Author: devarshi

(જી.એન.એસ) તા.૨ હિંમતનગર, (જીતુ ઉપાધ્યાય ફોટો દક્ષ ભટ્ટ)રાયગઢ ની શ્રી એન. જી.જોશી હાઇસ્કુલમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સ્કાઉટ ગાઈડ બાળકોની રાજ્યપાલ એવોર્ડ માટેની રાજ્ય પુરસ્કાર પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં સાબરકાંઠા જિલ્લાના રાજ્ય પુરસ્કાર પરીક્ષા માં સ્કાઉટ બાલવીરોની સંખ્યા ૩૨  અને ગાઈડ વીર બાળાઓની સંખ્યા ૧૬ અને રેન્જર બાળાઓની સંખ્યા ૦૨  એમ કુલ 5૦ સ્કાઉટ – ગાઈડ રેન્જર બાળકોએ રાજયપુરસ્કાર પરીક્ષા સાબરકાંઠા & અરવલ્લી જિલ્લા ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિત ની રાહબરી માં આપી. આ પરીક્ષામાં ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના અધિકારી સ્કાઉટ લીડર ટ્રેનર શ્રી મનહરભાઈ ઠક્કર અને ગાઈડ આસીસ્ટન લીડર ટ્રેનર શ્રીમતી સુશીલાબેન પટેલ  ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લા…

Read More

(જી.એન.એસ) તા.૨ અમદાવાદ, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યની સ્થાનિક પોલીસની મિલીભગત કે જાણ બહાર ચાલતા દારૂના અડ્ડા અને મોટા પ્રમાણમાં થતી હેરફેરના કેસ નોંધવામાં આવે છે. જેમાં વર્ષ 2024 દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં દારૂ અને જુગારના નોંધપાત્ર કેસ નોંધ્યા છે. જેમાં વડોદરા શહેરમાં 1.47 કરોડ રૂપિયાનો રાજ્યનો સૌથી વધુ દારૂ જપ્ત કરાયો હતો. જ્યારે અમદાવાદ શહેરમાં 61 લાખ અને અમદાવાદ ગ્રામ્યમાં 90 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. રાજ્યના વિવિધ રેંજની વાત કરીએ સુરત રેંજમાં સૌથી વધારે 3.92 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરાયો હતો. આ સાથે વર્ષ 2023માં 22.52 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ સમગ્ર રાજ્યમાંથી જપ્ત કરીને કાર્યવાહી…

Read More

(જી.એન.એસ) તા.૨ રાજકોટ, રાજકોટની શાંત અને સલામત તરીકેની છાપ સામે પ્રશ્નો ઉઠાવી લાંછન લગાડતી ઘટના ગઈકાલે થર્ટી ફર્સ્ટની રાત્રે બની હતી. જેમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી કારમાં ઘરે જઈ રહેલા યુગલને આંતરી પોલીસ તરીકેની ઓળખ આપી, અપહરણ કરી, ડરાવી-ધમકાવી, લૂંટ કરી, ખંડણી માગી, યુવતિની છેડતી કરાયાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જેની ગંભીરતા ધ્યાને લઈ ગાંધીગ્રામ-ર પોલીસે તપાસ બાદ શકમંદોને સકંજામાં લીધા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે એક યુવક ગઈકાલે રાત્રે તેની મહિલા મિત્ર સાથે અવધ રોડ પરની હોટલમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીના ભાગરૂપે જમવા ગયો હતો. આ યુગલ રાત્રે હોટલમાંથી જમીને પોતાની કારમાં ઘર તરફ જઈ રહ્યું હતું ત્યારે હોટલેથી…

