Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૯/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૯/૦૪/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસના પ્રેસ ડિનર શૂટર પર ડોનાલ્ડ ટ્રમ્પની ‘હત્યાના પ્રયાસ’નો આરોપ સાથે કાર્યવાહી
- હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાની ઈરાનની ‘શરતી’ યોજનાને અમેરિકાએ નકારી કાઢી,
- દક્ષિણ સુદાનની રાજધાની જુબા નજીક એક નાનું વિમાન ક્રેશ; ૧૪ લોકોના મોત
- ઈરાન પરમાણુ શસ્ત્રો વિના પણ સુપરપાવરની જેમ કાર્ય કરે છે: અનવર ગર્ગાશ- યુએઈના રાષ્ટ્રપતિના સલાહકાર
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
Author: dhrumit
(G.N.S) Dt. 30 ગાંધીનગર, વધુમાં વધુ ખેડૂતો આ પવિત્ર મિશનમાં જોડાય તેવા પ્રયાસો કરીએ: કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા અર્થે લોકભવન ખાતે બેઠક યોજાઈ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરમાં લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, લોકોમાં આજે પણ એવી માનસિકતા વ્યાપક છે કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન ઘટશે અને દેશની ખાદ્ય સુરક્ષા સામે સંકટ ઊભું થશે. પરંતુ આ માન્યતા…
(જી.એન.એસ) તા. ૩૦ ગાંધીનગર, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રીના અધ્યક્ષસ્થાને પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે સામાન્ય સભાની બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરના વહીવટ, કર્મચારી કલ્યાણ અને નગર નિયોજનને લગતા કુલ ૧૦ એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા, જે તમામ કામોને હાજર કાઉન્સિલરશ્રીઓ દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. સભામાં લેવાયેલા નીતિવિષયક નિર્ણયોમાં, શહેરની બસ સેવા અને પરિવહનના અસરકારક સંચાલન માટે જાહેર કંપની તરીકે ‘સ્પેશિયલ પર્પઝ વ્હીકલ’ (SPV) ની રચના કરવાની કમિશનરશ્રીની ભલામણ સ્વીકારવામાં આવી છે. આ સાથે જ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરતા નિર્ણયમાં, NPS યોજના અંતર્ગત ૧૦% ફાળાની સામે હવે ૧૪% ફાળાનો લાભ આપવા અંગેના ઠરાવને પણ બહાલી આપવામાં…
(જી.એન.એસ) તા. ૩૦ નવી દિલ્હી, જલ સેવા આંકલન દેશભરમાં લાઈવ થતાં જનભાગીદારી, પારદર્શિતા અને ટેકનોલોજીનો સંગમ થયો જલ જીવન મિશન હેઠળ સેવા વિતરણ અને સામુદાયિક માલિકીને મજબૂત કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં, જલ શક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ (DDWS)એ આજે જલ જીવન મિશન (JJM) પોર્ટલ પર ગ્રામ પંચાયતની આગેવાની હેઠળના ડિજિટલ પીવાના પાણીની સેવાની કાર્યક્ષમતા મૂલ્યાંકન સાધન, ‘જલ સેવા આંકલન’નું ઈ-લોન્ચિંગ કર્યું છે. આ પહેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાને બદલે સતત સેવા વિતરણ તરફ એક નિર્ણાયક પરિવર્તન ચિહ્નિત કરે છે, જે ‘હર ઘર જલ’ (HGJ) ગામોમાં પીવાના પાણીના પુરવઠાની નિયમિતતા, પર્યાપ્તતા, ગુણવત્તા અને સ્થિરતાના મૂલ્યાંકનના કેન્દ્રમાં ગ્રામ પંચાયતો અને ગામડાની સંસ્થાઓને રાખે છે. મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતોએ ‘હર ઘર જલ’ સ્ટેટસ…
(G.N.S) Dt. 30 નવી દિલ્હી/સુરત, માત્ર સાત વર્ષની ઉંમરે વિશ્વસ્તરે ભારતનું નામ રોશન કરનાર સુરતની ચેસ ખેલાડી વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાને નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વીર બાલ દિવસની પૂર્વસંધ્યાએ ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પ્રજ્ઞિકાના પિતા સુરતમાં GST અધિકારી તરીકે ફરજ બજાવે છે.તેની આ સિદ્ધિ સુરત અને ગુજરાત માટે ગર્વની ક્ષણ બની છે. સર્બિયામાં આયોજિત FIDE વર્લ્ડ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં તમામ 9 મેચ જીતીને પરફેક્ટ 9/9 સ્કોર સાથે વિશ્વ ખિતાબ જીતનાર પ્રજ્ઞિકાએ નાની વયે જ અસાધારણ પ્રતિભાનો પરિચય આપ્યો છે. તે અનેક વખત ગુજરાત રાજ્ય ચેમ્પિયન રહી ચૂકી છે તેમજ રાષ્ટ્રીય સ્તરે મેડલ વિજેતા બની છે.…
(જી.એન.એસ) તા. ૨૯ અમદાવાદ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુ, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓની પ્રોત્સાહક ઉપસ્થિતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન, વિચાર, કાર્યસંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને આજે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નિહાળ્યો હતો. અમદાવાદના ઘુમા સ્થિત સંસ્કારધામ ખાતે આયોજિત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બાળપણથી લઈને રાષ્ટ્રનિર્માણની યાત્રા સુધીના વિવિધ પડાવોને સંગીત, નૃત્ય, નાટ્ય અને આધુનિક મલ્ટિમીડિયા માધ્યમ દ્વારા અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જાણીતા કલાકાર શ્રી સાઈરામ દવે સહિત કુલ…
