Author: dhrumit

(જી.એન.એસ) તા. 22 વોશિંગટન, યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ જણાવ્યું હતું કે, શુક્રવારે દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકા વચ્ચે સ્થિત ડ્રેક પેસેજ ક્ષેત્રમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. અગાઉ, ભૂકંપની તીવ્રતા 8 ની આસપાસ હોવાની ધારણા હતી, પરંતુ USGS એ પાછળથી તેને 7.5 ની તીવ્રતા આપી હતી. જોકે, જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GRCG) એ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી હતી. બીજી તરફ, ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ ભૂકંપની તીવ્રતા 7.4 માપી હતી. દરમિયાન, ભૂકંપ શુક્રવારે ભારતીય માનક સમય (IST) અનુસાર સવારે 7.46 વાગ્યે 60.26 S અક્ષાંશ અને 61.85 W રેખાંશ પર 10.8 કિમીની ઊંડાઈએ…

Read More

(જી.એન.એસ) તા. ૨૨ આ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 07 સપ્ટેમ્બરના (Chandra Grahan 2025) રોજ થશે. આ ગ્રહણ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં કુંભ રાશિમાં થવાનું છે. ગ્રહણ દરમિયાન સૂર્ય અને ચંદ્રનો યુતિ કુંભ રાશિમાં બનશે. ચંદ્રગ્રહણ (Chandra Grahan 2025) એક ખગોળીય ઘટના હોવાની સાથે મેષથી મીન રાશિ સુધી અસર કરશે. જ્યોતિષીની ગણતરીઓ અનુસાર, ચંદ્રગ્રહણ (Chandra Grahan 2025) નો શુભ પ્રભાવ કેટલીક રાશિઓ પર પડશે અને આ રાશિઓને નાણાકીય લાભ મળશે. આ સાથે સંપત્તિમાં વધારો થશે અને જમીન, મિલકત અને વાહન સુખ પ્રાપ્ત થઈ શકે છે. 1. મેષ – મેષ રાશિ માટે ચંદ્રગ્રહણ (Chandra Grahan 2025) શુભ રહેવાનું છે. ગ્રહણના પ્રભાવને કારણે,…

Read More

તિથિ ચતુર્દશી (ચૌદસ) – 11:58:02 સુધી નક્ષત્ર આશ્લેષા – 24:17:32 સુધી કરણ શકુની – 11:58:02 સુધી, ચતુષ્પદા – 23:44:16 સુધી પક્ષ કૃષ્ણ યોગ વરિયાન – 14:35:17 સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:18:11 સૂર્યાસ્ત 19:06:30 ચંદ્ર રાશિ કર્ક – 24:17:32 સુધી ચંદ્રોદય 30:10:00 ચંદ્રાસ્ત 18:41:00 ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 6 મહિનો પૂર્ણિમાંત ભાદ્રપદ (ભાદરવો) મહિનો અમાંત શ્રાવણ દિન કાળ 12:48:19 અશુભ સમય દુર મુહુર્ત 08:51:50 થી 09:43:04 ના, 13:07:57 થી 13:59:10 ના કુલિક 08:51:50 થી 09:43:04 ના દુરી / મરણ 13:59:10 થી 14:50:23 ના રાહુ કાળ 11:06:18 થી 12:42:20 ના કાલવેલા/અર્ધ્યામ 15:41:36 થી 16:32:50 ના…

Read More

મેષ આજના દિવસે તમારે વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહેવાનું છે અને સ્વસ્થ રહેવા માટે હૅલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે. આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મુકશે. આ પરમ સુખને માણો. કાનું ટૅન્શને તમારા મગજને હજી પણ ઘેરો ઘાલ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી. આજે તમે તમારા કામ થી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો. તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું. વૃષભ આજે જીવન પ્રત્યેનો ગંભીર…

Read More

તિથિ ત્રયોદશી (તેરસ) – 12:46:51 સુધી નક્ષત્ર પુષ્ય – 24:09:24 સુધી કરણ વાણિજ – 12:46:51 સુધી, વિષ્ટિ ભદ્ર – 24:19:04 સુધી પક્ષ કૃષ્ણ યોગ વ્યતાપતા – 16:14:05 સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:17:50 સૂર્યાસ્ત 19:07:21 ચંદ્ર રાશિ કર્ક ચંદ્રોદય 29:11:00 ચંદ્રાસ્ત 18:00:00 ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 5 મહિનો પૂર્ણિમાંત ભાદ્રપદ (ભાદરવો) મહિનો અમાંત શ્રાવણ દિન કાળ 12:49:31 અશુભ સમય દુર મુહુર્ત 10:34:20 થી 11:25:38 ના, 15:42:08 થી 16:33:26 ના કુલિક 10:34:20 થી 11:25:38 ના દુરી / મરણ 15:42:08 થી 16:33:26 ના રાહુ કાળ 14:18:46 થી 15:54:58 ના કાલવેલા/અર્ધ્યામ 17:24:44 થી 18:16:02 ના…