Read More

(જી.એન.એસ) તા.૨ આણંદ, આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે ગુજરાત વિધાનસભાના ૨૦૨૪-૨૫ના બજેટ સત્રમાં જાહેરાત કરવામાં આવી હતી. ફેબુ્રઆરી મહિનામાં જાહેરાત કર્યા બાદ વારંવાર મનપાના અમલીકરણ અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. તેવામાં નવા વર્ષની શરૂઆતમાં જ આણંદવાસીઓને ભેંટ મળી હતી અને નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા ગમે તે સમયે ગેઝેટ બહાર પાડશે. આણંદ મનપાનો વિસ્તાર ૮૫ સ્ક્વેર કિલોમીટર નક્કી કરાયો છે. મહાનગરપાલિકા બનાવવા માટે ૩ લાખથી વધુની વસ્તી જરૂરી હોય છે. તેવામાં આણંદ પાલિકા વિસ્તાર સાથે વિદ્યાનગર અને કરમસદનો મનપામાં સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવતા સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરદાર પટેલના વતન…

Read More

(જી.એન.એસ) તા.૨ ભાવનગર, ઘોઘા તાલુકાના હાથબ ગામ પાસે એસ.ટી. બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ગંભીર ઇજા થતાં ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત નીપજ્યું હતું પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના લાખણકા ગામના વતની અને હાલ ભાવનગરના તરસમિયા રોડ, ખારસી પાસે આવેલ આવાસ યોજનામાં રહેતા રાજેશભાઈ નારણભાઈ બારૈયા ગઈકાલે સાંજે તેમનું મોટરસાઇકલ નં. જીજે.૦૪ – એક્યુ. ૪૭૪૬ લઈને લાખણકાથી ભાવનગર તરફ આવી રહ્યા હતા ત્યારે હાથબ ગામ પાસે ભાવનગર તરફથી આવી રહેલી એસ.ટી. બસ નં. જી.જે. ૧૮ ઝેડ ૬૪૬૩ સાથે અકસ્માત થતા રાજેશભાઇને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ૧૦૮ એમબ્યુલન્સ મારફતે સારવાર માટે કોળીયાક હોસ્પિટલે ખસેડવામાં…

Read More

(જી.એન.એસ) તા.૨ જામ ખંભાળિયા, કહેવાય છે કે આદર્યા અધૂરા રહે..હરિ કરે સો હોઈ..રાજસ્થાનના અલવરી અને સુરતથી દ્વારકાધીશના દર્શન માટે નીકળેલા બે વેવાઈના પરિવારની ઈનોવા કાર ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર વહેલી સવારે મગફળી ભરીને નનાણાથી ભાટિયા યાર્ડમાં ઠલવવા જઈ રહેલા ટ્રેક્ટર સાથે કાર ટકરાઈ જતાં માતા-પુત્રીના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે એકને પરિવારજનોેને પણ ઇજાઓ થયાનું જાણવા મળ્યું છે. રાજસ્થાનથી વેવાઈના બે પરિવારોના સાત સભ્યો ઈનોવા કારમાં દ્વારકા દર્શનાર્થે દ્વારકા જઈ રહ્યા હતા . તેઓ ખંભાળિયાથી દ્વારકા તરફ જતા હાઈવે માર્ગ પર ભાટીયા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા.આ વખતે સવારે સાડા છ વાગ્યાના સુમારે આ માર્ગ પર નનાણા ગામેથી…

Read More

(જી.એન.એસ) તા.૨ ભુજ, સસ્તા સોનાના નામે અનેક લોકોને બાટલીમાં ઉતારનારા ભુજના ચીટરોએ સુરતના સોની વેપારી બે ભાઇ ભત્રીજાઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા. અને ૫૦૦ ગ્રામ સોનું લેસો તો, બજાર ભાવ કરતાં ૨૫ ટકા ડીસ્કાઉન્ટ સોનું આપવાનું કહી ભુજ બોલાવ્યા બાદ સોનાના બે બિસ્કીટ બતાવીને ભુજમાં તાયબા ટાઉનશીપમાં ૩૧.૬૦ લાખ રૂપિયા ભરેલી બેગ ઝુંટવીને એક રૂમમાં પૂરી બહારથી બંધ કરીને ચીટરો પલાયન થઇ ગયા હતા. એ ડિવિઝન પોલીસ મથકમાં નામચીન પાંચ ચીટરો સામે ગુનો નોંધાવાતાં બે પંટરો પોલીસના રડારમાં આવી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મુળ અમરેલીના હાલ સુરતના કતારગામે રહીને બાપા સીતારામ સિલ્વર પોઇન્ટ નામે જવેલર્સની શોપ ચલાવતા અને હીરા…

