Author: dhrumit

(G.N.S) Dt. 16 ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ બન્યા તે પહેલાં ૩૫ વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રે સક્રિય રહ્યા છે. તેઓ ગુરુકુલ પરંપરાથી વિદ્યાર્થીઓને શિક્ષિત કરતા રહ્યા છે. તેમનું મુખ્ય ગુરુકુલ હરિયાણાના કુરુક્ષેત્રમાં છે, જ્યારે અન્ય ચાર રેસિડેન્શિયલ ગુરુકુલ હરિયાણાના વિવિધ સ્થળોએ આવેલા છે, જ્યાં અંદાજે ૪૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે તેઓ આજે પણ સતત સંપર્કમાં છે. શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્ય પ્રત્યે પ્રતિબદ્ધ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આગામી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આ લેખના માધ્યમથી વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. તમામ વિદ્યાર્થી અને તેમના વાલીઓને આ લેખ અત્યંત ઉપયોગી થશે. ——————————— વિદ્યાર્થી જીવનમાં પરીક્ષા એક મહત્વપૂર્ણ…

Read More

પ્રાકૃતિક ખેતી દ્વારા ક્રાંતિ : હરિયાણામાં ખજૂર, અંજીર, સફરજન અને ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી રાજ્યપાલશ્રીએ ગુરુકુલ ફાર્મમાં વિકસાવેલું પ્રાકૃતિક ખેતીનું મિશ્ર પાક મૉડલ ભારતીય કૃષિ માટે પ્રેરણાદાયક છે : વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી (જી.એન.એસ) તા. 16 કુરુક્ષેત્ર, હરિયાણાની ધરતી પર હવે ખજૂર, અંજીર, સફરજન અને ડ્રેગન ફ્રૂટ જેવી ખેતી હકીકત બની રહી છે. આ અશક્ય લાગતું કાર્ય ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રયોગો અને પ્રયાસોથી શક્ય બન્યું છે, જે સંપૂર્ણપણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું પરિણામ છે. આ અનન્ય મૉડલના અવલોકન માટે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી રવિવારે ગુરુકુલ ફાર્મની મુલાકાતે પધાર્યા હતા. તેમણે આ પદ્ધતિને ખેતીમાં નવી…

Read More

120થી વધુ દેશોના નીતિ નિર્માતાઓ અને વૈશ્વિક સીઈઓ, પ્રદર્શકો, આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લેશે (જી.એન.એસ) તા. 15 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (16 ફેબ્રુઆરી) રવિવારના રોજ સાંજે 4 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. ભારત ટેક્સ 2025 એક મેગા ગ્લોબલ ઇવેન્ટ, જે 14-17 ફેબ્રુઆરી દરમિયાન ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે, તે અનોખી છે કારણ કે તે કાચા માલથી લઈને તૈયાર ઉત્પાદનો સહિત એક્સેસરીઝ સુધીની સમગ્ર કાપડ મૂલ્ય શૃંખલાને એક જ છત નીચે લાવે છે. ભારત ટેક્સ પ્લેટફોર્મ એ કાપડ ઉદ્યોગનો સૌથી મોટો અને સૌથી વ્યાપક કાર્યક્રમ છે. જેમાં બે સ્થળોએ ફેલાયેલો મેગા એક્સ્પો છે અને સમગ્ર…

Read More

આજે મતદાન પહેલા  213 બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઇ ચુકી છે 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો માટેની સામાન્ય અને 2 નગરપાલિકાઓના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે (જી.એન.એસ) તા. 15 આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે તેના માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી છે. રાજ્યમાં જૂનાગઢ, કઠલાલ, કપડવંજ, ગાંધીનગર, બોટાદ, અને વાંકાનેરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે મતદાન યોજાશે. આવતીકાલે રવિવારે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી EVM દ્વારા મતદાન થશે. જ્યારે 18મી ફેબ્રુઆરી, 2025ના રોજ મત ગણતરી હાથ ધરાશે અને 21મી, ફેબ્રુઆરીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. રાજ્યમાં 66 નગરપાલિકાઓના 461…

Read More

(જી.એન.એસ) તા. 16 મુંબઈ, કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ મુંબઈ, મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાત દરમિયાન અંધેરીમાં ESIC હોસ્પિટલ અને ડિરેક્ટોરેટ જનરલ, ફેક્ટરી એડવાઈસ એન્ડ લેબર ઇન્સ્ટિટ્યૂટ (DGFASLI)ની મુલાકાત લીધી. ESIC હોસ્પિટલની મુલાકાત દરમિયાન ડૉ. માંડવિયાએ નોંધણી કાઉન્ટર, ધન્વંતરી મોડ્યુલ હેઠળ ઓનલાઇન નોંધણી સુવિધા, ડેન્ટલ યુનિટ અને આંતરિક દવા વિભાગ સહિત વિવિધ સુવિધાઓનું મૂલ્યાંકન કર્યું. તેમણે દર્દીઓ અને સ્ટાફ સાથે વાતચીત કરીને તેમના અનુભવો અને પૂરી પાડવામાં આવતી સેવાઓ અંગે પ્રતિસાદ જાણ્યા હતા. વીમાધારક કામદારોને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા, તેમણે અધિકારીઓને કાર્યક્ષમ તબીબી સેવા વિતરણને પ્રાથમિકતા આપવા…