Read More

(જી.એન.એસ) તા. ૨૦ ભારતે બુધવારે ઓડિશાના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ ‘અગ્નિ 5’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ પ્રક્ષેપણથી તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણો માન્ય થયા. આ પરીક્ષણ પ્રક્ષેપણ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. “સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના નેજા હેઠળ હાથ ધરવામાં આવેલા, આ પ્રક્ષેપણથી મિસાઇલના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણો માન્ય થયા, જે દેશની વ્યૂહાત્મક પ્રતિરોધક ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.” સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. અગ્નિ શ્રેણીની સૌથી અદ્યતન મિસાઇલ લાંબા અંતરની, પરમાણુ-સક્ષમ બેલિસ્ટિક મિસાઇલ, અગ્નિ-5 ભારતની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) દ્વારા વિકસાવવામાં આવી છે. આ અગ્નિ શ્રેણીની સૌથી અદ્યતન…

Read More

રાજ્યના નાગરિકો તથા ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ-અસોસિયેશનના હોદ્દેદારો તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં પોતાનો અભિપ્રાય આપી શકશે  (જી.એન.એસ) તા. ૨૦ ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા ફુડ સેફ્ટી અને સ્ટાન્‍ડર્ડસ એક્ટ, ૨૦૦૬ કેન્દ્રિય અધિનિયમ નં. ૩૪ ઓફ ૨૦૦૬ના અસરકારક અમલ માટે રાજ્યના પરિપેક્ષ્યમાં ખાસ જરૂરિયાતો અનુરૂપ રાજ્યકક્ષાએ તેમાંની કેટલીક દંડનીય જોગવાઇઓમાં સુધારા તેમજ વિચારણા કરવામાં આવી છે. જેના ભાગરૂપે જાહેર જનતાને સલામત અને ગુણવતા સભર ખોરાક મળી રહે તે હેતુથી નાગરિકો તથા ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ-અસોસિયેશનના હોદ્દેદારો પાસેથી પોતાનો અભિપ્રાય-સૂચનો મંગાવવામાં આવ્યા છે એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયું છે કે, આરોગ્ય અને…

Read More

NMEO-OPના વિવિધ ઘટકો હેઠળ રાજ્યના ખેડૂતોને અત્યાર સુધીમાં કુલ રૂ. ૧૨૨ લાખથી વધુની સહાય ચૂકવાઈ (જી.એન.એસ) તા. ૨૦ ગાંધીનગર, ભારતમાં ખાદ્ય તેલની માંગ દિન-પ્રતિદિન સતત વધી રહી છે. આ માંગને પહોંચી વળવા માટે ભારતે અન્ય દેશો પાસેથી મોટા પ્રમાણમાં ખાદ્ય તેલની આયાત કરવી પડે છે, જેનાથી વિદેશી હૂંડિયામણનો મોટો ખર્ચ થાય છે. ખાદ્ય તેલનું સ્થાનિક ઉત્પાદન વધારીને આ પડકારનો સામનો કરવા અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવાના શુભ આશય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧માં રાષ્ટ્રવ્યાપી “નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ-ઓઈલ પામ” (NMEO-OP) અમલમાં મૂક્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત આ મિશનમાં એક અગ્રણી રાજ્ય તરીકે…

Read More

નાણાકીય વર્ષ 2022-23માં ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ₹29,700 કરોડનું માતબર રોકાણ નોંધાયું (જી.એન.એસ) તા. ૨૦ ગાંધીનગર, ભારતમાં ઓટોમોટિવ ક્ષેત્રે ક્રાંતિ આવી છે તેમાં ગુજરાતનો મોટો ફાળો છે. ગુજરાત તેના વ્યૂહાત્મક સ્થાન, મજબૂત માળખાકીય સુવિધાઓ અને રોકાણને અનુકૂળ નીતિઓને પગલે અન્ય રાજ્યોની સરખામણીમાં ઓટો કંપનીઓની પહેલી પસંદ બન્યું છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સુઝુકી મોટર્સ ગુજરાતના કારણે આજે આ ક્ષેત્ર ભારતના અગ્રણી ઓટોમોટિવ ઉત્પાદન કેન્દ્રો પૈકીનું એક બન્યું છે. સુઝુકી મોટર્સ ગુજરાતે 7.5 લાખ કાર યુનિટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે ગુજરાતને વૈશ્વિક ઓટો હબ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સફળતા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પણ પ્રદર્શિત થશે. નોંધનીય છે કે,…

Read More

(જી.એન.એસ) તા. ૨૦ અમદાવાદ, અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરી નાખતાં ચકચાર મચી ગઈ છે. એક સામાન્ય ધક્કા-મુક્કીની ઘટનાએ આ ગંભીર સ્વરૂપ લીધું હતું. આ સમગ્ર મામલાની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. પોલીસે આ કેસમાં બે સગીરોની અટકાયત પણ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ઘટના એક અઠવાડિયા પહેલા શાળામાં થયેલા એક નાના ઝઘડાની અદાવત કારણભૂત હતી. શાળા છૂટ્યા બાદ, હુમલાખોર કિશોરે પોતાની બેગમાંથી છરી કાઢીને નયન પર હુમલો કર્યો હતો. શરૂઆતમાં, પોલીસને એવું લાગ્યું હતું કે…

Read More