Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૧૧/૦૬/૨૦૨૬)
- હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવીને કાયદાનો ડર ભૂલેલા બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા
- રાષ્ટ્રસેવાના ૧૨ વર્ષ પૂર્ણ : ગુજરાત રાજ્ય વકફ બોર્ડે પસાર કર્યો સર્વાનુમતે અભિનંદન ઠરાવ
- યુપીના કાનપુર સ્થિત નકલી ડિગ્રી રેકેટ 13 વર્ષથી ભારત, યુકે, કેનેડા અને સાઉદી અરેબિયામાં કાર્યરત; ૧૦ ની ધરપકડ
- કેન્દ્રીય કેબિનેટની અમદાવાદ મેટ્રોના ફેઝ-2Aને અપાઈ મંજૂરી, કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધીનો 6 કિ.મી.નો રૂટ
- જેલમાંથી છૂટતા જ મોન્ટુ નામદારે ખાડિયામાં રોફ જમવા કર્યો નવો સ્ટંટ!
- NDA સંમેલનમાં 15 થી વધુ પક્ષો હાજરી આપી
- મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળના ટીએમસી માટે બીજો મોટો ઝટકો
- પશ્ચિમ બંગાળ કેબિનેટ વિસ્તરણ: મુખ્યમંત્રી સુવેન્દુએ લીધું ગૃહ ખાતું, સ્વપ્ન દાસગુપ્તાને નાણાં ખાતું સોંપાયું
- આજથી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી સાથે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરશે CJP
- વિજય રૂપાણીની પુત્રીને એર ઇન્ડિયાએ સ્પષ્ટતા આપી: ‘ચુકવણી સ્વીકારવાનું કોઈ દબાણ નથી’
- મેલોનીથી મારાપે સુધી: વિશ્વના નેતાઓએ સતત ચૂંટણી લડતા પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદીના રેકોર્ડની પ્રશંસા કરી
Author: gujdesk
32 કરોડના રોકાણ સાથે કાર્યરત સેન્ટરમાં ફિનટેક કેન્દ્રિત અભિગમ-એ.આઈ. અને ડેટા એનાલિટીક્સ – બ્લોકચેન અને ક્લાઉડ આધારિત સુવિધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવશે (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ફોસીસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવતા રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને એ.આઇ. ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની નેમ વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં એ.આઇ. સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત કરીને રાજ્યમાં નવા સોલ્યુશન બનાવનારા એક્સપર્ટસ, પ્રોફેશનલ્સ અને સ્ટાર્ટ-અપ્સને એક સાથે લાવવાનું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. ઇન્ફોસીસ દ્વારા ગિફ્ટ સિટીમાં કાર્યરત થયેલું આ ડેવલોપમેન્ટ સેન્ટર ફિન્ટેક ફ્રેમવર્ક અન્વયે અતિ આધુનિક નાણાંકીય ટેકનોલોજીના સોલ્યુશન પુરા પાડવા પર…
(જી.એન.એસ) તા. 7 નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે નવી દિલ્હીમાં નક્સલવાદ વિરુદ્ધ તાજેતરના ઓપરેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા અધિકારીઓને મળ્યા અને આ ઓપરેશન્સની ઐતિહાસિક સફળતા બદલ તેમને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે મોદી સરકાર ભારતને નક્સલવાદના ત્રાસમાંથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છે. X પરની એક પોસ્ટમાં, ગૃહમંત્રીએ કહ્યું, “હું નક્સલવાદ સામેના તાજેતરના ઓપરેશનમાં મુખ્ય ભૂમિકા ભજવનારા અધિકારીઓને મળ્યો અને આ ઓપરેશન્સની ઐતિહાસિક સફળતા બદલ તેમને અભિનંદન આપ્યા. હું એ સૈનિકોને મળવા પણ ઉત્સુક છું જેમણે પોતાની બહાદુરીથી આ ઓપરેશનને સફળ બનાવ્યા અને ટૂંક સમયમાં છત્તીસગઢની મુલાકાત લઈને તેમને મળીશ. મોદી સરકાર ભારતને નક્સલવાદના ત્રાસમાંથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છે.”…
