Author: GNSnewsAdmin

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ગુનાઓ ઉકેલવાની મળી સફળતા (જી.એન.એસ) તા. ૧૩ અમદાવાદ, શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રિક્ષામાં મુસાફરી કરતા સામાન્ય લોકોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. એસ.ટી બસ સ્ટોપ, ગીતા મંદિર પાસેથી રિક્ષામાં બેઠેલા એક મુસાફરના પર્સમાંથી નજર ચૂકવીને લાખોના ઘરેણાં ચોરનાર બે શખસોને પોલીસે દબોચી લીધા છે. પકડાયેલા શખસો પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ અને ગુનામાં વપરાયેલી રિક્ષા મળી કુલ રૂ.4.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, કાગડાપીઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ આગળ વધારી હતી જેમાં, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે દાણીલીમડા વિસ્તારમાં વોચ ગોઠવી…

Read More

જનતા પર મોંઘવારીનો વધુ એક માર??? (જી.એન.એસ) તા. ૧૩ ગાંધીનગર, મોંઘવારીના જમાનામાં સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે, તેણે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અમૂલ દ્વારા પ્રતિ લિટર રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો છે, જે આવતીકાલથી એટલે કે 14 મે 2026 થી સમગ્ર ભારતમાં અમલમાં આવશે. મહત્વનું છે કે, અમૂલ દ્વારા કરવામાં આવેલો આ વધારો મુખ્ય વેરિઅન્ટ અને પેક પર લાગુ પડશે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો મહત્તમ વેચાણ કિંમતમાં 2.5% થી 3.5% સુધીનો વધારો થયો…

Read More

(જી.એન.એસ) તા. ૧૩ નવી દિલ્હી, એર ઇન્ડિયાએ બુધવારે એરસ્પેસ પ્રતિબંધો અને જેટ ઇંધણના વધતા ભાવોને કારણે તેના આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેશન્સમાં ઘટાડો અને કેટલાક વિદેશી રૂટ પર સેવાઓને કામચલાઉ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. એરલાઇને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સેવાઓનું તર્કસંગતકરણ જૂનથી ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, ફેરફારોનો હેતુ એકંદર નેટવર્ક સ્થિરતામાં સુધારો કરવાનો અને પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે કાર્યકારી કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવાનો છે. એરલાઈને વધુમાં કહ્યું હતું કે, ચોક્કસ પ્રદેશોમાં ચાલી રહેલા હવાઈ ક્ષેત્ર નિયંત્રણોએ ફ્લાઇટનો સમયગાળો અને સંચાલન ખર્ચમાં વધારો કર્યો છે, જ્યારે ઉડ્ડયન ટર્બાઇન ઇંધણના ઊંચા ભાવે આંતરરાષ્ટ્રીય કામગીરી પર વધુ દબાણ ઉમેર્યું છે. એર ઇન્ડિયાએ…

Read More

હીટવેવથી હારવાનું નથી, લડવાનું છે: રેડ એલર્ટમાં કેવી રીતે રાખશો કાળજી ? ગરમી હવે માત્ર અગવડતા નથી, પણ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ છે આટલા ઉપાયો અજમાવી આ ઉનાળે “લૂ”ને મ્હાત આપો અને તમારા પરિવારને સુરક્ષિત રાખો (જી.એન.એસ) તા. ૧૩ ગાંધીનગર, ગુજરાતમાં ઉનાળા દરમિયાન વધતા જતા તાપમાન અને હીટવેવ એટલે કે, લૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉનાળામાં ગરમીને ધ્યાને રાખીને હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવે, તે સમયાગળો માત્ર ગરમી નહિ, પરંતુ સ્વાસ્થ્ય માટે એક ગંભીર ચેતવણી સમાન છે. આ કાળઝાળ ગરમીમાં તમામ વયના નાગરિકોને સુરક્ષિત રહેવા માટે માર્ગદર્શિકામાં જણાવેલા…

Read More

જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા આયોજિત વિવિધ સત્રોમાં નિષ્ણાતોએ જાતિગત સંવેદનશીલતા વિષય પર માર્ગદર્શન આપ્યું (જી.એન.એસ) તા. ૧૩ ગાંધીનગર, રોજિંદા જીવન અને કાર્યસ્થળ પર લિંગ આધારિત પૂર્વગ્રહોને ઓળખી વધુ સંવેદનશીલ અને સમાનતાપૂર્ણ વર્તન અપનાવવાના હેતુ સાથે “POSH Act, 2013 તથા જેન્ડર સેન્સિટાઈઝેશન” વિષય પર તા. ૧૧ અને ૧૨ મે, ૨૦૨૬ દરમિયાન દ્વારકા હોલ, સ્વર્ણિમ સંકુલ-૨, સચિવાલય, ગાંધીનગર ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન યોજાયેલા વિવિધ સત્રોમાં POSH Act, 2013 તથા કાર્યસ્થળે ગરિમાપૂર્ણ અભિગમ અને સમાવેશતા વિષય પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તા. ૧૧ મેના રોજ શ્રી યોગિતા આહુજા, Chairperson CII_Indian Women Network અને તા.૧૨ મે ના રોજ…

