Author: dhrumit

(જી.એન.એસ) તા. 14 અમદાવાદ, પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા 13 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદમાં પેન્શનર્સ જાગૃતિ કાર્યક્રમ અને 10મો બેંકર્સ જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અધ્યક્ષતા પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (P&PW)ના સચિવ શ્રી વી. શ્રીનિવાસ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમોમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોના 350થી વધુ કેન્દ્ર સરકારના પેન્શનર્સ અને પંજાબ નેશનલ બેંક (PNB)ના આઠ સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર્સ (CPPCs)ના અધિકારીઓ સહિત 80 બેંકરોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમો અમદાવાદ અને વડોદરાના પેન્શનર્સ કલ્યાણ સંગઠનોના સહયોગથી યોજવામાં આવ્યા હતા.

Read More

(જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘હિન્દી દિવસ-૨૦૨૫’ અને ‘પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલન’નો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. સમારોહના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે હિન્દી ભાષા પ્રેમીઓને આવકારતા કહ્યું કે, ‘હિન્દી’ એ અન્ય ભારતીય ભાષાઓની હરીફ નથી પરંતુ મિત્ર છે. અગાઉ અખિલ ભારતીય રાજભાષા સંમેલન દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાતું હતું. જેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા અને છેલ્લા પાંચ વર્ષથી આ કાર્યક્રમ દેશના વિવિધ ભાગોમાં યોજાઈ રહ્યો છે. પરિણામે, આપણને રાજભાષા અને દેશની બધી ભાષાઓ વચ્ચે સંચાર વધારવાની ખૂબ જ સારી તક મળી છે.…

Read More

ટ્રમ્પના ૧૦૦% ટેરિફના ધમકી પર ચીને વળતો પ્રહાર કર્યો (જી.એન.એસ) તા. 14 બીજિંગ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બેઇજિંગ પર ૫૦-૧૦૦ ટકા ટેરિફ લાદવાના નાટોના પ્રસ્તાવ બાદ, ચીને કહ્યું કે યુદ્ધો સમસ્યાઓનું નિરાકરણ લાવી શકતા નથી અને ભાર મૂક્યો કે પ્રતિબંધો ફક્ત તેમને જટિલ બનાવશે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ સ્લોવેનિયાની રાજ્ય મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ચીન યુદ્ધોમાં ભાગ લેતું નથી કે ભાગ લેતું નથી. રશિયા સાથેના ગાઢ સંબંધો માટે બેઇજિંગ પર ૫૦-૧૦૦% ટેરિફ લાદવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના આહ્વાન પર ચીને અમેરિકા પર પ્રહાર કર્યા છે. ચીન યુદ્ધોમાં ભાગ લેતું નથી કે યોજના બનાવતું નથી “ચીન એક જવાબદાર…

Read More

(જી.એન.એસ) તા. 14 કિવ, રવિવારે જનરલ સ્ટાફના ચીફ એન્ડ્રી હનાટોવના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે યુક્રેન રશિયન ડ્રોન હુમલા દરમિયાન મોબાઇલ સંદેશાવ્યવહારની ગુણવત્તામાં ઇરાદાપૂર્વક ઘટાડો કરી શકે છે જેથી હુમલાઓનું સંકલન કરવા માટે ઉપયોગમાં લેવાતા નેટવર્ક્સને રોકવામાં આવે. યુદ્ધના સાડા ત્રણ વર્ષ પછી, રશિયાએ તાજેતરના મહિનાઓમાં યુક્રેન પર ડ્રોન હુમલાઓ વધારી દીધા છે, તેની ટેકનોલોજીમાં વધારો કર્યો છે અને વ્યૂહાત્મક લક્ષ્યો અને મુખ્ય માળખાગત સુવિધાઓને મહત્તમ નુકસાન પહોંચાડવા માટે તૈનાત ડ્રોનની સંખ્યામાં વધારો કર્યો છે. “આ મોબાઇલ સંદેશાવ્યવહારમાં વિક્ષેપ નથી, પરંતુ 4G અને 5G સંદેશાવ્યવહાર પર પ્રતિબંધ જેવા ચોક્કસ ક્ષેત્રોમાં સંદેશાવ્યવહારની ગુણવત્તા પર પ્રતિબંધ છે,” હનાટોવે યુક્રેનિયન ઓનલાઈન વિડિઓ ચેનલ…

Read More

(જી.એન.એસ) તા. 14 અમદાવાદ, સામાજિક કાર્યો સાથે જોડાયેલી શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા એક ચેરિટી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા દીકરી શિક્ષણની મહત્તા સમજાવતું પારિવારીક મનોરંજક નાટક ‘દીકરી મારી લાજવાબ’નો ચેરિટી શો આયોજિત કરવામાં આવ્યો, જેનો હેતુ જરૂરિયાતમંદ બાળકોના શૈક્ષણિક ઉત્થાન માટે ભંડોળ એકત્રિત કરવાની સાથેસાથે નવા લોકોને સંસ્થા સાથે જોડવાનો રહ્યો હતો. ચેરિટી શો પ્રસંગે ડ્રીમ ફાઉન્ડશનના ફાઉન્ડર નિરવ શાહે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું, “ડ્રીમ ફાઉન્ડેશન ખાતે અમારો ઉદ્દેશ ઝાઝા હાથ રળિયામાણા ઉક્તિને સાર્થક કરવાનો રહેલો છે. જેટલા વધુ લોકો અમારી સંસ્થા સાથે જોડાશે તેટલી જ દૂર સુધી સંસ્થા પહોંચી શકશે. ચેરિટી શોના…

