Author: dhrumit

કેન્દ્રીય મંત્રીશ્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન ખાતે રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન-આધારિત શહેરી રહેઠાણોના જમીન સર્વેક્ષણનો પ્રારંભ કરશે (જી.એન.એસ) તા. 17 રાયસેન, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન ખાતે 26 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ના 152 શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB)માં રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન-આધારિત ભૂમિ સર્વેક્ષણ શહેરી રહેઠાણ (NAKSHA)નું ઉદ્ઘાટન કરશે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના ભૂમિ સંસાધન વિભાગે આ પાયલોટ કાર્યક્રમ શરૂ કર્યો છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સંદેશાવ્યવહાર રાજ્યમંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, મધ્યપ્રદેશના મહેસૂલ મંત્રી શ્રી કરણ સિંહ વર્મા, પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રી…

Read More

(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી/જયપુર, ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર, આજે (18 ફેબ્રુઆરી, 2025) મંગળવાર ના રોજ રાજસ્થાનના જયપુરના એક દિવસીય પ્રવાસ પર રહેશે. તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ રાજસ્થાનના જયપુરમાં FORTI (રાજસ્થાન વેપાર અને ઉદ્યોગ ફેડરેશન) ના “રાષ્ટ્ર નિર્માણ: ઉદ્યોગસાહસિકોની ભૂમિકા” વિષય પરના કોન્ક્લેવમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે.

Read More

વર્ષ ૨૦૨૪-૨૫માં ચણાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.૫૬૫૦ અને રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.૫૯૫૦ ટેકાનો ભાવ જાહેર કરાયો (જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.આ માટે તા.૧૮.૦૨.૨૦૨૫ થી તા.૦૯.૦૩.૨૦૨૫ સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. ત્યાર બાદ વિવિધ ખરીદી કેન્દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદી આગામી તા.૧૪ માર્ચ ૨૦૨૫ના રોજથી કરવામાં આવશે,જેનો રાજ્યના ખેડૂતોએ વધુમાં વધુ લાભ લેવા સંયુક્ત…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનો એસ.ટીના કર્મચારીઓ માટે સવેદનશીલ નિર્ણય  (જી.એન.એસ) તા. 17 ગાંધીનગર/અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમના કર્મયોગીઓ માટે સંવેદનશીલ નિર્ણય કર્યો છે, જે અંતર્ગત એસ.ટીના કર્મચારીનું ચાલુ નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને રૂ.૧૪/- લાખની સહાય આપવામાં આવશે તેમ, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને પહોચાડવા માટે એસ.ટી નિગમના કર્મચારીઓ કોઈ પણ તહેવારની રજા લીધા વિના ફરજ પર હર હમેશ નિષ્ઠાથી કાર્યરત રહે છે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના…

Read More

સુરત ગ્રામ્યના ૬૯ પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશંસનિય કામગીરી બદલ રૂ.૪.૮૫ લાખ રોકડ રકમ પ્રોત્સાહક ઇનામરૂપે અપાશે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય (જી.એન.એસ) તા. 17 સુરત, સુરત ગ્રામ્યના કોસંબા વિસ્તારમાં સગીરા પર સામુહિક દુષ્કર્મના ગુનામાં આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કડક સજા અપાવી પીડિતા અને તેના પરિવારને ઝડપી ન્યાય અપાવવામાં પોલીસને સફળતા મળી છે. આ ગુનામાં બારીકાઇથી તપાસ કરી ગુનેગારોને કડક સજા અપાવવા માટે સુરત ગ્રામ્ય પોલીસે કરેલી પ્રશંસનિય કામગીરી બદલ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે ૬૯ પોલીસ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને રૂ.૪.૮૫ લાખ રોકડ રકમ પ્રોત્સાહક ઇનામરૂપે આપવાની જાહેરાત કરી છે. સુરત ગ્રામ્યના કોસંબા વિસ્તારમાં તા.૮મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ એક નિર્દોષ સગીરા પર સામુહિક…

