Author: dhrumit

(જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ શ્રી અનિલ મલિકને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પાસેથી સમગ્ર ભારતમાં રીઅલ-ટાઇમ પોષણ સેવા વિતરણમાં ક્રાંતિ લાવનારા પોશન ટ્રેકર માટે પીએમનો જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા (નવીનતા શ્રેણી) માટે એવોર્ડ પ્રાપ્ત થયો. પોષણ ટ્રેકર એ એક મોબાઇલ આધારિત એપ્લિકેશન છે જેનો ઉપયોગ આંગણવાડી કાર્યકરો દ્વારા પોષણ અને બાળ સંભાળ સેવાઓના વિતરણ પર રીઅલ-ટાઇમ ડેટા પ્રદાન કરવા માટે કરવામાં આવે છે.

Read More

(જી.એન.એસ) તા. 20 અમદાવાદ, શહેરના ઘોડાસર-આવકાર હૉલ પાસે સુર્ય નમસ્કાર સર્કલ અમૂલ ખાતે કેસરિયા યૂથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ નો કેમ્પ યોજવામાં આવ્યો હતો તેમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશભાઈ મકવાણા, મણિનગર વિધાસભ્યના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ, ગુજરાત ભાજપના પૂર્વ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, ઇસનપુર વોર્ડના કાઉન્સિલર અને ભાજપ ના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. નિઃ શુલ્ક છાશ વિતરણમાં કેમ્પ અંગે જણાવતા કેસરિયા યૂથ ફેડરેશનના પ્રમુખ શાર્દૂલભાઈ દેસાઈ એ કહ્યું હતું કે છેલ્લા 9 વર્ષથી ઉનાળાની ઋતુમાં દર રવિવારે રાહદારીઓ માટે નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે, જેથી આવતા જતાં લોકોને ભયંકર ગરમીમાં કોઈપણ પ્રકારની આડ અસર ના થાય, તેમજ તેમણે વધુમાં…

Read More

‘૧૦૮ ઇમરજન્સી સેવા’: રાજ્યના નાગરિકોના જીવ બચાવવા અડીખમ રાજ્યમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન, ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન, ૧૧૨ ઇમરજન્સી સેવા જેવી વિવિધ ઇમરજન્સી સેવાઓનો અનેક નાગરિકોએ લીધો લાભ (જી.એન.એસ) તા. 19 ગાંધીનગર, ગુજરાતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી ‘૧૦૮ ઇમરજન્સી સેવા’ની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૭માં રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી અનન્ય આરોગ્યલક્ષી ‘૧૦૮ ઇમરજન્સી સેવા’ આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ પૂરવાર થઇ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યના દરેક શહેરો, જિલ્લા, તાલુકા અને…

Read More

બાવળા તાલુકામાં યોજાશે ત્રિદિવસીય સેચ્યુરેશન કેમ્પ (જી.એન.એસ) તા. 19 અમદાવાદ, બાવળા તાલુકાના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના લાભો એનાયત કરવાના હેતુસર સેચ્યુરેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિવિધ ૪૭ જેટલી સરકારી યોજનાઓના લાભો એનાયત કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગામોમાં તારીખ ૨૦થી ૨૨ એપ્રિલ દરમિયાન ત્રિદિવસીય સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બાવળા તાલુકામાં તારીખ ૨૦મી એપ્રિલના રોજ દુર્ગી પ્રાથમિક શાળા ખાતે દુર્ગી, મેણી, દેવડથલ અને ડુમાલી ગામોના નાગરિકોને, ત્યાર બાદ તારીખ ૨૧મી એપ્રિલના રોજ મેટાલ પ્રાથમિક શાળા ખાતે મેટાલ, દેવધોલેરા, કેશરડી અને બલદાણા…

Read More

પર્યાવરણ સંરક્ષણની દિશામાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય નવા વાહન વેરા દર આગામી તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે (જી.એન.એસ) તા. 19 ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પર્યાવરણના રક્ષણ માટે ગ્રીન ગ્રોથની સંકલ્પનાને સાકાર કરતો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનો પર હાલમાં ૬ ટકા સુધીનો ઉચ્ચક વાહન વેરો અમલમાં છે. સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત આવા વાહનો પર હવે આગામી તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી માત્ર ૧ ટકા લેખે વેરાનો દર રાખવાનો રાજ્ય સરકારે પ્રજા અને પર્યાવરણ હિતલક્ષી નિર્ણય કર્યો છે. આ સુધારા સાથે વેરાના દરમાં વધુ સરળીકરણ માટે મેક્સી કેટેગરીમાં પેસેન્જર વાહનની ક્ષમતા મુજબ…

