Author: gujdesk

(જી.એન.એસ) તા. 30 વોશિંગ્ટન/જેરૂસલેમ, ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના યુદ્ધવિરામ અંગે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જાહેરાત કરી છે કે ઇઝરાયલ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મધ્ય પૂર્વ રાજદૂત સ્ટીવ વિટકોફ દ્વારા રજૂ કરાયેલા નવા યુદ્ધવિરામ પ્રસ્તાવ સાથે સંમત થયું છે. આ દરમિયાન, પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે પુષ્ટિ આપી છે કે તેમને મધ્યસ્થી તરફથી પ્રસ્તાવ મળ્યો છે અને હાલમાં તે તેની સામગ્રીની સમીક્ષા કરી રહ્યું છે. બુધવારે વોશિંગ્ટનમાં બોલતા, વિટકોફે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષનો અંત લાવવા અને યુદ્ધના પ્રારંભિક તબક્કા દરમિયાન લેવામાં આવેલા બંધકોને મુક્ત કરવાની શક્યતા અંગે આશાવાદ વ્યક્ત કર્યો. “લાંબા ગાળાના ઉકેલ – એક…

Read More

(જી.એન.એસ) તા. 29 વોશિંગ્ટન, અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, અમેરિકા ચીની વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાનું શરૂ કરશે, “જેમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાણ ધરાવતા હોય અથવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.” ભારત પછી ચીન યુનાઇટેડ સ્ટેટ્સમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો બીજો સૌથી મોટો સ્ત્રોત છે. 2023-2024 શૈક્ષણિક વર્ષ દરમિયાન, 270,000 થી વધુ ચીની વિદ્યાર્થીઓએ યુ.એસ. સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો હતો, જે કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વસ્તીના લગભગ એક ચતુર્થાંશ હિસ્સો છે. રુબિયોએ પોતાની જાહેરાતમાં જણાવ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓ માટે ‘આક્રમક રીતે’ વિઝા રદ કરશે. “રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ હોમલેન્ડ સિક્યુરિટી…

Read More

મેષ આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન હળવું કરશે. આજે તમે કુદરતી સૌદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે. તમે પૂરૂં કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે. વૃષભ આજે…

Read More

ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં રૂ. ૬૯ થી ૫૯૬ પ્રતિ ક્વિ. નો વધારો કરાયો સમયસર ટેકાના ભાવ જાહેર કરવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કરતા કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ (જી.એન.એસ) તા. 29 ગાંધીનગર, ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ ૨૦૨૫-૨૬માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂ. ૬૯ થી રૂ. ૫૯૬ પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર,…

Read More

તિથિ ચતુર્થી (ચોથ) – 21:25:52 સુધી નક્ષત્ર પુનર્વસુ – 21:30:29 સુધી કરણ વાણિજ – 10:17:57 સુધી, વિષ્ટિ ભદ્ર – 21:25:52 સુધી પક્ષ શુક્લ યોગ ગંડ – 12:56:27 સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:54:02 સૂર્યાસ્ત 19:20:04 ચંદ્ર રાશિ મિથુન – 15:43:38 સુધી ચંદ્રોદય 08:50:00 ચંદ્રાસ્ત 22:55:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 16 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ 13:26:02 અશુભ સમય દુર મુહુર્ત 08:35:14 થી 09:28:58 ના, 13:03:55 થી 13:57:39 ના કુલિક 08:35:14 થી 09:28:58 ના દુરી / મરણ 13:57:39 થી 14:51:23 ના રાહુ કાળ 10:56:18 થી…

Read More

Peta Heading- આ મુલાકાતમાં પ્રાકૃતિક કૃષિ અને સહકાર આંદોલન પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી (જી.એન.એસ) તા. 29 નવી દિલ્હી, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત ખૂબ જ વિચારપ્રેરક રહી, જેમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે સહકારી ક્ષેત્રના સહયોગ વિષયે વિસ્તૃત ચર્ચા થઈ હતી. કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સહકાર અને પ્રાકૃતિક ખેતીનો સંગમ ભારતને આત્મનિર્ભર બનાવશે, એટલું જ નહીં પરંતુ દેશને એક સ્થાયી, આરોગ્યપ્રદ અને પર્યાવરણીય સુરક્ષા સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે જણાવ્યું…

