Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૨૫/૦૪/૨૦૨૬)
- આજનું રાશિફળ (૨૪/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૪/૦૪/૨૦૨૬)
- ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી – ૨૦૨૬; સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩ % મતદાન
- તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સ્ટેજ તૈયાર: શું એમકે સ્ટાલિન અને મમતા બેનર્જી પોતાનો પક્ષ રાખશે?
- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ નો નવો આદેશ??
- EU એ યુક્રેન લોન અને રશિયા સામે 20મા પ્રતિબંધ પેકેજને ઔપચારિક રીતે મંજૂરી આપી
- દિલ્હી મેયર ચૂંટણી: ભાજપે પ્રવેશ વાહીને મેયર પદના ઉમેદવાર તરીકે અને મોનિકા પંતને ડેપ્યુટી પદના ઉમેદવાર બનાવ્યા
- ટોમ ક્રૂઝની ‘ટોપ ગન’ ની 40મી વર્ષગાંઠ નિમિત્તે ભારતમાં ફરીથી રિલીઝ થશે
- ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, વિશ્વબંધુ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ
- ભારત અને જર્મની સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા
- ડેનમાર્કમાં બે ટ્રેનો અથડાતા 18 લોકો ઘાયલ થયા
Author: devarshi
છેલ્લા એક દાયકામાં અંદાજે રૂ. ૩.૯૬ લાખ કરોડનું વિદેશી તેમજ રૂ. ૧૮.૪૬ લાખ કરોડનું સ્થાનિક રોકાણ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ-EoDB” અંતર્ગત (જી.એન.એસ) તા. 28 ગુજરાત નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં દેશના જીડીપીમાં નોંધપાત્ર ૮.૨૦ ટકાના યોગદાન સાથે ભારતના આર્થિક વિકાસમાં મુખ્ય ફાળો આપનાર રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૧૫માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વ્યાપાર કરવામાં વધુ સરળતા રહે તે માટે પ્રથમવાર “બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન-BRAP”ની પહેલ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને રાજ્યમાં વ્યવસાય કરવામાં અનુકૂળતા રહે તે માટે “ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ-EoDB”હેઠળ સ્ટેટ /યુટીરેન્કિંગ/એસેસમેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત સરકારના વ્યવસાય અને પ્રજાલક્ષી અભિગમના ફળસ્વરૂપે રાજ્યમાં છેલ્લા એક દાયકામાં એટલે…
છ વર્ષથી નાસતો ફરતો ચીટર આખરે ઝડપાયો સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદથી ઝડપ્યો (જી.એન.એસ) તા. 28 સુરત, સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. છ વર્ષથી નાસતો ફરતા ચીટરને સુરત પોલીસના અધિકારીઓ દ્વારા અમદાવાદના અસારવા ખાતેથી આરોપીને ઝડપી લેવાયો છે. પકડાયેલા આરોપીએ કાપડના એક વેપારી સાથે છેતરપિંડી કરી હતી. તેણે 78 લાખ રૂપિયાથી વધુ રકમની સાડીઓ ખરીદી હતી. દલાલ મારફતે પ્રિન્ટેડ તથા ડાયમંડ વર્કની સાડીઓ ખરીદી હતી. વેપારીને પેમેન્ટ ન ચૂકવીને ચીટર દર્શન ભાગી છૂટ્યો હતો. સલાબતપુરા પોલીસના ચોપડે દર્શન ઠાકોર મોસ્ટ વોન્ટેડ હતો. વેપારી સાથે દર્શને કરેલી ચોરીના કારણે વેપારીની સ્થિતિ નાણાકીય રીતે કથળી ગઈ હતી.…
(જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જઈ શકે છે. આ જાણકારી ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કર્યું કે પીએમ મોદી ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસની મુલાકાત લઈ શકે છે. ડોનાલ્ડ ટ્રંપ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પીએમ મોદીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. અને ટ્રંપે પણ પીએમ મોદીના વખાણ કરતા તેઓ એક સારા નેતા હોવાનું જણાવ્યુ હતુ. અને સમગ્ર દુનિયા તેમને પ્રેમ કરે છે તેમ કહ્યુ હતુ. રાષ્ટ્રપતિ ટ્રંપે પોતે જ પોસ્ટ કરીને એ વાતની માહિતી આપે છે કે પીએમ મોદી આગામી મહિને અમેરિકા આવશે. અને બંને વચ્ચે મુલાકાત થશે. વ્હાઇટ હાઉસમાં મોદી અને ટ્રંપની બેઠક મહત્વપૂર્ણ બની રહેશે.…
(જી.એન.એસ) તા. 28 મુંદ્રા, વહેલી સવારે કચ્છના મુન્દ્રામાં આવેલા સુર્યાનગરના એક ઘરમાં લગાવેલા એસી ના કોમ્પ્રેશરમાં આચનકજ ભયંકર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આખા ઘરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ભીષણ આગથી પિતા અને પુત્રીનું કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે માતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યાં તેમની હાલત ગંભીર છે. આ સમગ્ર મામલે પ્રાપ્ત વિગત અનુસાર મુન્દ્રામાં સુર્યાનગર ખાતે એક ઘરના એસી કમ્પ્રેશરમાં વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના કારણે ઘરમાં સુતેલા પિતા પુત્રી જીવતા જ ભડથું થઇ ગયા હતા.. જ્યારે માતા…
ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાનું લોકાર્પણ, માત્ર 30 દિવસમાં 1500થી વધુ મુલાકાતીઓ આવ્યા છેલ્લા બે વર્ષમાં 2 લાખથી વધુ લોકોએ ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી, 6 થિમેટિક ગૅલેરી બની આકર્ષણનું કેન્દ્ર (જી.એન.એસ) તા. 28 ભુજ, કચ્છના ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા શહેર ભુજમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ હવે ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 25 ડિસેમ્બર 2024ના રોજ ગુડ ગવર્નન્સ નિમિત્તે આ વેધશાળાના ઉદ્ઘાટન થયાના માત્ર 30 દિવસમાં 1500થી વધુ લોકોએ આ વેધશાળાની મુલાકાત લીધી છે. આ વેધશાળા ભારતમાં…
(જી.એન.એસ) તા. 28 અમદાવાદ, અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદશ્રી દિનેશ મકવાણા દ્વારા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવને અનુરોધ કર્યો હતો કે, મહાકુંભ ના પવિત્ર અવસર પર અમદવાદ થી પ્રયાગરાજ જતાં મુસાફરોની વધતી સંખ્યાને કારણે ટ્રેનમાં ટીકીટની અછત થઈ રહી છે. સંજોગોને ધ્યાને લેતા તેઓએ વધુ કોચ ઉમેરવા અને ટ્રેનના ફ્રિકવન્સીમાં પણ વધારો કરવા માટે અનુરોધ કર્યો હતો, તે પછી કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદશ્રી દિનેશ મકવાણા ના અનુરોધ પર તુરંત યોગ્ય પગલાં લેવા મંજુરી આપી હતી જેથી તા. 28/01/2025 થી અમદાવાદ – પ્રયાગરાજ ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે. સાંસદ દિનેશ મકવાણાએ પોતાના અનુરોધ પર તવિરત…
(જી.એન.એસ) તા. 28 ભારત ના વિદેશ સચિવ વિક્રમ મિસ્રી બે દિવસીય ચીનની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે બંને દેશોની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો. વિદેશ સચિવ અને ચીનના નાયબ વિદેશ મંત્રી વચ્ચે વાતચીત માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં સંબંધોને વધુ મજબૂત કરવા માટે કેટલાક જરૂરી પગલાં લેવા પર સહમતિ દર્શાવવામાં આવી હતી. વિદેશ મંત્રાલય એ સોમવારે આ જાણકારી આપી. વિદેશ મંત્રાલયે કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ઓક્ટોબરમાં કઝાનમાં થયેલી બેઠકમાં સંમત થયા મુજબ, બંને પક્ષોએ ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિની વ્યાપક સમીક્ષા…
(જી.એન.એસ) તા. 28 હરપાલપુર, ઝાંસીથી પ્રયાગરાજ જઈ રહેલી ટ્રેન પર અમુક અસામાજીક તત્વો દ્વારા હરપાલપુર સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હુમલાખોરોએ ટ્રેનમાં તોડફોડ કરી અને પથ્થરમારો પણ કર્યો. આ ઘટના ઝાંસી ડિવિઝનના હરપાલપુર સ્ટેશન પર બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટોળાએ ટ્રેન પર એટલો ખતરનાક હુમલો કર્યો કે બોગીમાં સવાર મુસાફરો ડરી ગયા. હુમલા સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભીડમાં ઘણા લોકો ટ્રેનની બોગી પર પથ્થરમારો કરી રહ્યા છે. તેવું કહેવામાં આવી રહ્યું છે કે ભીડ ટ્રેનની…
(જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, હવામાન વિભાગના અહેવાલ મુજબ એક પછી એક બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે. એક 29 જાન્યુઆરીથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરશે. બીજી ફેબ્રુઆરી 2025ના રોજ સક્રિય થશે. પ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 29 જાન્યુઆરીએ હિમાલયના ઉપરના ભાગમાં સક્રિય થશે. આ પછી તરત 1 ફેબ્રુઆરીએ બીજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર જોવા મળશે. બંનેની અસરને કારણે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. જાન્યુઆરીના અંતિમ દિવસોમાં દિલ્હી-NCRમાં વરસાદ પડી શકે છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે વરસાદની પણ શક્યતા છે. આગામી દિવસોમાં તમિલનાડુ, પુડુચેરી, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર અને…
(જી.એન.એસ) તા. 28 ભારતની મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને ICC દ્વારા 2024ની શ્રેષ્ઠ ODI મહિલા ક્રિકેટર તરીકે નો એવોર્ડ આપવામાં આવ્યો છે, મંધાનાને ત્રીજી વખત ICC એવોર્ડ મળ્યો છે. આ પહેલા વર્ષ 2018 અને 2021માં પણ તેમને આ સન્માન મળ્યું હતું. પહેલીવાર વર્ષ 2018માં આ કારનામું કર્યું હતું. આ પછી, 2021માં તેણીએ ફરીથી ICC ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો અને આ વખતે તેણીને વર્ષની શ્રેષ્ઠ ODI ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવી છે. સ્મૃતિ મંધાના પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે જેણે ચાર ICC એવોર્ડ જીત્યા છે. 2018માં, ICC ક્રિકેટર ઓફ ધ યર બનવા ઉપરાંત, મંધાના ICC ODI ક્રિકેટર ઓફ ધ યર પણ…
