ હોવાનું તતા કરોડોનું મની લોન્ડરિંગ કર્યું હોવાનું કહીને તેને ડિજીટલ એરેસ્ટ કર્યો હતો. બાદમાં તેની સાથે રૂ.17,00,000 ની છેતરપિંડી કરી હતી. આરોપીઓએ કસ્ટમ ઈન્સ્પેક્ટર દિલ્હી હેડ ક્વાટર્સ દ્વારા તમારૂ પાર્સલ મલેશિયા ખાતે મોકલ્યું હતું તે પાર્સલમાં 16 બનાવટી પાસપોર્ટ તથા 58 એટીએમ કાર્ડ અને 140 GD MDM ડ્રગ્સ મળી આવ્યું હોવાનું કહ્યું હતું. જેની ઈન્ક્વાયરી કરવા માટે આધારકાર્ડ તથા બેન્ક એકાઉન્ટ વેરીફિકેશન કરવાને બહાને દિલ્હીના વસંતકુંજ પોલીસ સ્ટેશનના ખોટી પોલીસની ઓળખ બતાવી હતી. બાદમાં ફરિયાદ…

Read More

(જી.એન.એસ) તા.૨ દહેગામ, બારેજા ડેપોથી નીકળેલ ટેન્કરનો અમદાવાદથી પીછો કરવામાં આવ્યો હતો દહેગામ – રખિયાલ હાઇવે પર ટેન્કરમાંથી ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે. આ પર્દાફાશ પોલીસ કે BPCLકંપની ઘ્વારા નહીં પરંતુ મેઘરજ તાલુકામાં આવેલા પેટ્રોલ પંપના માલિક અને સ્ટાફ ઘ્વારા કરવામાં આવ્યો છે. અરવલ્લી – સાબરકાંઠામાં આવેલા પેટ્રોલપંપ પર કંપનીના ડેપોમાંથી આવતા પેટ્રોલ – ડીઝલના સિલબંધ ટેન્કરોમાં ઘટ આવી રહી હતી. પેટ્રોલપંપ માલિકોને ઓછા આવતા પેટ્રોલ ડીઝલના લીધે આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું અને તેમની આ ફરિયાદ કોઈ સાંભળતું ન હતું ત્યારે મેઘરજમાં આવેલા એક પેટ્રોલપંપના માલિક અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી ટેન્કરમાં થતી ચોરીનો પર્દાફાશ કર્યો છે.…

Read More

(જી.એન.એસ) તા.૨ વડોદરા, વડોદરામાં નવા વર્ષની શરૂઆત સાથે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે. વડોદરામાં નવા વર્ષના પહેલા દિવસે જ વડોદરા શહેર પોલીસે ઓર્ગેનાઈઝડ ક્રાઇમમાં સંડોવાયેલા 9 આરોપીઓને ઝડપી પાડીને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. લાંબા સમયથી આ આરોપીઓ શહેરમાં અનેક ગુનાઓ આચરતા હતા અને લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું.શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં આ આરોપીઓ વિરુદ્ધ અનેક ફરિયાદો નોંધાઈ હતી. આ મામલે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું કે, શહેર પોલીસ શહેરીજનોની સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ છે. ઓર્ગેનાઈઝડ ક્રાઇમને કોઈ પણ સંજોગોમાં શહેરમાં ચાલવા દેવામાં આવશે નહીં. આ માટે શહેર પોલીસ તમામ જરૂરી પગલાં લઈ…

Read More

(જી.એન.એસ) તા.૨ મહેસાણા, ગુજરાત પોલીસે એક સગીર વિરુદ્ધ જાતીય અપરાધના કેસમાં આઠ વર્ષ પછી પોક્સો એક્ટ હેઠળ આરોપો દાખલ કર્યા છે. હાઈકોર્ટે આ ક્ષતિને શરમજનક ગણાવી અને તેની બેદરકારી બદલ તપાસ એજન્સીની ટીકા કરી. આરોપી પક્ષે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ કેસ નામંજૂર કરવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસનું નવું કારનામું સામે આવ્યું છે. સગીર વિરુદ્ધ જાતીય અપરાધના કેસમાં FIR દાખલ થયાના 8 વર્ષ પછી અને ટ્રાયલ પૂર્ણ થવાના આરે છે, ત્યારે આરોપી પર POCSO એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે પણ આને વિચિત્ર અને શરમજનક ગણાવ્યું છે. આ કિસ્સો ઉત્તર ગુજરાતના મહેસાણા શહેરનો છે, જ્યાં એક 15 વર્ષની…