Read More

(જી.એન.એસ) તા. ૪ નવી દિલ્હી/ભાવનગર, ભાવનગર જિલ્લાના પાંચ ગામ તથા તેમના એલ ઓ તરીકે તલાટી કમ મંત્રી શ્રી શૈલેશભાઈ ડી સોલંકી દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની ત્રણ દિવસની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની તાલીમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ પ્રાપ્ત કર્યું છે. આ કાર્યક્રમ પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ મજબૂત અને ગ્રામીણ વિકાસને વધુ સારી રીતે વેગ મળે તે માટે ખાસ આયોજિત કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરાયેલા સરપંચો માંથી વાવડી ગામના સરપંચ શ્રી તથા તલાટી કમ મંત્રીશ્રી માટે આ એક મોટી ગૌરવની વાત છે. આ તાલીમથી વાવડી ગામના વિકાસ કાર્યોમાં વધુ અસરકારક અને લોકજાગૃતિ મળે તે રીતે અમલમાં મૂકવા માટે જરૂરી…

Read More

(જી.એન.એસ) તા. ૩૧ અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રીશ્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના દ્વારા કર્ણાવતી મહાનગરને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી હતી. રવિવારે સવારે લાલ દરવાજા વિસ્તારમાં અતિ પ્રાચીન નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન કર્યા હતા તેમજ ત્યાર બાદ પુનઃવિકસિત લાલ દરવાજામાં સરદાર બાગનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેની સાથે જ અમદાવાદ મહાનગરમાં વિકાસની ગતિને વધુ વેગ મળશે. 12 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સરદારબાગનું લોકાર્પણ કર્યું છે. તે પછી ઘાટલોડિયા વોર્ડમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘એક પેડ મા…

Read More

(જી.એન.એસ) તા. 28 કિવ, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અલાસ્કામાં વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી ત્યારથી રશિયાએ કિવ પર સૌથી ઘાતક હુમલો કર્યો છે, કારણ કે રશિયન રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસ દ્વારા પ્રતિબંધોની ધમકીઓનો વિરોધ કરી રહ્યા છે અને યુક્રેન પર યુદ્ધ ચાલુ રાખી રહ્યા છે. ટ્રમ્પ-પુતિન શિખર સંમેલન પછી રશિયાએ કિવ પર સૌથી ઘાતક હુમલો કર્યો છે. યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે વહેલી સવારે યુક્રેનની રાજધાનીમાં રશિયાના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા, જેમાં 629 મિસાઇલો અને હુમલાના ડ્રોનનો સમાવેશ થાય છે. યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું હતું કે તેણે તેમાંથી 589 લોકોને તોડી પાડ્યા છે. “રશિયનો યુદ્ધનો અંત…

Read More

ટેકાના ભાવે વેચાણનો મહત્તમ ખેડૂતો લાભ લઇ શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે અત્યારથી જ નોંધણી શરૂ કરાઇ: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ (જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, ષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પૂરા પાડવાના આશય સાથે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ વિવિધ જણશીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ચાલુ સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે વેચાણનો લાભ લઇ શકે તે માટે અગાઉથી જ મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની નોંધણી શરુ કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા…

Read More

રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં વિવિધ રમતોમાં ભાગ લઈને મેડલ પ્રાપ્ત કરનારા ૮૧ દિવ્યાંગ ખેલાડીઓને રૂ.૮ કરોડથી વધુની રકમ સાથે પુરુસ્કૃત કર્યા (જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, યુવાનો અને દિવ્યાંગોમાં રમત-ગમત પ્રત્યે જાગૃતિ આવે, તેમનામાં રમતના કૌશલ્યો વિકસે, ખેલદિલીની ભાવના વધુ દ્રઢ થાય તે હેતુથી ગુજરાતમાં ખેલ મહાકુંભ, શક્તિદૂત, ઇન્સ્કૂલ જેવી અનેક યોજનાઓ દ્વારા રાજ્ય સરકાર તેમનો જુસ્સો વધારી રહી છે. છેલ્લા બે વર્ષમાં દિવ્યાંગ-પેરા ખેલાડીઓએ ૪૪ ગોલ્ડ, ૪૪ સિલ્વર અને ૫૨ બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં વિવિધ રમતોમાં ભાગ લઈને મેડલ પ્રાપ્ત કરનારા ૮૧ પેરા ખેલાડીઓને કુલ રૂ.૮ કરોડથી વધુની…

Read More