Author: GNSnewsAdmin

(જી.એન.એસ) તા. ૧૩ નવી દિલ્હી, શનિવારે ભારત સરકારે ઓમાનના દરિયાકાંઠે ભારતીય ક્રૂવાળા અન્ય એક જહાજને નિશાન બનાવવામાં આવ્યાના અહેવાલોને ‘ખોટા’ ગણાવીને ફગાવી દીધા હતા. ઘણા અપ્રમાણિત અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે માર્શલ આઇલેન્ડ્સ-ધ્વજવંદન કરાયેલ તેલ અને રાસાયણિક ટેન્કર એમટી લિયાકી ફ્રીડમને શુક્રવારે રાત્રે ઓમાનના અખાતમાં નિશાન બનાવવામાં આવ્યું હતું કારણ કે તેણે VHF (ખૂબ જ ઉચ્ચ આવર્તન) પર પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દીધું હતું. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટેન્કરમાં ઘણા ભારતીયો સવાર હતા, અને જાનહાનિની ​​આશંકા હતી. જોકે, ભારત સરકારે આ અહેવાલોને નકારી કાઢ્યા છે, અને કહ્યું છે કે બધા ક્રૂ સભ્યો સુરક્ષિત છે. “અમે જહાજ લિયાકી…

Read More

(જી.એન.એસ) તા. ૧૩ તેહરાન, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના પ્રસ્તાવિત કરાર પર અત્યાર સુધીનો સૌથી વિગતવાર દેખાવ રજૂ કર્યો છે, જે તેમના મતે થોડા દિવસોમાં અંતિમ સ્વરૂપ આપી શકાય છે. “ઈસ્લામાબાદ સમજૂતી કરાર” તરીકે ઓળખાતા કરાર વિશે બોલતા, અરાઘચીએ કહ્યું કે આ ફ્રેમવર્ક કરાર વર્તમાન સંઘર્ષનો અંત લાવશે, ભવિષ્યની વાટાઘાટો માટે માર્ગ મોકળો કરશે અને દરિયાઈ સુરક્ષાથી લઈને પ્રતિબંધોમાં રાહત સુધીના મુદ્દાઓને સંબોધશે. કોઈ અંતિમ કરાર પર હસ્તાક્ષર થયા નથી તે વાત પર ભાર મૂકતા, ઈરાનના વિદેશ પ્રધાને ઘણી મુખ્ય જોગવાઈઓ વર્ણવી જે તેમણે કહ્યું કે કરારનો આધાર બનશે. યુએસ-ઈરાન કરારના મુસદ્દા વિશે મુખ્ય બાબતો…

Read More

મેષ લાગણીની દૃષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો-આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે અંગે સાવચેત રહેજો. આ રાશિ ના અમુક લોકો ને પોતાના સંતાન થી આર્થિક લાભ થવા ની શક્યતા છે. આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો-એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. આજે રાત્રે તમારા જીવનસાથી સાથે મુક્ત સમય ગાળતાં વખતે, તમને લાગે છે કે તમારે તેમને વધુ સમય આપવો જોઈએ. તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે…

Read More

ગુજરાતના ગામડાઓમાં વિકાસની ગતિ તેજ (જી.એન.એસ) તા. ૧૨ – પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૬ લાખથી વધુ પરિવારોને મળ્યાં ઘર – મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના હેઠળ ૪,૫૫૭ લાખ કરતાં વધુ માનવદિન રોજગારીનું સર્જન – ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન લિમિટેડના પ્રયાસોથી ૨૬ લાખથી વધુ ગ્રામીણ મહિલાઓનું થયું આર્થિક સશક્તીકરણ – પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (વોટરશેડ કમ્પોનન્ટ) હેઠળ રૂ. ૬૧૭ કરોડથી વધુના ખર્ચે ૧.૩૬ લાખ કરતાં વધુના કામો પૂર્ણ – સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ૪૪ લાખથી વધુ શૌચાલયોનું નિર્માણ —– ગુજરાતે છેલ્લા ૧૨ વર્ષમાં ગ્રામ વિકાસક્ષેત્રે અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના નેતૃત્વમાં…

Read More

(જી.એન.એસ) તા. ૧૨ જામનગર, શહેરમાં સરકારી તંત્ર કેટલું સક્રિયતા થી કામ કરે છે તેનો વધુ એક પુરાવો જોવા મળ્યો હતો જેમાં, સાઇચા ગેંગ સાથે સંકળાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે આજે જિલ્લા તંત્ર દ્વારા સંયુક્ત ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરીના માર્ગદર્શન હેઠળ શહેર વિભાગની મામલતદાર કચેરી, પોલીસ વિભાગ તથા અન્ય સંબંધિત સરકારી વિભાગોની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાબતે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કુલ 13 ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તોડી પાડવામાં આવેલા બાંધકામોની અંદાજિત કિંમત બે કરોડ રૂપિયામાં હોવાનું તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા માળખાઓને દૂર કરવા માટે…

