Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૨૫/૦૪/૨૦૨૬)
- આજનું રાશિફળ (૨૪/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૪/૦૪/૨૦૨૬)
- ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી – ૨૦૨૬; સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩ % મતદાન
- તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સ્ટેજ તૈયાર: શું એમકે સ્ટાલિન અને મમતા બેનર્જી પોતાનો પક્ષ રાખશે?
- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ નો નવો આદેશ??
- EU એ યુક્રેન લોન અને રશિયા સામે 20મા પ્રતિબંધ પેકેજને ઔપચારિક રીતે મંજૂરી આપી
- દિલ્હી મેયર ચૂંટણી: ભાજપે પ્રવેશ વાહીને મેયર પદના ઉમેદવાર તરીકે અને મોનિકા પંતને ડેપ્યુટી પદના ઉમેદવાર બનાવ્યા
- ટોમ ક્રૂઝની ‘ટોપ ગન’ ની 40મી વર્ષગાંઠ નિમિત્તે ભારતમાં ફરીથી રિલીઝ થશે
- ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, વિશ્વબંધુ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ
- ભારત અને જર્મની સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા
- ડેનમાર્કમાં બે ટ્રેનો અથડાતા 18 લોકો ઘાયલ થયા
Author: devarshi
(જી.એન.એસ) તા. 25 મોસ્કો, રશિયાના સરકારી ટેલિવિઝનને આપેલા ઈન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાના ફરી વખત રાષ્ટ્રપતિ બનેલા ટ્રમ્પના સ્માર્ટ અને વ્યવહારુ માણસ તરીકે વખાણ કર્યા હતા. પુતિને કહ્યું કે વર્તમાન અમેરિકી રાષ્ટ્રપતિ સાથે અમારો હંમેશા વિશ્વાસપૂર્ણ સંબંધ રહ્યો છે. હું તેમની સાથે અસંમત નથી થઈ શકતો કે જો તેઓ રાષ્ટ્રપતિ રહ્યા હોત, જો તેમણે 2020માં તેમની પાસેથી જીત ન છીનવી લીધી હોત, તો 2022માં યુક્રેનમાં ફાટી નીકળેલી કટોકટી ટાળી શકાઈ હોત.ટ્રમ્પે પણ વારંવાર કહ્યું છે કે જો તેઓ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ હોત, તો તેમણે સંઘર્ષ શરૂ થવા દીધો ન હોત. પુટિને 2022 માં હજારો સૈનિકો મોકલ્યા તે પહેલાં કિવના દળો…
(જી.એન.એસ) તા. 25 કેલિફોર્નિયા, અમેરિકાના ઘણા વિસ્તારોમાં વેગિલા પવન ના કારણે ભયંકર આગ લાગી છે. આગની જ્વાળાઓ વધી રહી છે, જેના કારણે લાખો લોકોને તેમના મકાનો ખાલી કરવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે. તેવામાં દક્ષિણ કેલિફોર્નિયામાં પણ આગ લાગી છે. ઉત્તર લોસ એન્જલસમાં તાજેતરમાં આગ ફાટી નીકળી છે. ઉત્તર લોસ એન્જલસના સાન્ટા ક્લેરીટા ખીણમાં જ્વાળાઓ વધી રહી છે. છેલ્લા 48 કલાકમાં, ઉત્તર લોસ એન્જલસમાં અત્યાર સુધીમાં 10 હજાર એકરમાં આગ ફેલાઈ ગઈ છે. દક્ષિણ કેલિફોર્નિયામાં પણ ઘણા સ્થળોએ આગ ભભૂકી રહી છે. દક્ષિણ કેલિફોર્નિયામાં વિસ્તારોમાં પણ આગ ફેલાઈ રહી છે. દક્ષિણ કેલિફોર્નિયાના સાન ડિએગો વિસ્તારમાં બે સ્થળોએ આગના અહેવાલો મળ્યા…
