Author: dhrumit

રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટસ ઇવેન્ટ અંગે વિચાર પરામર્શ (જી.એન.એસ) તા. 29 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રીયુત ક્રિસ જેન્કીન્સ OBEએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રીશ્રી સાથેની આ શુભેચ્છા મુલાકાત બેઠક દરમિયાન તેમણે રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં ભારતમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ અંગે વિચાર પરામર્શ કર્યા હતા. ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જે સસ્ટેઈનેબલ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થયું છે તેનો મહત્તમ લાભ યુવા ખેલાડીઓ સહિત ખેલકૂદ પ્રતિભાઓને મળે છે તેની ભૂમિકા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી. એટલું જ નહિ, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ખેલ મહાકુંભ તથા ખેલો…

Read More

“કરૂણા અભિયાન–૨૦૨૫” અંતર્ગત ચાલુ વર્ષે ઘાયલ થયેલા પક્ષીઓમાંથી ૧૫,૫૭૨ જેટલા પક્ષીઓને યોગ્ય સારવાર આપી બચાવી લેવાયા (જી.એન.એસ) તા. 29 ગાંધીનગર, • ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાયલ કબૂતર, સમડી, કાગડો, પોપટ, બગલો જેવા ૫૧ થી વધુ પશુ-પક્ષીઓની સારવાર • વર્ષ ૨૦૧૭-૨૦૨૫ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર થકી ૧.૦૩ લાખથી વધુ પક્ષીઓને જીવનદાન ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને તુરંત સારવાર આપી નવજીવન આપી શકાય તેવા ઉમદા હેતુથી દર વર્ષે રાજ્ય સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “કરૂણા અભિયાન”નું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યભરમાં અંદાજે કુલ ૧૭,૦૬૫ જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરી સમયસર સારવાર આપીને ૧૫,૫૭૨ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં…

Read More

(જી.એન.એસ) તા. 29 ગાંધીનગર, • ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં ૧૦ હજારની વસ્તીએ પ્રિવેલન્સ રેટ ૦.૪૦ હાંસલ કરાયો • ૧૨ હાઇ એન્ડેમીક જિલ્લાઓ પૈકી સાતમાં રક્તપિત્તનું પ્રમાણદર એક ટકા કરતા ઓછું • રકતપિત્તના દર્દીઓને વિનામૂલ્‍યે ૬,૨૩૪ માઇક્રો સેલ્‍યુલર રબર શુઝ તેમજ ૨,૩૦૧ અલ્સર કીટ અપાઈ નાગરિકોમાં રક્તપિત્ત અંગે વધુ જાગૃતિ લાવી તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં અનેકવાર અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. વિકસિત ભારત અભિયાન અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં ૩૦ જાન્યુઆરી ‘ગાંધી નિર્વાણ દિવસ’-‘એન્ટી લેપ્રસી ડે’ નિમિત્તે તા. ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન – જન જાગૃતિ અભિયાન યોજાશે તેમ, આરોગ્ય વિભાગની…

Read More

(જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, ગાંધીનગરના ઉવારસદ-શેરથા માર્ગ, ઉવારસદ ખાતે સદવિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર ,દ્વારા તા.30 અને 31 જાન્યુઆરી, 2025 ના રોજ દિવ્યાંગોનો દિવ્ય આનંદ મેળો “ઉમળકો”નું આયોજન કરવામાં આવ્યું છે. આ આનંદ મેળામાં વેવિધ્યપૂર્ણ મનોરંજન, મનપસંદ રમતો, હાટ બજાર, ફૂડ સ્ટોલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોને આવરી લેવામાં આવ્યા છે. દિવ્ય આનંદ મેળાનું આયોજન દિવ્યાંગ બાળકોના આત્મવિશ્વાસ વધારવા તથા દિવ્યાંગ બાળકો પ્રત્યે સમાજનો પ્રેમ અને પ્રોત્સાહનનો ભાવ જગાડવાના શુભ આશય સાથે આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બે દિવસીય આનંદ મેળામાં તા. 30, જાન્યુઆરીના રોજ પહેલા ચરણમાં સવારના 11:00 કલાકે મંગલધ્વનિ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે.…