(જી.એન.એસ) તા. 7 અમદાવાદ, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ શિવમ આવાસ યોજના ખાતે એક રીઢા ગુનેગાર દ્વારા ફિલ્મી ખેલ કરવામાં આવ્યો હતો જ્યારે તેને પોલીસને પકડવા આવતા જોઈને આરોપી શિવમ આવાસ યોજનાના ફ્લેટની બાલ્કનીમાં ચઢી ગયો હતો. પોલીસ આરોપીને નીચે ઉતરી જવા કહી રહી હતી ત્યારે આરોપીએ બાલ્કનીમાંથી કુદી પડવાની ધમકી આપી હતી. આરોપીએ આત્મહત્યાની ધમકી આપ્યા બાદ પોલીસે રેસ્કયૂ કરવા માટે ફાયર ડિપાર્ટમેન્ટના જવાનોને પણ ઘટના સ્થળે બોલાવી લીધા હતા. આરોપીએ પોલીસને બાલ્કનીમાંથી કુદીને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. પોલીસે સત્વરે ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરી. ફાયર ડિપાર્ટમેન્ટના જવાનોએ સ્થળ પર પહોંચીને આરોપીને નીચે ઉતારવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરુ કર્યુ હતું. પોલીસ…
(જી.એન.એસ) તા. 7 મધેપુરા, બિહારના વિપક્ષી નેતા, આરજેડી નેતા તેજસ્વી યાદવને મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો, જેમાં એક બેકાબૂ ટ્રકે તેજસ્વી યાદવના કાફલાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે આ ઘટના તેમનાથી માત્ર 5 ફૂટ દૂર બની હતી. આ અકસ્માત અંગે આરજેડી નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, ‘હું સવારે 10 વાગ્યે મધેપુરામાં એક કાર્યક્રમમાં ગયો હતો અને પટના પરત ફરતી વખતે, અમે NH 22 હાજીપુર મુઝફ્ફરપુર મેઈન રોડ પર ગોરૌલમાં ચા પીવા માટે રોકાયા હતા. તે…
બાળરોગ સર્જરી સપ્તાહ દરમ્યાન નાના બાળકો ધરાવતા તમામ માતાપિતા માટે ફરી થી ચોંકાવનારો કિસ્સો (જી.એન.એસ) તા. 7 અમદાવાદ, છેલ્લા ઓગણીસ દિવસથી આમ થી તેમ અમારા બાળકની તકલીફની સારવાર માટે દોડી રહ્યા હતા, પણ છેલ્લે સાચી સારવાર સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં જ મળી આ શબ્દો છે બાળકના પિતા જુનેદભાઇના. કારપેન્ટરનુ કામ કરતા મંગરોળ, જુનાગઢ ના રહેવાસી એવા શ્રી જુનેદ યુસુફ અને શ્રીમતી તબસ્સુમબેનના લાડકવાયા એવા 9 માસના નાનકડા પુત્ર મોહમ્મદને છેલ્લા ૧૫ દિવસથી ઉધરસ આવતી હતી. જુનાગઢ માં બાળરોગ તજજ્ઞ ને બતાવતા તેનો છાતીનો એક્સ-રે કરાવતા તેમાં શ્વસનનળીમાં કાંઈક હોવાની માલુમ પડ્યુ હતુ. જુનેદ ભાઇને રાજકોટની ખાનગી હોસ્પિટલ દ્વારા વધુ તપાસની ભલામણ…
(જી.એન.એસ) તા. 7 વોશિંગ્ટન, એલોન મસ્કે ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ એપ્સટિન ફાઇલ્સમાં હતું, જેના કારણે તે ક્યારેય જાહેર કરવામાં આવ્યું ન હતું. જોકે, મસ્કે હવે એપ્સટિન ફાઇલોમાં ટ્રમ્પનું નામ હોવાનો દાવો કરતી પોસ્ટ ડિલીટ કરી દીધી છે. આ પગલું ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચે ચાલી રહેલા ઝઘડા વચ્ચે આવ્યું છે, જે ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓએ રિપબ્લિકન નેતાના ‘બિગ બ્યુટીફુલ’ ખર્ચ બિલની ટીકા સાથે શરૂ કર્યું હતું. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે મસ્કથી ‘નિરાશ’ હોવાનું કહ્યું અને બંનેએ સોશિયલ મીડિયા પર ટીકાઓનો મારો ચલાવ્યો ત્યારે વિવાદ વધુ વકર્યો. સૌથી મોટો ટીકા મસ્ક તરફથી આવ્યો, જેમણે આરોપ…
