Author: devarshi

(જી.એન.એસ) તા.૧ ગાંધીનગર, ધનવંતરી રથ મારફતે સાપ્તાહિક આરોગ્ય ચકાસણી  કાર્યને રૂબરૂ  નિહાળી જરુરતમંદોના આરોગ્ય માટે થઈ રહેલ કામગીરીને બિરદાવતા જિલ્લા કલેકટરશ્રીરાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, 2009 ની જોગવાઈ મુજબ જિલ્લામાં 6 થી 14 વય જૂથના શાળા બહારના બાળકો માટે વય કક્ષા મુજબની ક્ષમતા સિદ્ધ કરી શિક્ષણના સામાન્ય પ્રવાહમાં જોડાયતે માટે સ્પેશિયલ ટ્રેનીંગનું આયોજન કરવામાં આવે છે.  અન્ય રાજ્યમાંથી કે રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી રોજીરોટી માટે સ્થળાંતર કરીને આવતા વાલીઓના બાળકોને કામના સ્થળે (વર્કસાઈટ) ઉપર જ શિક્ષણ મળી રહે તે હેતુથી ટેન્ટ સ્પેશિયલ ટ્રેનીંગ વર્ગશરૂ કરવામાં આવે છે.શિક્ષણ અને સારું સ્વાસ્થ્ય, આ બંને દરેક નાગરિકને યોગ્ય રીતે મળે તો દેશના વિકાસમાં દરેક વ્યક્તિ…

Read More

(જી.એન.એસ) તા.૧ ગાંધીનગર, ૩૦ ડિસેમ્બર ૨૦૨૪થી ગુણોત્સવ ૨.૦નો રાજ્યવ્યાપી પ્રારંભઆ વર્ષનો ગુણોત્સવ ૨.૦ કુલ ચાર તબક્કામાં યોજાશેવિકસીત રાષ્ટ્રના નિર્માણના પાયામાં શિક્ષણ રહેલું છે. શિક્ષિત રાજ્ય થકી જ વિકસિત દેશની વિભાવના સાર્થક થશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી તેમજ ગુણોત્સવ જેવા શિક્ષણલક્ષી કાર્યક્રમો થકી શિક્ષિત રાજ્ય બનવાની નેમ શરૂ કરી હતી. જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવા દિશા અને વિચારો સાથે આગળ ધપાવી રહ્યા છે. વર્ષ ૨૦૦૯થી ચાલતા ગુણોત્સવમાં શિક્ષણમાં બદલાતા પ્રવાહોનો સમાવેશ કરી વર્ષ ૨૦૧૯થી ગુણોત્સવ ૨.૦ એટલે કે સ્કૂલ એક્રેડિટેશનનું નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪…

Read More

(જી.એન.એસ) તા.૧ ગાંધીનગર, હાલના બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકામાંથી ૮ તાલુકાઓ – ૪ નગરપાલિકાઓનો નવા બનનારા વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાશે*નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીશ્રીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે.હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ ૧૪ તાલુકાઓ ધરાવે છે એટલું જ નહી વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો…

Read More

(જી.એન.એસ) તા.૧ અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠના અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રામ વિસ્તરણ કેન્દ્રના પુસ્તકાલયને અદ્યતન બનાવાશે. યુવાનો આ વાંચનાલયનો મહત્તમ ઉપયોગ કરે એ પ્રકારે તેનો વિકાસ કરાશે. ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી ગૂજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગૂજરાત વિદ્યાપીઠની પ્રવૃત્તિઓનો વ્યાપ વધે અને નાગરિકો વિદ્યાપીઠની સેવાઓનો વિશેષ લાભ લઈ શકે એ પ્રકારે ગૂજરાત વિદ્યાપીઠ મંડળ દ્વારા અનેક સર્જનાત્મક નિર્ણયો લેવાઈ રહ્યા છે.ગૂજરાત વિદ્યાપીઠના આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગ પૂલનો લાભ અનેક નાગરિકો લઈ રહ્યા છે. વિધાપીઠના સંકુલમાં આવેલા આ સ્નાનાગારમાં રૂ. 30 લાખના ખર્ચે નવો અદ્યતન ફિલ્ટરેશન પ્લાન્ટ નાખવાનો નિર્ણય પણ આ બેઠકમાં લેવાયો…

Read More

(જી.એન.એસ) તા.૧ ગાંધીનગર/અમદાવાદ, પહેલા પદવીદાન સમારોહની આચાર્ય ગીદવાણીથી લઈને 70 મા પદવીદાન સમારોહની આચાર્ય દેવવ્રતજી સુધીની તસવીરો : પૂજ્ય ગાંધીજીના 11 મહાવ્રતો પણ અંકિતગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગૂજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક દરમિયાન વિદ્યાપીઠના વર્ષ-2025 ના કેલેન્ડર અને ડાયરીનું વિમોચન કર્યું હતું.ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહ જ્યાં યોજાય છે તે વિધાપીઠ સંકુલમાં આવેલા પ્રાણજીવન વિદ્યાર્થી ભવનની સ્થાપનાને 100 વર્ષ થયા છે. વર્ષ-1925 માં નિર્માણ પામેલા પ્રાણજીવન વિદ્યાર્થી ભવનની શતાબ્દીના આ વર્ષના કેલેન્ડરમાં સીમાચિહ્ન સ્વરૂપ પદવીદાન સમારોહની અલભ્ય તસવીરો મૂકવામાં આવી છે. તા. 12 જૂન, 1922 ના રોજ યોજાયેલા પહેલા પદવીદાન સમારોહમાં આચાર્ય ગીદવાણીજી ઉપસ્થિત રહ્યા હતા. તે…