Read More

ભુમાફિયાઓને કોઈપણ રીતે છૂટછાટ ન મળે અને બિનઅધિકૃત ખનીજ વહન માટે દંડનીય કામગીરી થાય એ માટે કલેક્ટરશ્રીનો સ્પષ્ટ આદેશ (જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, જિલ્લામાં ચાલી રહેલ વિવિધ વિકાસ કામો પર કલેકટરશ્રી જેટલી જવાબદારી પૂર્વક કાર્ય કરી રહ્યા છે, તેજ જુસ્સા અને જવાબદારીથી જિલ્લામાં થતી ખનીજ ચોરી અટકાવવાના તેમના પ્રયાસો પણ સતત ચાલુ છે. ભુમાફિયાઓને કોઈપણ રીતે છૂટછાટ ન મળે અને તેમના આ બિનઅધિકૃત ખનીજ વહન માટે દંડનીય કામગીરી થાય એ માટે કલેક્ટરશ્રી પોતે વ્યક્તિગત ધ્યાન રાખતા, ભૂસ્તર તંત્રની કચેરીને યોગ્ય માર્ગદર્શન આપી સરાહનીય કામગીરી કરી રહ્યા છે, જેના પરિણામે પાછલા ત્રણ દિવસમાં પાંચ વાહનો મળી કુલ 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત…

Read More

(જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે આયોજિત “બ્રિક્સ – યૂથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ પ્રિ-કન્સલ્ટેશન”નો શુભારંભ સમારોહ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. યુવા ઉદ્યોગસાહસિકો, સંશોધકોના વિચારો-કલ્પનાઓને મૂર્તિમંત કરવા માટેનો એક મંચ પૂરો પાડવા ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત વિભાગ તેમજ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, આજે ભારતમાં સૌથી વધુ યુવાઓ છે, ત્યારે તેમને પ્રોત્સાહિત કરવા માટે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં અનેક વિવિધ કાર્યો થઈ રહ્યા છે. અગાઉ પણ રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી…

Read More

(જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય (ભારત સરકાર) અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માયભારત ગાંધીનગર જિલ્લા યુવા અધિકારી કચેરી દ્વારા આંતર જિલ્લા યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું સમાપન ગુજરાત વિદ્યાપીઠ રાંધેજા ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના આયોજનમાં પોરબંદર જિલ્લાના ૨૭ યુવાનો ગાંધીનગર જિલ્લાની મુલાકાત લેવા માટે આવેલ હતા. આ કાર્યક્રમ દરમિયાન યુવાનો દ્વારા મહુડી મંદિર, મીની અમરનાથ મંદિર અને અંબોડ ખાતે મહાકાળી મંદિર, વરદાયિની માતા મંદિર, ગીર ઇકોલોજીકલ પાર્ક, અક્ષરધામ મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન યોગના સેશન અને ફિટ ઇન્ડિયાના કાર્યક્રમ પણ આયોજિત થયા હતા. સમાપન કાર્યક્રમમાં મનરેગા લોકપાલ હિંમતનગર શ્રી રજનીકાંત સુથાર, યોગ…

