Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૦૯/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૯/૦૫/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસની વાતચીત બાદ ક્યુબાના નેતા નું મોટું નિવેદન
- ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ચુકવણી માટે આવેલ ચેક બાઉન્સ થતા નોટીસ ફટકારવામાં આવી
- હંટાવાયરસનો ચેપ દુર્લભ, ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી!
- ઉત્તર રેલ્વે માટે સુરક્ષા વધારવા અને માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે મુખ્ય કવચ વિસ્તરણને મંજૂરી
- સિંગાપોરે 2025 માં 16.9 મિલિયન પ્રવાસીઓથી SGD 32.8 બિલિયનની કમાણી કરી
- ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
- સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ
- અમદાવાદના વટવામાં ૩૪ વર્ષ અગાઉ થયેલ મહિલાના મૃત્યુ મામલે થયો મોટો ઘટસ્ફોટ
Author: Nikhil Bhatt - Business Editor
Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.
છેલ્લા છ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઈક્વિટી શેરોમાં થયેલું રોકાણ સૌથી નીચા સ્તરે આવ્યું છે. ઓક્ટોબર દરમિયાન ફંડ મેનેજરોએ શેરબજારમાં ખરીદીમાં સાવચેતી દાખવી હતી. બજારમાં સુધારાની સ્થિતિ વચ્ચે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોમાં નવા રોકાણના પ્રવાહમાં પણ ઘટાડો નોંધાયો છે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના આંકડા અનુસાર, ઓક્ટોબર (૩૦ સુધી) મ્યુચ્યુઅલ ફંડોએ ઈક્વિટીમાં રૂ.૧૭,૭૭૮ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું, જે સપ્ટેમ્બરના રૂ.૪૬,૪૪૨ કરોડ અને ઓગસ્ટના રૂ.૭૦,૫૩૪ કરોડની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછું છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ઈક્વિટી રોકાણમાં આ ઘટાડાનું મુખ્ય કારણ નફારૂપી વેચવાલી અને વધેલા વેલ્યુએશન અંગેની ચિંતાઓ છે, કારણ કે શેરબજાર રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચ્યું હતું. વિશ્લેષકોના મતે,…
દેશની બેંકો માટે ફી આધારિત આવક હવે નફાકારકતાનો મહત્વનો સ્ત્રોત બની રહી છે. વ્યાજ માર્જિન (NIM) અને ટ્રેઝરી આવક પર વધતા દબાણ વચ્ચે, ફી આવકમાં થઈ રહેલી વૃદ્ધિ બેંકોના કુલ નફામાં સહાયક સાબિત થઈ રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એચડીએફસી બેંકે છેલ્લા ત્રિમાસિકમાં ફી આવકમાં ૨૫ ટકાથી વધુનો ઉછાળો નોંધાવ્યો છે. ટોચની જાહેર ક્ષેત્રની અને ખાનગી બેંકોએ ૩૧ ડિસેમ્બરે પૂર્ણ થયેલા ત્રિમાસિકમાં અનુક્રમે ૧૬ ટકા અને ૧૯ ટકાનો વધારો નોંધાવ્યો હતો. આ સમયગાળો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા વ્યાજદર ઘટાડા શરૂ કરવાના પહેલાનો છેલ્લો ત્રિમાસિક હતો. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, જેમ જેમ બેંકોની લોન અને બેલેન્સશીટનું કદ વધી…