Read More

લારી ગલ્લા માટે નવેસરથી હોકિંગ અને નોન હોકિંગ ઝોન નક્કી થશે : વડોદરા મ્યુનિ. કમિશનર અરુણ બાબુ (જી.એન.એસ) તા. ૧૨ વડોદરા, વડોદરા મહાનગરપાલિકા ના કમિશનર અરુણ બાબુ દ્વારા એક ખાસ બેઠક બોલાવામાં આવી હતી જેમાં સમગ્ર શહેરમાં નવેસરથી વોકિંગ અને નોન હોકિંગ ઝોન નક્કી કરવા વિચારણા થઈ હતી. પાલિકા વડી કચેરી ખાતે શહેરના મોટાભાગના લારી ગલ્લા પથારાવાળાઓએ દેખાવો કર્યા હતા. શહેરના જુદા જુદા વિસ્તારમાં નો પાર્કિંગ અને લારી ગલ્લા પથારા લગાવવા અંગે તંત્ર દ્વારા મનાઈ ફરમાવી હતી. આ અંગે શહેરના મોટાભાગના લારી ગલ્લા પથારાવાળાઓએ પાલિકા વડી કચેરી એ તાજેતરમાં હલ્લો બોલાવી વિરોધ કર્યો હતો. પરિણામે મ્યુનિસિપલ કમિશનરે આ અંગે તાત્કાલિક…

Read More

ગુજરાત નોલેજ સોસાયટી -GKS અને અમેરિકાની વૈશ્વિક અગ્રણી કંપની ‘Bentley Systems’ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સરકાર પર કોઈપણ પ્રકારના નાણાકીય ભારણ વિના વિદ્યાર્થીઓને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર નેટવર્ક અને ડિજિટલ ટ્વીન જેવા ક્ષેત્રોમાં અદ્યતન પ્રેક્ટિકલ તાલીમ અપાશે (જી.એન.એસ) તા. ૧૨ ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ઉચ્ચ – તાંત્રિક શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના નેતૃત્વમાં ગુજરાત નોલેજ સોસાયટી -GKS અને અમેરિકાની વૈશ્વિક અગ્રણી કંપની ‘Bentley’ની Bentley Systems India Private Limited’ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી કરવાનું એક ઐતિહાસિક કદમ રાજ્ય સરકારે ઉઠાવ્યું છે. ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરી હેઠળ કાર્યરત ગુજરાત નોલેજ સોસાયટી GKS અને અમેરિકાની…

Read More

દુર્ઘટનાના ઘાવોને આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરના સંકલ્પમાં ફેરવી, આરોગ્ય ક્ષેત્રે નવા યુગની તેમજ શિક્ષણની નવી આશાઓનું નિર્માણ થશે : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા. દુર્ઘટના પ્રભાવિત ન્યૂ મેન્ટલ કેમ્પસમાં રૂ. ૫૪૭ કરોડથી વધુના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના આધુનિક પ્રોજેક્ટ્સનું આયોજન (જી.એન.એસ) તા. ૧૨ ગત વર્ષે ૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદની દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગતોને પ્રથમ વરસીએ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અણધારી ઘટનાથી શોકગ્રસ્ત બનેલા પરિવારજનો પ્રત્યે આરોગ્ય મંત્રીશ્રીએ હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના મેઘાણીનગર, અમદાવાદ સ્થિત ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે દુર્ઘટનાગ્રસ્ત ઇમારતોને દૂર…

Read More

શાળા સમય દરમિયાન શિક્ષકો પોતાના અંગત મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં: જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (જી.એન.એસ) તા. ૧૨ બનાસકાંઠા, સમગ્ર રાજ્ય અને જિલ્લામાં પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા અને વર્ગખંડમાં બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હવેથી શાળા સમય દરમિયાન શિક્ષકો પોતાના અંગત મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં.શાળા શરૂ થતાંની સાથે જ તમામ શિક્ષકોએ પોતાના મોબાઈલ ફોન ફરજિયાતપણે શાળાના આચાર્ય પાસે જમા કરાવી દેવાના રહેશે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા લેવાયેલા આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ છે કે શિક્ષકોનું ધ્યાન સોશિયલ મીડિયા કે અન્ય ડિજિટલ…

Read More

AMC દ્વારા ઈસનપુરમાં આંબા તળાવ આસપાસની જગ્યાને દબાણમુક્ત કરવામાં આવી (જી.એન.એસ) તા. ૧૨ અમદાવાદ, શહેરના ઈસનપુર વિસ્તારમાં ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં, આંબા તળાવ આસપાસની જગ્યાને દબાણમુક્ત કરવા માટે તલાવડી પાસે ગેરકાયદેસર રીતે બનેલા મકાન, ઝૂંપડા અને દુકાનો પર તવાઈ બોલાવવામાં આવી છે. આ આખી કામગીરી અંતર્ગત AMC દ્વારા 200 થી વધુ ઝૂંપડા, 50 દુકાન અને 2 મકાન તોડી પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ દબાણો હટાવવા માટે અગાઉ અનેક નોટિસ આપવામાં આવી હતી. અનેક નોટિસ આપવા છતાં પણ મકાન અને દુકાનો ખાલી ન કરવામાં આવતા આખરે AMC દ્વારા કડક કાર્યવાહી…

Read More