Read More

(જી.એન.એસ) તા. 28 ભુવનેશ્વર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાનાં ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025 અને મેક ઇન ઓડિશા પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. અહિં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી, 2025માં ઓડિશાની આ તેમની બીજી મુલાકાત હતી. જેમાં પ્રવાસી ભારતીય દિવસ 2025નાં કાર્યક્રમનું ઉદઘાટન કરવા માટે તેમની મુલાકાતને યાદ કરવામાં આવી હતી. ઓડિશામાં આ અત્યાર સુધીની સૌથી મોટી બિઝનેસ સમિટ હોવાનું નોંધતા શ્રી મોદીએ કહ્યું હતું કે, મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025માં આશરે 5થી 6 ગણા વધારે રોકાણકારો સહભાગી થયા છે. તેમણે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ ઓડિશાનાં લોકો અને સરકારને અભિનંદન પણ આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પૂર્વીય ભારત દેશનાં વિકાસમાં વૃદ્ધિનું એન્જિન છે અને ઓડિશા તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.” તેમણે જણાવ્યું કે ઐતિહાસિક ડેટા એ પણ દર્શાવે છે કે જ્યારે ભારતે વૈશ્વિક વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી ત્યારે પૂર્વીય ભારતનું યોગદાન નોંધપાત્ર હતું. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, પૂર્વ ભારતમાં ઔદ્યોગિક કેન્દ્રો, બંદરો, વેપારનાં મોટાં કેન્દ્રો છે અને તેમાં ઓડિશાની ભાગીદારી નોંધપાત્ર છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ઓડિશા દક્ષિણ પૂર્વ એશિયાના વેપારમાં મહત્ત્વપૂર્ણ કેન્દ્ર હતું અને બંદરો ભારત માટે પ્રવેશદ્વાર હતા.” તેમણે ઉમેર્યું હતું કે ઓડિશામાં આજે પણ બાલી યાત્રા ઉજવવામાં આવે છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની ભારતની તાજેતરની મુલાકાતને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, તેમનાં ડીએનએમાં ઓડિશાનાં ચિહ્નો હોવાની શક્યતા છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઓડિશા વારસાની ઉજવણી કરે છે, જે તેને દક્ષિણ પૂર્વ એશિયા સાથે જોડે છે. તેમણે ઉમેર્યું હતું કે, ઓડિશાએ હવે 21મી સદીમાં ભવ્ય વારસાને પુનર્જીવિત કરવાનું શરૂ કર્યું છે. તેમણે નોંધ્યું હતું કે, સિંગાપોરનાં રાષ્ટ્રપતિએ તાજેતરમાં ઓડિશાની મુલાકાત લીધી હતી અને સિંગાપોર ઓડિશા સાથેનાં તેમના સંબંધોને લઈને અતિ ઉત્સાહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આસિયાન દેશોએ ઓડિશા સાથે વેપાર અને પરંપરાગત જોડાણોને મજબૂત કરવા માટે પણ રસ દાખવ્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં આઝાદી પછી અત્યાર સુધીમાં અગાઉ ક્યારેય નહોતી એવી અનેક તકો ખુલી રહી છે. તેમણે ઉપસ્થિત તમામ રોકાણકારોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, અત્યારે ઓડિશાની વિકાસયાત્રામાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે અને તેમણે ખાતરી આપી હતી કે, તેમનું રોકાણ સફળતાની નવી ઊંચાઈઓ તરફ દોરી જશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “ભારત કરોડો લોકોની આકાંક્ષાઓથી સંચાલિત વિકાસનાં માર્ગે અગ્રેસર છે.” શ્રી મોદીએ જણાવ્યું હતું કે, એઆઇનો અર્થ ભારતની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આકાંક્ષા એમ બંને છે, જે દેશની તાકાત છે. તેમણે કહ્યું હતું કે જ્યારે લોકોની જરૂરિયાતો પૂર્ણ થાય છે, ત્યારે આકાંક્ષાઓ વધે છે અને વીતેલા દાયકામાં કરોડો નાગરિકોને સશક્ત બનાવ્યાં છે, જેનાથી દેશને લાભ થયો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓડિશા આ આકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઓડિશાને ઉત્કૃષ્ટ ગણાવ્યું હતું, જે નવા ભારતનાં આશાવાદ અને મૌલિકતાનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું હતું કે, ઓડિશા પાસે અસંખ્ય તકો છે અને તેનાં લોકોએ હંમેશા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટેનો જુસ્સો દર્શાવ્યો છે. ઓડિશાનાં લોકોનાં કૌશલ્ય, આકરી મહેનત અને પ્રામાણિકતાને નિહાળવાનો પોતાનો વ્યક્તિગત અનુભવ ગુજરાતમાં વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ઓડિશામાં નવી તકો ઊભી થવાની સાથે રાજ્ય ટૂંક સમયમાં વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચશે. તેમણે ઓડિશાનાં વિકાસને વેગ આપવાનાં પ્રયાસો માટે મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝી અને તેમની ટીમની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઓડિશા ખાદ્ય પ્રસંસ્કરણ, પેટ્રોરસાયણ, બંદર સંચાલિત વિકાસ, મત્સ્યપાલન, આઇટી, એડ્યુટેક, ટેક્સટાઇલ્સ, પ્રવાસન, ખાણકામ અને હરિત ઊર્જા સહિત વિવિધ ઉદ્યોગોમાં ભારતનાં અગ્રણી રાજ્યોમાંનું એક બની રહ્યું છે. ભારત ઝડપથી દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાની દિશામાં પ્રગતિ કરી રહ્યું છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પાંચ ટ્રિલિયન ડોલરનાં અર્થતંત્રની સીમાચિહ્નરૂપ સિદ્ધિ બહુ દૂર નથી. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં ઉત્પાદન ક્ષેત્રમાં ભારતની તાકાત પણ સ્પષ્ટ થઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, ભારતનાં અર્થતંત્રનું વિસ્તરણ બે મુખ્ય આધારસ્તંભ છેઃ નવીન સેવા ક્ષેત્ર અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશની ઝડપી પ્રગતિ ફક્ત કાચા માલની નિકાસ પર નિર્ભર ન હોઈ શકે અને એટલે સંપૂર્ણ ઇકોસિસ્ટમ નવા વિઝન સાથે પરિવર્તિત થઈ રહી છે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત ખનિજોનાં ઉત્પાદન અને મૂલ્ય સંવર્ધન માટે તેને વિદેશમાં મોકલવાનાં વલણમાં પરિવર્તન લાવી રહ્યું છે, જેથી એ ઉત્પાદનો ભારતમાં પાછાં ફરે. એ જ રીતે, તેમણે ઉમેર્યું હતું કે, અન્ય દેશોમાં પ્રોસેસિંગ માટે સીફૂડની નિકાસ કરવાના ટ્રેન્ડમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સરકાર ઓડિશામાં સંસાધનો સાથે સંબંધિત ઉદ્યોગો રાજ્યની અંદર સ્થાપિત થાય એ સુનિશ્ચિત કરવા કામ કરી રહી છે. તેમણે પ્રકાશ પાડ્યો કે ઉત્કર્ષ ઓડિશા કોનક્લેવ 2025એ આ દ્રષ્ટિને સાકાર કરવા માટેનું એક સાધન છે. વિશ્વ સતત જીવનશૈલી પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને હરિયાળા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે એ બાબતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ગ્રીન જોબ્સની સંભવિતતામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેમણે સમયની માંગ અને જરૂરિયાતોને સ્વીકારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારત ગ્રીન ટેકનોલોજી અને સૌર, પવન, હાઇડ્રો અને ગ્રીન હાઇડ્રોજન સહિત હરિયાળા ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે વિકસિત ભારતની ઊર્જા સુરક્ષાને ઊર્જા પ્રદાન કરશે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ઓડિશામાં આ સંબંધમાં પ્રચૂર સંભવિતતા છે અને તેમણે જણાવ્યું હતું કે, દેશે રાષ્ટ્રીય સ્તરનાં ગ્રીન હાઇડ્રોજન અને સૌર ઊર્જા અભિયાનો શરૂ કર્યા છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ઓડિશામાં પુનઃપ્રાપ્ય ઊર્જાનાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ નીતિગત નિર્ણયો લેવામાં આવ્યાં છે અને હાઇડ્રોજન ઊર્જાનાં ઉત્પાદન માટે કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, હરિયાળી ઊર્જાની સાથે-સાથે ઓડિશામાં પેટ્રો અને પેટ્રોરસાયણ ક્ષેત્રનાં વિસ્તરણ માટે પણ વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે પારાદીપ અને ગોપાલપુરમાં સમર્પિત ઔદ્યોગિક ઉદ્યાનો અને રોકાણ ક્ષેત્રો