Author: dhrumit

ગુજરાતમાં વર્ષ ૨૦૨૩માં ઓરીના લગભગ ૪,૦૦૦ કેસની સામે વર્ષ ૨૦૨૪માં ઘટીને ૪૭૧ કેસ નોંધાયા (જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી/ગાંધીનગર, ‘મિઝલ્સ અને રૂબેલા નાબુદી અભિયાન ૨૦૨૫-૨૬’ અંતર્ગત નાગરિકોમાં જાગૃતિ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાજી દ્વારા રાષ્ટ્રવ્યાપી અભિયાનનો નવી દિલ્હીથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ‘ઓરી અને રૂબેલા નાબૂદી અભિયાન સંબંધિત જાગૃતિ માટે પુસ્તિકા જેવી કે પત્રિકા, પોસ્ટર વગેરેનું પણ મંત્રી શ્રી જે. પી. નડ્ડાજી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના શુભારંભમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં કરવામાં આવતી કામગીરી સાર્વત્રિક રસીકરણ…

Read More

(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, સહકારી સંસ્થાઓના ચેરમેન-હોદેદારોના મોંઘા વાહન ખરીદી પર રોક:  ભેટ મર્યાદામાં વધારો થતા સભાસદોને પ્રોત્સાહન મળશે  રાજ્યકક્ષાની મંડળીઓ રૂા. ૬૦૦૦ના બદલે રૂા. ૧૦,૦૦૦ની મર્યાદામાં સભાસદોને ભેટ આપી શકશે  ગુજરાતની ૮૯,૦૦૦થી વધુ સહકારી મંડળીઓના સભાસદોને લાભ મળશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના કરોડો સભાસદોના હિતમાં અનેકવિધ નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના સભાસદો મંડળીઓ સાથે જોડાઈ રહે તે માટે સભાસદ ભેટ મર્યાદામાં ૬૬% થી લઈને ૧૫૦ % જેટલો વધારો કરવામાં આવ્યો છે તેમ સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું. મંત્રી શ્રી વિશ્વકર્માએ કહ્યું હતું કે,…

Read More

(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગને થોડા સમય પહેલા બગોદરા હાઈવે પાસે કચરા- ગંદકીની બાબતે સુઓ મોટો કોગ્નિજન્સ ધ્યાને આવી હતી. જે સંદર્ભે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે સ્વચ્છતા જળવાય તે માટે સ્થાનિક સંબંધિત સત્તામંડળોને નિર્દેશ કરતો હુકમ બહાર પાડ્યો હતો તેમ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગની યાદીમાં જણાવાયું હતું. જેમાં ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ, ગાંધીનગર દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા હતાં તે સંદર્ભે કલેક્ટર કક્ષાએ એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં બગોદરા હાઇવે ઉપર કચરાની ગંદકી દુર કરવા બાબતે એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્લાન મુજબ તમામ સ્થાનિક સત્તામંડળોને કાર્યવાહી કરવા…

Read More

(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ)એ મેઘાલય પોલીસ સાથે સમજૂતી કરાર કર્યા છે. આ સમજૂતી કરાર પર આરઆરયુના વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડો.) બિમલ એન. પટેલ અને આઈપીએસ (ડીજી મેઘાલય પોલીસ) શ્રીમતી ઇદાશીશા નોંગરંગે એ હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે આરઆરયુના ડીન એકેડેમિક્સ ડો. જસબીરકૌર થધાણી, શ્રી ભવાનીસિંહ રાઠોડ, ડાયરેક્ટર આઈ/સી, એસ.આઈ.એસ.એસ.પી., આર.આર.યુ. શ્રી ડાલ્ટન પી. મરાક, આઈપીએસ (આઈજીપી એસબી); શ્રી ડેવિસ એનઆર મરાક, આઈપીએસ (ડીઆઈજી ઇસ્ટર્ન રેન્જ); શ્રીમતી જુબી મોમીન, આઈપીએસ (ડીઆઈજી એડમિન); શ્રી વિવેક સાયમ, આઈપીએસ (એસપી, પૂર્વ ખાસી હિલ્સ); અને આઈપીએસ (પ્રિન્સિપાલ મેઘાલય પોલીસ એકેડેમી) શ્રી લાકાડોર સીયમ ઉપસ્થિત રહ્યા હતા. આ સમજૂતી હેઠળ, બંને સંસ્થાઓ તેમની સંબંધિત સંસ્થાઓના અધિકારીઓને પરસ્પર તમામ પ્રકારની સહાય પૂરી પાડશે. આ અંતર્ગત, યુનિવર્સિટી મેઘાલય પોલીસને તેમની જરૂરિયાતો અનુસાર શિક્ષણ, સંશોધન, શિક્ષણ અને પરામર્શ પ્રદાન કરશે, જ્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મેઘાલય પોલીસમાં તેમની ઇન્ટર્નશિપ અને વર્કશોપની તક મળશે.…

