Home વ્યાપાર જગત - BUSINESS અગામી સપ્તાહમાં વિદેશી ફંડો – રોકાણકારોની ખરીદી કે વેચવાલી ઉપર ભારતીય શેરબજારની...

અગામી સપ્તાહમાં વિદેશી ફંડો – રોકાણકારોની ખરીદી કે વેચવાલી ઉપર ભારતીય શેરબજારની નજર…!!!

75
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૪.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૫૭૬.૩૭ સામે ૫૮૯૧૦.૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૨૯૧.૨૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૧૨.૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૭.૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૩૩૮.૯૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૭૬.૮૦ સામે ૧૭૬૧૫.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૪૮૮.૪૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૬.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૦.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૫૦૬.૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં આઈટી જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના અપેક્ષાથી સાધારણ પરિણામ જાહેર થવા સાથે આંતરરાષ્ટ્રીય મોરચે જીઓપોલિટીકલ ટેન્શન, યુક્રેન-રશિયા યુદ્વ વકરવાના એંધાણ સાથે ફરી વિશ્વભરમાં કોરોના સંક્રમણના કેસો વધવા લાગતાં ચિંતાએ આર્થિક મંદીના ફફડાટમાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં આજે નરમાઈ આગળ વધતી જોવાઈ હતી. સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ ઓટો, ફાઈનાન્સ, બેંકેકસ, ટેલિકોમ, સીડીજીએસ, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેક અને આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યા સામે ઓઈલ એન્ડ ગેસ અને કેપીટલ ગુડ્સ શેરોમાં શોર્ટ કવરિંગ કર્યું હતું. 

બીએસઈ સેન્સેક્સ અફડાતફડીમાં અંતે ૨૩૭ પોઈન્ટ ઘટીને અને નિફટી ફ્યુચર ૭૧ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં બે તરફી અફડાતફડી નોંધાતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૦.૪૮ લાખ કરોડ વધીને રૂ.૨૭૨.૪૭ લાખ કરોડ રહ્યું હતું. જો કે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં મિડ  કેપ શેરોમાં સતત વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નેગેટિવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૧% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, ફાઈનાન્સ, બેંકેકસ, ટેલિકોમ, સીડીજીએસ, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેક અને આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૯ અને વધનારની સંખ્યા ૧૮૧૫ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, માર્ચ માસમાં દેશના રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૨૮% વધારો નોંધાયો હતો. માર્ચ ૨૦૧૯ની સરખામણીએ રિટેલ વેચાણ ૧૨% વધ્યું હોવાનું રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના એક સર્વેમાં જણાવાયું હતું. દેશમાં સૌથી વધુ રિટેલ વેચાણ પશ્ચિમી વિસ્તારમાં જોવા મળ્યું છે, ત્યારબાદ ઉત્તર તથા પૂર્વનો ક્રમ રહ્યો છે. દરેક પ્રકારના માલસામાનના વેચાણમાં વધારો થયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે માર્ચમાં હોળી – ધૂળેટીના તહેવારને કારણે પણ રિટેલ માગમાં વધારો થયો હતો. આ ઉપરાંત લગ્નસરાની ખરીદી પણ નીકળી હતી. કન્ઝયૂમર પ્રોડકટસ, એપરલ, ફૂટવેર પાછળ ખર્ચમાં વધારો થયો હતો એટલું જ નહીં હોટેલ તથા રેસ્ટોરાંમાં પણ લોકોએ ખર્ચ કરવાનું શરૂ કરી દીધાનું માર્ચના આંકડા પરથી કહી શકાય છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાના કેસો હળવા થયા બાદ દેશના મોટાભાગના રાજ્યોએ કોરોના સંબંધિત પ્રતિબંધો દૂર કરી દીધા છે. માર્ચ ૨૦૨૧ની સરખામણીએ વર્તમાન વર્ષના માર્ચમાં કન્ઝયૂમર ઈલેકટ્રોનિકસ અને ડયૂરેબલ્સના વેચાણમાં ૪૫% વૃદ્ધિ જોવાઈ છે જ્યારે ફર્નિચર તથા ફર્નિશિંગ્સના વેપારમાં ૨૮% વૃદ્ધિ થઈ હતી. ફૂડ ગ્રોસરીના વેચાણમાં પણ ૨૮% વધારો થયો હતો જ્યારે એપરલ માટેનો આ આંક વાર્ષિક ધોરણે ૨૬% રહ્યો હતો. ફુગાવાને કારણે  ગારમેન્ટસ, ઈલેકટ્રોનિકસ તથા એફએમસીજીમાં રિટેલ ભાવ વધવાને કારણે પણ રિટેલ આંક કદાચ ઊંચા જોવા મળી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો ઉપર ભારતીય શેરબજારની નજર…!!
Next articleઅદાણી ટોટલ ગેસ લિમિટેડ અને AMCના સહયોગથી ગોતા ખાતે બાયો ડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.