વિકસાવવામાં આવી રહ્યાં છે, જે આ ક્ષેત્રમાં રોકાણની નોંધપાત્ર સંભવિતતા સૂચવે છે. શ્રી મોદીએ ઓડિશા સરકારને રાજ્યમાં વિવિધ પ્રદેશોની સંભવિતતાને ધ્યાનમાં રાખીને ઝડપી નિર્ણયો લેવા અને નવી ઇકોસિસ્ટમ વિકસાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “21મી સદી એ ભારત માટે કનેક્ટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીનો યુગ છે.” શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં જે સ્કેલ અને ઝડપે વિશિષ્ટ માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, તે દેશને રોકાણ માટે ઉત્કૃષ્ટ સ્થળ બનાવી રહી છે. તેમણે નોંધ્યું હતું કે સમર્પિત નૂર કોરિડોર પૂર્વ અને પશ્ચિમ દરિયાકિનારાને જોડતા હતા, જે અગાઉ જમીનથી ઘેરાયેલા પ્રદેશો માટે દરિયામાં ઝડપથી પ્રવેશ પૂરો પાડતા હતા. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ ધરાવતાં ડઝનેક ઔદ્યોગિક શહેરોનું નિર્માણ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓડિશામાં પણ આવી જ તકો વધી રહી છે અને રાજ્યમાં રેલવે અને હાઇવે નેટવર્ક સાથે સંબંધિત હજારો કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, ઓડિશામાં ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા માટે સરકાર બંદરોને ઔદ્યોગિક ક્લસ્ટર્સ સાથે જોડી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, હાલનાં બંદરોનું વિસ્તરણ અને નવા બંદરોનું નિર્માણ એમ બંને થઈ રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્લ્યૂ ઈકોનોમીની દ્રષ્ટિએ ઓડિશા દેશના ટોચના રાજ્યોમાંનું એક બનવાનું છે. ઝડપથી બદલાતી દુનિયામાં વૈશ્વિક પુરવઠા શ્રુંખલાના પડકારોને ઓળખવા માટે દરેકને વિનંતી કરતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત ખંડિત અને આયાત-આધારિત સપ્લાય ચેઇન પર નિર્ભર ન રહી શકે. તેમણે ઉમેર્યું હતું કે, તેના બદલે ભારતની અંદર એક મજબૂત પુરવઠો અને મૂલ્ય શ્રુંખલાની રચના થવી જોઈએ, જેથી વૈશ્વિક વધઘટની અસરને લઘુતમ કરી શકાય. તેમણે પ્રકાશ પાડ્યો કે આ જવાબદારી સરકાર અને ઉદ્યોગ બંનેની છે. શ્રી મોદીએ ઉદ્યોગોને એમએસએમઇ અને યુવાન સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવા, વૃદ્ધિ માટે સંશોધન અને નવીનતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર દેશમાં એક જીવંત સંશોધન ઇકોસિસ્ટમ ઊભી કરી રહી છે, જેમાં વિશેષ ભંડોળ અને ઇન્ટર્નશિપ અને કૌશલ્ય વિકાસ માટે પેકેજ સામેલ છે. તેમણે ઉદ્યોગોને સરકાર સાથે સક્રિયપણે ભાગ લેવા અને સહયોગ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. એક મજબૂત સંશોધન પ્રણાલી અને કુશળ યુવા કાર્યદળથી ઉદ્યોગને સીધો લાભ થશે એ વાત પર ભાર મૂકીને શ્રી મોદીએ ઔદ્યોગિક ભાગીદારો અને ઓડિશા સરકારને ઓડિશાની આકાંક્ષાઓ સાથે સુસંગત આધુનિક ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા સંયુક્તપણે કામ કરવા અપીલ કરી હતી, જે યુવાનોને નવી તકો પ્રદાન કરશે. તેમણે જણાવ્યું હતું કે, તેનાથી ઓડિશાની અંદર રોજગારીની વધારે તકોનું સર્જન થશે, જે રાજ્ય માટે સમૃદ્ધિ, તાકાત અને પ્રગતિ તરફ દોરી જશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દુનિયાભરનાં લોકો ભારત વિશે સમજવા અને જાણવા આતુર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓડિશા હજારો વર્ષનાં વારસા અને ઇતિહાસ સાથે ભારતને સમજવા માટે ઉત્કૃષ્ટ સ્થળ છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય આસ્થા, આધ્યાત્મિકતા, જંગલો, પર્વતો અને દરિયાનું અનોખું મિશ્રણ પ્રદાન કરે છે, જે તમામ એક જ સ્થળે છે. શ્રી મોદીએ ઓડિશાને વિકાસ અને વારસાનું મોડલ ગણાવ્યું હતું તથા ઉલ્લેખ કર્યો હતો કે, ઓડિશામાં જી-20 સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે તથા કોણાર્ક સૂર્ય મંદિરનાં