Read More

(જી.એન.એસ) તા. 17 રાંચી, ઝારખંડ રાજ્ય સજા સમીક્ષા બોર્ડની બેઠક રાંચીના કાંકે રોડ ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાન કાર્યાલયમાં મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં પૂર્ણ થઈ. બેઠકમાં રાજ્યની વિવિધ જેલોમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 37 કેદીઓને મુક્ત કરવા અંગે સર્વસંમતિ સધાઈ હતી. બેઠકમાં, મુક્તિ સંબંધિત નવા કેસોની સાથે, ઝારખંડ રાજ્ય સજા સમીક્ષા બોર્ડની અગાઉની બેઠકોમાં નકારાયેલા કેદીઓના કેસોનો પણ પુનર્વિચાર કરવામાં આવ્યો. આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી અવિનાશ કુમાર, ગૃહ, જેલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અગ્ર સચિવ શ્રીમતી વંદના દાદેલ, ડીજીપી શ્રી અનુરાગ ગુપ્તા, ઝારખંડના જેલ મહાનિરીક્ષક શ્રી સુદર્શન પ્રસાદ મંડલ, કાયદા વિભાગના અધિક કાયદા સલાહકાર શ્રી નીરજ કુમાર,…

Read More

અંદાજીત રૂ. 7 કરોડના ખર્ચે રાજ્યની સોલા (અમદાવાદ), ગાંધીનગર, ગોત્રી (વડોદરા), પાટણ, હિંમતનગર, જૂનાગઢ અને વલસાડની GMERS મેડિકલ હોસ્પિટલને હાઇએન્ડ માઇક્રોસ્કોપ મળ્યા, 4 હજારથી વધુ ગામોને ઘર આંગણે વિશ્વસ્તરીય સુવિધાઓનો લાભ મળશે (જી.એન.એસ) તા. 17 ગાંધીનગર/અમદાવાદ, ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગની સેવાઓને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. રાજ્યની 7 GMERS સંલ્ગન હોસ્પિટલમાં અત્યાધુનિક નવીન હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અંદાજીત રૂ. 7 કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવેલ આ હાઇ-એન્ડ માઇક્રોસ્કોપ દર્દીઓની…

Read More

(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ આવકવેરા બિલ 2025ને આવકાર આપ્યો છે, અને તેને ભારતમાં કરવેરા માળખાના આધુનિકીકરણમાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે માન્યતા આપી છે. આ બિલનો ઉદ્દેશ કરવેરાનાં પાલનને સરળ બનાવવાનો, પારદર્શકતા વધારવાનો અને વધારે કાર્યક્ષમ કરવેરા વહીવટ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે. જો કે, આઇસીએસઆઈ સૂચિત આવકવેરા બિલ 2025ની કલમ 515 (3) (બી)માં દર્શાવ્યા મુજબ “એકાઉન્ટન્ટ” ની વ્યાખ્યામાં કંપની સેક્રેટરીઝને સામેલ કરવાની હિમાયત કરી છે. આ બાદબાકીને દેશના નાણાકીય અને પાલન લેન્ડસ્કેપમાં કંપની સેક્રેટરીની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપવામાં ચૂકી ગયેલી તક તરીકે જોવામાં આવે છે. આ વિનંતી કર વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફારો અને 2027 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં અને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સરકારના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. સંસદીય સ્થાયી સમિતિના ભૂતકાળમાં કેટલાક અહેવાલોમાં કંપની સચિવ જેવા વ્યાવસાયિકોને ‘એકાઉન્ટન્ટ’ની વ્યાખ્યામાં સમાવવાની ભલામણ કરવામાં આવી હતી: સરકારની પહેલથી વિવિધ ક્ષેત્રોમાં વિકાસને વેગ મળ્યો છે. જેના પગલે ટાયર 2 અને ટાયર 3 શહેરો સહિત દેશભરમાં કુશળ વ્યાવસાયિકોની માંગમાં વધારો થયો છે. આ વાત પર ભાર મૂકતા, આઇસીએસઆઈના પ્રમુખ સીએસ ધનંજય શુક્લાએ જણાવ્યું હતું કે,”ટેક્સ નિયમોનું પાલન સુનિશ્ચિત કરી શકે તેવા લાયકાત ધરાવતા વ્યાવસાયિકોના વિશાળ સમૂહની આ જરૂરિયાતને પહોંચી વળવા માટે આવકવેરા બિલ 2025માં કંપની સેક્રેટરીઝને ‘એકાઉન્ટન્ટ’ ની વ્યાખ્યામાં સામેલ કરવામાં આવે તે જરૂરી છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને પ્રકારના કરવેરાના કાયદામાં તેમની કુશળતા અને યોગ્યતા તેમને કરવેરાના પરિદ્રશ્યમાં મૂલ્યવાન બનાવે છે અને સમયસર તેનું પાલન કરવા માટે લાયકાત ધરાવતા વ્યાવસાયિકોના વિશાળ ભંડારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.” આઈસીએસઆઈનું માનવું છે કે કંપની સેક્રેટરીઝને “એકાઉન્ટન્ટ”ની વ્યાખ્યામાં સામેલ કરવાથી ભારતમાં કરવેરાનું પાલન કરવાની કાર્યદક્ષતા અને અસરકારકતામાં નોંધપાત્ર પ્રદાન થશે. આઈસીએસઆઈ કરવેરા વ્યવસ્થામાં કંપની સેક્રેટરીઝને અભિન્ન વ્યાવસાયિકો તરીકે માન્યતા આપવાની હિમાયત કરવા માટે કટિબદ્ધ છે અને આ બાબતમાં સરકાર તરફથી સકારાત્મક પ્રતિસાદની આશા રાખે છે.