(જી.એન.એસ) તા. 25 અજમેર, રાજસ્થાનની અજમેર શરીફ દરગાહમાં અંદર મંદિર હોવાનો દાવો કરનારા હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વિષ્ણુ ગુપ્તા પર શનિવારે સવારે (24 જાન્યુઆરી) અજમેરથી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે હુમલો થયો હતો. જોકે, આ હુમલામાં તેમને ગોળી વાગી ન હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ બાબતે વિષ્ણુ ગુપ્તાના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે ગગવાના લાડપુરા કલ્વર્ટ પાસે બે બાઇક સવાર યુવાનો તેમની કારનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન એક બાઇક સવારે તેની કાર પર ગોળીબાર કર્યો. આ દરમિયાન, જ્યારે…
(જી.એન.એસ) તા. 24 મુન્દ્રા કસ્ટમ્સે NDPS એક્ટ હેઠળ આવતા સાયકોટ્રોપિક પદાર્થ ટ્રામાડોલની 94 લાખ ગોળીઓનો નાશ કર્યો હતો. જેને 2024માં આફ્રિકા જતા નિકાસ કન્સાઇન્મેન્ટમાંથી જપ્ત કરવામાં આવી હતી. NDPS એક્ટ-2018 હેઠળ ટ્રામાડોલને સાયકોએક્ટિવ ડ્રગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું ત્યારથી આ સૌથી મોટી જપ્તી માનવામાં આવે છે. જેની અંદાજિત કિંમત રૂ. 150 કરોડ છે. જપ્ત કરાયેલી દવાઓને 23 જાન્યુઆરી, 2025ના રોજ કચ્છ જિલ્લાના ભચાઉ સ્થિત ઇન્સિનેરેટર ખાતે નાશ કરવામાં આવ્યો હતો. આ નાશ કવાયત સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા 10 થી 25 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનારી અખિલ ભારતીય ડ્રગ નિકાલ ઝુંબેશનો એક ભાગ છે. આ ઝુંબેશ, નાશ માટે તૈયાર નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS)ના ઝડપી અને કાર્યક્ષમ નિકાલની ખાતરી કરીને ડ્રગ હેરફેરનો સામનો કરવા માટે ભારતીય…
(જી.એન.એસ) તા. 24 વડોદરા, તાજેતરમાં યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ફરી એક વાર એકજ મુદ્દા પર ભારે હોબાળો મચ્યો હતો. શાશકપક્ષ અને વિપક્ષના કોર્પોરેટરોએ વિશ્વામિત્રી પ્રોજેક્ટના અમલીકરણ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેના કારણે સામ સામે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. કોર્પોરેટરોનું કહેવું છે કે, વિશ્વામિત્રી રિપોર્ટ બનાવતી વખતે કોઈપણ પક્ષના સભ્યો, પર્યાવરણ નિષ્ણાતો કે સ્થાનિક લોકોના મંતવ્યો લેવામાં આવ્યા નથી. જેના કારણે પ્રોજેક્ટના અમલીકરણ અંગે ગંભીર શંકાઓ ઉભી થઈ છે. કોર્પોરેટરોએ પોતાના વિસ્તારની હાલત વર્ણવી હતી અને મેયર અને કમિશનરને જવાબદાર ઠેરવ્યા હતા. તેમનું કહેવું છે કે, પ્રોજેક્ટના કારણે તેમના વિસ્તારની દુર્દશા થઈ છે. ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરેએ સામાન્ય સભામાં…
(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, ગાંધીનગરના કલોલ નગરપાલિકા પર પથ્થરમારાની ઘટના બની હતી. કાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવતા રહિસો સાથે રજૂઆત કરવા આવેલા ટોળાએ પાલિકા પર પથ્થરમારો કર્યો હતો. ચીફ ઓફિસર અને પ્રમુખને દબાણની રજૂઆત કરવા આવેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. રજૂઆત કરવા આવેલા લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા પોલીસ બોલવાની જરૂર પડી હતી જે બાદ સમયસર પોલીસ આવી જતાં મોટી ઘટના બનતા અટકી હતી. જો કે, પોલીસ આવતા પહેલા જ ટોળું નાસી છૂટ્યું હતું પણ આ બાબતે પોલીસ પણ તપાસ શરૂ કરી દીધી છે.
