Author: devarshi

દિલ્હી પોલીસને ગેરકાયદે બાંગ્લાદેશીઓ, રોહિંગ્યાઓને ભારતમાં પ્રવેશવામાં મદદ કરનારા નેટવર્ક્સ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ  (જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, દેશની રાજધાની ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા કરી હતી તે સમયે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરોને દેશમાં પ્રવેશવામાં, તેમના દસ્તાવેજો બનાવવા અને અહીં રહેવામાં મદદ કરતા સમગ્ર નેટવર્ક સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઘૂસણખોરોનો મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ જોડાયેલો છે અને તે મામલે કડક કાર્યવાહી થવી જોઈએ. તેઓની ઓળખ કરીને તેમનો દેશનિકાલ કરવો જ જોઇએ. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે દિલ્હી પોલીસને ગેરકાયદે…

Read More

(જી.એન.એસ) તા. 28 ખૈબર પખ્તુનખ્વાના, પાકિસ્તાનમાં એકતરફ ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે ત્યારે ખૈબર પખ્તૂનખ્વામાં મદરેસામાં આત્મઘાતી બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં 16 લોકોના મોત થયા છે. હક્કાનિ અને મુલ્લા ઉમર સાથે જોડાયેલી મદરેસામાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં JUI-S નેતા મૌલાના હમીદુલ હક હક્કાની સહિત 16 લોકોના મોત થયા છે.. અકોરા ખટ્ટકમાં મદરેસા-એ-હક્કાનિયામાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ થયો હતો. ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય સચિવ શાહાબ અલી શાહે વિસ્ફોટમાં મદરેસાના સંભાળ રાખનાર અને જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (સામી જૂથ)ના વડા હમીદુલ હક હક્કાનીના મૃત્યુની પુષ્ટિ કરી છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અખોરા ખટ્ટકમાં દારુલ ઉલૂમ હક્કાનીયા મદરેસામાં શુક્રવારની નમાજ દરમિયાન થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં…

Read More

(જી.એન.એસ) તા. 28 ચમોલી, ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં, BRO કેમ્પમાં કામ કરતાં 57 મજૂર દટાયા હોવાની મહી મળતા જ તાતકાલિક ધોરણે ITBP જવાનો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ખૂબ સારી વાત છે કે, ITBP જવાનો દ્વારા બચાવ કામગીરીમાં 10 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ અન્ય દટાયેલા મજૂરોને બચાવવા માટેના પ્રયાસ થઇ રહ્યાં છે. માનામાં ગ્લેશિયર તૂટવાથી હિમસ્ખલનની ઘટના બની છે. સતત વરસાદ અને બરફવર્ષાના કારણે એલર્ટ જાહેર કરાયુ છે. તેમજ અનેક વિસ્તારોમાં રસ્તાઓ વરસાદના કારણે બંધ કરાયા છે. તેમજ NDRF અને…

Read More

(જી.એન.એસ) તા. 28 બેલ્જિયમ, પંજાબ નેશનલ બેંક (PNB) સાથે રૂ. 13,500 કરોડની છેતરપિંડીના કેસમાં મોસ્ટ વોન્ટેડ મેહુલ ચોક્સીએ મુંબઈની એક કોર્ટને જણાવ્યું છે કે તે કેસની સુનાવણી માટે ભારત આવવાની સ્થિતિમાં નથી. પ્રાઆ સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે, હાલમાં બેલ્જિયમમાં રહેતા મેહુલ ચોકસીએ કોર્ટને જણાવ્યું છે કે તેને બ્લડ કેન્સર છે. કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)માં દાખલ કરવામાં આવેલી ખાસ અરજીમાં મેહુલે દાવો કર્યો છે કે તે ક્રોનિક લિમ્ફોસાયટીક લ્યુકેમિયાથી પીડિત છે. મેહુલ ચોક્સીએ પોતાની અરજીમાં પોતાનો મેડિકલ રિપોર્ટ પણ જોડ્યો છે. આ સાથે મેહુલે બેલ્જિયમના એન્ટવર્પના એક ડોક્ટરનો અભિપ્રાય પણ શેર કર્યો છે, જેમાં…

Read More

આ આતંકવાદીઓની પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં રહીને ભારત વિરોધી ગતિવિધિઓમાં સંડોવણી છે (જી.એન.એસ) તા. 28 શ્રીનગર, ભારતીય સેના ના જવાનો દ્વારા સતત એલર્ટ રહીને આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસે રામબન જિલ્લાના ગુલ વિસ્તારમાં હિઝબુલ મુજાહિદ્દીનના પાંચ આતંકવાદીઓની સ્થાવર મિલકતો જપ્ત કરી છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં રહીને ભારત વિરોધી ગતિવિધિઓમાં સંડોવાએલા છે. આ કાર્યવાહી વિષે મળતી માહિતી અનુસાર, ગુલના સેક્શન ઓફિસર દ્વારા જારી કરાયેલા આદેશ હેઠળ જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીર પોલીસ અથવા અન્ય અધિકૃત સંસ્થાઓ દ્વારા પરવાનગી આપવામાં…