નિવૃત્તિ બાદનું જીવન નિરોગી અને પ્રવૃત્તિમય રહે તેવી શુભેચ્છા પાઠવતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.પી.ચુડાસમા (જી.એન.એસ) તા. ૨૯ ગાંધીનગર, પોલીસ ખાતામાં ૩૫ વર્ષની લાંબી સેવાઓ બાદ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી રણજીતસિંહ સોલંકી આગામી ૩૧મી ડિસેમ્બરે વયનિવૃત્ત થઈ રહ્યા છે. એસએપી ગ્રુપ-૧૨માંથી એટેચમાં છેલ્લા ૧૬ વર્ષથી પીઆરઓ શાખા, પોલીસભવન ખાતે ફરજરત શ્રી સોલંકીને પીઆરઓ શાખા દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.પી.ચુડાસમાએ વય નિવૃત્ત થતા શ્રી રણજીતસિંહને શુભેચ્છાઓ આપતા કહ્યુ કે, સરકારી સેવામાંથી નિવૃત્ત થવું એક ફરજનો ભાગ છે ત્યારે તેમનું નિવૃત્તિ બાદનું જીવન નિરોગી અને પ્રવૃત્તિમય રહે તેમજ પરિવાર સાથે સુખમય પસાર થાય. એટલું…
2024-25માં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં 14,000 હેક્ટરમાં લગભગ 1.5 લાખ ટન ભીંડાનું ઉત્પાદન થયું વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર 2026 પૂર્વે બાગાયતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ (જી.એન.એસ) તા. ૨૯ ગાંધીનગર, પ્રગતિશીલ નીતિઓ, આધુનિક ખેતી પદ્ધતિઓ અને ખેડૂતોની સક્રિય ભાગીદારીના પરિણામે ગુજરાતનું બાગાયતી ક્ષેત્ર રાજ્યના કૃષિ વિકાસનું શક્તિશાળી એન્જિન બની રહ્યું છે. આ સકારાત્મક ગતિ રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર 2026 પૂર્વે રાજ્ય માટે ઉત્સાહજનક પૃષ્ઠભૂમિ ઊભી કરે છે, જ્યાં સૌરાષ્ટ્ર અને કચ્છની કૃષિ તથા બાગાયતી સિદ્ધિઓને વિશેષ રૂપે રજૂ કરવામાં આવશે. ભીંડાના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે ગુજરાત સરકારના બાગાયતી નિયામકના જણાવ્યા મુજબ, વર્ષ 2023-24 દરમિયાન ભીંડાના વાવેતર…
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશના નવનિયુકત તેમજ પુર્વ હોદ્દેદારશ્રીઓની સંયુકત બેઠક પણ યોજાઇ (જી.એન.એસ) તા. ૨૯ ગાંધીનગર, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, પ્રદેશના મુખ્ય પ્રવકતાશ્રી ડો.અનિલભાઇ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ સંગઠનના નવનિયુકત પદાધિકારીશ્રીઓની બેઠક યોજાઇ હતી. ડો.અનિલભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ નવનિયુકત પદાધિકારીશ્રીઓને અભિનંદન પાઠવી સંપૂર્ણ શક્તિ સાથે ભાજપના સંગઠનને વધુ સશકત કરવા તેમજ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને…
(જી.એન.એસ) તા. ૨૯ નાગાંવ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા, જેમાં તેમણે આરોપ લગાવ્યો કે તેઓ બાંગ્લાદેશી ઘૂસણખોરોને “વોટ બેંક” માને છે, ભલે તેઓ આસામના લોકો, જમીન અને સાંસ્કૃતિક ઓળખ માટે ખતરો હોય. નાગાંવ જિલ્લાના બટાદ્રાવા થાણ ખાતે પુનઃવિકસિત મહાપુરુષ શ્રીમંત શંકરદેવ અભિર્ભવ ક્ષેત્રનું ઉદ્ઘાટન કર્યા પછી એક વિશાળ જાહેર સભાને સંબોધતા શાહે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આસામ અને સમગ્ર ભારતમાં તમામ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઓળખવા અને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. ‘કોંગ્રેસ ઘૂસણખોરોને વોટ બેંક તરીકે માને છે’ શાહે સ્પષ્ટ કર્યું કે જ્યારે કોંગ્રેસ ગેરકાયદેસર ઘૂસણખોરો દ્વારા ઉભા થતા જોખમો પ્રત્યે આંખ આડા…
(જી.એન.એસ) તા. ૨૯ અમદાવાદ, ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડીએ રાજસ્થાનના ભીવાડી ઔદ્યોગિક વિસ્તારમાં એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે જેમાં ચિંતા અને ગભરાટના વિકારો માટે સૂચવવામાં આવતી સાયકોટ્રોપિક દવા અલ્પ્રાઝોલમ જેવી દવાઓ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવતી હતી, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. ગુજરાત ATS, રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા 28 ડિસેમ્બરના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તાપુકારા તાલુકાના ભીવાડીના RIICO ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી સુવિધા પર શોધખોળ દરમિયાન લગભગ 5 કિલો અલ્પ્રાઝોલમ અને લગભગ 17 કિલો પ્રાઝેપામ અને ટેમાઝેપામનું મિશ્રણ જપ્ત કરવામાં આવ્યું હતું. ભીવાડી ફેઝ-3 (UIT) સેક્ટર-3 પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક…