પૈડાંને મુખ્ય કાર્યક્રમનો ભાગ બનાવવામાં આવ્યાં હતાં. તેમણે 500 કિલોમીટરનો દરિયાકિનારો, 33 ટકાથી વધારે વન્ય આવરણ અને ઇકો-ટૂરિઝમ અને એડવેન્ચર ટૂરિઝમ માટે અનંત સંભાવનાઓ સાથે ઓડિશાની પ્રવાસન સંભવિતતાને શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતનું ધ્યાન “વેડ ઇન ઇન્ડિયા” અને “હીલ ઇન ઇન્ડિયા” પર કેન્દ્રિત હતું તથા ઓડિશાનું કુદરતી સૌંદર્ય અને પર્યાવરણ આ પહેલોને ટેકો આપે છે. ભારતમાં કોન્ફરન્સ ટૂરિઝમની નોંધપાત્ર સંભવિતતા હોવાનું જણાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દિલ્હીમાં ભારત મંડપમ અને યશોભૂમિ જેવા સ્થળો આ ક્ષેત્ર માટેનાં મુખ્ય કેન્દ્રો બની રહ્યાં છે. તેમણે કોન્સર્ટ ઇકોનોમીના ઉભરતા ક્ષેત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, ભારત સંગીત, નૃત્ય અને વાર્તાકથનનો સમૃદ્ધ વારસો ધરાવે છે તથા જલસામાં જનારા યુવાન સમુદાયનાં વિશાળ સમુદાય સાથે જલસાનાં અર્થતંત્ર માટે પુષ્કળ સંભાવનાઓ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં લાઇવ ઇવેન્ટનું વલણ અને માગમાં વધારો થયો છે. ભારતમાં લાઇવ કોન્સર્ટના અવકાશના પુરાવા તરીકે મુંબઈ અને અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલી કોલ્ડપ્લે કોન્સર્ટનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મુખ્ય વૈશ્વિક કલાકારો ભારત તરફ આકર્ષાયા છે અને કોન્સર્ટનું અર્થતંત્ર પ્રવાસનને વેગ આપે છે અને અસંખ્ય રોજગારીનું સર્જન કરે છે. તેમણે રાજ્યો અને ખાનગી ક્ષેત્રને જલસાના અર્થતંત્ર માટે જરૂરી માળખાગત સુવિધાઓ અને કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી. આમાં ઇવેન્ટ મેનેજમેન્ટ, આર્ટિસ્ટ ગ્રૂમિંગ, સિક્યુરિટી અને અન્ય વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે, જ્યાં નવી તકો ઉભરી રહી છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આગામી મહિને ભારત પ્રથમ વખત વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (વેવ્સ)ની યજમાની કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ દુનિયાને ભારતની રચનાત્મક શક્તિ પ્રદર્શિત કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓ આવક પેદા કરે છે અને ધારણાઓને આકાર આપે છે, જે અર્થતંત્રની વૃદ્ધિમાં પ્રદાન કરે છે. તેમણે નોંધ્યું હતું કે, ઓડિશામાં આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવાની પુષ્કળ સંભવિતતા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ઓડિશા વિકસિત ભારતનાં નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓડિશાનાં લોકોએ સમૃદ્ધ રાજ્યનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે અને કેન્દ્ર સરકાર આ લક્ષ્યાંક હાંસલ કરવા શક્ય તમામ સાથસહકાર પ્રદાન કરી રહી છે. તેમણે ઓડિશા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને નોંધ્યું હતું કે, તેમણે પ્રધાનમંત્રી તરીકે રાજ્યની લગભગ 30 વખત મુલાકાત લીધી હતી અને એનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં પણ ગયા છે. તેમણે ઓડિશાની સંભવિતતા અને એનાં લોકો પર પોતાનાં વિશ્વાસ પર ભાર મૂક્યો હતો. પોતાનાં સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તમામ ભાગીદારો દ્વારા કરવામાં આવેલું રોકાણ તેમનાં વ્યવસાયો અને ઓડિશાની પ્રગતિ એમ બંનેને નવી ઊંચાઈએ લઈ જશે. તેમણે તેમાં સામેલ દરેકને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ઓડિશાનાં રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભામપતિ, ઓડિશાનાં મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝી, કેન્દ્રીય મંત્રીઓ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, શ્રી અશ્વિની વૈષ્ણવ સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં.