Read More

(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, ગુજરાત સરકારના મેલેરિયા નિર્મૂલન માટેના અથાગ પ્રયત્નો થકી તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓ સહિત રાજ્યનો મેલેરિયા પોઝિટિવ દર ૧,૦૦૦ની વસ્તીએ ૦૧થી નીચે નોંધાયો છે. જેના પરિણામે ગુજરાતનો સમગ્ર દેશમાં “મેલેરિયા નિર્મૂલન” અંતર્ગત કેટેગરી-૨માંથી ૧માં સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યમાંથી મેલેરિયા નિર્મૂલન માટે સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરિયાનું નિદાન અને સારવાર મફત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૪માં આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયાના નિદાન માટે અંદાજે ૧.૮૧ કરોડ કરતાં વધુ તાવના દર્દીઓ શોધી, લોહીના નમૂના એકત્રિત કરીને નિ:શુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું,…

Read More

મોદી સરકારે હાથ ધરેલી તમામ રમતગમતની પહેલો એથ્લેટ-કેન્દ્રિત છે – ડો. માંડવિયા (જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે ડિજિલોકર મારફતે રમતગમતના પ્રમાણપત્રો આપવાનો શુભારંભ કરાવ્યો હતો. લોકાર્પણ પૂર્વે તેમણે આ જ સ્થળે નેશનલ સેન્ટર ફોર સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ રિસર્ચ (એનસીએસએસઆર)નું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ડૉ. માંડવિયાએ રમતવીરોના કલ્યાણ માટે સરકારની કટિબદ્ધતાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, મોદી સરકારે હાથ ધરેલી તમામ રમતગમતની પહેલો એથ્લેટ- કેન્દ્રિત છે. નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024, ડ્રાફ્ટ નેશનલ સ્પોર્ટ્સ પોલિસી 2024 અને નેશનલ કોડ અગેઇન્સ્ટ એજ ફ્રોડ ઇન સ્પોર્ટ્સ (એનસીએએએએફએસ) 2025ના ડ્રાફ્ટનું ઉદાહરણ ટાંકીને મંત્રીએ…

Read More

140 કરોડ ભારતીયોની ઇચ્છાશક્તિ હવે આતંકવાદના દોષિતોની કમર તોડી નાખશે: પ્રધાનમંત્રી (જી.એન.એસ) તા. 24 મધુબની, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનાં પ્રસંગે બિહારનાં મધુબનીમાં રૂ. 13,480 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં દરેકને 22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામ હુમલામાં દિવંગત આત્માઓ માટે મૌન પાળવા અને પ્રાર્થના કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, પંચાયતી રાજ દિવસનાં પ્રસંગે સમગ્ર દેશ મિથિલા અને બિહાર સાથે જોડાયેલો છે. તેમણે નોંધ્યું હતું કે, બિહારનાં વિકાસને ધ્યાનમાં રાખીને હજારો કરોડ રૂપિયાની કિંમતનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વીજળી, રેલવે અને માળખાગત…

Read More

મુખ્યમંત્રીશ્રીએ શોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી (જી.એન.એસ) તા. 24 ભાવનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુ:ખદ અવસાન થયું છે. તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શોક સંતૃપ્ત પરિવારજનોને ઘરે જઈ પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આતંકવાદી હુમલામાં માર્યા…

Read More

વાઘા-અટારી બોર્ડર બંધ થતાં પાકિસ્તાનની પરિસ્થિ વધુ કફોળી બનશે, આશરે ત્રણ હજાર કરોડના વેપારને અસર (જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, ભારતના જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરન ખીણમાં આતંકવાદી હુમલા દરમિયાન 28 લોકોના મોત બાદ, ભારત સરકારે ઘણા મોટા અને કડક નિર્ણયો લીધા છે, જેથી હવે કંગાળ પાકિસ્તાન ની કમર તૂટી જશે તે નિશ્ચિત છે. બુધવારે યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠકમાં, 1960 ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનની જીવાદોરી કહેવાતી સિંધુ અને તેની સહાયક નદીઓના પાણી પર ભારત નિયંત્રણ મેળવતાંની સાથે જ ત્યાંના લોકો પાણી માટે ટળવળશે.સિંધુ અને તેની ઉપનદીઓ ચાર દેશોમાંથી…

Read More

પ્રધાનમંત્રી આ પ્રસંગે વિશેષ કેટેગરીના રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2025 પણ એનાયત કરશે, આ પ્રસંગે રૂ. 13,500 કરોડનાં મૂલ્યનાં ઇન્ફ્રા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે (જી.એન.એસ) તા. 23 મધુબની, આજે સમગ્ર દેશ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ (એનપીઆરડી)ની ઉજવણી કરશે. જેમાં 73માં બંધારણીય સુધારા કાયદા, 1992ના 32 વર્ષ પૂર્ણ થશે, જેણે પંચાયતોને ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે બંધારણીય દરજ્જો આપ્યો છે. મુખ્ય સમારંભનું આયોજન બિહારનાં મધુબની જિલ્લામાં ઝંઝરપુર બ્લોકમાં લોહાણા ઉત્તરપ્રદેશ ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સમગ્ર દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ) અને ગ્રામસભાઓને સંબોધિત કરશે તથા વિશેષ કેટેગરીના રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2025 પણ એનાયત કરશે. ચાલુ વર્ષે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસને “સંપૂર્ણ સરકાર” અભિગમ મારફતે એક મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે ઉજવવામાં આવે…

Read More