Read More

(જી.એન.એસ) તા. 19 ગાંધીનગર/અમદાવાદ, આજે 20 એપ્રિલ, 2025 ને રવિવારના રોજ, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની ક્લાસ 1-2ની પરીક્ષા યોજાશે, જેમાં રાજ્યના 21 જિલ્લામાં 97 હજારથી વધુ ઉમેદવારો માટે પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને પોણા બે કલાક વહેલા પ્રવેશ આપવામાં આવશે. GPSCની ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, ‘રાજ્યના 405 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના ઉમેદવારોની હાજરીમાં ઉત્તરવહી પેકિંગ કર્યા બાદ તેમાં સહી લેવામાં આવશે અને પછી પેકિંગની કામગીરી પૂર્ણ થયા બાદ જ ઉમેદવારોને બહાર જવા દેવામાં આવશે. જ્યારે દિવ્યાંગ ઉમેદાવારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાના આયોજનનો લઈને ગત ગુરુવારે દરેક જિલ્લાના અધિકારી સાથે વીડિયો કોન્ફરન્સના…

Read More

(જી.એન.એસ) તા. 19 નવી દિલ્હી, ટ્રાઇ-સર્વિસિસ ફ્યુચર વોરફેર કોર્ષની બીજી આવૃત્તિ 21 એપ્રિલથી 09 મે, 2025 દરમિયાન નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે યોજાશે. આ કોર્ષ હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના નેજા હેઠળ અને ટ્રાઇ-સર્વિસિસ થિંક-ટેન્ક, સેન્ટર ફોર જોઈન્ટ વોરફેર સ્ટડીઝ (CENJOWS) દ્વારા સંકલિત કરવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર 2024માં યોજાયેલા પહેલા કોર્ષની સફળતાના આધારે, આ વિસ્તૃત ત્રણ અઠવાડિયાનો કાર્યક્રમ ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણના આધુનિક યુદ્ધના જટિલ પડકારો માટે અધિકારીઓને તૈયાર કરવાના વિઝનને ચાલુ રાખે છે. આ કોર્ષ તેના રેન્ક-અજ્ઞેયવાદી અભિગમને જાળવી રાખે છે, જોકે તેમાં ઉન્નત અને વૈવિધ્યસભર ભાગીદારી છે. આ આવૃત્તિમાં લશ્કરી કામગીરીમાં વિશિષ્ટ વિષયો અને ડોમેન-વિશિષ્ટ યુદ્ધ વિકાસને આવરી લેતો ઉન્નત અભ્યાસક્રમ છે. તે ટેકનોલોજી દ્વારા યુદ્ધ લડાઈને કેવી…

Read More

બધા દેશવાસીઓ સારો આહાર, પૂરતું પાણી, પૂરતી ઊંઘ અને નિયમિત કસરત કરે, બાકી મોદી સરકાર તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખવાની જવાબદારી લેશે (જી.એન.એસ) તા. 19 નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં વિશ્વ લીવર દિવસનાં પ્રસંગે ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર એન્ડ બિલિયરી સાયન્સિસ (આઇએલબીએસ) દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે દિલ્હીનાં લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનયકુમાર સક્સેના અને મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, લીવર આપણા શરીરમાં અને તેને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણા શરીરના…

Read More

જિલ્લા સંકલનમાં રજૂ કરાયેલાં પ્રશ્નોનું સત્વરે હકારાત્મક નિરાકરણ લાવીએ: જિલ્લા કલેક્ટર સુજિત કુમાર (જી.એન.એસ) તા. 19 અમદાવાદ, અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી સુજિત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યશ્રીઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રી સુજિત કુમારે જણાવ્યું હતું કે સંકલનની બેઠકમાં પ્રજાના પ્રશ્નોનું પદાધિકારી દ્વારા રજૂ થાય છે. જેનું નિયત સમય મર્યાદામાં નિકાલ થાય તે જરૂરી છે, તેમણે સંકલનના અધિકારીઓને સત્વરે નિયમાનુસાર હકારાત્મક નિરાકરણ માટે તાકીદ કરી હતી. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરે રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ સંબધિત ઇ-કેવાયસીની ઝૂંબેશમાં પદાધિકારીઓને સહયોગ આપવા અપીલ…

Read More

૧૧મા પદવીદાન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ ૧૦૪ મેડલ આપી સન્માનિત કરાશે (જી.એન.એસ) તા. 19 ગાંધીનગર, ગુજરાત સરકાર સંચાલિત કામધેનુ યુનિવર્સિટીનો ૧૧મો પદવીદાન સમારોહ આગામી તા.૨૪ એપ્રિલ-૨૦૨૫ના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં સવારે ૧૧:૦૦ કલાકે, ટાઉન હોલ, સેક્ટર-૧૭, ગાંધીનગર ખાતે યોજાશે. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દીક્ષાંત પ્રવચન આપશે. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ મુખ્ય મહેમાન પદે જમ્મુની શેર-એ-કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. બી.એન. ત્રિપાઠી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. પદવીદાન સમારંભમાં કામધેનુ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના ૫૮૧ વિદ્યાર્થીઓ, અનુસ્નાતક કક્ષાના ૯૪ વિદ્યાર્થીઓને અને પીએચ.ડી.ના ૬૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત…

Read More