Read More

ગુજરાત સરકારના પ્રોત્સાહન અને જાગૃતિ કાર્યક્રમોથી રાજ્યમાં ખેતીનું ચિત્ર બદલાયું ગીરના યુવા ખેડૂત દિનેશ સોલંકીએ અનોખા પ્રયોગથી નાળિયેર ઉત્પાદનમાં અનેકગણો વધારો કર્યો, આવક ₹12–15 લાખ સુધી પહોંચી (જી.એન.એસ) તા. ૧૩ ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું કૃષિ ક્ષેત્ર પરંપરાગત ખેતીમાંથી આધુનિક, ટેક્નોલૉજી-આધારિત અને નિકાસલક્ષી ખેતી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ પરંપરાગત પાકો ઉપરાંત બાગાયતી પાકો અને મૂલ્યવર્ધિત ખેતીને સતત પ્રોત્સાહન મળતા ખેડૂતોની આવકમાં વધારો થયો છે. રાજ્યનો વિશાળ દરિયાકાંઠો નાળિયેરની ખેતી માટે અનુકૂળ હોવાથી તેનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. ટેન્ડર કોકોનટની વધતી માંગ અને દરિયાકાંઠાના વિસ્તરણને કારણે ગુજરાતે નાળિયેરની ખેતીમાં રેકોર્ડ ઉત્પાદન નોંધાવ્યું છે.…

Read More

જામનગર ખાતે મરીન ટાસ્ક ફોર્સનું દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ (જી.એન.એસ) તા. ૧૩ જામનગર, છેલ્લા ઘણા મહિનાઓથી અનેક દેશોમાં સર્જાયેલી યુદ્ધની તંગદિલી અને રાષ્ટ્રીય સુરક્ષાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયાકાંઠે હાઈ-એલર્ટ જેવી સ્થિતિ છે. આ અંતર્ગત જામનગર જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ‘સઘન કોસ્ટલ પેટ્રોલિંગ’ હાથ ધરીને સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે. મ્હ્ય્વનું છે કે, મરીન ટાસ્ક ફોર્સની અલગ અલગ ટીમો દ્વારા દેશની સુરક્ષા સામેના ખતરાને ટાળવા અને કોઈપણ પ્રકારની ઘૂસણખોરી રોકવા માટે આ પ્રકારની કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. દરિયાકાંઠાના ગ્રામજનો અને માછીમારોને પણ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા સૂચના…

Read More

(જી.એન.એસ) તા. ૧૩ ગાંધીનગર, ગુજરાતમાં આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવાના પોલીસના વલણ સામે ઈન્ચાર્જ DGP કે.એલ.એન. રાવે ચેતવણી ઉચ્ચારી છે. DGPએ સ્પષ્ટ શબ્દોમાં આદેશ કર્યો છે કે, ‘આરોપીના વરઘોડા કાઢવાનું બંધ કરો….’ આ મામલે DGPએ લેખિતમાં આદેશ જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી નહીં શકાય અને તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવું નહીં. આમ, આરોપીને જાહેરમાં લાત કે લાકડી મારવી નહીં. તેમજ તેમની પાસે જાહેરમાં માફી મંગાવી નહીં.’ રાજ્યમાં હવે પોલીસ દ્વારા ગુનેગારોને જાહેરમાં શાન ઠેકાણે લાવવાની પોલીસની જૂની પદ્ધતિઓ પર બ્રેક લાગી ગઈ છે. રાજ્યના ડીજીપી (DGP) એ તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને એક…

Read More

(જી.એન.એસ) તા. ૧૩ ન્યુ યોર્ક, શેફ વિકાસ ખન્ના ન્યૂ યોર્ક રાજ્યના પ્રથમ ભારતીય બન્યા જેમને તેમના ઉત્કૃષ્ટ, પ્રેરણાદાયક કલાત્મક અને રાંધણ યોગદાન માટે એશિયન અમેરિકન અને પેસિફિક આઇલેન્ડર હેરિટેજ મહિના દરમિયાન સન્માનિત કરવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે, ન્યૂ યોર્ક રાજ્યના ગવર્નર કેથી હોચુલે રાજ્યની રાજધાની, અલ્બેનીમાં AI હેરિટેજ મહિનાની ઉજવણી દરમિયાન ખન્ના પર “વિશેષ પ્રશસ્તિપત્ર” એનાયત કર્યો હતો. ખન્નાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ સન્માનને “ઊંડે ભાવનાત્મક અને નમ્ર” ગણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, “આ માન્યતાને વધુ અર્થપૂર્ણ બનાવે છે તે એ છે કે ન્યૂ યોર્ક રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ભારતીયને આ સન્માન મળ્યું છે.” એ નોંધતા…

Read More

(જી.એન.એસ) તા. ૧૩ ચેન્નાઈ, ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) ના વડા એડાપ્પડી કે. પલાનીસ્વામી (EPS) એ બુધવારે પાર્ટીની અંદર 25 નેતાઓને તેમના પદ પરથી દૂર કર્યા. જે નેતાઓને દૂર કરવામાં આવ્યા છે તેમાં AIADMK ના નેતા એસપી વેલુમાણી અને સીવી શનમુગમનો સમાવેશ થાય છે. નાથમ આર વિશ્વનાથન સહિત AIADMK ના બળવાખોર ધારાસભ્યોએ પાર્ટીના આદેશનો વિરોધ કર્યો અને અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયના ગૃહમાં બહુમતી સાબિત કરવાના પ્રયાસને સમર્થન આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. તમિલનાડુ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન બળવાખોર AIADMK ના ધારાસભ્યોએ TVK સરકારની તરફેણમાં મતદાન કર્યું. આ નેતાઓ પર વ્હીપ ફટકાર્યા પછી, પલાનીસ્વામીએ તેમની જગ્યાએ નવા જિલ્લા…

Read More