Read More

(જી.એન.એસ) તા.૨ અમદાવાદ, બોપલમાં આરોપી ઘરમાંથી જ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હતો ઉત્તરાયણનો તહેવાર નજીક આવતો જાય છે તેમ ખાનગી રીતે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ પણ વધી રહ્યું છે. જેમાં બે અલગ અલગ બનાવમાં પોલીસે બોપલમાંથી અને બાવળામાંથી ચાઈનીઝ દોરી સાથે રૂ.2,30,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બન્ને કેસમાં કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પ્રથમ બનાવની વિગત મુજબ બાવળા પોલીસને માહિતી મળી હતી કે ચલોડા-બાવાળા રોડ કાળી તલાવડી પાસે કેટલાક શખ્સો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે. જને આધારે પોલીસે અહીં તપાસ કરીને ચાઈનીઝ દોરીની રૂ.18,000 ની કિંમતના 18 રીલ તથા ઈકો ગાડી કબજે કરીને કુલ રૂ. 2,18,000…

Read More

(જી.એન.એસ) તા.૨ બનાસકાંઠા, બનાસકાંઠામાંથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સુઇગામના સોનેથ ગામ પાસે ભારતમાલા હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ અને ટેન્કર વચ્ચે કરૂણ અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠામાંથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સુઇગામના સોનેથ ગામ પાસે ભારતમાલા હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ અને ટેન્કર વચ્ચે કરૂણ અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ અકસ્માતમાં બસમાં સવાર 15-20 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે ભાભર, થરાદ સહિતની સરકારી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે મૃતકોને પીએમ અર્થે સુઇગામ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે…

Read More

(જી.એન.એસ) તા.૨ હિંમતનગર, (જીતેન્દ્ર ઉપાધ્યાય, ફોટોગ્રાફી દક્ષ ભટ્ટ)આ બ્રિજનાં લોકાર્પણથી વાહન ચાલકો અને રાહદારીઓને ટ્રાફિકથી છુટકારો મળશે.➡️આ ઓવરબ્રિજ થકી શહેરીજનોનું જીવન વધુ સરળ બનશે તેમજ સમય અને ઇંધણની પણ બચત થશે.➡️આ ઓવરબ્રિજ થકી પરિવહન યાત્રા વધુ સરળ અને સુગમ બનશે,જેનો લાભ જનતાને મળશે. બ્રિજના લોકાર્પણ પ્રસંગે સાથે હિંમતનગર ધારાસભ્ય શ્રી વિ.ડી.ઝાલા જી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા તેમજ અશ્વિનભાઈ કોટવાલ, નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય,તા.પં પ્રમુખશ્રી ભુમિકાબેન પટેલ, APMC ચેરમેનશ્રી જયેશભાઇ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, શહેર સંગઠન પ્રમુખશ્રી કુલદીપભાઈ પાઠક, જિલ્લા અને તાલુકા સદસ્યશ્રીઓ, તાલુકા અને શહેર સંગઠનના પ્રમુખશ્રીઓ અને…

Read More

(જી.એન.એસ) તા.૨ ગાંધીનગર, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની ત્રીજી બેઠક મળી હતી. આ બેઠકમાં જુલાઈ-૨૦૨૪ થી સપ્ટેમ્બર-૨૦૨૪ માટે રાજ્યની વધુ ૩૩ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે ૭૦,૬૦૦ થી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૯.૫૦ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.આટલું જ નહિ, ઓકટોબર-૨૦૨૪ થી ડિસેમ્બર-૨૦૨૪ના તબક્કા માટેની સહાય મેળવવા ઈચ્છુક ગૌશાળા અને પાંજરાપોળ ઓનલાઇન અરજી કરી શકે તેવા આશય સાથે તા. ૧ થી ૧૫ જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ…

Read More