Read More

(જી.એન.એસ) તા. 29 ગાંધીનગર, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં, નાયબ ખેતી નિયામક વર્ગ-1ની પરીક્ષા રદ કરવામાં આવી છે. જ્યારે મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. મહત્વનું છે કે, આ નિર્ણય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને લઈને ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ લેવામાં આવ્યો છે. ઉમેદવારોનું કહેવું હતું કે, પરીક્ષામાં એક જ પુસ્તકમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના કારણે બધા ઉમેદવારોને એકસરખી તક મળતી નહોતી. આ બાબતને ધ્યાનમાં રાખીને અને ઉમેદવારોને સમાન તક મળે તે હેતુથી GPSC દ્વારા આ પરીક્ષા રદ કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાત જાહેર સેવા આયોગ…

Read More

સંબંધિત કંપનીઓએ સાધનો/એકમોના સ્પેશીફીકેશનને ધ્યાને લઇ જરૂરી સાધનિક કાગળો અપલોડ કરવાના રહેશે (જી.એન.એસ) તા. 29 ગાંધીનગર, વર્ષ ૨૦૨૫-૨૬ થી ગુજરાત સરકાર દ્વારા કૃષિ વિભાગના જુદા-જુદા પ્રભાગોમાં સહાયલક્ષી યોજનાઓનો લાભ રાજ્યના ખેડૂતોને સરળતાથી મળે તે માટે નવીન આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. આ પોર્ટલના માધ્યમથી જ બાગાયત નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા અમલીકૃત સહાય યોજનાઓ હેઠળના મીની ટ્રેક્ટર (20 PTO હોર્સ પાવર સુધી), મીની રોટાવેટર, મીની ક્લ્ટીવેટર, મીની ટ્રેલર, મીની પાણીનું ટેંકર, વજનકાંટા, પ્લાસ્ટીક ક્રેટસ, ક્રોપ કવર, પ્લાસ્ટીક મલ્ચીંગ તેમજ ગ્રીનહાઉસ, પોલીહાઉસ, નેટહાઉસ, પોલીટનલ જેવા ઘટકો હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવે છે. આ ઘટકો હેઠળ ખેડૂતો સહાય મેળવી શકે તે માટે…

Read More

ગુજરાતમાં રાષ્ટ્રવ્યાપી “વિકસીત કૃષિ સંકલ્પ અભિયાન”નો પ્રારંભ ગુજરાતમાં યાત્રા કરીને આ ટીમો આગામી ૧૫ દિવસમાં રાજ્યના ૨,૯૫૧ ગામના ૩.૫૦ લાખથી વધુ ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે (જી.એન.એસ) તા. 29 ગાંધીનગર/આણંદ/રાજકોટ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ ક્ષેત્રને વધુ આધુનિક, ટકાઉ અને કાર્યક્ષમ બનાવવાના શુભ આશય સાથે સમગ્ર દેશમાં આજથી આગામી ૧૫ દિવસ સુધી “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન” હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી આજે “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે, જે આગામી તા. ૧૨ જૂન સુધી યોજાશે. કેન્દ્ર સરકારના ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)ના સીધા માર્ગદર્શન…

Read More

(જી.એન.એસ) તા. 29 અમદાવાદ, અમદાવાદ જિલ્લાના બાવળામાં આવેલ પનામા હોટલમાં SOG પોલીસ ની ટીમે દરોડો પાડીને ગેરકાયદેસર ગર્ભપાત કરતા લોકોણે ઝડપી પડયા હતા જેમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરનાર નર્સ હેમલતા દરજી અને ગેસ્ટહાઉસ સંચાલકની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કરતાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ખુલાસા બાદ પોલીસે અમદાવાદના એક એમડી રેડિયોલોજિસ્ટ ડૉક્ટરની પણ ધરપકડ કરી છે. ગેરકાયદેસર ગર્ભપાતના કિસ્સામાં પોલીસને તપાસ કરતાં ખબર પડી હતી કે, અમદાવાદના એક એમડી રેડિયોલોજિસ્ટ ડૉક્ટરની ક્લિનિકમાં પહેલા ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું અને તે બાદ બાવળાના ગેસ્ટ હાઉસમાં ગર્ભપાત કરવામાં આવતું હતું. બાવળામાં નોંધાયેલા ભ્રૂણ હત્યા કેસમાં પોલીસે…

Read More