(જી.એન.એસ) તા. 24 પ્રયાગરાજ, 52 વર્ષની બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી લાંબા સમયથી વિવાદોમાં રહી હતી. તે પણ ઘણા વર્ષો પછી ભારત પરત આવી છે. જ્યારે તે દેશમાં આવી ત્યારે બધાને લાગતું હતું કે તે ફિલ્મોમાં કમબેક કરશે. પરંતુ અભિનેત્રીએ નવો રસ્તો અપનાવ્યો છે. તે મહાકુંભમાં સાધુ બની છે. તેણે નક્કી કર્યું છે કે તે કિન્નર અખાડા મહામંડલેશ્વર બનશે. 24મી જાન્યુઆરીની સાંજે, મમતા કુલકર્ણી સંગમ ખાતે પિંડ દાન કરશે અને આ નવા માર્ગની શરૂઆત કરશે. મમતા કુલકર્ણી 52 વર્ષની થઈ ગઈ છે. અભિનેત્રી 25 વર્ષ બાદ ભારત પરત આવી છે. ફક્ત ડિસેમ્બર 2024 માં, તે વર્ષો પછી એરપોર્ટ પર જોવા મળ્યો…
(જી.એન.એસ) તા. 24 ફરી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. દરમિયાન, ગુરુવારે સેંકડો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે યુએસ સત્તાવાળાઓએ 538 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી છે અને સેંકડોને લશ્કરી વિમાનનો ઉપયોગ કરીને દેશનિકાલ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા પછી તરત જ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. સૌ પ્રથમ, તેણે બિડેન વહીવટીતંત્રના 78 નિર્ણયો રદ કર્યા. તે જ સમયે, યુએસ-મેક્સિકો સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર…
(જી.એન.એસ) તા. 24 રાજકોટ, ઓલરાઉન્ડર ખિલાડી રવિન્દ્ર જાડેજાએ રાજકોટમાં સૌરાષ્ટ્ર માટે જોરદાર બોલિંગ કરી હતી કારણ કે ડાબા હાથના સ્પિનરે 12 વિકેટ ઝડપી હતી અને તેની ટીમને દિલ્હી સામે પ્રબળ વિજય માટે માર્ગદર્શન આપ્યું હતું. ઈજાગ્રસ્ત થયા બાદ જાડેજાએ ગયા વર્ષે રણજી ટ્રોફી દ્વારા પુનરાગમન કર્યું હતું. અનુભવી ઓલરાઉન્ડરે પરિસ્થિતિઓનો શાનદાર ઉપયોગ કર્યો અને દિલ્હીની બેટિંગ લાઇનઅપને ત્રાસ આપ્યો. રવિન્દ્રસિંહ જાડેજા કે જેઓ ડાબા હાથના સ્પિનર પણ છે, તેમના સિનિયરને ખૂબ જ સારી રીતે ટેકો આપતા બંનેએ મેચમાં 16 વિકેટ ઝડપી હતી કારણ કે સૌરાષ્ટ્રે 10 વિકેટથી જીત મેળવી હતી. જાડેજાએ પણ સૌરાષ્ટ્રની પ્રથમ ઇનિંગમાં 36 બોલમાં 38 રનની મહત્વપૂર્ણ…
(જી.એન.એસ) તા. 24 અમદાવાદ, રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદ માં બહુચર્ચિત જીએસટી કૌભાંડના આરોપી મહેશ લાંગા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પત્રકાર મહેશ લાંગા સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ખેતી અને જમીન દલાલી કરતાં એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મીડિયામાં ખોટા લેખ/આર્ટિકલ છપાવી બદનામ કરવાની ધમકી આપીને ફરિયાદ નોંધાવવામાં આવી છે. ધમકી પીને નાણા પડાવ્યાનો પણ લાંગા સામે આરોપ છે. જમીનના કેસનો નિકાલ કરવાનું જણાવીને નાણા પડાવ્ની ફરિયાદ કરવામાં આવી છે. તેણે ટુકડે-ટુકડે 20 લાખ રૂપિયા પડાવ્યાનો મહેશ લાંગા સામે આક્ષેપ છે. મહેશ લાંગા સામે વધુ એક ફરિયાદ પત્રકાર તરીકે નોંધાઈ છે. મોટો…
