Author: GNSnewsAdmin

તિથિ અષ્ટમી (આઠમ) – 15:42:19 સુધી નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની – 10:23:02 સુધી કરણ ભાવ – 15:42:19 સુધી, બાલવ – 28:07:30 સુધી પક્ષ શુક્લ યોગ વ્યતાપતા – 10:30:31 સુધી વાર સોમવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:54:47 સૂર્યાસ્ત 19:27:55 ચંદ્ર રાશિ કન્યા ચંદ્રોદય 13:03:00 ચંદ્રાસ્ત 25:00:00 ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1948 પરાભવ વિક્રમ સંવત 2083 કાળી સંવત 5127 પ્રવિષ્ટા / ગત્તે 8 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ 13:33:07 અશુભ સમય દુર મુહુર્ત 13:08:28 થી 14:02:40 ના, 15:51:05 થી 16:45:18 ના કુલિક 15:51:05 થી 16:45:18 ના દુરી / મરણ 08:37:25 થી 09:31:38 ના રાહુ કાળ 07:36:26 થી 09:18:04 ના કાલવેલા/અર્ધ્યામ 10:25:50…

Read More

મેડટેક ક્ષેત્રમાં ગુજરાતની વૈશ્વિક ઉડાનને ગતિ આપશે આ GRIT અને EPCMD India પરિષદ (જી.એન.એસ) તા. ૨૧ ગાંધીનગર, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRIT અને ભારત સરકાર દ્વારા સ્થાપિત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર મેડિકલ ડિવાઇસિસ-EPCMD India દ્વારા સંયુક્ત રીતે “ગુજરાત ટુ ગ્લોબલ: એમ્પાવરિંગ ધ મેડટેક ઇકોસિસ્ટમ” શીર્ષક હેઠળ મેડટેક ક્ષેત્રની એક ઉચ્ચ પરિષદનું આયોજન આગામી તા. ૨૩ જૂન, ૨૦૨૬ મંગળવારના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. આ પરિષદનો હેતુ સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓ અને વૈશ્વિક બજારોમાં પ્રવેશ વચ્ચેના તફાવતને દૂર કરવાનો છે. તે માટે નીતિ નિર્માતાઓ, નિયમનકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા ઉદ્યોગના અગ્રણીઓને એક જ મંચ પર લાવવામાં આવશે. આ કાર્યક્રમ ગુજરાતના મેડિકલ ડિવાઇસ…

Read More

કપડવંજ તાલુકા પંચાયતની વઘાસ બેઠકના ભાજપના સભ્ય મફતસિંહ ઝાલાનો પુત્રને દારૂની ખેપ મારતા રંગે હાથ ઝડપાયો ‘પુત્ર સાથે દોઢ વર્ષથી કોઈ સંબંધ નથી’  ભાજપ નેતાનો છેડો ફાડતો દાવો (જી.એન.એસ) તા. ૨૧ ખેડા, ગુજરાતમાં દારુબંધી હોવા છતાં અમુક લોકોની ખરાબ માનસિકતાના કારણે સમાજમાં દારૂનું દુષણ ફેલાતું હોય છે ત્યારે, હાલ ખેડા જીલ્લા ભાજપમાં ચોંકાવનારી ઘટના બનવા પામી હતી જેમાં, કપડવંજ તાલુકા પંચાયતની વઘાસ બેઠકના ભાજપના સભ્ય મફતસિંહ ઝાલાના પુત્રને દારૂની ખેપ મારતા રંગે હાથ ઝડપવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી તેના આધારે વોચ ગોઠવી હતી. અને શંકાસ્પદ સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કાર આવતા જ તેને રોકી…

Read More

(જી.એન.એસ) તા. ૨૧ જબલપુર, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રવિવારે જબલપુર, મધ્ય પ્રદેશ ખાતે એક સામૂહિક યોગ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર વિશ્વભરના યોગ સાધકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આજે આપણે ભારતની એ મહાન પરંપરાની ઉજવણી કરી રહ્યા છીએ, જેણે માનવતાને સ્વસ્થ, સંતુલિત અને સાર્થક જીવનનો માર્ગ બતાવ્યો છે. યોગ એ વૈશ્વિક સમુદાયને આપણી સાંસ્કૃતિક વિરાસતની એક અમૂલ્ય ભેટ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે યોગ એ વ્યક્તિને પોતાના આત્મા સાથે, સમાજને પ્રકૃતિ સાથે અને માનવતાને વિશાળ વૈશ્વિક ચેતના સાથે જોડવાનું એક શક્તિશાળી માધ્યમ છે. એવા સમયે જ્યારે…

Read More

(જી.એન.એસ) તા. ૨૧ યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ ઈરાન સાથે શાંતિ વાટાઘાટો માટે સ્વિટ્ઝર્લૅન્ડ પહોંચ્યા કારણ કે બંને રાષ્ટ્રો તેમના યુદ્ધનો કાયમી અંત લાવવા માંગે છે, જ્યારે ઈરાનના દાવાઓ પર અસંમત છે કે તેણે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે. વાટાઘાટોમાં હાજરી આપવા માટે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ પણ ઝુરિચ પહોંચ્યા હતા, જ્યાં તેઓ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે જોડાશે. સ્વિટ્ઝર્લૅન્ડના ફેડરલ ડિપાર્ટમેન્ટ ઑફ ફોરેન અફેર્સે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મધ્યસ્થીઓની હાજરી સાથેની વાટાઘાટો “સવાર દરમિયાન” સ્વિસ પર્વતીય રિસોર્ટ બુર્ગેનસ્ટોકમાં શરૂ થવાની અપેક્ષા હતી. પ્રતિનિધિમંડળોનું નેતૃત્વ વાન્સ અને ઈરાની મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાઘર ગાલિબાફ કરી રહ્યા…