(જી.એન.એસ) તા. 6 અમદાવાદ, અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 26.06.2025ના રોજ 11:00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ GPOની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આવી ફરિયાદો તારીખ 20.06.2025 સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ GPO, અમદાવાદ-380001ને મોકલવાની રહેશે. તારીખ 20.06.2025 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમ જ નીતી વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહીં.
(જી.એન.એસ) તા. 7 રાજકોટ, હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે, ત્યારે અમરેલી ખાંભા ગીર પંથક અને વડીયા સહિતના વિસ્તારોમાં આજે શુક્રવારે (6 જૂન) વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદ વરસ્યો હતો. ગરમીના માહોલ વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજ્યમાં આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે 7 જૂનના રોજ રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી,…
“ગુજરાત સરકારનો મક્કમ નિર્ધાર : સુરક્ષિત ખોરાક બનશે સ્વસ્થ ભવિષ્યનો આધાર” ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ વર્ષ દરમિયાન ૧૯૦થી વધુ રેડ કરીને રૂ. ૧૦.૫ કરોડની કિંમતનો ૩૫૧ ટન શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કર્યો (જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, સુરક્ષિત ખોરાક એ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ આર્થિક સ્થિરતા અને ટકાઉ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે, દૂષિત ખોરાક અનેક ગંભીર બીમારીઓને નોતરે છે. એટલા માટે જ, ખાદ્ય સુરક્ષા અને તેના મહત્વ વિશે જાગૃતિ કેળવવા માટે દર વર્ષે તા. ૭ જૂનને “વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની થીમ, ખોરાકની સલામતી માટે…
(જી.એન.એસ) તા. 7 અમદાવાદ, ભારતના પશ્ચિમ રેલવેના ગુજરાતના વાસદ-રણોલી સ્ટેશનોની વચ્ચે રિ-ગર્ડરિંગના કામ માટે 8 જૂન 2025 સુધી લેવામાં આવેલો બ્લોક ટેક્નિકલ કારણોસર રદ કરવામાં આવ્યો છે. આમ બ્લોક લેવાને લઈને આ રૂટ પરની 8 ટ્રેનો પ્રભાવિત થવાની હતી. જ્યારે હવે વાસદ–રણોલી સ્ટેશનો વચ્ચેનો બ્લોક રદ થતાં પ્રભાવિત ટ્રેનો પૂર્વ નિર્ધારિત સમય પ્રમાણે દોડશે. ભારતીય રેલવે વિભાગની માહિતી અનુસાર, પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ ખાતે વાસદ-રણોલી સ્ટેશનોની વચ્ચે બ્રિજ નંબર 624 પર રિ-ગર્ડરિંગના કામ માટે 8 મેથી 8 જૂન 2025 સુધી (બુધવાર અને રવિવાર) બ્લોક લેવામાં આવ્યો હતો. જેમાં ટેકનિકલ કારણોસર 8 જૂન રવિવારના રોજ બ્લોક રદ કરવામાં આવ્યો છે. જેથી…