Read More

(જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીની આરોગ્ય સેવાઓને લઈને કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ અનુસાર, કોવિડ-19નો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પાસેથી મળેલા 787.91 કરોડ રૂપિયામાંથી માત્ર 582.84 કરોડ રૂપિયા જ ખર્ચવામાં આવ્યા છે, જ્યારે બાકીની રકમ વણવપરાયેલી રહી છે. આ કારણે કોરોના સંકટ દરમિયાન આવશ્યક સુવિધાઓની ભારે અછત હતી. આ રિપોર્ટ મુજબ 6 વર્ષમાં દિલ્હીના સાર્વજનિક સ્વાસ્થ્ય સેવામાં ગંભીર પ્રકારે અસુવિધા તથા નાણાકીય હેરફેર કરવામાં આવી છે. 14 હૉસ્પિટલમાં ICU નથી અને મોહલ્લા ક્લિનિકમાં ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં નથી આવી. આ રિપોર્ટ અનુસાર કોવિડ 19નો સામનો કરવા માટે કેન્દ્ર…

Read More

(જી.એન.એસ) તા. 28 વોશિંગ્ટન, રાષ્ટ્રપતિ ટ્રમ્પની સત્તામાં વાપસી બાદ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથેની આ પહેલી મુલાકાત હશે, જે વૈશ્વિક રાજકારણને પ્રભાવિત કરી શકે છે. આ બેઠકમાં યુક્રેનને અમેરિકાની સહાય, સુરક્ષા ગેરંટી, રશિયા સાથે સંભવિત શાંતિ કરાર અને એક મોટા ખનિજ સોદા અંગે ચર્ચા થવાની શક્યતા છે. એવું માનવામાં આવે છે કે આ બેઠક માત્ર બે દેશો વચ્ચેના સંબંધો પુરતી સીમિત નહીં રહે, પરંતુ વૈશ્વિક સંતુલન પણ બદલી શકે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું હતું કે, યુએસ સાથે આર્થિક કરાર માટે એક માળખું તૈયાર છે, પરંતુ રશિયા સાથેના યુદ્ધમાં કિવ માટે મહત્વપૂર્ણ માનવામાં આવતી યુએસ સુરક્ષા ગેરંટી અંગે નિર્ણય લેવાનો બાકી છે.…

Read More

(જી.એન.એસ) તા. 28 હોલિવૂડ સિંગર કેટી પૈરી એક એવા સ્પેસ મિશનમાં સામેલ થવાના છે જેમાં અમેરિકાની અનેક દિગ્ગજ મહિલાઓ પણ હશે. આ મિશનની અમેરિકી અરબપતિ જૈફ બેજોસની પત્ની કરી રહી છે. હોલિવૂડ સિંગર કેટી પૈરી અને અન્ય મહિલાઓ જે અવકાશ મિશન પર જવાના છે તે જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનનું એક મિશન છે, જેનું નામ NS-31 મિશન છે. આ મિશનની સૌથી ખાસ વાત એ હશે કે મિશન માટે જઈ રહેલા ન્યૂ શેપર્ડ અવકાશયાનમાં ફક્ત મહિલાઓ જ હશે. આ મિશનનું નેતૃત્વ જેફ બેઝોસની પત્ની અને ભૂતપૂર્વ ન્યૂઝ રિપોર્ટર લોરેન સાંચેઝ કરશે. સાંચેઝએ જ આ પ્રતિષ્ઠિત ટીમને એકઠી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી…

Read More

(જી.એન.એસ) તા. 28 ભારત સહિત ચાર દેશોમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્રણ કલાકમાં, ભારત, નેપાળ, તિબેટ અને પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. ભારતમાં, પટનાના લોકોને સવારે 2.35 વાગ્યે જોરદાર ભૂકંપનો અનુભવ થયો, ત્યારબાદ લોકો તેમના ઘરની બહાર નીકળી આવ્યા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, નેપાળના બાગમતી પ્રાંતમાં પણ સવારે 2.35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળનો બાગમતી પ્રાંત બિહારના મુઝફ્ફરપુરથી 189 કિલોમીટર ઉત્તરમાં આવેલો છે. આ ભૂકંપમાં કોઈ જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. આ ભૂકંપના આંચકા માત્ર નેપાળમાં જ નહીં પરંતુ પડોશી દેશ તિબેટમાં પણ…

Read More

(જી.એન.એસ) તા. 27 આ વર્ષે ઈદના અવસર પર બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાનની નવી ફિલ્મ ‘સિકંદર’ રીલીઝ થવાની છે તે પહેલા ફિલ્મમેકર્સ દ્વારા તેનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું હતું. ‘ગજની’ના દિગ્દર્શક એઆર મુરુગદાસ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં સલમાન અને રશ્મિકા પહેલીવાર સાથે જોવા મળશે. ટીઝરમાં ભાઈજાનનો સ્વેગ જોઈ શકાય છે. તે ખુબ જ સુંદર લાગી રહ્યો છે. એવું લાગે છે કે તે આ ઈદ પર બોક્સ ઓફિસ પર ચોક્કસપણે ધમાલ મચાવશે. આ ફિલ્મનો ટીઝર વીડિયો સલમાન ખાનના જોરદાર સંવાદથી શરૂ થાય છે.તે કહે છે,દાદીએ તેનું નામ સિકંદર રાખ્યું,દાદાએ તેનું નામ સંજય રાખ્યું અને લોકોએ તેનું નામ રાજા સાહેબ રાખ્યું.આ દરમિયાન…

Read More