Read More

મુલાકાત અંતર્ગત કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે જમીન પર બેસી સૂક્ષ્મ પ્રાણાયામ, શ્લોક પઠન અને પ્રાર્થના કરી (જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ દવે દ્વારા સ્થાનિક ગ્રામ્ય મુદ્દાઓ, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને યોજનાઓ અંગે ચર્ચા કરતા ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ લોકો વચ્ચે જઈ મુલાકાત કરવામાં આવી રહી છે. ગ્રામીણ વસ્તીની સુખાકારીમાં વધારો કરવા સાથે આ મુલાકાતો વધુ સારા શાસન, પારદર્શિતાને સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે, અને નાગરિકોને વહીવટ સાથે સીધો સંપર્ક કરવાની તક આપે છે. આવી બેઠકો દરમિયાન, પ્રજા હિતને પ્રાધાન્ય આપી જન સુખાકારીના ધ્યેય સાથે કાર્ય કરતા ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ કે.દવે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવેલા મુદ્દાઓ સાંભળે છે. અને વહીવટ,…

Read More

જીટીયુના વિવિધ વિદ્યાશાખાના ૩૮,૯૨૮ વિદ્યાર્થીઓને પદવી, ૭૦ વિદ્યાર્થીઓને પીએચ.ડી તથા ૧૪૬ વિદ્યાર્થીઓને મેડલ પ્રદાન કરાયા (જી.એન.એસ) તા. 28 અમદાવાદ/ગાંધીનગર, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) ના 14મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આધુનિક ટેકનિકલ વિકાસ પર ચર્ચા કરતાં તેમણે જણાવ્યું કે ટેક્નોલોજી ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે માનવતા અને જીવનમૂલ્યો સાથે જોડાયેલી હોય. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, ટેકનિકલ પ્રગતિ સાથે નૈતિકતા, ઈમાનદારી અને કરુણા જેવા જીવનમૂલ્યો પણ અપનાવવા જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, દીક્ષાંત સમારોહ ફક્ત ડિગ્રી પ્રાપ્ત કરવાનો અવસર નથી, પરંતુ જીવનના નવા અધ્યાયનો આરંભ છે. શિક્ષણનો અંતિમ ઉદ્દેશ્ય ફક્ત…

Read More