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)ની સરખામણીએ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નો ભારતીય શેરબજારમાં હિસ્સો સતત વધી રહ્યો છે. તાજા આંકડા મુજબ, સપ્ટેમ્બર ત્રિમાસિકના અંતે એનએસઈમાં લિસ્ટેડ કંપનીઓમાં ડીઆઈઆઈનો હિસ્સો ૪૪ બેઝિસ પોઈન્ટ વધીને ૧૮.૨૫ ટકા સુધી પહોંચી ગયો હતો, જ્યારે એફપીઆઈનો હિસ્સો ૩૪ બેઝિસ પોઈન્ટ ઘટીને ૧૬.૭૦ ટકા રહ્યો હતો. બજાર નિષ્ણાતોના મતે, ડીઆઈઆઈના વધેલા હિસ્સાનું મુખ્ય કારણ રિટેલ રોકાણકારો તરફથી મ્યુચ્યુઅલ ફન્ડોમાં સતત થતો ઈન્ફલો છે. રિટેલ રોકાણકારો દ્વારા સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) મારફતે વધતું રોકાણ ઘરેલુ સંસ્થાઓને વધુ સશક્ત બનાવી રહ્યું છે. બીજી બાજુ, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભારતીય શેરોના ઊંચા મૂલ્યાંકનને કારણે વિદેશી રોકાણકારો પોતાના રોકાણ પાછા ખેંચી રહ્યા…
ભારતના સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેક્સ (પીએમઆઈ) ઓક્ટોબરમાં થોડો ઘટીને ૫૮.૯૦ રહ્યો છે, જે સપ્ટેમ્બરમાં ૬૦.૯૦ નોંધાયો હતો. માંગમાં સ્થિરતા અને ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી)માં ઘટાડા છતાં, પીએમઆઈનું સ્તર એકંદરે મજબૂત જળવાયેલું છે. ઓક્ટોબરનો પીએમઆઈ વર્તમાન વર્ષના મે પછીનો સૌથી નીચો રહ્યો છે, જોકે ૫૦ના સ્તરથી ઘણો ઉપર હોવાથી ક્ષેત્રમાં વિસ્તરણ ચાલુ હોવાનું સૂચવે છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા એચએસબીસી ઈન્ડિયા સર્વિસિઝ પીએમઆઈ સર્વે અનુસાર, જીએસટીમાં મળેલી રાહતે સેવા ક્ષેત્રને ટેકો આપ્યો છે, પરંતુ વધતી સ્પર્ધા અને વરસાદને કારણે વિસ્તરણની ગતિ થોડી ધીમી પડી છે. ૫૦થી ઉપરનો પીએમઆઈ સામાન્ય રીતે વૃદ્ધિ દર્શાવે છે. ઓક્ટોબરનો પીએમઆઈ લાંબા ગાળાની સરેરાશ…
વોલેટિલિટીમાં વધારો અને નિયમનકારી સખતાઈમાં તાત્કાલિક વધારો થવાની શક્યતા ઓછી હોવાના કારણે, ગયા મહિને દેશના શેરબજારમાં ડેરિવેટિવ્ઝમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.૫૦૬ ટ્રિલિયન સુધી પહોંચી ૧૨ મહિનાની ઊંચી સપાટીએ નોંધાઈ હતી. બીજી તરફ, કેશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.૧.૦૬ ટ્રિલિયન રહ્યો હતો. વર્ષના પ્રારંભે, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા નોન-બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ પર સાપ્તાહિક કોન્ટ્રેક્ટ્સ બંધ કરવાનું અને વિકલી એક્સપાયરીઝ પર બે દિવસની મર્યાદા લાગુ કરવાનું નિર્ણય લેવાતા, ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ઘટાડો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૪માં ડેરિવેટિવ્ઝમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.૫૩૭ ટ્રિલિયન સાથે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્તર નોંધાયો હતો. વિકલી એક્સપાયરીઝ સંપૂર્ણપણે રદ થવાની સંભાવના અંગેની ચિંતા વચ્ચે ડેરિવેટિવ્ઝ…
ભારતમાં પ્રાઈવેટ ઇક્વિટી (PE) કંપનીઓ હવે સીધા વિદેશી રોકાણ (FDI)ના સૌથી મોટા સ્ત્રોત તરીકે ઉભરી આવી છે અને રોજગાર સર્જનના ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. દેશમાં પ્રાઈવેટ ઇક્વિટીનો પ્રવેશ હજી પણ મર્યાદિત છે, પરંતુ ભારત છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઓળખાતું હોવાથી, આગામી વર્ષોમાં આ ક્ષેત્ર માટે વિશાળ તકો સર્જાઈ રહી છે. ઉદ્યોગના વરિષ્ઠ સૂત્રોના કહેવા મુજબ, ભારત ખાનગી ઇક્વિટીની વૈશ્વિક માંગમાં અગ્રેસર બનવાનું સંભાવન ધરાવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી ભારત વૈકલ્પિક રોકાણ માટે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું બજાર રહ્યું છે. આનો એક મુખ્ય કારણ એ છે કે દેશે નાના…
