Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૦૬/૦૬/૨૦૨૬)
- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ખાતેથી દક્ષિણ ગુજરાતમાં રૂ.૧૮,૭૭૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
- ૧૨ વર્ષ – વિકાસના, જનવિશ્વાસના અને જનકલ્યાણના
- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી વાપી સુધી કરી મુસાફરી
- નડિયાદ માહિતી કચેરી ખાતે કલમની શક્તિએ લીધો હરિયાળો સંકલ્પ
- આજનું રાશિફળ (૦૬/૦૬/૨૦૨૬)
- આજનું રાશિફળ (૦૩/૦૬/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૩/૦૬/૨૦૨૬)
- ICC એ ક્રિકેટ કેનેડાની સભ્યપદ સસ્પેન્ડ કર્યું
- ઇઝરાયલના નેતન્યાહૂએ બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હુમલાઓનો આદેશ આપ્યો
- આજનું રાશિફળ (૦૧/૦૬/૨૦૨૬)
- આજનું પંચાંગ (૦૧/૦૬/૨૦૨૬)
Author: gujdesk
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘સિક્કિમ@50’ ઉજવણી કાર્યક્રમને સંબોધિત કર્યો (જી.એન.એસ) તા. 29 ગંગટોક, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગંગટોકમાં ‘સિક્કિમ@50’ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમનો વિષય હતો ‘જ્યાં પ્રગતિ હેતુને પૂર્ણ કરે છે, અને પ્રકૃતિ વિકાસને પોષણ આપે છે’. આ પ્રસંગે બોલતા, તેમણે સિક્કિમ રાજ્યની 50મી વર્ષગાંઠ નિમિત્તે આ ખાસ દિવસે સિક્કિમના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે તેઓ લોકોના ઉત્સાહ, ઉર્જા અને ઉમંગને વ્યક્તિગત રીતે જોવા માંગતા હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ હાજર રહી શક્યા નહીં. તેમણે નજીકના ભવિષ્યમાં સિક્કિમની મુલાકાત લેવા અને તેમની સિદ્ધિઓ અને ઉજવણીનો ભાગ બનવાનું વચન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે આજે છેલ્લા 50 વર્ષની તેમની સિદ્ધિઓની ઉજવણી કરવાનો દિવસ છે, તેમણે સિક્કિમના મુખ્યમંત્રી…
(જી.એન.એસ) તા. 29 અમદાવાદ, સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદનું સ્માર્ટ તંત્ર કેટલું સ્માર્ટ છે તે પુરવાર કરવા અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ખુબજ ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે, શહેરમાં પ્રિ મોન્સૂન કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. શહેરમાં 67 હજાર કેચપીટની સફાઇનો બીજો તબક્કો ચાલુ છે. આ ઉપરાંત તળાવ ઊંડા કરવાની કામગારી ચાલુ છે. ખારીકટ કેનાલનું કામ પૂર્ણતાના આરે છે. ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ આગામી જૂનમાં પૂર્ણ થશે. વિરાટનગર, મણિનગર અને ખોખરાના વરસાદી પાણી ચંડોળામાં છોડાશે. આ બાબતે AMC સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વધુમાં કહ્યું હતું કે, ગઈકાલે રાતના…
(જી.એન.એસ) તા. 29 ગાંધીનગર/અમદાવાદ, મતદારોના અનુભવને બહેતર બનાવવા અને ચૂંટણી વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવા માટે ભારતીય ચૂંટણી પંચ (ECI) એ છેલ્લા 100 દિવસમાં 21 નવી પહેલ શરૂ કરી છે. આ પગલાંઓમાં પ્રક્રિયાગત સુધારાઓ, તાલીમ કાર્યક્રમો અને ચૂંટણી પ્રક્રિયાના હીતધારકોની ભાગીદારીનો સમાવેશ થાય છે. 26મા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારના કાર્યભાર સંભાળ્યાના પ્રથમ 100 દિવસોમાં હેતુપૂર્ણ, વ્યવહારિક અને સક્રિય પગલાંઓ લેવામાં આવ્યા છે. માર્ચ 2025માં યોજાયેલી મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીઓ (CEOs) ની પરિષદ દરમિયાન ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીની ઉપસ્થિતિમાં CEC દ્વારા ECIના પુન:ઉર્જાવાન બનાવવા માટેનું વિઝન ઘડવામાં આવ્યું હતું. મતદારો સુધી પહોંચ વધારવા માટે ECI…
(જી.એન.એસ) તા. 29 ગાંધીનગર, રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે આગાહી કરવામાં આવી છે જેમાં, ગાજવીજ સાથેના હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. આ આગાહી 3 કલાક માટેની છે. એટલે કે બપોરે 4 થી સાંજે 7 વાગ્યા દરમિયાન વરસાદની સંભાવના છે. આજે તા. 30 મે 2025ના રોજ મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને 31 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી…
(જી.એન.એસ) તા. 29 દ્વારા બેટ્સમેનની લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરવામાં આવી છે જેમાં, ત્રીજા નંબર પર યશસ્વી જયસ્વાલ (847) સાથે જગ્યા બનાવી લીધી છે. ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટ 888 રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગની આ યાદીમાં ટોચના સ્થાને છે. જ્યારે હેરી બ્રુક 873 રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન (867) ત્રીજા નંબર પર, યશસ્વી જયસ્વાલ (847) ચોથા નંબર પર અને સ્ટીવ સ્મિથ (823) પાંચમા નંબર પર છે. ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં જેક ક્રોલી (124), બેન ડકેટ (140) અને ઓલી પોપ (171) એ મજબૂત સદીઓ ફટકારી હતી, જેનો તેમને ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો હતો.…