Read More

(G.N.S) dt. 16 કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે (16 ફેબ્રુઆરી, 2025) મુંબઈમાં ‘ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાયકલ’ કાર્યક્રમમાં વિવિધ રાઈડર્સ સાથે જોડાશે. ‘ઓબેસિટી સામે લડો’ થીમને આગળ ધપાવતા, મુંબઈમાં સવારે 7 વાગ્યાથી ગેટવે ઓફ ઈન્ડિયાથી ગિરગાંવ ચોપાટી સુધી સાયકલિંગ ડ્રાઈવ રાઈડ યોજાશે. સાયકલિંગ ઇવેન્ટમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી સાથે લાઈફ કોચ અને ફિટ ઈન્ડિયા એમ્બેસેડર ડૉ. મિકી મહેતા,; ભારતીય ફેશન ડિઝાઇનર અને સામાજિક કાર્યકર શાઇના નાના ચુડાસમા,; BYCS ઈન્ડિયા ફાઉન્ડેશનના ડિરેક્ટર અને સીઈઓ ડૉ. ભૈરવી નાયક જોશી; મહારાષ્ટ્ર રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી કૃષ્ણ પ્રકાશ; અને મહારાષ્ટ્ર રાજ્યના ઉપ-લોકાયુક્ત શ્રી સંજય ભાટિયા; મહારાષ્ટ્ર યોગ…

Read More

રેરા-ટ્રિબ્યુનલનો યુઝર ફ્રેન્ડલી એપ્રોચ; ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી ઓનલાઈન થશે (જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન અને વિકાસ માટે તથા ખાસ કરીને મકાન વેગેરે ધારણકર્તા એલોટિઝનું હિત જાળવવા સાથે પક્ષકારો વચ્ચેના વિવાદના ઝડપી અસરકારક નિકાલ માટે ૨૦૧૬થી ધી રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ઘડ્યો છે. ગુજરાતમાં ૧ મે-૨૦૧૭થી અમલી થયેલા આ કાયદાની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ(રેરા ટ્રિબ્યુનલ)ની સ્થાપના કરી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ રેરા ટ્રિબ્યુનલની વિવિધ કાર્યવાહીને ઓનલાઈન અને સરળ બનાવતાં યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલનું લોન્ચિંગ ટ્રિબ્યુનલના ચેરમેન નિવૃત્ત ચીફ જસ્ટિસ શ્રી આર.એમ. છાયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કર્યું…

Read More

ભારત 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે તૈયાર છે ઉત્તરાખંડના દરેક જિલ્લામાં રમતગમતની માળખાગત સુવિધા પૂરી પાડીને, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેવભૂમિને, ‘ખેલ ભૂમિ’ પણ બનાવી (જી.એન.એસ) તા. 15 હલ્દવાની, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ઉત્તરાખંડનાં હલ્દવાનીમાં મુખ્ય અતિથિ તરીકે 38માં ‘રાષ્ટ્રીય રમતો’નાં સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી, મેઘાલયનાં મુખ્યમંત્રી શ્રી કોનરાડ સંગમા અને કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી શ્રી અજય ટમ્ટા સહિત અન્ય કેટલાંક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, 38મા રાષ્ટ્રીય રમતોના સફળ…

Read More

(જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી ‘પ્રાણી કલ્યાણ પખવાડીયા ૨૦૨૫’ તેમજ ‘પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસ’ની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ પખવાડીયાનો શુભારંભ ૧૪ જાન્યુઆરી ૨૦૨૫એ કરવામાં આવ્યો હતો જેનો સમયગાળો વધારીને ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાં આધુનિક પશુપાલન પદ્ધતિઓ અંગે નાગરીકોમાં જનજાગૃતિ વધારવા અને પશુધનના કલ્યાણને પ્રોત્સાહન આપવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, “પ્રાણી કલ્યાણ પખવાડીયા- ૨૦૨૫” અંતર્ગત જનજાગૃતિ માટે પશુપાલકો અને દૂરના ગામડાઓમાં વસતા નાગરીકોમાં પ્રાણી કલ્યાણ અંગે જાગૃતિ આવે…

Read More

પોલીસમાં ખાલી જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું બીજા ફેઝની 14,283 પદ પરની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર-2026 સુધીમાં પૂર્ણ કરાશે (જી.એન.એસ) તા. 15 અમદાવાદ/ગાંધીનગર, ગુજરાતમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 14 હજારથી વધુ પદ પર ભરતી જાહેર કરાશે. બીજા ફેઝની 14,283 પદ પરની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર-2026 સુધીમાં પૂર્ણ કરાશે. પોલીસમાં ખાલી રહેલ જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું કરી આ માહિતી આપવામાં આવી છે. આ બાબતે મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 14 હજારથી વધુ પદ પર ભરતી જાહેર કરાશે. પોલીસમાં ખાલી પડેલી જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન…

Read More