સપ્ટેમ્બર મહિનામાં વિક્રમી સ્તરે પહોંચ્યા બાદ, ઓક્ટોબરમાં ઈ-વે બિલ્સની સંખ્યા ૪ ટકા ઘટીને ૧૨.૬૮ કરોડ પર આવી છે. તેમ છતાં, વાર્ષિક ધોરણે તેમાં ૮.૨૦ ટકાનો વધારો નોંધાયો છે, જે વ્યાપારિક પ્રવૃત્તિઓમાં સતત સક્રિયતા દર્શાવે છે. સપ્ટેમ્બર મહિનામાં ઈ-વે બિલ્સની સંખ્યા ૧૩.૨૦ કરોડ રહી હતી – અત્યાર સુધીની સર્વોચ્ચ. તે સમય દરમિયાન નવરાત્રિ અને તહેવારોની શરૂઆત સાથે જીએસટીમાં ઘટાડાના કારણે માલસામાનની હેરફેરમાં તેજી જોવા મળી હતી. દિવાળી પહેલાં વેપારીઓ દ્વારા મોટા પાયે સ્ટોકિંગ (ભંડાર એકત્ર કરવાનું) કરવામાં આવ્યું, જેના પરિણામે સપ્ટેમ્બરમાં બિલ્સની સંખ્યા ઉંચી રહી. ઓક્ટોબરનો આ આંકડો ઈ-વે બિલ્સ જનરેશનના ઈતિહાસમાં ચોથા ક્રમે ઊંચો છે. વેરા દરોમાં થતા ફેરફારો ઉદ્યોગોને…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૪૦૪ સામે ૮૪૩૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૯૦૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૩૯૩૮ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૩૧ સામે ૨૬૦૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૮૯૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
છેલ્લા દસ વર્ષથી ઉભરતા બજારોમાં સૌથી વધુ વળતર આપનારા ભારતીય શેરબજારોની તેજી હવે ધીમી પડી રહી છે. જ્યારે ચાઈના અને તાઈવાન જેવા સાથી દેશો ફરી કમબેક કરી રહ્યા છે. માર્કેટ વિશ્લેષકોનું માનવું છે કે સ્થાનિક રોકાણકારોની મજબૂત હાજરી છતાં બજાર હાલમાં કોન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશી રહ્યું છે. છેલ્લા ૧૨ મહિનામાં MSCI ચાઈના ઈન્ડેક્સ ૩૫% અને MSCI ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સ ૨૬% વધ્યા છે, જ્યારે MSCI ઈન્ડિયા ઈન્ડેક્સ ડોલર ધોરણે લગભગ સ્થિર રહ્યો છે. આ તુલનામાં ભારતનો દેખાવ સુસ્ત જણાઈ રહ્યો છે. ઓક્ટોબર ૨૦૨૦થી ઓક્ટોબર ૨૦૨૫ વચ્ચે ભારતીય ઈક્વિટીએ વાર્ષિક ધોરણે ૧૩.૭%નો વધારો નોંધાવ્યો હતો, જ્યારે સમકક્ષ MSCI ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સ માત્ર ૫%થી…
વર્લ્ડ બેંકના તાજેતરના કોમોડિટી માર્કેટ્સ આઉટલૂક રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૬ સુધી વૈશ્વિક કોમોડિટીના ભાવ છ વર્ષના તળિયે પહોંચી શકે છે. આ સતત ચોથા વર્ષે ઘટાડો દર્શાવશે. વૈશ્વિક ટ્રેડમાં અનિશ્ચિતતા, ક્રુડ ઓઈલના વધતા પુરવઠા અને નીતિગત અસ્થિરતા વચ્ચે નબળો આર્થિક વિકાસ કોમોડિટી બજારોમાં દબાણ લાવી રહ્યો છે. વર્લ્ડ બેંકના અંદાજ મુજબ, ૨૦૨૫ અને ૨૦૨૬ દરમિયાન કોમોડિટી ભાવોમાં સરેરાશ ૭% સુધીનો ઘટાડો થઈ શકે છે. વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી ઈન્દરમીત ગિલે જણાવ્યું કે, કોમોડિટી બજારોએ વૈશ્વિક અર્થતંત્રને ટૂંકા ગાળામાં સ્થિર બનાવવામાં મદદ કરી છે, પરંતુ આ રાહત લાંબા સમય સુધી ટકી શકશે નહીં. તેમણે સરકારોને સલાહ આપી કે આ અનુકૂળ પરિસ્થિતિનો ઉપયોગ…