(જી.એન.એસ) તા. 29 નવી દિલ્હી, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મલેશિયન એજન્સીઓની મદદથી, આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ સિન્ડિકેટના મલેશિયાથી ભારતમાં દેશનિકાલ કર્યો છે. આ બાબતે NCB ના જણાવ્યા મુજબ, આ કેસ 21 જાન્યુઆરી, 2025 ના રોજ શરૂ થયો હતો, જેમાં DHL કુરિયર દ્વારા મુંબઈથી ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવતા પાર્સલમાં પ્રોજેક્ટરમાં છુપાયેલ આશરે 200 ગ્રામ કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન, નીચેથી ઉપરના અભિગમને અનુસરીને, NCB એ નવી મુંબઈમાં એક સિન્ડિકેટ સભ્યના ઘરેથી 11.540 કિલોગ્રામ કોકેન, 4.9 કિલોગ્રામ ગાંજો અને 5.5 કિલોગ્રામ ગાંજો ગમી જપ્ત કર્યા. તપાસમાં એક સુવ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટની હાજરી બહાર આવી જે યુએસએથી ભારતમાં કોકેનની દાણચોરીમાં સામેલ હતી, જેનું…
અધિકારી-કર્મચારી-પેન્શનર્સે અને તેમના કુટુંબને લાભ અપાવવા માટે આશ્રિત કુટુંબીજનોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું રહેશે (જી.એન.એસ) તા. 29 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ , રાજ્ય સરકારના અધિકારી, કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના” શરૂ કરવામાં આવી છે. PMJAY-મા યોજના અંતર્ગત “G” કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર આ તમામ કર્મીઓને મળવાપાત્ર બને છે. આરોગ્ય વિભાગ દ્વારા આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા કર્મીઓ , પેન્શનર્સ અને તેમના કુટુંબીજનો માટેની નિયત સૂચના અને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તદ્અનુસાર “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ…
“ટીબી મુક્ત ભારત અભિયાન” હેઠળ ગુજરાતની નોંધપાત્ર કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને “સ્ટેટ્સ વીથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણી” માં પ્રથમ મુકવામાં આવ્યા (જી.એન.એસ) તા. 29 ગાંધીનગર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2018માં શરૂ કરેલ ટીબી નિમૂર્લન કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે નવા ટીબી દર્દીઓના રજીસ્ટ્રેશન અને ટીબીની શ્રેષ્ઠત્તમ સારવાર દ્વારા મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર સિધ્ધી હાંસલ કરી છે. ગુજરાત સરકારના એક રીપોર્ટ પ્રમાણે રાજ્યમાં વર્ષ 2015ની સાપેક્ષે વર્ષ 2023 માં નવા દર્દીઓના રજીસ્ટ્રેશનમાં 34 ટકા અને મૃત્યુદરમાં 37 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેના પરિણામે…
આવતીકાલે યુદ્ધની સ્થિતિ અંગે મોક ડ્રીલ યોજીને લોકોને કરાશે જાગૃત (જી.એન.એસ) તા. 29 ગાંધીનગર, કેન્દ્ર સરકાર દ્વારા તા. 31 મે ના રોજ મોકડ્રિલ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે નવી તારીખો અંગેનો પરિપત્ર પણ કર્યો છે. આ પહેલા 7 મે ના રોજ મોકડ્રિલ યોજાઈ હતી. ગુજરાત સહિત દેશના સીમાવર્તી રાજ્યોમાં મોકડ્રિલ યોજાશે. સાંજે 5 વાગ્યાથી મોકડ્રિલ શરૂ થશે. ભારત સરકારના આદેશ અનુસસર મોક ડ્રીલ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આગામી તારીખ 31 મે 2025ના રોજ ફરી એકવાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના…
(જી.એન.એસ) તા. 29 બોલીવુડના ખ્યાતનામ ગાયક અરિજીત સિંહ એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યા છે જેમાં તેઓ આ વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ બ્રિટનના ટોટનહામ હોટસ્પર સ્ટેડિયમમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે. અરિજિત સિંહ આ વર્ષે લંડનના પ્રખ્યાત સ્ટેડિયમમાં નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. હોટસ્પર સ્ટેડિયમમાં મોસ્ટ અવેટેડ સંગીત કાર્યક્રમમાં પોતાનો અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કરશે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ અરિજિતનો આ વર્ષનો પહેલો યુરોપિયન કાર્યક્રમ હશે, જે હવે સૌથી વધુ રાહ જોવાતી સંગીત કાર્યક્રમ બની ગયો છે. આ સમાચાર આવ્યા બાદ તેમના ચાહકોમાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે. લંડનમાં રહેતા તેમના ચાહકો હવે આ કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યા…