Read More

(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(17 ફેબ્રુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં કંબોડિયા, માલદીવ, સોમાલિયા, ક્યુબા અને નેપાળના રાજદૂતો/ઉચ્ચાયુક્તો પાસેથી ઓળખપત્રો સ્વીકાર્યા હતા. જેમણે પોતાના ઓળખપત્રો રજૂ કર્યા હતા:- 1. મહામહિમ શ્રીમતી રથ મેની, કંબોડિયાના રાજદૂત 2. મહામહિમ શ્રીમતી એશથ અઝીમા, માલદીવ પ્રજાસત્તાકના ઉચ્ચાયુક્ત 3. મહામહિમ ડૉ. અબ્દુલ્લાહી મોહમ્મદ ઓડોવા, ફેડરલ રિપબ્લિક ઓફ સોમાલિયાના રાજદૂત 4. મહામહિમ શ્રી જુઆન કાર્લોસ માર્સન અગુઈલેરા, ક્યુબા પ્રજાસત્તાકના રાજદૂત 5. મહામહિમ ડૉ. શંકર પ્રસાદ શર્મા, નેપાળના રાજદૂત

Read More

(જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, અમદાવાદ મહાનગરપાલિકાને મળશે નવી ૨૬૭ ઈલેક્ટ્રિક બસ અમદાવાદ સહિત ચાર મહાનગરપાલિકાઓ માટે રૂ.૩૦૯.૭૮ કરોડ *નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ.૧૩.૩૫ કરોડ સહિત ૨૫ કરોડ રૂપિયા મંજૂર દ્વારકા નગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો માટે રૂ.૧૩૧.૭૬ કરોડ ફાળવાશે બેટ દ્વારકા, નાગેશ્વર અને શિવરાજપુર પ્રવાસનધામની મુલાકાતે આવનારા પ્રવાસીઓ તથા દ્વારકાના નગરજનોને ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળશે વિસનગર-પાલનપુર-ટંકારા-કેશોદ-સિદ્ધપુર અને માંડવી નગરપાલિકાઓને કુલ રૂ.૭૦.૪૮ કરોડ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાના હેતુથી શહેરી જનસુખાકારીના કામો માટે નાણાં ફાળવણીનો ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ તેમની સમક્ષ મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને…

Read More