Read More

મેષ આજે મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ સાવચેત રહેજો, વધુ પડતું ખવાઈ જશે તો તમારી સવાર બગડશે. આજ ના દિવસે તમે ધન સંબંધી સમસ્યા ને કારણે પરેશાન રહી શકો છો. આના માટે તમારે પોતાના કોઈ વિશ્વાસ પાત્ર ની સલાહ લેવી જોઈએ। બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે, કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે. તમારો કૉલ લંબાવીને તમે તમારા રૉમેન્ટિક ભાગીદારને ચીડવશો. પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે, પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો. શાંતિ નો વાસ તમારા હૃદય માં રહેશે અને…

Read More

તિથિ સપ્તમી (સાતમ) – 15:23:02 સુધી નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની – 09:32:09 સુધી કરણ વાણિજ – 15:23:02 સુધી, વિષ્ટિ ભદ્ર – 27:27:16 સુધી પક્ષ શુક્લ યોગ સિદ્ધિ – 11:20:58 સુધી વાર રવિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:54:35 સૂર્યાસ્ત 19:27:44 ચંદ્ર રાશિ સિંહ – 15:40:45 સુધી ચંદ્રોદય 12:09:00 ચંદ્રાસ્ત 24:29:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1948 પરાભવ વિક્રમ સંવત 2083 કાળી સંવત 5127 પ્રવિષ્ટા / ગત્તે 7 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ 13:33:09 અશુભ સમય દુર મુહુર્ત 17:39:18 થી 18:33:31 ના કુલિક 17:39:18 થી 18:33:31 ના દુરી / મરણ 10:25:37 થી 11:19:50 ના રાહુ કાળ 17:46:05 થી 19:27:44 ના કાલવેલા/અર્ધ્યામ 12:14:03 થી…

Read More

(જી.એન.એસ) તા. ૨૦ નવી દિલ્હી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે શુક્રવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા અને 20 બળવાખોર પાર્ટીના સાંસદો દ્વારા નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI) સાથે તેમના વિલીનીકરણ અંગે કરવામાં આવેલા દાવાનો સખત વિરોધ કર્યો. પ્રતિનિધિમંડળમાં TMC ના વરિષ્ઠ નેતાઓ કલ્યાણ બેનર્જી, ડેરેક ઓ’બ્રાયન, મહુઆ મોઇત્રા અને સૌગત રોયનો સમાવેશ થતો હતો. બેઠક દરમિયાન, પાર્ટીએ સ્પીકરને વિલીનીકરણના દાવાને નકારી કાઢવા અને બંધારણની પક્ષપલટા વિરોધી જોગવાઈઓ હેઠળ બળવાખોર ધારાસભ્યો સામે ગેરલાયકાતની કાર્યવાહી શરૂ કરવા વિનંતી કરી. TMC એ 20 ગેરલાયકાત અરજીઓ રજૂ કરી બેઠક બાદ, અભિષેક બેનર્જીએ કહ્યું કે તેમણે બળવાખોર સાંસદોને…

Read More

GSRTCને મુસાફરો તરફથી મળ્યો જબરદસ્ત પ્રતિસાદ, સરેરાશ રેટિંગ 4.7 સ્ટાર સુધી પહોંચ્યું માર્ચથી જૂન 2026 દરમિયાન 3.13 લાખથી વધુ મુસાફરોના ફીડબેક રિપોર્ટ મળ્યાં (જી.એન.એસ) તા. ૨૦ ગાંધીનગર, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા માર્ચ 2025માં અજમાયશી ધોરણે શરૂ કરવામાં આવેલી QR-કોડ આધારિત મુસાફર ફીડબેક સિસ્ટમ હવે રાજ્યભરમાં મોટા પાયે વિસ્તરવામાં આવી છે. આ પહેલને લાખો મુસાફરોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે અને સરેરાશ 5માંથી 4.7 સ્ટારનું સંતોષજનક રેટિંગ પ્રાપ્ત થયું છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યની જાહેર પરિવહન સેવાઓમાં વ્યાપક સુધારા કરવામાં આવ્યા છે, જેમાં મુસાફરોની સુવિધા, સલામતી અને સેવાની ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.…

Read More

(જી.એન.એસ) તા. ૨૦ સુરત, ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરત ખાતે રૂ.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નારી સંરક્ષણગૃહનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઘોડદોડ રોડ ખાતે કલામંદિર જવેલર્સની સામે G+2 માળનું નવું નારી સંરક્ષણગૃહ બનશે, જેમાં ૧૦૧ પીડિત, શોષિત મહિલાઓ આશ્રય લઇ શકશે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ ઘોઘારી, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી રાકેશ શંકર, વિભાગના નાયબ કમિશનરશ્રી મનીષાબેન પટેલ, નાયબ નિયામકશ્રી ડી. બી. પંડ્યા, નિયામકશ્રી (મહિલા કલ્યાણ) શ્રીમતિ પી. એ. નિનામા, પ્રાંત અધિકારી વી.જે. ભંડારી, જિલ્લા પૂરવઠા અધિકારી દર્શન શાહ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્તમાન નારી સંરક્ષણ ગૃહમાં હાલ ૨૪ મહિલા બહેનો અને…

Read More