Read More

(જી.એન.એસ) તા.૧ ગાંધીનગર, ૨૦૨૫માં રાજ્યમાં થશે આ ચાર ઉજવણીસંવિધાનનો અમૃત મહોત્સવ-બંધારણના ૭૫માં વર્ષની ઉજવણી અને કટોકટીના ૫૦ વર્ષ એક ભારત, શ્રેષ્ઠ ભારત’ વિઝન સાથે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી શ્રી અટલ બિહારી વાજપેયીજીના ૧૦૦મા જન્મ જયંતી વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ૨૦૨૫ના વર્ષમાં ઐતિહાસિક જન્મોત્સવ કાર્યક્રમની વિવિધ ઉજવણી જનભાગીદારી સાથે ભવ્ય રીતે થવાની છે. આ ઉજવણીમાં ખાસ કરીને ભારતીય બંધારણના શાશ્વત પણા સાથે રાષ્ટ્ર નેતાઓના આદર્શો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને જન માનસમાં સર્જનાત્મક રીતે ઉજાગર કરવાનાં કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ હેતુસર રચવામાં આવેલી સ્ટીયરીંગ કમિટીની મળેલી પ્રથમ બેઠકમાં આ…

Read More

(જી.એન.એસ) તા.૧ ગાંધીધામ, અંજાર તાલુકાનાં મોટી નાગલપર ગામે બેફામ ખનીજ ચોરી થતી હોવાની હાલમાં જ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદ સંદર્ભે પૂર્વ કચ્છ ખાણ ખનીજ ખાતા દ્વારા કાર્યવાહી કરાઇ હતી. જેમાં પર્યાવરણની મંજૂરી વગર ખલતી ખનન પ્રક્રિયા પર દરોડો પાડી એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મોટી નાગલપરમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃતિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ અંગે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના જિલ્લા પ્રમુખ રોશનઅલી સાંધાણી દ્વારા અંજાર સ્થિત ખાણ ખનીજ કચેરીને લેખિત ફરિયાદ કરી હતી. જેમાં મોટી નાગલપર ગામે ચાલતી બેફામ ખનીજ ચોરીને તાત્કાલિક રોકવા માંગ કરાઇ હતી. જે લેખિત અરજી અને પુરાવા પરથી પૂર્વ કચ્છ ખાણ…

Read More

(જી.એન.એસ) તા.૧ ભાવનગર, પાલીતાણાના ડુંગરપુર ગામે વીજ ચેકીંગ કરવા ગયેલી ટુકડીના અધિકારીઓને લાકડી વડે માર મારી ગાળો આપી અધિકારીઓ ની ગાડી પર માટીના ઢેફાં ફેંકી ઈજા પહોચાડી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભુજ તાલુકાના માધાપર ગામના વાતની અને અને ભુજ પીજીવિસીએલ કચેરીમાં નાયબ ઇજનેર અને વિજિલન્સ ઇન્સટોલેશન ચેકીંગ સ્કવોડમાં ફરજ બજાવતા વિપુલભાઈ રણજીતભાઇ ગાવિત સહિતની ટીમ સાથે ભાવનગર ખાતે આવી પહોચ્યા હતા.અને જૂનાગઢ અને ભાવનગરની વીજ ચેકીંગ ટીમ પોલીસ કોન્સ્ટેબલ સાથે પાલીતાણાના ડુંગરપુર ગામે દિલીપભાઈ ભીમજીભાઇ ડાભીના વિરાના કારખાના કરવા માટે ગયા હતા અને ક્રીમ દ્વારા કાર્ય પ્રણાલી મુજબ વીજ પેકિંગ શરૂ…

Read More

(જી.એન.એસ) તા.૧ સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જીલ્લામાં પહેલા જ પૂર્વરાત્રે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ એ ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં અલગ-અલગ બે જગ્યાએ રેઈડ કરી ઈંગ્લીશ દારૂ સહિતના મુદ્દામાલ સાથે ૮ શખ્સોને ઝડપી પાડયા હતા જ્યારે ૬ શખ્સો હાજર મળી ન આવતા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આ અંગે એસએમસી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી તેમજ કટીંગના બનાવો વધી રહ્યાં છે ફરિયાદોને ધ્યાને લઈ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેઈડ કરી હતી જેમાં ધ્રાંગધ્રા શહેરના મોચીવાડ વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં રેઈડ કરી ઈંગ્લીશ દારૂની ૧૫ બોટલ કિંમત રૂા.૧,૨૦૦, એક વાહન કિંમત રૂા.૩૫,૦૦૦, રોકડ રૂા.૪૦,૨૭૦, ૭ મોબાઈલ…

Read More

(જી.એન.એસ) તા.૧ અમદાવાદ, પૂર્વ વિસ્તારમાં સરસપુર ખાતે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં ૧૦ વર્ષની સગીરા સાઇકલ લઇને સ્કૂલે જતી હતી આ સમયે પૂર ઝડપે આવી રહેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ ખાતાની ગાડીના ચાલકે ટક્કર મારી હતી જેના કારણે ટાયર નીચે આવી જતાં વિદ્યાર્થિનીનુ સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક ઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે ગાડીના ડ્રાઇવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરસપુરમાં રહેતા અને યુવકે ટ્રાફિક ઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણની ગાડીના અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની દસ વર્ષની દિકરી આજે…

Read More