Read More

(જી.એન.એસ) તા.૨ અમદાવાદ, અમદાવાદના વાસણા વોર્ડમાં ગ્રીન બેલ્ટ વિસ્તારમાં વિકાસની પરવાનગી આપવામાં આવતા રૃપિયા ૩૪.૭ કરોડના ખર્ચે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા પાણી સમિતિની બેઠકમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. વોર્ડમાં આવેલા હયાત શહીદવન વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં રૃપિયા સાત કરોડના ખર્ચે વીસ લાખ લીટર ક્ષમતાની પાણીની ઓવરહેડટાંકી બનાવવા પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. વાસણા વોર્ડમાં છેવાડાના વિસ્તાર દક્ષિણ પશ્ચિમ તથા પશ્ચિમ ઝોનની હદ જોડે મલાવ તળાવથી વાસણા ગામ સુધીનો વિસ્તાર ગ્રીનબેલ્ટમા આવેલો હતો.આ વિસ્તારમાં વિકાસની પરવાનગી મળતા ટી.પી.સ્કીમ નંબર-૨૬ના ફાઈનલ પ્લોટ નંબર-૩૯૩-૧માં રૃપિયા ૩૪.૭ કરોડના ખર્ચે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા કોન્ટ્રાકટર બી.ડી.સોરઠીયા જેવી લાખાણી એન્જિનિયર્સ એન્ડ ઓર્ગેનાઈઝેશનને કામગીરી…

Read More

(જી.એન.એસ) તા.૨ અમદાવાદ, સરસપુર બાદ વસ્ત્રાલમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં મહેસુલ વિભાગની ઓફિસ સામે પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ટક્કર મારી હતી માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કારના નંબર આધારે વધુ તપાસ હાથ ધરી છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા યુવકે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે આજે સવારે તેમના ૭૫ વર્ષના વૃદ્ધ પિતા પડોશી સાથે વસ્ત્રાલ રિંગ રોડ ઉપર આવેલી મહેસુલ વિભાગની ઓફિસમાં આધાર કાર્ડમાં સુધારો કરવા માટે જઇ રહ્યા…

Read More

(જી.એન.એસ) તા.૨ વડોદરા, માંજલપુર વિસ્તારમાં જ્યુપીટર ચાર રસ્તા પાસે શાકભાજીના વેપારીઓ વચ્ચે જાહેરમાં લાકડીઓથી મારામારી થઇ હતી. આ હુમલામાં ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી. જ્યુપીટર ચાર રસ્તા પાસે મારૃતીધામ સોસાયટીમાં લાલસીભાઇના મકાનમાં રહેતા રામવિલાસ નંદકિશોર સક્સેનાએ વડસર બ્રિજની પાસે રઝા મસ્જિદ પાસે રહેતા અમાનતહુસેન ઉર્ફે પપ્પુ બીલાયતહુસેન શેખ તેમજ તેના બે પુત્રો સલમાન અને રિયાન સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું શાકભાજીનો વેપાર કરું છું. સવારે ટેમ્પો લઇને સયાજીપુરા માર્કેટમાં શાકભાજી લેવા ગયા હતાં ત્યારે શાકભાજીનો ટેમ્પો રિવર્સ લેતા પાછળ અમાનતહુસેને મૂકેલા શાકભાજી પર ટેમ્પાનું વ્હીલ ફરી વળ્યું હતું જેથી તે સમયે ઝઘડો થતાં સમાધાન કર્યું …

Read More